આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા!

મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો.

સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે

સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે.

આપણી સૌની કમનસીબી એ છે કે આપણામાના, આપણી વચ્ચેના કે આપણા સાથી એવા પોતાના મહાન વ્યક્તિત્વ-જિનિયસ-ને એમના જીવનકાળ દરમિયાન ઓળખી શક્તા નથી કે વખાણતા નથી તો નરસિંહ મહેતા તેમા કેવી રીતે અપવાદ હોય?

ભક્તકવિ નરસિંહ મહેતા
  • “આદિકવિ”
  • “નરસૈયો”
  • જન્મ: 1414 તળાજા( ભાવનગર) ​
  • મરણ: 1481 માંગરોળ (જુનાગઢ)
  • પિતા: કૃષ્ણદાસ મહેતા
  • જાતિ: નાગર બ્રાહ્મણ
  • આઠ વર્ષે માતા પિતાનું અવસાન. ઉછેર- દાદી જય ગૌરી
  • લગ્ન: 1429 
  • ​પત્ની: માણેકબાઇ

કૃતિઓ
  • કુંવરબાઈનું મામેરુ
  • શામળશા નો વિવાહ 
  • ભક્તિ પદો
  • હિંડોળા 
  • પ્રભાતિયા 

પંક્તિઓ
વૈષ્ણવજન તો તેને રે કહીએ
ઉંચી મેડી તે મારા સંતની રે
જળ કમળ છોડી જાને બાળા સ્વામી અમારો જાગશે
આજની ઘડીએ રળિયામણી રે
ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રીગોપાળ
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
અખિલ બ્રાહ્મણમાં એક તું શ્રી હરિ
ભાવનગરમાં આવેલા ગોપનાથ મહાદેવના મંદિરમાં શ્રીકૃષ્ણના દર્શન થયા.

નરસિંહ મહેતા એવોર્ડ: ઈ.સ. 1999 થી શરૂ આદિકવિ નરસિંહ મહેતા ટ્રસ્ટ દ્વારા આશ્રેષ્ઠ કવિઓને આપવામાં આવે છે.



નરસિંહ મહેતાની કવિતાઓ સાત ભાગોમાં વહેંચી શકાય.
  1. પુત્ર શામળશાના વિવાહના પદો
  2. પુત્રી કુંવરબાઈનું મામેરૂના પદો
  3. હૂંડીના પદો
  4. હરિ પદો
  5. સુદામાચરિત્ર
  6. કૃષ્ણ પ્રેમ ક્રીડાના પદો
  7. ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યના પદો
નરસિંહ મહેતાની કવિત્વશક્તિ અને ભક્તિ પ્રચૂરતાને અલગ તારવી શકાય નહીં.ભક્તિના સોપાનો ચઢીને જ્ઞાનની ઊંચાઈએ પહોંચેલા કવિ અનુભવેલા અનન્ય દર્શનો જનભોગ્ય વાણીમાં, શબ્દભંડોળનું વૈવિધ્ય છતાં સરળ ભાષામાં વ્યક્ત કરવામાં ભારે સફળતા મેળવી છે.

નરસિંહ મુખ્યત્વે ભક્ત છે, અને એનું કવિત્વ આનુંષગીક છે. તેમની કવિતા મુખ્યત્વે સાહજિક હૃદયવાણી છે, પણ એ વાણી સાચી કવિતા છે. તેથી તેઓ મહાન કવિ છે અને સમગ્ર ગુજરાતી સાહિત્ય તેમને લીધે ઉજળું છે. (અનંતરાય રાવળ)

પ્રેમભક્તિનું અલૌકીક રૂપ નરસિંહમાં પ્રગટ થતું જોઈ શકાય છે. એ સાથે જ નરસિંહની પ્રેમભક્તિ કવિતા બનતી અનુભવાય છે- આ મહાન ઘટના ખરેખર વિરલ છે. (ઉમાશંકર જોશી)

આપણે વિશ્વશાંતિની વાતો કરીએ છીએ, તેનો આરંભ ગૃહશાંતિથી કરવો પડશે. જો આપણે નરસિંહ મહેતાના પ્રેમભર્યા અને સાચી સમજણ આપતા કીર્તનોથી આપણા સંતાનોને સુવાડીશું અને તેમના પ્રભાતિયાની મધુર પદાવલીથી જગાડશું, તો ગૃહશાંતિ ચોક્કસ થશે અને આ ગૃહ શાંતિથી પરિવારમાં, સમાજમાં અને રાષ્ટ્રમાં શાંતિ પ્રસરશે. વિશ્વશાંતિ બીજું શું છે?(ધનસુખલાલ સાવલિયા)

નરસિંહના વિવિધ પદોમાં ઈશ્વરરહસ્યવાદ, આત્મરહસ્યવાદ અને પ્રેમાત્મક રહસ્યનાઅંશો પ્રગટે છે. એટલે કે નરસિંહ ગુજરાતી કવિતાના પ્રથમ ઊર્મિ કવિ છે, સાથે સાથે એ ગુજરાતી કવિતાના સમર્થ અને પ્રથમ રહસ્યવાદી કવિ પણ છે. તેથી, તેમની રચનામાં ગુઢઅનુભવની રજૂઆત ઘણી સહજ, સરળ અને વેધક રીતે થઈ છે. (રાજેન્દ્રસિંહ રાયજાદા)

રચના: ૧
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનતં ભાસે;
દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, ૧

પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.૨

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે ૩

ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે,
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ: મન એમ સૂઝે. ૪

વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો : એ મન તણી શોધના : પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે. ૫

તત્વચિંતન અને ભક્તિભાવની જુગલબંધી મારો નરસૈયો જ કરી શકે. ભગવાન, તારા સ્વરૂપો ભલે બદલાય, પણ છેલ્લે તો તું એક જ છે. વૃક્ષોમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું.... આ એકદમ મોટી વાત આપણને કેટલી સરળતાથી સમજાવી દીધી. એમની શ્રદ્ધા-ખાતરી-વિશ્વાસ જુઓ છેલ્લે કહે છે પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે.

રચના :૨ 
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તે જ હું,’ ‘તે જ હું' શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયાં કો નથી કૃષ્ણ તોલે. ૧

શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમ સજીવંન મૂળી. ૨

ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે. ૩

બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો, વણિજહૂવાએ ૨સ સરસ પીવો. ૪

અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો, અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. ૫

ભગવાન શ્રીકૃષ્ણનું વર્ણન કરવા શબ્દો શોધવાની મથામણ આપણે કરવી પડે, નરસિંહ મહેતાએ નહીં! ભગવાન પામવાની ચાવી બતાવતા કહે છે.... જડ અને ચેતન રસ કરી જાણવો,પકડી પ્રેમ સજીવન મુળી..... નેત્ર વિણ નીરખવો, રૂપવિણ પરખવો વણજીવ્હાએ રસ સરસ પીવો. ભગવાન અને આપણો કવિ નરસિંહ અલગ નથી તેઓ દર્શન કરે છે અને કરાવે છે...જુઓ સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માંહી ઝુલે


રચના: ૩

જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;

મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી.

શું થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી? શું થયું ઘે૨ ૨હી દાન દીધે?

શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે? શું થયું વાળ લુંચન કીધે?

શું થયું જપ-તપ-તીરથ કીધા થકી? શું થયું માળ ગ્રહી નામ લીધે?

શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી? શું થયું ગંગાજળ-પાન કીધું?

શું થયું વેદ-વ્યાકરણ-વાણી વઘે? શું થયું રાગ ને રંગ માણ્યે?

શું થયું ખટદર્શન-ભેદ સેવ્યા થકી? શું થયું વરણના ભેદ આપે?

એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાંહાં લગી પરિબ્રહ્મ ન જોયો;

ભણે નરસૈંયો : તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો.

સાધનાની વિવિધ રીતોની તત્વદર્શન કર્યા સિવાયની નિરર્થકતા જેવી ગુઢ વાત સાદીરીતે તેઓ જ કહી શકે.

રચના:૪

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે;

પરદુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;

વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.

સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;

જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન ન ઝાલે હાથ રે.

મોહ-માયા લેપે નહિ તેને, દૃઢ વૈરાગ્ય તેનાં મનમાં રે;

રામનામ-શું તાળી લાગી, સકળ તીરથ તેનાં તનમાં રે.

વણલોભી ને કપટરહિત છે, કામક્રોધ જેણે માર્યા રે,

ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે.

આપણને મહાત્મા ગાંધીજીએ એકદમ સમજાવીને પાકું કરાવેલી કાવ્યની તો વાત જ ન થાય વૈષ્ણવજનના લક્ષણો બતાવતો નરસૈયો ખરેખર સંપૂર્ણ રીતે વંદનીય છે -પ્રશંસનીય છે -પૂજનીય છે

આવા મહાન-આત્મા ભગવાન ભરોસે શ્રદ્ધાથી જીવન જીવી ભક્તિ કરતાં નરસિંહ મહેતા આપણી વચ્ચે રહ્યા હતા, આપણામાંના એક હતા, તે વિચારતા જ ધન્યતા અનુભવાય છે. તત્વચિંતનની ઊંચાઈએ પહોંચી તે વાતો સરળતાથી સમજાવતા મહાન ભક્તકવિને ખુબ ખુબ વંદન!



