ગોધરાકાંડ ૨૦૦૨

૨૦ વર્ષ પહેલાંના બનાવ વિષે અત્યારે આછોપાતળો ખ્યાલ છે ત્યારે, વર્ષો પછી કઈં ખબર ન પડે અને ઈતિહાસ ખોટી રીતે ન ચિતરાય તે માટે અહીં સમજ આપતો નિબંધ લખવા વિચાર છે. ભારતમાં ૧૯૪૭ ની આઝાદી સમયે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન અને હિન્દુઓ માટે હિંદુસ્તાન એમ ભાગલા પડ્યા. પરંતુ ભારતમાંથી બધા જ મુસ્લિમો પાકિસ્તાન ન ગયા. તેથી આઝાદી પહેલાંની હિન્દુ-મુસ્લિમ વેરભાવના ચાલુ રહી. બન્ને કોમ વચ્ચે ભાઈચારો હોવા છતાં અવારનવાર તોફાનો ફાટી નીકળ્યાં. ગુજરાતમાં ૧૯૬૯ – ૧૯૮૫ – ૧૯૯૨ અને ૨૦૦૨ માં મોટી સંખ્યામાં ખુનો - આગ લગાડવી અને બીજું નુકશાન કરતાં ભયંકર તોફાનો થયા. તેના કારણો-ઉપાયો અને બીજી વિગતો ઈતિહાસકારોએ બન્ને પક્ષોને પોતાની ઈચ્છા પ્રમાણે ખરાબ બતાવી જણાવ્યાં છે, એટલે સત્ય દૂર રહી ગયું છે. ૧૯૯૨ માં બાવન વર્ષની ઉંમરે મેં જાતે જોયેલી ઘટના મારી રીતે કહેવું છે.

મુખ્ય ઘટનાઓની શરૂઆત મુસ્લિમોએ ૨૭-૦૨-૨૦૦૨ પૂર્વયોજિત કાવતરાના ભાગ તરીકે ગોધરા સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના ડબ્બા એસ-૬ માં આગ લગાવી, તેથી ૫૪ વ્યક્તિના મરણ થયાં. પછી ઉશ્કેરાયેલ હિન્દુઓએ ટોળાશાહી બનાવી અમદાવાદમાં ખાસ વધારે અને આખા ગુજરાતમાં હિંસા આચરી. મુસ્લિમે પણ જવાબ રૂપે ખૂનામરકી કરી. 


 ગોધરાકાંડ – તા. ૨૭-૦૨-૨૦૦૨

પોતાના માથા ઉપર કેસરી પટ્ટી બાંધી ‘જયશ્રી રામ’ નો જયઘોષ કરતાં હજારો કારસેવકો ૨૫-૦૨-૨૦૦૨ ના રોજ અમદાવાદથી આયોધ્યા રામનામના જપના યજ્ઞની પૂર્ણાહુતિ માટે ગયા હતા. તેઓ ૨૭-૦૨-૨૦૦૨ ના રોજ આયોધ્યાથી અમદાવાદ પરત આવતાં સવારે ગોધરા સ્ટેશને પહોંચ્યા હતા. ગોધરાથી ઉપડેલી સાબરમતી એક્ષપ્રેસ (૯૧૬૬ અપ) ગાડી સવારે આઠ વાગ્યે સિગ્નલ ફળિયા નામના વિસ્તારમાં પહોંચી ત્યારે ચેન પુલિંગથી કે લાલ સિગ્નલને કારણે ગાડી રોકાઈ હતી. ટ્રેનના એસ-૬ માં કારસેવકો હોવાની ગોધરાના મુસ્લિમોને ખબર હોવાથી પૂર્વયોજિત ઘટનાસ્વરૂપે મોટી સંખ્યામાં આવેલા મુસ્લિમ સ્ત્રી-પુરુષ અને બાળકોએ ટ્રેન ઉપર પથ્થરમારો શરૂ કર્યો. હાથમાં ઘાતક હથિયારો અને પેટ્રોલ લાવેલ ટોળાએ કોચને આગ લગાડી.

બહાર હથિયાર બંધ ટોળું અને અંદર આગ ફાટી નીકળતાં મોત સામે લડતા બહુ ઓછાને બચવાની તક મળી તેઓ પણ ગંભીર રીતે ઘવાયા. બાકીના ૫૪ વ્યક્તિઓ વિકરાળ આગમાં શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યાં. તમામ મૃતદેહો કોલસો બની ગયા હોવાથી ઓળખી શકાય એમ નહોતા. લાશો એટલી બળેલી હતી કે ખસેડતી વખતે હાથ-પગ શરીરથી છૂટા પડી જતાં હતા. આમ મૃત્યુ પામેલાઓની લાશો કતારમાં હતી. મૃતદેહો માત્ર હાડકાં જ બની ગયા હતા. પોષ્ટમોર્ટમ શક્ય ન હોવાથી ડોકટરોએ સ્થળ પર તપાસી લીધા હતા. તેમને અમદાવાદ સોલા સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા. પ્રમાણભાન ગુમાવેલ ટીવી ઉપર મૃતદેહો સતત બતાવવામાં આવ્યા હતા.  (માહિતી: એસ-૬ કોચમાંથી જીવતા બચેલા કારસેવકો કૌશિક પટેલ, ધર્મેન્દ્ર પટેલ, અને હર્ષદ પટેલ દ્વારા)

ત્યારે આ ઘટના પછી અમદાવાદ લાવેલ મૃતદેહો જોઈને કે પછી ટેલીવિઝન પર બળેલા મૃતદેહો બતાવતા જોઈને ઉશ્કેરાયેલ હિન્દુઓ પ્રત્યાઘાત આપે છે. તેની વિગતો જાણીએ.

અમદાવાદ – મેઘાણીનગર – ગુલબર્ગ સોસાયટી

બંગલા નં ૧૯. માં પૂર્વ સાંસદ અહેસાન જાફરી રહેતા હતા. સોસાયટીના ડરી ગયેલા મુસ્લિમો તેમના ઘરમાં છુપાયા હતા. બહારથી પથ્થરમારો કરતું ટોળું મારો-કાપોની બૂમો પાડતા દાખલ થતાં, જાફરીએ ટોળાને ભગાડવા ગોળીબાર કર્યો. જેમાં કેટલાકને ગોળી વાગતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. તેને કારણે વાત વણસી જતાં ટોળું ઘાતક હથિયારો અને જલદ પ્રવાહીના કેરબા સાથે સોસાયટીમાં દાખલ થયું.

અહેસાનને ઘરની બહાર કાઢી રસ્તા ઉપર સુવડાવી તલવાર વડે કાપી સળગાવી મૂક્યા. ત્યારબાદ ટોળાએ લગાવેલ આગથી સંખ્યાબંધ લાશો, સળગતા ઘરો અને કણસતા ઈજાગ્રસ્તો જ બચ્યા હતા. અનેક લોકોની કત્લેઆમ અને કરોડો રૂપિયાની મિલકતોને આગ ચાંપી દીધી હતી. (માહિતી: નાણાવટી પંચ સમક્ષ જુબાનીમાં શ્રીમતી જાફરીના શબ્દો)

નરોડા પાટિયા, અમદાવાદ

નરોડા પાટિયા વિસ્તારમાં ટ્રક ચાલકે અકસ્માતે યુવાનને અડફેટે લીધો હતો, તેથી વાત પ્રસરીકે મુસ્લિમે એક હિન્દુને કચડી માર્યો છે. હજારો નહીં પણ લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા.
  • સત્તરમી સદીના મહાન કવિ-સૂફી સંત વલીની દરગાહ-શાહ મહોમ્મદ વલી ઉલ્લાહની દરગાહ-ઉખેડી ફેંકી દીધી. 
  • અંડરપાસ નજીકની હોટલ મોટીમનોરને આગ ચાંપી. 
  • નૂરાની મસ્જિદ નજીક બ્રેડ-બિસ્કિટ વેચતા નઈમ શેખ પરિવારના વૃધ્ધ માતા-પિતા, પત્ની-બાળકો, બહેન-બનેવી અને તેના બાળકો સહિત સૌને પેટ્રોલ છાંટી-સળગતા કાકડાથી સળગાવ્યા. 
  • બેબી બાનુના પતિને તલવારથી કાપી નાખ્યો, દેરાણીને કપડાં ફાડી જાહેરમાં બળાત્કાર ગુજાર્યો અને નાના મોટા આઠ જણની હત્યા કરી. 
  • ગંગોત્રી સોસાયટીની આજુબાજુ સંખ્યાબંધ મૃતદેહો હતા. નરોડા પાટિયા વિસ્તારમાં સો કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યાં હતા. 
ગોમતીપુર વણકરવાસ, અમદાવાદ - દેવાણંદ સોલંકી