સંદર્ભ:
૧) શબ્દવેદ: નરસિંહ મહેતાની સમગ્ર કવિતા સંકલન: ઉર્વીશ વસાવડા 
૨) જનકલ્યાણ: ઓગસ્ટ 23 નરસિંહ મહેતા આધ્યકવિ: લે. ડૉ. અંજની મહેતા

Expectations of a Cataract Surgery Patient


Aging brings loss of vision due to loss of transparency in the crystalline lens of the eye and the condition is known as Cataract. No medicine can cure it, so surgery to remove the opaque lens and replace it with an artificial lens is the only remedy.

With the advent of microscopes and phaco machines, cataract surgery has become a miracle bringing great visual results.

But surgery has its own challenges. Here, we as surgeons are afraid of infection leading to endophthalmitis and the second is intraoperative drownings of the crystalline lens in the vitreous chamber. Either of the two complications can lead to visual damage and phthisis - softening of the eyeball to the shrunken small eye. So though results are the best most of the time, it cannot be so each and every time and complications can occur.


What are the expectations of a cataract patient going for surgery?

Though this may sound to be a simple question, the answer is a bit complicated. I will start from the expectations. one by one from the maximum to the minimum.

  1. I should have the best possible visual outcome at the earliest without any pain, redness, or swelling.
  2. I will tolerate some pain and redness, but I should gain vision to some extent if not the best.
  3. Cosmetic: By chance, if something goes wrong during surgery for reasons beyond the control of the surgeon despite the best care, my eyeball should remain in shape and I should not have a deep shrunken eye.
  4. Painful blind eye: At least, I should not have an eye causing constant trouble like pain, watering, and irritation. I may tolerate small eyes (phthisis).
  5. Life-threatening complications: As time passes, I will accept ocular complications as my bad luck, but I should not die in the operation theatre due to a reaction to any injected drug or cardiac arrest. At least I should go home alive.

These are the thoughts I had myself while my cataract surgery was going on.

We, the eye surgeons operating thousands of patients during our lifetime and having complications at least a few times are not happy passing through such events. Being sensitive, we may become stressed and sometimes lose sleep for many nights.

Maybe we see this thought cycle of a patient and learn about the other side of the story - the patient.

Dr Bhaharchandra M. Desai
M.S (Oph)

[Video] શ્રી દક્ષેશ ઠાકરનું પ્રવચન “સુખનું સરનામું”

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ - દ્વિવાર્ષિક મહાસંમેલનના અવસરે મુખ્ય વક્તા પ્રિન્સિપલ શ્રી દક્ષેશ ઠાકરનું પ્રવચન 
સુખનું સરનામું” 
૩૧ ડિસેમ્બર, ૨૦૨૩
બીલીમોરા





વૃદ્ધાવસ્થા શ્રેણીના બીજા વ્યક્તવ્યો:

[Video]: દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘ મહાસંમેલનના પ્રમુખનું વક્તવ્ય

તારીખ 31/12/2023 મહા સંમેલનમાં પ્રમુખશ્રીનું સ્વાગત પ્રવચન 




આજના સમારંભમાં યજમાન સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરાના પ્રમુખશ્રી ડૉ.પ્રી. નલીનીબેન, આજના પ્રસંગના મુખ્ય વક્તા પ્રિ. દક્ષેશભાઈ ઠાકર, તત્કાલીન પૂર્વ પ્રમુખ અને પેટ્રન શ્રી દિનેશભાઈ, પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ તથા શ્રી નટુભાઈ, મારા ત્રણ ટેકઓ-આધારસ્તંભો ઉપપ્રમુખશ્રી દિનેશભાઈ, હરીશભાઈ અને જતીનભાઈ, મારા ડાબા-જમણા હાથ જેવા મંત્રીશ્રી હરીશભાઈ તથા ખજાનચીશ્રી અનંતભાઈ સહમંત્રી પ્રફુલ્લાબેન સંગઠનમંત્રી કિરણભાઈ સહખજાનચી ગિરીશભાઈ મિસ્ત્રી, સક્રિય કારોબારી સભ્યો-પ્રો. જયેશભાઈ પ્રિ. જીતેન્દ્રભાઈ, નલીનીબેન, કિરીટભાઈ આર.જે.પટેલ, રાજેન્દ્રભાઈ, અજીતભાઈ તથા ભાણાભાઈ આમંત્રણને માન આપીને પધારેલ મહેમાનો અને જેમનો હું પ્રમુખ છું એવા 12000 સભ્યો અને 35 ક્લબોનું દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના 700 થી વધારે મારા સન્માનનીય સભ્યો, ધર્મપત્ની ડૉ. ભાવના, પુત્રી વૈશાલી, બહેનો અરુણા- કુમુદબેન, મિત્ર દેવવ્રત, કૌશિકભાઈ, ભત્રીજો દેવલ અને વહુ શિવાની. સાદર વંદન.

આપ સૌનો નતમસ્તકે પૂરી નમ્રતા સાથે, હૃદયના ઉમળકા સાથે હું અને અમે સૌ આયોજકો દિલથી સ્વાગત કરીએ છીએ.

આપણે સૌ ઉત્સવ પ્રિય લોકો છે ત્યારે આ બે વરસે યોજાતું મહાસંમેલન- સ્નેહસંમેલન બિલકુલ યોગ્ય જ છે.

2004 માં શ્રી બાલુભાઈ લાડ, કૃષ્ણકુમાર વાણી અને રજનીકાંત દેસાઈ જેવા નવસારીના ઉત્સાહી મિત્રોએ આ સંઘ રચ્યો- ત્યારપછી અંકલેશ્વરના ઝવેરભાઈ કે. મોદી અને સૂર્યકાંત પરીખે સુકાન સંભાળ્યું. ત્યારબાદ ફરીથી નવસારીના સુરેશભાઈ દેસાઈ અને છેલ્લે બારડોલીના શ્રી દિનેશભાઈ સી. દેસાઇ આપણા નેતા બન્યા અને કાર્યવાહી આગળ ધપાવી. નવસારી, વ્યારા, બારડોલી ફરીથી નવસારી અને છેલ્લે વાપી ખાતે દ્વિવાર્ષિક સ્નેહસંમેલનો મળ્યા, લગભગ બે દાયકા સમાપ્ત કરવા જઈ રહેલ સંઘ ખૂબ ઉત્સાહિ- થનગનાટવાળા વડીલોથી ભરેલો છે.

મારી પ્રમુખ તરીકે વરણી થયા પછી થયેલ બે કારોબારી મિટિંગો અને આ સ્નેહસંમેલન પાસે સહ્રદય મિત્રતા અને પરસ્પર સન્માનપૂર્વક પ્રેમની અપેક્ષાઓ મેં જગાવી છે. સમૂહજીવનના અનુભવી આપણે ફરજિયાત એકલતાના ઊંડાણમાં ડૂબી રહ્યા છીએ ત્યારે અડધા દિવસનો સહવાસ- દક્ષિણ ગુજરાતના ખૂણે ખૂણે થી પધારેલ 700 ઉપરાંત વડીલો સાથે મુલાકાત-દર્શન અને પ્રેમનો અનુભવ યાદગાર દિવસ બનાવે તેનાથી વધારે રૂડું બીજું શું?

મારી માતૃ સંસ્થા અને યજમાન સંસ્થા સિનિયર સિટીઝન ક્લબ, બીલીમોરા વિષે બે વાત કરવું ઉચિત છે- કારણ કે લગભગ બધા જ સભ્યો ઉત્સાહ અને ખંતથી આ મહાસંમેલનમાં સક્રિય ભાગ લઈ રહ્યા છે.- તેમણે આપેલ કુલ ફાળો લગભગ બે લાખ નજીક પહોંચે છે ત્યારે વખાણવાના શબ્દો ખુટી પડે છે. ઉપપ્રમુખો નીતિનભાઈ પ્રમુખ ડૉ. નલીનીબેન હરીશભાઈ સુરેશભાઈ મંત્રીશ્રી ખજાનચી ડૉ. મીનુબેન ઉપરાંત 84 વર્ષના ઉત્સાહી યુવાનો પ્રો. બી.એચ. પટેલ અને પ્રો. જીકે પટેલ સહિતના સર્વે સભ્યોનો બિનશરતી સહકાર મારા જીવનને ધન્ય બનાવી દે છે.

આ સ્નેહસંમેલનના આયોજનનું નક્કી કરીને મિટિંગ સ્થળ, મુખ્યવક્તા ભોજન વ્યવસ્થા ગોઠવી દીધા ત્યારે મને એમ કે બધું જ થઈ ગયું- પણ વાત કંઈક ઓર જ છે- છેલ્લે મહિનાથી અથાગ મહેનત કરી રહેલા અમારા સૌમિત્રોને જોઈએ તો જ સમજાય- વાત એટલી સહેલી નથી અને નથી જ.

કદાચ કોઈ ત્રુટી રહી હોય તો અમારું ધ્યાન દોરીને દરગુજર કરશો એવી અભ્યર્થના- “વિસામો” પુસ્તકમાં છાપકામની ભૂલોનો અવકાશ છે- પણ દરેક સંસ્થાઓની કાર્યક્રમોની માહિતી વાંચશો કે પછી જ્ઞાનસભર લેખો વાંચશો તો ભૂલો અવગણવાનું ભારે નહીં પડે.

હવે આટલા અથાક પરિશ્રમનું ફળ જ જેવું મહાસંમેલન આપ ઉન્માદ-સ્મિત અને મોકળાશથી માણશો તો અમે સંતોષ પામીશું. આપના પ્રતિભાવની અપેક્ષા અસ્થાને નથી- મને ખાત્રિ છે કે આપસૌ સાનુકૂળ જવાબ મોકલશો. પ્રતીક્ષા રહેશે-

વડીલ મિત્રે ફોનથી સવાલ પૂછ્યો: આવા સંમેલનમાં જોડાવાનો ફાયદો શું?

ખૂબ જ સુંદર સવાલ છે- મારો જવાબ ખૂબ સરળ અને ટૂંકો હતો - આપણી ઉંમરના 250/- રૂપિયા ખર્ચવાથી 1000 માણસોના ચહેરા એકસાથે જોવા મળે- નિર્દોષ-પ્રેમાળ-હાસ્યની આપલે થઈ શકે- કદાચ ઓળખાણ કેળવાય- સુંદર મિષ્ટાનનું ભોજન અને ભેટો મળે- આનાથી વધારે બીજું શું જોઈએ? આમપણ- જીવનનો અર્થ- જીવનનો ફાયદો કે બીજા મનોમંથન છોડી,
  • સહજતા- Naturality
  • સરળતા- Straightforwardness
  • સાદાઈ- Simplicity
અપનાવીશું તો ચારે બાજુ આનંદ સુખ છે જ- બાકી ફાયદો શોધવાના હિસાબ કિતાબ છોડવા જેવા છે.
જીવનના અંતિમ પાડવામાં મિત્રો અવારનવાર મળવા માટે અવારનવાર નવા પ્રસંગો યોજાવા જરૂરી છે. આ મહાસંમેલન પછી શું? સાદો જવાબ- વહેલી તકે આવું જ બીજું અધિવેશન- મિત્રો, ૨૫૦ રૂપિયા સભ્યફી રાખીને ₹700 નો વ્યક્તિ દીઠ ખર્ચ કરવાનો હોય ત્યારે સમાજ પાસે દાનની ટહેલ નાંખવી પડે-

એકવાર કોઈ આપણી વાત સાંભળી મદદ કરે- પણ દર ત્રીજે દિવસે જઈએ તો જાકરો જ મળે-

તે નિવારવા લગભગ છ મહિના ની અંદર આવું બીજું આયોજન સંપૂર્ણ સ્વખર્ચે કરવું છે. ભાગ લેનાર દરેક પોતાનો ખર્ચ ભોગવે આપણે “વડીલો અને ટેકનોલોજીની દોસ્તી” બાબત શ્રી નરેશભાઈ કાપડિયાનો દ્વિપક્ષી વાર્તાલાપ અને સાથે DEV-100 દેવાનંદની જન્મશતાબ્દી નિમિત્તે સંગીતની મહેફીલ ગોઠવવું છે. આપ સૌ પધારશો જ એવી ખાત્રી છે. લાગણીઓના ઘોડાપૂર થનગનાટ હોય ત્યારે મનોભાવ ખુલ્લા દિલે કહેવા ખૂબ જ અનિવાર્ય છે.

  1. મારી ઈચ્છા દક્ષિણ ગુજરાતના વડીલોનું એક વિશાળ સંયુક્ત કુટુંબ બનાવવાની હતી. આપ સૌની હાજરી અને પ્રેમાળ પ્રતિભાવ જોતા હું કંઈક અંશે સફળ થયો હોવું એમ લાગે છે. આપ સૌ આજનો દિવસ સમૂહજીવન માણી- આનંદમાં ગાળો એવી શુભેચ્છા સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું.
  2. પ્રિ. દક્ષેશભાઈ ઠાકરને હું એકવાર મળ્યો છું- એકવાર તેમનો વક્તવ્ય માણ્યું છે.- કદાચ ત્યારથી જ તેમનાથી હું સંમોહિત થયો છું- આને જ LOVE AT FIRST SIGHT કહેવાય કે? શ્રી દિનેશભાઈ તેમનો પરિચય આપવાના છે- પણ તેમની વાતો જ તેમનો પરિચય છે- એમ હું કહું તો ખોટું નથી. દક્ષેશભાઈ આપનું ખાસ સ્વાગત છે.
  3. લગભગ બે દાયકા વિતાવેલ દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના પાયાના પથ્થરો લોહી સિંચીને વિકસાવેલે સંસ્થાના પૂર્વ પ્રમુખો શ્રી સુરેશભાઈ-દેસાઈ શ્રી દિનેશભાઈ દેસાઈ તથા શ્રી નટુભાઈ દેસાઈ નું હાર્દિક સ્વાગત છે.
  4. સંસ્થાના હોદ્દેદારોના નામ ધરાવતું કાગળ ફક્ત એક યાદી બનીને રહી જતું હોય છે, તેમાં અપવાદ તે અમારી કારોબારી- સક્રિય અને ઉત્સાહી ઉપપ્રમુખો શ્રી દિનેશભાઈ શ્રી હરીશભાઈ નાયક અને શ્રી જતીનભાઈ શાહ મારામાં ઉત્સાહ પ્રેરે છે અને સદાય સહાયક બનવા આતુર છે- તેવા ત્રણેયને હું આવકારું છું- નવા પ્રમુખ શોધવાની હવે તકલીફ નથી
  5. ઘણી જગ્યાએ મંત્રીશ્રી અને ખજાનચીશ્રીના નામો ખાલી શોભાના જ હોય છે- પણ અહીં તો મંત્રીશ્રી-સહમંત્રીશ્રી-સહજાનચી સૌ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવે છે- તેમનું ખાસ સ્વાગત છે.- હરીશભાઈ અનંતભાઈ પ્રફુલ્લાબેન કિરણભાઈ તમારા વગર હું અધુરો જ છું. હું ભગવાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવું છું. તેનું ઉદાહરણ તે સહ ખજાનચી શ્રી ગીરીશભાઈ મિસ્ત્રી- એમની કાર્યનિષ્ઠા જોઈએ તો જ સમજાય. ચાલો, આવો આપણે સમૂહમાં નેત્રદિપક કામગીરી બજાવીએ.
  6. આજ વાત કારોબારીના સર્વ સભ્યોને લાગુ પડે છે- પ્રો. જયેશભાઈ દેસાઈ પ્રો. આર. ટી. દેસાઈ અને પ્રિ. જીતેન્દ્રભાઈ દેસાઈનો કાર્યશૈલી મને ખૂબ જ પ્રભાવિત કરે છે.

શ્રીમતી નલીનીબેન, શ્રી કિરણભાઈ શ્રી આર.જે. પટેલ ડૉ. ઉમાકાન્ત શેઠ, શ્રી અજીતભાઈ ચૌહાણ તથા શ્રી ભાણાભાઈ તલાવીયાને અને આવકારું છું.

ચાલો, જીવનનો જીવનનો આગળનો પ્રવાસ આપણે હળીમળીને આનંદથી ખેડીએ. 

જય હિન્દ!




31 ડિસેમ્બર, 2023
બીલીમોરા 

[Video]: વૃદ્ધાવસ્થામાં જીવન



મને ખબર છે હું જેમની સાથે વાર્તાલાપ કરું છું તેઓ -
  • વડીલ (Elderly)
  • વરિષ્ઠ (Seniors) અને
  • વયસ્કો (Aged) છે.
મને ખબર છે તેઓ જીવનની તડકી-છાયડી જોઈ ચૂકેલા, અનુભવસિદ્ધ અને પ્રબુદ્ધ શિક્ષિત છે. ત્યારે સલાહ કે માર્ગદર્શનનો કોઈ અવકાશ નથી.

હું ફક્ત વૃદ્ધાવસ્થામાં જીવન અને મૃત્યુનું મનોમંથન રજૂ કરીશ અને આ વિષયક મારા વિચારો અને પ્રશ્નો રજૂ કરીશ. આથી તમારી વૈચારિક પ્રક્રિયાને ધક્કો લાગશે અને જવાબ તો મને ખબર જ છે!

સમૂહજીવન

બહુ લાંબે ન જતા, કદાચ ૫૦-૬૦ વર્ષો પહેલા ફક્ત આપણા બાળપણમાં, આપણે સૌ આઠ-દસ-પંદર વ્યક્તિઓ જેમાં દાદા-દાદી, મા-બાપ, ભાઈ-બહેન, કાકા-કાકી જેવા સૌ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સમૂહજીવન આપણે માણ્યું છે. પરંતુ હવે પોતાના બાળકોથી જુદા રહેતા વૃદ્ધ માં બાપો હવે એકાકી જીવન જીવે છે.

ત્યારે,
  • એકલતા (Loneliness)
  • હતાશા (Depression) અને
  • દુ:ખની લાગણી (Unhappiness) સ્વાભાવિક છે.
વર્તમાનમાં પોતાનાને પારકા માનવાની ટેવે આપણને એકલપેટા અને સ્વાર્થી બનાવી દીધા છે.
  • શું આપણે કુટુંબના સભ્યોને કુદરતે આપેલ અણમોલ ભેટ માબાપ-ભાઈબહેન-સંતાનો સાથે એકરૂપ ન થઈ શકીએ શું?
  • શું આપણે આડોશી-પડોશીઓને પ્રેમભાવ, ઉદારતા અને પ્રામાણિક ભાવથી જીતી ન શકીએ?
  • શું એક નાનું પણ હૃદયના તાર ઝણઝણાવે એવું મિત્રમંડળ ન બનાવી શકીએ? સાથે વાતચીત કરીએ, લાગણીઓ અને સમસ્યાઓની ખુલ્લા દિલે ચર્ચા ન કરી શકીએ?
સાથે મળવું, પ્રવાસ કરવા, ચિત્ર નાટક- સિનેમા જોવા કે ઘરે અથવા હોટલમાં સાથે ભોજન ન કરી શકીએ?