ગોમતીપુર્માં દલિતો અને મુસ્લિમો એકબીજા ઉપર પથ્થરમારો કરતાં હતાં. અચાનક મુસ્લિમોનું એક ટોળું દોડ્યું ત્યારે એકલો રહી ગયેલ દેવાણંદ સોલંકીને ટોળું ખેંચી ગયું. તે જ દિવસે તેની હત્યા કરી અઢાર ટુકડા કરી મોટા પ્રમાણમાં મીઠું નાંખી દાટી દીધો. આરોપીએ કરેલી કબુલાતને આધારે ખોદકામ કરતાં અઢાર ટુકડાઓ જમીનમાથી મળ્યા.

મુસ્લિમોના ટોળાં દ્વારા હત્યા 
  • ૧, મહેમદાવાદમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રામસિંહ 
  • ૨, ગોમતીપુર, અમદાવાદ કોન્સ્ટેબલ ચૌહાણ
ઉપરોક્ત બન્નેને મુસ્લિમ ટોળાંએ પેટ્રોલ છાંટી સળગાવ્યા.
  • ૩, ધંધૂકાના કોન્સ્ટેબલ ભાણું ભરવાડની હત્યા-ગોળી મારીને જુહાપુરા પોલીસચોકીની પાછળ
  • ૪, શાહપુર વિસ્તારમાં સ્કૂટર પર જતાં ગણપત પરમાર અને તેના પુત્ર નિતિનની તલવાર અને ગુપ્તી મારીને હત્યા
આમ, મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતાં એકલા હિન્દુને પકડી નિશાન બનાવ્યા.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું સરદારપુરા ગામ

હજારો માણસો ટ્રેક્ટરમાં બેસી શેખ મહોલ્લામાં પહોંચ્યા, પોતાને બચાવવા માટે મોટી સંખ્યામાં એક મકાનમાં છુપાયેલા મુસ્લિમોને મકાનની બારીમાંથી જ્વલનશીલ પ્રવાહી ફેંકી ત્યારપછી સળગતો કાકડો નાંખ્યો. મોટાભાગના લોકો સળગીને મર્યા.

પંચમહાલ જિલ્લાના રણધીપુર

ગર્ભવતી યાકુબ રસુલની પત્ની બિલ્કિસબાનું તેની ગર્ભવતી પિતરાઈ બહેન સિમન અને બીજા ૧૬ માણસો થઈ કુલ ૧૮ લોકો જીવ બચાવવા જંગલના રસ્તે ભાગતા હતા, ત્યારે છાપરવડ તરફથી પાંચસો લોકોનું ટોળું આવીને ચારે તરફથી ઘેરી લીધા. ત્રણ વર્ષની બાળકીને રહેંસી નાંખી. તમામ મહિલાઓના કપડાં ફાડી નાંખ્યા અને બધાને મારી નાંખ્યા. (માહિતી: માથામાં ફટકાથી મારવા છતાં બચી ગયેલી બિલ્કિસ્બાનું દ્વારા)