પૈસા (Money Management)
  • વૃદ્ધાવસ્થામાં આપણે પૈસા કેમ સંગ્રહ કરી રાખીએ છીએ? ખર્ચવાથી કેમ ગભરાઈએ છીએ?
  • શું આપણે છેલ્લા સમયની માંદગીની સારવાર માટે મરણમૂડી તરીકે બચાવી રાખેલ છે? એ કામ તો મેડિક્લેમ દ્વારા પણ થઈ શકે.
  • શું આપણને ખાતરી છે કે મરણ સમયે વધેલા પૈસા સાથે લઈ જઈશું?
  • શું બાળકો સ્વમહેનતે જરૂર પૂરતી કે વધારે આજીવિકા માટે સક્ષમ નથી એવી ગેરમાન્યતા છે?
  • કદાચ બાળપણથી ગળથૂથીના સંસ્કાર મુજબ Simple living and high thinking ની માન્યતાને કારણે બચતને જ જીવન ધ્યે બનાવ્યો છે?

વિચારો

આનંદ, મોજમઝા, સુખ માટે ખર્ચ ક્યારે કરીશું?

મૃત્યુનું મનોમંથન: મૃત્યુ અવશ્યંભાવી છે. Death cannot be prevented. The truth is we are mortal. ત્યારે મૃત્યુનું માનપૂર્વક વિદાયનું આયોજન ફરજિયાત છે. તેની નોંધ, તે Medical Will કે Living Will! 

આખરી વિદાયના બે રસ્તા છે.
  1. હોસ્પિટલના ICU માં એકાંતમાં Ventilator, Gastric Tube, Catheter અને વિવિધ મશીનો વચ્ચે વિદાય લેવી છે? કે,
  2. ઘરે (at home) સ્વજનો વચ્ચે શાંતિથી, આનંદપૂર્વક, ‘I love you’ કે ‘I am sorry’ કહીને, વાતચીત કરતા કરતા પરમધામનો પ્રવાસ કરવો છે?
આ બાબતનો નિર્ણય, અપેક્ષા સ્વજનોને લેખિત કે મૌખિક કહેવાની કળા તે - મેડિકલ વીલ.

અહીં આપણે બે બાબતોનો નિર્ણય જણાવવાનું છે.
  1. સારવાર: અંતિમ તબક્કાની માંદગી સમયે (Terminal Illness) નીચે ચાર બાબતો હા કે ના કહેવું
    • DNR - DO NOT RESUSCITATE:
      • હૃદય બંધ પડે તો CPR કે કૃત્રિમ રીતે ચાલાવવું કે નહીં?
    • DNS - DO NOT SUPPORT:
      • ખાઈ ન શકાય એવી સ્થિતિમાં ખોરાકનળી (Gastric tube) કે પ્રવાહી દ્વારા IV FLUIDS આપીને દાખલ કરવો કે નહીં?
    • DNI - DO NOT INTUBATE:
      • અંતિમ સમયે VENTILATOR પર રાખવું કે નહીં? કેટલા દિવસ?
    • DNH - DO NOT HOSPITALISE:
      • હોસ્પિટલમાં દાખલ કરવું કે નહીં?
  2. દેહદાન-અંગદાન-ચક્ષુદાન બાબતે પોતાને મરજી છે કે નથી?

સમાપન

છેલ્લી વાત - ખોટી ચિંતા છોડી આનંદપૂર્વક રહેવા ભગવદ્ ગીતાએ બે રસ્તા સૂચવ્યા છે:
  1. સાક્ષીભાવ (Be witness only): કાર્યના પરિણામ માટે કર્તાભાવ છોડો - ફક્ત સાક્ષી બનો.
  2. સંપૂર્ણ શરણાગતિ (Total surrender)
ભગવાનમાં સંપૂર્ણ શ્રદ્ધા રાખી સંપૂર્ણ રીતે શરણે જાવ. આનંદીપણું, સુખ અને તંદુરસ્તી જળવાશે જ.
આજ આપણો વાનપ્રસ્થાશ્રમ
આ જ આપણો સન્યસ્તાશ્રમ


ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
અમલસાડ વિભાગ વરિષ્ઠ નાગરિક મંડળ 
એચ. ડી. એમ. એસ. હાઈસ્કુલ, અમલસાડ
૯-૧૨-૨૦૨૩

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા.


તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ.



ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે.

હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છે. સાતેક લાખની વસ્તી ધરાવતા હળપતિ જંગલ, પર્વત કે દરિયાકિનારે વસતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ફળદ્રુપ મેદાનમા જ રહે છે.

ઘેરીયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ.
૨૦ થી ૨૫ ના ટોળામાં લાક્ષણિક નૃત્ય ગાતા ગાતા કરનારુ નૃત્ય એટલે ઘેરિયા નૃત્ય.


ઘેરિયા લોકનૃત્યના આયોજન, પહેરવેશ અને ઘેરીયા નૃત્યના કલાકારો નું સંક્ષિપ્ત-મુદ્દાસર પરંતુ સંપૂર્ણ વર્ણન કરવાનો આ લેખનો મારો આશય છે. તે પહેલા ચાલો, લોકનૃત્યના ગીતો સમજીએ.



માનવજીવનના વિધવિધ પ્રસંગોની નૃત્યમય અભિવ્યક્તિ દર્શકોના ભાવ વિશ્વને આંદોલિત કરે છે તેમાં માનવ જન્મથી માંડીને મૃત્યુ પર્યંતના ગીતોનું નિર્દર્શન લોકભોગ્ય શૈલીમાં નિરૂપિત થવાથી નાટ્યાત્મક પ્રભાવ પેદા થાય છે.


ઘેરીયા દ્વારા ગવાતા ગીતો

“સામરેક મોરચા” કે “હાં રે હાં ભાઈ” શબ્દોની પૂનરુક્તિ કે પછી “ઘોડીએ ચયઢા ભીલા ભીલ” ની રમઝટ સાંભળીએ તો જ ઝમક આવે. દાંડિયાનો અવાજ, કમરે રણકતી ઘૂઘરમાળ, જોરથી બુટ પહેરેલા પગની જમીન પર થપાટ સાથે ઢોલ-મંજીરા અને ગાનનું મિશ્રણ માદક સમારંભ ન પેદા કરે તો જ નવાઈ!

પ્રવેશ સમયનું ગીત:

કિયાતે ઝાંપાને કેવી ઝાંપલી રે,
મગનભાઇના મોલ બતાવે રે

ઘેરીયાના પડાવ: વીરનું પરાક્રમ દર્શાવતું પ્રશસ્તિ કાવ્ય. ગરબામાં ઈતિહાસ.

લગ્નમાં ઘેરીયા ગીત:

ઘોડીએ ચડ્યા ભીલો ભીલ “હમરેક મોરચા”

હમરેખ= એય સાંભળે છે કે?
મોરચા= બાળક, બચ્ચા

પારણું: સંતાન પ્રાપ્તિ માટે, ખોળો ભરવા કે નાના બાળને ઝુલાવવાના ગીતો

“વાવલીએ વધ્યા રે ગોરી ના પેટ જો નવમે માસે જનમીયા બાળ ગોપાળજો”

માતાના ગરબા:

મા પાવા તે ગઢથી ઉતર્યા માં
માનો ગરબો રે રમતો રાજને દરબાર


વાસંતી ઘેર

નર્મદા જિલ્લામાં નાંદોદ, ઝઘડિયા અને નેત્રંગ વિભાગમાં સુરત-વલસાડ જિલ્લા જેવા જ નૃત્યો પુરુષ હળપતિઓ કરે છે પરંતુ, નાંદોદના દક્ષિણ ભાગે ડેડીયાપાડા અને બેડવાણ પંથકમાં સ્ત્રી પુરુષો સંયુક્ત ઘેર બનાવી પોતાની રસ રુચિ પ્રમાણે વસ્ત્રાલંકાર પહેરી એકબીજાની કેડે કે ખભે હાથ બાથ લઈને ભેરુ બાંધો કરીને વર્તુળાકારે સર્પાકારે કે અનિયમિત આકારોમાં ઘેર રમે છે. અહીં દાંડિયા નથી પણ પશુઓની માફક ઠેકડા મારી કે વિવિધ ચાળાઓમાં ઘેરીયા નૃત્ય કરે છે. આ નૃત્ય હોળી દરમિયાન ભજવાય છે.

ઘેરીયા

દક્ષિણ ગુજરાતનાં હળપતિઓ દ્વારા યોજાતા ઘેરીયા નૃત્યમાં થતી ઘેરમા જોડાવાની શરતો:
  • એક માસનું બ્રહ્મચર્ય
  • માંસ-મદિરા ત્યાગ
  • સંયમિત આચાર સંહિતા
  • માતૃભક્તિ માતૃશક્તિની આરાધના
  • “હા રે હા”નું કોરસ, ઘુઘરાનો રણકાર, પુરુષ દ્વારા સ્ત્રીનો પહેરવેશ
  • બધાનું મિશ્રણ ધરાવતું, માતાની આરાધના માટે દક્ષિણ ગુજરાતના હળપતિઓની ભક્તિનૃત્ય ધરાવતું આદિવાસી નૃત્ય


આયોજન

  • ઘેર બાંધવાનો હળપતિ કોમ દ્વારા નિર્ણય
  • ૨૦-૨૫ ઘેરીયાઓની પસંદગી
  • નૃત્યના વિવિધ પ્રકારના પાત્રોની વરણી
  • એક મહિના માતાજી આરાધના-બ્રહ્મચર્ય-માંસાહાર-મદિરા ત્યાગ અને પ્રેક્ટિસ

લોકવાયકા

ઘણી બધી વાયકાઓ છે તેમાંથી બે:
  1. લીલારાણી નામની રાણીને યુવાન રાઠોડે લગ્ન કરવાનો ઇનકાર કર્યો. રાણીએ તેને પામવા ઉગ્ર તપ કર્યું. તુળજા ભવાની માતાએ રાણીને પ્રસન્ન થઈ ને ઘેરીયા રાસના વેશમાં સજ્જ થઈને રક્ષણ બક્ષ્યુ હતું. આ ઘેરીયા રાસની યાદ માં ઘેરીયા રાસ રમાય છે.
  2. પાવાગઢના ચાંપાનેર પર મુસ્લિમોએ આક્રમણ કરીને લોકોનું ધર્માંતરણ કરાવતા ધર્માંતરણથી બચવા રાઠોડ પાવૈયાનો વેશ ધારણ કરી ઘેરીયા નૃત્ય કરતા છટકી ગયા. ત્યારથી ઘેરીયા નૃત્ય પરંપરા ચાલુ થઈ.




પહેરવેશ

અર્ધનારી વેશ: ઘેરીયા નૃત્યમાં વેશમાં મહિલાઓનો વેશ અને શૈલી પુરુષોનો એવું સંયોજન હોય છે.
  1. ત્રણ સાડીનો વેશ: એક સાડી માથા ઉપર ફેંટારૂપે, બીજી સાડી કમરના ઉપરના ભાગે કબજાની ઉપર વાળીને ખભા ઉપર બાંધેલા હોય છે ત્રીજી સાડી કમરની નીચે ડબલ ફાડના ધોતિયાની શૈલીથી પહેરાય છે.
  2. શણગાર: કંઠમાં મણકા અને મોતીની ગળામાં ગલગોટાનો હાર, પગમાં બૂટ-મોજા, કમરે ઘૂઘરા , કેડે કંદોરો, આંખે કાજળ, પગમાં ઝાંઝર, કાનમાં લટકણીયા, હોઠે લાલી ઉપરાંત ગોગલ્સ. એક હાથમાં મોરપીંછ નો ઝૂડો- બીજા હાથમાં દાંડીયો




ઘેરીયા કલાકારો
  • ઘેરીયો:  એક હાથમાં બાવળ કે શીસમનો દાંડીયો અને બીજા હાથે મોરપીંછનો ઝૂડો- રમત રમનાર અને નૃત્ય કરનાર.
  • કવિયો: વેશ પુરુષનો (ઘેર મંડળીના નેતા): ખમીસ, બંડી કે કોટ, માથે સાફો કે ફેટો. એક હાથમાં મોરપીંછ નો જુડો બીજા હાથમાં છત્રી.
  • પ્રસંગ પ્રમાણે ગીત ગવડાવનાર કવિયો ઘેરીયાઓને રમાડે તે નાયક-માર્ગદર્શક.
  • ગભાણીયો: ઘેરીયાઓને સાજ-સજ્જ કરી તૈયાર કરનાર.
  • વાધ્યવાદકો: થાળી વાળો, મંજીરા વાળો, ખંજરી વાળો અને તબલચી કે ઢોલક વાળો
  • બગલી વાળો: લાંબી લાકડીવાળો- લાકડીના ઉપરના છેડે ખમીશ કે બંડી રૂપે ડગલી લટકાવીને વસ્ત્રદાન માંગે છે. બગલીવાળો ઘેરને નજર લગતા રોકે છે.
  • ઘોડી વાળો: જોકર: લોકોનું મનોરંજન કરનાર લાકડી ઉપર લાકડાના ઘોડાનું માથું લઈને ઘોડેસવારી કરતો હોય તેમ ઘેરની ફરતે ફરી લોકોને હસાવનાર.
  • તરકટિયો: તરકટ કરીને લોકોને હસાવનાર
  • કાળી બિલાડી બનેલ ઘેરીયો: બિલાડી નો વેશ, શરીર ઉપર કાળો રંગ ચોપડીને પાછળ પૂંછડી લગાવી બિલાડી બનનાર ઘરમાં જઈને ભૂત પ્રેત ઘરમાંથી ભગાવનારી પરંપરા નિભાવે છે.


આમ માતાની આરાધના સાથે લોકોનું મનોરંજન કરાવતું દક્ષિણ ગુજરાતના હળપતિઓ દ્વારા કરાતું લોકનૃત્ય તે ઘેરીયા. આ જોઈને જનસમૂહ મુગ્ધભાવે એ રસમાં તરબોળ થઈ જતો જોવા મળે છે.





સંદર્ભ:
  1. પુસ્તક: ઘેરીયા નૃત્ય અને ગીતો: પ્રિ. ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ
  2. લેખ: ગુજરાત ૨૦૭૯ પેજ:૭૪ : ઘેરીયા: અજય મો. નાયક, પત્રકાર
  3. અશોકભાઇ પટેલ, પત્રકાર, ગણદેવી

ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
૧૮/૧૧/૨૦૨૩

[Video]: ગાંધીજીના જીવનની અજાણી વાતો



ગાંધી જયંતિ અંતર્ગત નિબંધ સ્પર્ધાના અવસરે 

શેઠ નાનચંદ ચેલાજી માધ્યમિક કન્યા વિદ્યાલય અને શ્રીમતી ગીતાબેન નીતિનભાઈ મેહતા રૉટરી હાયર સેકંડરી સ્કૂલ, બીલીમોરા, ૨૯/૦૯/૨૦૨૩

Chakravarti Samrat Vikramaditya

Chakravarty Samrat Vikramaditya
(102 BC – 15 AD)

We are discussing a king who was Chakravarty - which literally means the ruler of the kingdom in all four directions without any other king challenging him. His name Vikramaditya means ‘Vikram’ – one who is wise, brave, moral, and victorious + ‘Aditya’ meaning ‘of Aditi’, Newly rising sun, sun God. So he was “mighty as Sun”. There was no other emperor comparable to him. Fourteen Indian kings gave him the title of Vikramaditya.

This legendary king started his rule at the age of 20 at the coronation at Ujjain (Madhya Pradesh) India. He was the son of parents Gandharvasen and Virmati. He had one elder sister Menavati and elder brother Bharthuhari. His elder brother became a saint and went to the forest under teacher Gorakhnath, who later guided King Vikramaditya as well. He was the father of his son Vikramsena.

Historian Abhijit Chavada says: Old historians tell this story of Vikramaditya as a myth and do not agree. In fact, they are themselves fake and they tell anything fake! In fact, it is a truth beyond doubt found in people of older generations. Exact details are difficult to find because Muslim rulers burnt ancient universities and libraries.

Vikramaditya won over invading ‘Shaka’ Iranian Kithiyans and conquered a large kingdom of India. He had organized his rule over ¾ of the world and whole of the Asia. Vikramaditya defeated Romes’ Julius Caesar in battle. His army comprised 3 crore soldiers, 10 crore vehicles, 24300 elephants, and 400000 ships.


“Navratna” (Nine gems of his ministers)

He was an intelligent king known for his justice. While sitting on the throne his speech was considered words of God (Dev-vani) and gave perfect justice. His team of nine ministers is as follows:
  1. Dhanvantari: Ayurvedic Scholar Physician
  2. Kshapanak: Budhdha Sanyasi who wrote books: Bhikshatan and Nana Kosh
  3. Shanku: Jyotish, Auther Expert in Sciences.
  4. Ghatkapara: Sanskrit Scholar. He pledged to bring water with a pot having a hole!
  5. Varuchi: Poet – Teacher of Son
  6. Amarsinha : Writer : Books : Amarkosh Namalinganushashan.
  7. Varahmihir: Astrologer
  8. Kalidas : Poet and writer. Books : Meghdoot and Abhigyan Shakuntal about Indian History.
  9. Betal Bhatt (Vikram Vetal) : (Authour)

Books
  1. Nitipradip (Lamp of Conduct)
  2. Betal Panchdrisi (5 stories of Vampire)
  3. Sinhasana Battisi (32 stories of the throne)

  • Vikram Samvat: He started the Sanatan Calendar naming Vikram Sanvat giving details of weeks and months. (57 BC)
  • Royal road of 1700 miles: He was visionary to construct the world’s longest road of 1700 miles which could be traveled by Postman in 6 to 9 days. (instead of three months)
  • Vedic Bharat: Because King Ashok became Buddha disciple and ruled according to Buddhism, the Hindu religion was fading out. Vikramaditya was a reformer of Vedic Bharat Varsha. He taught Mahabharata, Ramayan, and Bhadvad Gita. He saved Sanatan Dharma and spread Vedic knowledge all over the world.
  • Golden Age: India was the richest country in the world. We had golden coins for our day-to-day needs. Our cloth was sold as per the weight of Gold. Indian public was religious, rich, and happy. So this period is rightly said “Golden Age”.