બેસ્ટ બેકરી, વડોદરા

વડોદરા પાણીગેટ વિસ્તારમાં ડભોઈ રોડ પાસે હનુમાન ટેકરી ખાતે બેસ્ટ બેકરી આવેલી છે. ઘાતક હથિયારો અને જ્વલનશીલ પ્રવાહી સાથે હિન્દુઓનું ટોળું ચીચયારી પાડતું આવ્યું ત્યારે બેકરીના લોકો ઉપરના માળે જતાં રહ્યાં આગની જવાળામાં ચાર બાળકો, ત્રણ સ્ત્રીઓ સહિત ૧૪ લોકો માર્યા ગયા. સંજોગોવસાત બેકરીના માલિક ની દીકરી ઝાહીરા શેખ અને તેની માતા બચી ગયા. ઝાહીરાએ ૨૧ આરોપીના નામ પોલીસને આપ્યા હતાં પરંતુ કોર્ટમાં પોલીસ સામેનું નિવેદન ફેરવી તોળ્યું હતું. પાછળથી કેસ મુંબઈ ખાતે ખસેડાયો હતો ત્યાં પણ ઝાહીરાએ જુબાની બદલી હોવાથી તેને એક વર્ષની કેદની સજા થઈ હતી.
‘આ ખોટું થયું.’
‘ક્યાં જ્ન્મ લેવો તે કોઈના હાથમાં હોતું નથી, ત્યારે કોણ કયા કુળમાં જન્મ્યો છે, ફક્ત તેના આધારે તેનો વિરોધ કરવો વાજબી નથી!’
અમદાવાદ માં ત્રણ મહિના ચાલેલા તોફાનમાં ૧૮૨ વ્યક્તિઓને જીવતી સળગાવી, ૬૮ વ્યક્તિઓને છૂરાબાજી થી મારી, જ્યારે ૯૭ વ્યક્તિઓ પોલીસ ગોળીબારમાં અને ૩૯ વ્યક્તિ ખાનગી ગોળીબારમાં મરી હતી. તેમાં ગુમ થયેલી ૩૯ વ્યક્તિઓ ને મૃત જાહેર કરતાં કુલ્લે ૪૨૫ મરણ થયા હતા. ૮૪૨૦ ટીયર ગેસ ના સેલ અને ૪૪૦૦ રાઉન્ડ ગોળીબારકર્યા હતા. દરમ્યાન ૧૯૭૭ હિન્દુ અને ૧૩૫૦ મુસ્લિમોને પકડી જેલમાં મોકલી આપ્યા હતા. આશરે ૨૦૦૦ વ્યક્તિઓ મરી હતી જેમાંથી ૭૯૦ મુસ્લિમ અને ૨૫૪ હિન્દુ મરણ સરકારી દફતરે નોંધાયા હતા.

ઈતિહાસ પાઠ ભણાવે છે અનુભવ આપે છે અને લોકઘડતર કરી જનસામાન્યને રસ્તો બતાવે છે. પણ સરળ અહિંસક લાગતા લોકો એકબીજાના લોહીના તરસ્યા શા માટે બને છે? કદાચ રાજકારણી, પોલીસદળ, ઉશ્કેરણીજનક ઈલેક્ટ્રોનિક મીડિયા અને લોકોની હતાશા ભેગા થાય ત્યારે આવું બને છે. ભૂતકાળના અનુભવ કે વિદ્વતા સમજદાર બનાવતા નથી, ત્યારે લોક જાગૃતિ કરી સર્વધર્મસમભાવ કે કોમીએકતાના પાઠ કોણ શીખવશે? ઈતિહાસ સમજીને કોઈ નવો સીધો રસ્તો શોધીશું?

હિન્દુત્વ

સિંધુ નદી કિનારે વસેલા આર્યોનો દેશ ‘આયાવર્ત’ તરીકે ઓળખાતો – લોકોઆર્યો અથવા સિંધુ પણ કહેવાતા. પરદેશીઓ સિંધુને બદલીને ‘હિન્દુ’ કહેવા લાગ્યા અને તેમનો ધર્મ હિન્દુ ધર્મ કહેવાયો હકીકતમાં વૈદિક પરંપરામાં સનાતન ધર્મ હતો, તે હિન્દુ બન્યો.

વર્તમાન ધાર્મિક અસહિષ્ણુતા ના વાતાવરણમાં ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મો પોતાના અલગ ચોકા બનાવી ટોળાં શાહી અને અરાજકતા તરફ વળ્યા ત્યારે જીવન જીવવાની સર્વમાન્ય શૈલી ધરાવતા અને સિંધુ નદી કિનારે થી અરબી સમુદ્ર સુધી વિસ્તરેલ ભૂમિના લોકો – હિન્દુ કહેવાયા – તેમના વિચારો તે 'હિન્દુત્વ'!

હિન્દુ એ સર્વમાન્ય – આદર્શ જીવનશૈલી છે. તે ઈસ્લામ કે ખ્રિસ્તી વિરોધી નથી કે એ કોઈપણ ધર્મ સામે નથી. વનસ્પતિ, પ્રાણી અને સર્વને સમાન જણાવી – દરેક ને કાળજી લઈ સહજીવનની પ્રણાલી તે હિન્દુત્વ. બધા ભગવાનને સ્વીકારી સર્વધર્મ સમભાવ અને કોમી એક્તા શીખવે તે હિન્દત્વ.

ચાલો સરળ ભાષામાં લેખક રામસ્વરૂપે કહેલી હિન્દુત્વની વિગતો બરાબર જાણીએ – સમજીએ.

હિન્દુ ધર્મ, હિંદુઓ અને ભારત

ભારતની ભૂમિ ઉપર સનાતન ધર્મ ઉત્તપન્ન થયો. અહીના લોકો હિંદુઓ કહેવાયા અને ધર્મને હિન્દુ ધર્મ કહ્યો આ ધર્મમાં ચાર પુરૂષાર્થ, ચાર વર્ણ અને ચાર આશ્રમોની વ્યાખ્યા આપી ને સમજાવ્યા.

વર્ણ: વર્ણાશ્રમ ધર્મ સમાજ જીવનની જવાબદારી સાથે સંકળાયેલો હતો. કેટલાક પૂજારી અને શિક્ષકો હતા (બ્રાહ્મણ), કેટલાક યોધ્ધાઓ અને રક્ષકો હતા (ક્ષત્રિય), તો કેટલાક સંપત્તિનું ઉપાર્જન અને સાચવણીમાં જોડાયેલા હતા (વૈશ્ય), તો બાકીના લોકો રોજીંદી સામાન્ય જરૂરિયાતો – જેવી કે પાણી લાવવું, લાકડા કાપવાં – સાફ સફાઈ કરવી સાથે કાર્યરત હતા (શુદ્ર). આ ફક્ત કાર્યોનું વિભાજન હતું, તેમાં અસમાનતા કે અશ્યપૃશ્યતા હતી જ નહીં. દરેક સભ્ય અહીં પ્રમાણિકપણે કામ કરી પોતાની આવડત મુજબ પોતાનો ધર્મ બજાવી સંપતિનું ઉપાર્જન કરતો હતો. ભારતમાં કોઈપણ તબક્કે ગુલામી પ્રથા હતી જ નહીં. એ તો સુવિદિત છે. જુદા-જુદા કાર્યો કરતાં અને જુદી જુદી પરંપરા નિભાવતા લોકો હિન્દુ આધ્યાત્મિકતા અને આદર્શવાદમાં માને છે.

આશ્રમ: ચાર આશ્રમો મનુષ્ય જીવનકાળ ના ચાર તબક્કાઓ છે. વિદ્યાર્થી અવસ્થામાં તે દરેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે (બ્રહ્મચર્યશ્રમ), ત્યારપછી સંસારીના સ્વરૂપમાં અર્થોપાર્જન સહજીવન અને સંતતિ ઉત્પન્ન કરે છે (ગૃહસ્થાશ્રમ), પ્રોઢવયમાં નિવૃતિ લઈ આંતર શોધમાં જોડાય છે (વાનપ્રસ્થાશ્રમ) અને છેલ્લે સન્યાસી બની સમાજ શિક્ષણ આપે છે (સન્યાસાશ્રમ) અહી ગૃહસ્થાશ્રમ કે સાંસારિક જીવનને સૌથી વધુ મહત્વનું ગણવામાં આવ્યું છે.