Well, with all the above details, there is nothing wrong, if we accept him as “Chakravarty Samrat Vikramaditya”. We have to learn the details of the glorious past and acknowledge the greatness of ancient India after recording all these details of Indian History.

બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી.

ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર્મો સ્થપાયા શુદ્ર અને નીચલા વર્ણના લોકો બુદ્ધ ધર્મ તરફ અને વૈશ્યો જૈન ધર્મ તરફ આકર્ષાયા. આમ બુદ્ધ ધર્મ એટલે ૧) લોક ભાષામાં ઉપદેશ ૨) જાતપાતના ભેદો નહીં ૩) મધ્યમ વર્ગો અતિશયતાનો વિરોધ અને ૪) ઊંચું ચરિત્ર.

ચાલો ગૌતમ બુદ્ધ અને બુદ્ધ ધર્મની વિગતે સમજીએ…


બૌદ્ધ ધર્મ


ગૌતમ બુદ્ધ (566 BC- 483 BC)


જન્મ : 566 BC- હિમાલયની તળેટીમાં કપિલ વસ્તુ નગરમાં થયો હતો
પિતા: શુદ્ધોધન
માતા: મહામાયા

માતાને સંતાન પ્રાપ્તિની ઈચ્છા સિદ્ધ થઈ હોવાથી સિદ્ધાર્થ અને માતાનું કુળ ગૌતમ હોવાથી ગૌતમ નામ રાખ્યું.

ગૌતમના જન્મ પછી સાત દિવસમાં તેમની માતાનું મૃત્યુ થયું તેથી માસી મહાપ્રજાપતિએ તેમને ઉછેર્યા જ્યોતિષે ગૌતમ વિશ્વભરનો ચક્રવર્તી રાજા અથવા મહાન ધર્મ પ્રવર્તક બનશે એવી ભવિષ્યવાણી ભાખી. રાજા શુદ્ધોધનને પુત્ર સાધુ થાય તે પસંદ ન હોવાથી, વૈભવ વીલાસયુક્ત જીવન બાળપણમાં આપ્યું, પિતાએ 16 વર્ષે યશોધરા સાથે લગ્ન કરાવ્યા. સાધન સંપન્ન મહેલની રચના કરવામાં આવી- છતાં મન વૈરાગ્યમાં ખેંચાતું હતું. પુત્ર રાહુલને જન્મ આપ્યો.

મહાભિનિષ્ક્રમણ: ગૌતમે વૃદ્ધ, રોગી, શબ અને સંન્યાસીને નગરમાં ફરતા જોયા, રોગ વગરનું જીવન-ઘડપણ વિનાની યુવાની- અને મૃત્યુ વગરનું જીવન- શક્ય ન હોવાથી તેમણે પત્ની પુત્ર અને અઢળક સંપત્તિનો ત્યાગ કરી ભગવો ઝભ્ભો પહેરી સાધુ જીવન શરૂ કર્યું. “બહુજન હિતાય, બહુજન સુખાય”. પટના નજીક ઉરબેલા વનમાં નિરંજના નદીના તટે બોધિગયામાં તપ કર્યું. શરૂઆતના સખત તપ કર્યું પણ જંગલમાંથી સંગીતનો જલસો કરવા જતી વારંગનાને કહેતી સાંભળી કે વિણાનો તાર તું એટલો બધો તાણીશ નહીં કે તૂટી જાય અને એટલો બધો ઢીલો પણ ન રાખીશ કે સ્વરોજ ન નીકળે. ત્યારથી શરીર ટકાવી રાખવા ભોજન શરૂ કર્યું, સુજાતા ખીર ખાવાથી બોધિજ્ઞાન પ્રાપ્ત થયું.

બુદ્ધ બોધિજ્ઞાન પ્રાપ્ત થતા બુદ્ધ થયા.

તેમને વૈશાખી પૂર્ણિમાએ દુઃખ મુક્તિનો ઈલાજ જડી ગયો.


બુદ્ધે પોતાના જ્ઞાનનો ઉપયોગ બહુજન હિતાય અને સર્વજન સુખાય થાય તે માટે ધર્મચક્રપ્રવર્તનની શરૂઆત કરી- સારનાથ ખાતે પંચ વર્ગીય શિષ્યો સમક્ષ પ્રથમ ઉપદેશ આપ્યો.

સંઘ: પ્રથમ પાંચ ભિક્ષુઓ, પછી સગા સંબંધી, પત્ની યશોધરા, માતા મહાપ્રજાપતિ સહિત બધા સંઘમાં જોડાયા વૈશાલી નગરીની મહાન નૃત્યાંગના આમ્રપાલીએ પોતાનું આમ્રવન બુદ્ધને અર્પણ કર્યું મગધના રાજા બિમ્બીસાર અને કૌશલના રાજાએ તેમના ધર્મ સ્વીકાર્યો, 45 વર્ષ ભારતમાં આમ જનતાની ભાષામાં પોતાની મધ્યમ માર્ગની વિચારસરણી નો પ્રચાર કર્યો BC 483 માં 80 વર્ષે વૈશાખી પૂર્ણિમાએ કુષીનગર ખાતે નિર્વાણ પામ્યા.

ગૌતમ બુદ્ધનો ઉપદેશ


ભિક્ષુઓ પીળા ઝભ્ભો, માયે મુંડન અને ભિક્ષાપાત્ર રાખતા. સંઘમાં સ્ત્રીઓ પણ ભિક્ષુણી તરીકે જોડતી.

1) મહામંત્ર - પ્રતિજ્ઞા:

બુદ્ધમ શરણમ્ ગચ્છામી- બુદ્ધ એટલે જાતને શરણે જાઉ
ધમ્મમ્ શરણમ ગચ્છામી -ધર્મ ને શરણે જાઉ
સંગમ શરણમ ગચ્છામી સંઘ ને શરણે જાઉ

બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો: મધ્યમ માર્ગ

2) ચાર આર્ય સત્યો:

  1. દુઃખ - જગત દુઃખોથી ભરેલું છે જીવવું દુઃખ દાયક મરવું દુઃખદાયક રોગદુઃખદાયક વિયોજનની ભી ખુદા પડવું દુઃખદાયક વૃદ્ધાવસ્થા દુઃખદાયક 
  2. તૃષ્ણા - ઈચ્છાઓ દુઃખનું મૂળ કારણ તૃષ્ણા છે. 
  3. તૃષ્ણાઓનો ત્યાગથી જ દુ:ખનો નાશ થઈ શકે. 
  4. તૃષ્ણાના ત્યાગ માટે અષ્ટાંગ માર્ગ જરૂરી છે. 


૩) અષ્ટાંગ માર્ગ: સાચો જીવન માર્ગ
 

  1. RIGHT VIEW સમ્યક દ્રષ્ટિ સાચી સમજ-ચાર સત્યોનું યથાર્થ જ્ઞાન. 
  2. INTENTION સમ્યક સંકલ્પ: શુભ કાર્યનો નિશ્ચય 
  3. ACTION સમ્યક કર્મ: સારા કર્મો કરવા. ત્યાગ હિંસા, ચોરી ,વ્યભિચાર, અને મધ્યપાન નો ત્યાગ. 
  4. LIVELIHOOD સમ્યક આજીવિકા : પરસેવા પાડી જીવન માટે ધન પેદા કરવું. 
  5. SPEECH સમ્યક વાણી: સારું બોલવું- જૂઠું બોલવું કે નિંદા કરવી નહીં. 
  6. EFFORT સમ્યક પ્રયત્ન: બુરાઈ ત્યજી, સારા કામોમાં મગ્ન રહેવું. 
  7. MINDFULNESS સમ્યક સ્મૃતી: ચિત્ત શુદ્ધ રાખી, ખરાબ કાર્યોનું ભાન રાખવું. 
  8. CONCENTRATION સમ્યક સમાધિ: ચિત્તની એકાગ્રતા, આ ચાર એકાગ્રતા રાખવી, કર્મો, નિશ્ચય પુરુષાર્થ ભાવના 
આ ચાર- આર્ય સત્યો અને અષ્ટાંગિક માર્ગ એ ભગવાન બુદ્ધનો મધ્યમ માર્ગ કહેવાય છે.

મધ્યમ માર્ગ: અતિશય કામોપભોગ કે અતિ દેહદમન નકામાં ગણાય છે.

૪) પંચશીલ 
  1. હિંસા: મન, વચન અને કર્મથી હિંસા કરવી નહીં. VIOLENCE 
  2. ચોરી કરવી નહીં STEALING 
  3. જૂઠું બોલવું નહીં LYING + GOSSIP 
  4. બ્રહ્મચાર્ય પાળવું. SEXUAL DISCIPLINE 
  5. દારૂ પીવો નહીં. NO TO DRUGS/ ALCOHOL 

૫) ચાર ભાવના 
  1. મૈત્રી: સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવ 
  2. કરુણા: દયા 
  3. મૂદીતા: આનંદવૃત્તિ (આપણા કરતાં ચઢિયાતાં જોઈને ઈર્ષા ન કરવી પણ આનંદ પામવો.) 
  4. ઉપેક્ષા: પરવા ન કરવી જડ અને પાપી પ્રત્યે ઉપેક્ષા વૃત્તિ રાખવી.  (રાગ અને દ્વેષ ઉપજાવે તેવું કોઈપણ કાર્યની ઉપેક્ષા કરી તટસ્થ ભાવે જોવું) 


દસ મંગળ: ઉત્તમ મંગલ

ગૌતમ બુદ્ધની વાણી

૧) મૂર્ખાઓની સોબતથી દૂર રહેવું.
ઉતમ: પંડિતો એટલે જ્ઞાની પુરુષોનો સહવાસ રાખવું.

૨) યોગ્ય દેશમાં વસવાટ કરવો.
પુણ્યનો સંચય કરવો.
મનને સારા માર્ગમાં દ્રઢ કરવું.

૩) ઉત્તમ પ્રકારની વિધ્યા પ્રાપ્ત કરવું.
સદાચારની ટેવ પાડવી.
મધુર વાણી ઉચ્ચારવી.

૪) માતા-પિતાની સેવા કરવી.
સંતાનો- પત્નીનું પાલનપોષણ કરવું.

૫) દાન અને ધર્મનું આચરણ કરવું.
સગા વહાલાને મદદ કરવી.
સારા કાર્યોનું આચરણ કરવું.

૬) પાપકર્મોથી વિરક્ત રહેવું.
મધ્યપાનમાં સંયમ રાખવો.
પુણ્યકર્મ કરવામાં આળસ કરવી નહીં.

૭) સત્પુરુષોનું સન્માન કરવું.
નમ્રતાનો ભાવ રાખવો.
સંતોષ-કૃતજ્ઞ થવું.
સ્થળકાળ પ્રમાણે ધર્મ શ્રવણ કરવું

૮) સહન કરવું.
મીઠી વાણી બોલાવી.
સાધુ પુરુષોની સોબત કરવી.

૯) તપ, બ્રહ્મચાર્ય અને ચાર આર્ય સત્ય જાણવા અને નિર્વાણનો સાક્ષાત્કાર કરવું.

૧૦) લોક સ્વભાવ સાથે એટલે કે લાભ-નુકસાન, અપયશ, નિંદા-સ્તુતિ, સુખ દુ:ખ.
આ ચાર બાબતોમાં ચિત્ત શાંત, નિર્મળ અને શોક રહિત રહે.

બુદ્ધના આકર્ષક અને પ્રતિભાસંપન્ન વ્યકતીથી અનેક લોકો આકર્ષતા- તેઓ લોકબોલીમાં- નાની નાની વાર્તાઓથી ઉપદેશ આપતા. દા.ત. કિસા ગૌતમી અને રાય.


બૌદ્ધધર્મના ગ્રંથો

ત્રિપિટક:
  1.  સુત્ત પિટક- ધર્મના સિદ્ધાંતોની માહિતી 
  2. વિનય પિટક- બુદ્ધ ધર્મના સાધુઓ માટેના શિસ્તના અને બીજા સિદ્ધાંતો. 
  3. અભિધમ્મપિટક- ધર્મના વિચારોને અને પ્રથાઓને જોડી કરવાની પ્રવૃત્તિઓ. 

બૌદ્ધ ધર્મ એટલે ધર્મ સુધારણા: હિન્દુ ધર્મના સુધારણા પછી લોકોને – આમ જનતા ને સમજાય અને સ્વીકારાય એવું સ્વરૂપ.


તત્વજ્ઞાન: બૌદ્ધ ધર્મના તાત્વિક સિદ્ધાંતો 
  1. કોઈપણ બાબતનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. 
  2. બધી બાબતોનું પરિવર્તન થાય છે. કોઈ સ્થાઈ નથી. 
  3. આ કારણે કોઈ સનાતન આત્માકે ઈશ્વર નથી. 
  4. વૃક્ષ પોતાના બીજ દ્વારા બીજું વૃક્ષ ઉત્પન્ન કરે છે અને પોતે નાશ પામે છે. તેમ જ બીજું માનવજીવન ઉત્પન્ન થાય છે. 

બાંધકામો
  1. સ્તૂપ- બૌદ્ધ કે બૌદ્ધધર્મના કોઈ પવિત્ર વ્યક્તિના અસ્થિને દાબડામાં મૂકી તેની ઉપર અંડાકારે રચેલી ઇમારત. 
  2. ચૈત્યગૃહ- સ્થંભોનિ રચનવાળું અર્ધ વર્તુળાકારે રચાયેલી મંદિર જેવુ સ્થાન. 
  3. વિહાર- બૌદ્ધ શ્રમણોને રહેવાનું નિવાસ સ્થાન. 
મહરાષ્ટ્રમાં કાર્લા, કન્હેરી, ભાની, અજંટા અને ઇલોરાની ગુફાઓ આવેલી છે.

ધર્મના પંથો


1) હિન યાન:

યાન એટલે સાધના – હિન એટલે નાનું.
જીવનના અંતિમ લક્ષ્યાંક નિર્વાણ સુધી જવાના સાધન તરીકે ફક્ત બુદ્ધે આપેલા ઉપદેશને અને ફક્ત “ત્રિપિટક” માં જ માને છે.
બુદ્ધને માનવ તરીકે જ માને છે. તેથી તેની પૂજા કરતાં નથી. પરંતુ બુદ્ધના અવશેષો સ્તૂપોમાં મૂકી પુંજે છે.
સંઘને વધુ મહત્વનું ગણે છે.
ગૃહસ્થો કરતાં ભિક્ષુકોને મહત્વના માને છે. કારણ કે ભિક્ષુક થયા વિના મોક્ષ (નિર્વાણ) ન મળે એવું માને છે.
સિલોન, બ્રહ્મદેશ, શિયામમાં મળે છે.

2) મહાયાન:

નિર્વાણ પ્રાપ્તિનું મોટું (મહા) વાહન (યાન) થાપણ આચાર્ય નાગાર્જુન અને અસંગે કરી.
સમય પ્રમાણે યોગ્ય ફેરફાર કરવામાં માને છે. ચીન મોંગોલિયા, જાપાન, કોરીયા, તિબેટ, નેપાળમાં જોવા મળે છે.
ભગવાન બુદ્ધને “ઈશ્વર” માની તેની પૂજા કરે છે.
હિન્દુ ધર્મના ક્રિયાકાંડ બૌદ્ધ ધર્મમાં દાખલ કર્યા. બૌદ્ધ ભિખ્ખુઓએ ‘પુરોહિત’ નું સ્થાન લીધું.

મુખ્ય ગ્રંથ સંદર્ભ પુંડરીક:

3) મંત્રયાન: આઠમા સૌકામાં યા શાખા વિકસી તંત્ર-મંત્રની વિશેષ અસર હતી. 

4) વ્રજયાન : તંત્ર-મંત્ર, યમ-નિયમ અને મહાસુખની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરે છે. વ્રજયાનમાં સાધના માટે મૈથુનને ફરજિયાત ગણે છે.

બુદ્ધના મહા પ્રયાણ પછી તેમનો ઉપદેશ સંગ્રહાય અને સમાજમાં જળવાય રહે તે માટે ચાર મહાસભાઓ થયેલી, જેમાં મોટા પ્રમાણમાં બુદ્ધધર્મના ઉપદેશકોને ભેગા કરેલા. તેની વિગતો જાણવી જરૂરી છે.

 

સભાનો સમય

સભા સ્થળ

સભાપતિ

દાનદાતા રાજા

પરિણામ

I 483 BC

રાજગૃહ

મહાકશ્યપ

અજાતશત્રુ

બુદ્ધ ભગવાનના નિર્વાણ પછી તેમનો ઉપદેશ અને નિયમો સમજાવી દીધા.

II 383 BC

વૈશાલી

સબ્બકામી

કાલશોકા

-

III 250 BC

પાટલીપુત્ર

મોગલીપુત્રટીસ્સા

અશોક

-

IV 98 AD

કાશ્મીર

વસુમિત્ર અને અશ્વઘોષ

કનિષ્ક

ધર્મના મહાયન- હિનયાન બે ભાગ પડ્યા


સંઘ: બુદ્ધ ધર્મમાં સંઘ- પોતાને સદાઈથી રાખી, બુદ્ધ ધર્મના નિયમો પાળનાર સાધુઓનો સમૂહને સંઘ કહે છે.

ઇતિહાસની જૂનામાં જૂની પ્રાર્થના સભા સ્થળને સંઘ કહે છે. ત્યાં ગુલામો, દેવાળીયા અને રોગીઓને પ્રવેશ કરવાની મનાઈ હતી. પથીમોક્ષ નામના ૬૪ જાતના ગુના કરવાની બંધી હતી. સંઘમાં મહિલાઓને આવકારાતી હતી.

બુદ્ધના જીવનના મહાન પ્રસંગો:

  1. અવક્રાંતિ- ગર્ભધાન 
  2. જતિ-જન્મ 
  3. મહાભિનિષ્ક્રમણ- જ્ઞાન માટે સંસાર ત્યાગ
  4. નિર્વાણ / સંબોધીનિ- જ્ઞાન થવું.- Enlightenment 
  5. ધર્મચક્ર પરિવર્તન-પ્રથમ પ્રવચન 
  6. મહાપરી નિર્વાણ- મૃત્યુ 
ભારતમાં 0.7% એટલેકે લગભગ 80 લાખ લોકો બુદ્ધ ધર્મ પાળે છે. તો 0.4 % વસ્તી એટલે કે લગભગ 45 લાખ લોકો જૈન ધર્મ પાળે છે.