હિંદુઓ

એક સમયે હિંદુઓ સમૃદ્ધ હતા. તેમના અન્નભંડારો ભરેલા રહેતા. તેઓ જ્ઞાની, સારા વ્યવસ્થાપકો અને સારા વેપારી હતા. તેમના ચરિત્રમાં તેજ અને બળ હતું. તેઓ શોષણ કરતાં નહીં અને શોષિત થતાં નહીં. એ લોકો વિજ્ઞાન અને કલામાં નિષ્ણાંત હતા. હિન્દુ ધર્મ અનેક ધર્મોની આદિમાતા સામો હતો. દાન-દક્ષિણા અને સેવાના આદર્શો હતા. 
  • અતિ શાંતિપ્રિયતા ને કારણે પોતાની રક્ષણાત્મક સજ્જતા ગુમાવી બેઠા. હિન્દુ ધર્મ આત્મવિશ્વાસ ગુમાવી ક્ષમાપર્થ થઈ બેઠો. હિંદુત્વ શબ્દ શરમ અને અવમાનવાનું કારણ બની ગયો. એક એવા વર્ગનો ઉદ્દભવ થયો જે હિન્દુ હોવા છતાં આચાર-વિચાર અને ભાવથી હિન્દુ વિરોધી હતા. આપણે વિવાદ ટાળવા ગમે તે સ્વીકારવા તૈયાર થઈ ગયા. સંઘર્ષની તૈયારી ન હોવાથી, આપણે પોતાનું રક્ષણ ન કરી શક્યા. 
  • હિંદુઓ પોતાના જ દેશમાં દ્વિતીય કક્ષાના નાગરિકો કે શરણાગતો બની ગયા. કટ્ટરવાદી અને નકારાત્મક તાકતો વારંવાર હુમલા કરતી રહી ત્યારે સ્વરક્ષણમાં હિંદુવાદ કે રાષ્ટ્રવાદની ઓળખ જરૂરી બની ગઈ. પોતાના અસ્તિત્વ માટે અને આધ્યાત્મિક ચિંતન જાળવવા પ્રતિકાર જરૂરી બની ગયો. 
હિંદમાં, ભારતમાં મહાન સંતો અને શિક્ષકો દ્વારા સનાતન ધર્મ શીખવાયો અને હિંદુત્વની ઓળખ પાકી થઈ.
  • સનાતન ધર્મ વિશ્વના ઘણા ધર્મોની આદિમાતા છે. 
  • મનુષ્યની અંદર વિશાળ આંતરિક જીવનસ્ત્રોત અસ્તિત્વ ધરાવે છે. 
  • આંતરિક ઊર્જા જે આત્મા સ્વરૂપે પ્રવર્તમાન હતી એ વૈશ્વિક ચેતના કે અવિનાશી બ્રહમનો અંશ હતી. 
  • સનાતન ધર્મ “સત્યનો હંમેશા વિજય થાય છે” એ માને છે. સત્ય જેને કોઈ ભય નથી – કોઈ અધૂરપ નથી. 
ઈશ્વર

ઈશ્વર સ્વયંમની અંદર છે - સ્વયંમમાં સ્થાપિત ઈશ્વર બ્રાહ્ય સ્થૂળ જગતમાં વિસ્તરે છે. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત, સંપૂર્ણ સ્થિર અને શ્રેષ્ઠ સ્વરૂપ છે.

ઈશ ભક્તિ

ઈશ્વરને અનેક રીતો દ્વારા પૂજવામાં આવે છે. કોઈ તેને યોગ દ્વારા, કોઈ ભક્તિ માર્ગે કે કોઈ ઈશ્વરને સરળતા માટે મનુષ્ય સ્વરૂપ સમજે છે. સનાતન ધર્મોમાં એક દેવને ચાહવા બીજાનો ધિક્કાર અનિવાર્ય નથી. હા, ઈશ્વરને પોતે પોતાની રીતે પ્રત્યક્ષ સ્વયં જ અનુભવવો પડે છે.

નૈતિક માપદંડ

સારા બનવું કે સારપ આપણી પ્રકૃતિ છે. સહનશક્તિ અને ક્ષમા-સમય અને સંજોગો પ્રમાણે બદલાય છે. જે વ્યક્તિ ક્ષમાને પાત્ર નથી તેને સજા કરવું એ ન્યાયનું વિજ્ઞાન છે.

પાડોશી

તમામ મનુષ્યો, જીવો (વનસ્પતિ જીવન અને પ્રાણી જગત) અને તમામ તત્વો (હવા, પાણી, આકાશ, નદીઓ, સમુદ્રો) ઈશ્વર અને દેવદૂતો આ બધા પાડોશી સાથે સહજીવન ની જવાબદારી અદા કરી ઋણમુક્ત થવાનું છે.

ધર્મ

દરેક વ્યક્તિ આત્મિક વિકાર સાથે આધ્યાત્મિક વિકાસ સાધે તે માટે ના દસ નિયમો :- સંતોષ, ક્ષમા, સ્વમાન, સૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ઘી, વિદ્યા, સત્ય, અને આક્રોધ.

વ્યક્તિગત ક્ષમતા - જીવનની ક્ષમતા અલગ-અલગ (અનેક જીવન, અનેક સ્તર, વિવિધ લોક, મોક્ષ)

સનાતન ધર્મ અનેક જીવનની જ નહીં પરંતુ અનેક સ્તરની અનેક વિવિધ લોકોની વાત વર્ણવે છે. જીવનના નીચલા સ્ટાર સાથે જોડી રાખતા તમામ ગુણો, સ્નેહ, ઋણાનુબંધ, કલેશ, રાગ વિગેરેથી મુક્ત થનાર જળકમળવત બને છે અને તે નિર્વેદ ધારણ કરે છે. પછી જીવ મોક્ષ પામે છે – જેને ફરીથી સ્થૂળ જગતમાં જન્મ લેવાનો નથી.