બુદ્ધ ધર્મ ભારતમાં સ્થપાયો હોવા છતાં, ચીન, જાપાન, બ્રહ્મદેશ, શ્રીલંકા જેવા દેશોમાં મોટા પ્રમાણમાં ફેલાયો છે. પરંતુ ભારતમાં ખાસ જોવા મળતો નથી.

જૈન ધર્મમાં અહિંસા અને તપને મહત્વના ગણ્યા છે, તો બુદ્ધ ધર્મમાં- મધ્યમમાર્ગ-એટલે કે અતિશય કામભોગ વિલાસ કે અતિશય દેહદમન ટાળવાનું કહી પંચશીલને મહત્વના ગણાવ્યા છે. 

મહામંત્ર:

બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ,
ધમ્મમ્ શરણમ્ ગચ્છામિ,
સંઘમ્ શરણમ્ ગચ્છામિ

જેવો મહામંત્ર આપ્યો છે.

જી હા, જગત દુ:ખો થી ભરેલું છે.

આર્યસત્ય:

દુ:ખમ્ સર્વમ્,
દુ:ખમ્ સર્વમ્,
દુ:ખમ્ સર્વમ્



ડૉ. ભરતચંદ્ર દેસાઇ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

મુઘલ યુગમાં સંધિ સમયે સ્ત્રીઓની માંગણી (1526 – 1757)

સમગ્ર ભારત વિવિધ આક્રમણકારીઓનો અવારણવાર ભોગ બન્યું છે અને તેમના વિજય પછી તેઓના રાજ્ય દરમ્યાન વિવિધ પ્રકારના ત્રાસ પ્રજાએ ભોગવવા પડ્યા છે. બહુ જૂના ખીલજી – ધોરી – લોદીની લૂંટ, ખુનામરકી અને પ્રજા સાથે જુલમી વર્તનની વાતો જાણીતી છે. છેલ્લા પાંચસો વર્ષમાં 250 વર્ષ – મુગલો અને 250 વર્ષ બ્રિટિશરોના રાજયમાં થયેલા જુલમોનો ઈતિહાસ તાજો જ છે. ઈસ્લામ કે (ખ્રિસ્તી) ધર્મ અંગીકાર કરવા થયેલા વિવિધ અપમાનો – અત્યાચારો યાદ કરીએતો કંપારી છૂટે છે.

રાજ્યનો વિસ્તાર વધારવા બે રાજ્યો વચ્ચે યુદ્ધો થતાં હતા. તેમાં નબળો રાજા શરણાગતિ સ્વીકારતો અથવા યુદ્ધમાં હારીને રાજ્ય ગુમાવતો. હારેલા કે શરણાગતિ સ્વીકારતા રાજાઓ સંધિકરાર–સંધિ કરતાં. સંધિની શરતો લેખિત સ્વરૂપે તૈયાર કરાતી. હાલમાં મેં મોગલયુગનો ભારતનો ઈતિહાસ વિષયક પ્રા. જશુભાઈ બી. પટેલ લિખિત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ–6 દ્વારા 1978માં પ્રકાશિત 700 થી વધારે પેજનું પુસ્તક “ભારતનો ઈતિહાસ” (મોગલયુગ) વાંચ્યું. તેમાં સંધિ સમયે મુઘલ રાજાઓ દ્વારા થતી શરતોમાં પહેલી શરત હંમેશા રાજાની દીકરી, બહેન કે પત્નિ સાથે લગ્નની વાત વાંચી હું ચોંકી ગયો. સ્ત્રીઓને પકડીને બળાત્કાર કરાતો અથવા લગ્નસંબંધ બંધાતો–પુરૂષોની અવદશાની તો વાત જ ન કરશો–રાજા સહિત પકડેલા પુરૂષોને નપુંશક બનાવીને ગુલામી કરાવાતી. આ વાત કદાચ ધારીએ તેટલી સહેલી નથી. પોતાની પત્ની–દીકરી કે બહેનને બળજબરીથી લગ્ન માટે લઈ જતો મુઘલ રાજાની કલ્પના પણ ક્રોધ અને અજંપો જન્માળે છે. કદાચ આ ઘટના ઈતિહાસનો બારીકાઈથી અભ્યાસ ન કરીએ તો ધ્યાન પર ન આવે તે સ્વાભાવિક છે. ચાલો ત્યારે, ઉદાહરણ માટે વિગતવાર આઠ ઘટનાનું આલેખન જોઈએ.

(1) 1564 ગોંડવાના વિજય: અકબર રાજાએ ગોંડવા વિજય મેળવ્યો. ગોંડવાની રાણી દુર્ગાવતીએ સતીત્વની રક્ષા માટે છાતીમાં ખંજર મારી આપઘાત કર્યો. રાજા વીરનારાયણ વીરગતિને પામ્યો. બાકીની સ્ત્રીઓએ જૌહર કર્યો, પણ રાણીની બહેન કમલાવતી મુઘલોને હાથે પકડાઈ જતાં અકબરે તેની સાથે લગ્ન કર્યા.

(2) 1570 : રાજસ્થાનના રાજાઓ અકબરને સરણે આવ્યા.
- બિકાનેરના રાજા રાયકલ્યાણમલે પોતની સુપુત્રી અકબર વેરે પરણાવી.
- જેસલમેરનો રાજા રાવળ હરરાય સમ્રાટને શરણે આવ્યો અતે તેણે પોતાની પુત્રી સમ્રાટને પરણાવી.

(3) 1615 : મેવાડના રાણા અમરસિંહ (રાણા પ્રતાપનો પુત્ર) અને અકબર વચ્ચે સંધિ થઈ. અપવાદરૂપે અહીં કન્યાઓને લગ્ન માટે વિવશ ન કરવાની સન્માનનીય શરત રાખી!

(4) 1627–1658 શાહજહાં: ઓરછા નરેશ જુઝારસિંહના રાણીવાસની કેટલીક સ્ત્રીઓએ મુસ્લિમ અત્યાચારમાંથી બચવા આત્મહત્યા કરી. પણ જુઝરસિંહની રાણી પાર્વતી સહિત ઘણી બુંદેલા સ્ત્રીઓને શાહી જનાંખાનામાં બંદી તરીકે રોકવામાં આવી.

(5) 1637: ઉજજેનિયાના જમીનદાર પ્રતાપને હરાવી મારી નાખ્યા બાદ તેની પત્નીને મુસ્લિમ બનાવી ફિરોજજંગના પૌત્ર સાથે પરણાવી દીધી.

(6) 1662: આસામના અહોમ રાજા જયધ્વજે ઔરંઝેબ સાથે સંધિ કરી. સંધિની પહેલી શરત “મુઘલ જનાનામાં પોતાની પુત્રી મોકલી આપવાની” હતી.

(7) 1698–1701 ઔરંગઝેબ: દુર્ગાદાસ (ભરવાડ) સંધિ–1701 સમજૂતીની શરતો દુર્ગાદાસે શાહજાદા અકબરની પુત્રી શકીયત–ઉન્નીસા અને પુત્ર બુલંદ અખતર ઔરંગઝેબને સોંપી દેવા.

(8) 1677: બીજાપુરના દિલેરખાં–ઔરંગઝેબ સમજૂતીની શરતો મહુર્મ અલી આદિલશાહ બીજાની પુત્રી શાહબાનું ઉર્ફે બાદશાહબીબીનું લગ્ન શાહજાદા આઝમ સાથે કરવું.


જૌહર

યુદ્ધમાં હાર્યા પછી, સ્ત્રીઓ ક્યાતો સામૂહિક રીતે બળતી અગ્નિને પોતાને હવાલે કરી મોતને વહાલું કરતી–અથવા વ્યક્તિગત રીતે કટારી દ્વારા આપઘાત કરતી–નહીં તો મુઘલ અત્યાચાર ફરજિયાત હતો. આમ, નારી સ્વતંત્રતા કે નારી મુક્તિની વાતો વિશાળ સભામાં ચર્ચા કરતાં સમાજસુધારકો ત્યારે ક્યાં હતા. ફરજિયાત ધર્મપરિવર્તન અને ફરજિયાત (હારેલા રાજાની) સ્ત્રીઓ સાથે શરીર સંબંધ (બળાત્કાર) અને બહુપત્નીમાંથી લગ્ન દ્વારા સંખ્યામાં ઉમેરો–વિચારો, હારેલા રાજાઓ કેટલા અસહાય–નિર્માલ્ય કે ભીરુ બન્યા હશે કે આવો અત્યાચાર શાંતિથી સ્વીકાર્યો હશે. ભારત દેશ આક્રમણકારીઓને આમંત્રણ આપી લાવનાર દેશદ્રોહીથી ખદબદતો હોય–રાષ્ટ્રભક્તિ કે દેશપ્રેમ માટે જરૂરી એકતાનો સંપૂર્ણ અભાવ હોય ત્યારે ગુલામી સિવાય શું મળે?
ચાલો, આપણે વ્યક્તિગત રીતે સુધરીએ–સ્ત્રી સન્માનની શરૂઆત આપણાથી કરીએ. નિર્ભય બની સ્ત્રીઓનું રક્ષણ કરીએ–નહીં તો–વર્તમાન કઈ જુદો નથી.
ડો.ભરત દેસાઈ
બીલીમોરા