આમ જીવનયાત્રા એ આત્મશોધ અને આત્મવિકાસની પ્રક્રિયા છે જેનું અંતિમ ધ્યેય મોક્ષ છે.

આધુનિક વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિને લીધે અને ટેક્નોલોજીના વિકાસને લીધે કેટલાક અપ્રકાશિત તથ્યો પ્રચલિત થયાં છે. તે દર્શાવે છે કે સ્થૂળ વિશ્વમાં એક સૂક્ષ્મ શક્તિ કામ કરી રહી છે, જે આપણા મસ્તિષ્ક અને ઈન્દ્રિયો સાથે જોડાયેલી છે. આ શક્તિ સમગ્ર બ્રહમાંડ માં ફેલાયેલી છે.

ઈતિહાસ

માનવ ઈતિહાસ એટલો જૂનો છે કે તેણે અનેક સભ્યતાઓ પાંગરતા અને નષ્ટ થતાં જોઈ છે. અફાર ઈતિહાસના સર્જનની પ્રક્રિયા દરેક ક્ષણે અવિરત ચાલુ છે. હિન્દુ ધર્મ બોધકા, પ્રકાશકા અને વાચકા છે એટલે કે તે જ્ઞાન આપે છે, આત્મતેજ પ્રગટાવે છે અને જ્ઞાનપ્રવાહ આગળ ધપાવવાની દિશા આપે છે.

શરણાગતિ

હું સનાતન ધર્મમાં શરણ થાઉં છું. આ ધર્મમાં ઉર્ધ્વગામી જીવન નો હેતુ છે. આ શરણગતિ દ્વારા સમગ્ર સૃષ્ટિ અને મનુષ્યત્વને અખંડ બનાવી – જે આસપાસ છે તે, ઈશ્વર સાથે એકત્વ કેળવી શકું.

હિંદુત્વના પતનના કારણો

હિંદુવાદ કે હિન્દુ ધર્મ કેટલાક ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે જેમ કે હિન્દુઓમાં ૧) વૈચારિક સમાનતા નો અભાવ, ૨) નૈતૃત્વનો અભાવ, ૩) હિન્દુ ધર્મની ચર્ચા – સમસ્યા સમજવા કોઈ નિશ્ચિત કેન્દ્ર કે સ્થળ નથી, ૪) આર્થિક રીતે સદ્ધર નથી, ૫) નાતીઓ અને પેરાજાતિઓમાં વિભાજિત હોવાથી બાહ્ય પરિબળોનો સામનો કરવા સંગઠન શક્તિ ધરાવતો નથી. તેની સામે ઈસ્લામ અને ક્રિસ્ટીયાનીતિ માં આવું નથી – તેઓ અંતિમવાદી – તીવ્ર અને નિશ્ચિત માળખાવાળા છે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મજબૂત છે – આર્થિક રીતે અને માળખાકીય રીતે પણ ઈસ્લામ તેના ધર્મને – નિયમોને ન માનનારને કાફિર કહીને ધિક્કારે છે અને તેની સામે જિહાદનું એલાન કરે છે. ત્યારે હિન્દુઓમાં દેશની ધર્મભાવના કે વલણમાં ક્યાંક બેદરકારી કે સ્વ-ઓળખનો અભાવ જોવા મળે છે. ક્રિશ્ચિયન્સ સમગ્ર વિશ્વમાં મિશનરી પ્રવુતી દ્વારા અનેક શિક્ષણકેન્દ્રો ચલાવે છે – સેવા કરતાં કરતાં આદિવાસી – વનવાસી કે હરિજનોને મદદરૂપ થઈ વટાળ પ્રવુત્તિ – ધર્મપરિવર્તન વર્ષો થી બેરોકટોક ચલાવે છે. ૧૯૮૦ માં અધિકૃત આંકડા મુજબ ૪૩૮૦૦ કરોડ રૂપિયા ખુલ્લેઆમ ભારતમાં જ ઠલવાયા હતા. ઘણી બધી જમીનો અને સંપતિ ખ્રિસ્તી અને મુસ્લિમો એ ભારતમાં ખરીદી લીધી છે. વિરોધીઓ સાધનસંપન્ન અને આયોજન બદ્ધ છે. તો હિંદુઓ પોતાનું સ્વરક્ષણ કરવા અક્ષમ છે. મુસ્લિમો દર-અલ-હર્બ (એટલે કે ઈસ્લામ માટે યુદ્ધ) અને દર-અલ ઈસ્લામ (એટલે કે ઇસ્લામનું શાસન) માં માને છે. તેમનું ઇલ્સામીકરણ નું ધ્યેય નિશ્ચિત છે.
  • હિંસાપૂર્ણ ઈતિહાસ એ અકસ્માત નથી – ધાર્મિક કટ્ટરવાદનું પરિણામ છે. 
  • વર્તમાનમાં બાંગ્લાદેશના લાખો ઘુસણખોરો અને રોહિંગ્યા ભારતમાં પગપેસારો કરી રહ્યા છે આસામ, લદ્દાખ, અરુણાચલ, કેરલ, કશ્મીર, પશ્ચિમ બંગાળ જેવા અનેક રાજ્યોમાં વિભાજન અને ધર્મપરિવર્તન ની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ સંજોગોમાં પરિસ્થિતી લાગણીશીલ બનીને નહીં, પરંતુ વ્યવહારુ દ્રષ્ટિકોણ થી ઉકેલવી પડશે. આ કરવા દીર્ધદ્રષ્ટિ અને ઊંડાણ સાથે શ્રદ્ધા અને સાતત્યની જરૂર છે. આ આદર્શવાદી યાત્રા માટે લાંબેગાળે ધ્યેયપ્રાપ્તિ માટે નિશ્ચિત પ્રયાસો જરૂરી છે.
હિન્દુકરણ

આપણે સૌ પ્રથમ ભય કે લાલચને લીધે ધર્મ પરીવર્તન કરેલ લોકોને પ્રાચીન મૂળ તરફ પાછા વાળવા અને વાસ્તવિક હિન્દુ ધર્મમાં પાછા ફરે તે માટે વાતાવરણ પૂરું પાડવું પડશે.

તાલીમકેન્દ્રો

મંદિરો-ધર્મસ્થળો કે તાલીમ કેન્દ્રો સ્થાયી પાયાની વિચારધારા, ધર્મનું જ્ઞાન, હિન્દુ મૂલ્યો અને પરંપરાનો પ્રચાર કરવો પડશે. જેથી બાહ્ય વિરોધો નકારાત્મકતા સામે આપણી હિન્દુ મૂલયવ્યવસ્થા ટકી રહે. સૌ આત્મશિક્ષણ મેળવે અને અન્યને પણ શિક્ષિત કરે.

સામાજિક દૂષણોથી મુક્તિ

લગ્ન પ્રસંગો અને તહેવારોની ઉજવણી બીભત્સ ન બને તેની કાળજી લેવી પડશે. ફિલ્મો, સાહિત્ય, જાહેરાતો–પ્રચાર વિગેરે અશ્લીલતા અને ગુનાખોરી રોકવી પડશે. તો જ અર્થહિનતા-ધ્યેયહીનતા-સ્થૂળ સિદ્ધિઓની દોડમાં જીવનનો મૂળ ધ્યેય ચૂકી ન જવાય.

આમ, હિન્દુત્વમાં આપણી માન્યતાઓને આપણે સ્પષ્ટ કરી લઈએ. ખોટા તર્ક અને દૂષિત વાતાવરણથી બુદ્ધિપૂર્વક મુક્તિ મેળવીએ. તાર્કિકતા-શાણપણ અને ધાર્મિકતાને ફરીથી સમજીએ. આપણી ખોવાયેલી મહાનતાને ફરીથી પ્રસ્થાપિત કરીએ.

ડો. ભરત દેસાઈ 
બીલીમોરા


Mental Disorders You Must Know

Actually, we suffer from two types of diseases disturbing our life – one is physical – having symptoms of bodily illness and they can be diagnosed and cured easily by doctors, but other is a mental illness which is not recognised properly either by the individual or their doctor! This life-threatening mental illness needs great care and attention. I am introducing them one by one. 

First, we must know basic problems. 


Now I want to tell you about the symptoms not cleared by routine medical doctors and needing psychiatric help. All these listed here if not relived or recurred now and then, be aware mental illness is certainly present.

Symptoms
  • Vomiting – Nausea 
  • Fainting spells – dizziness 
  • Headache – backache 
  • Pain in the chest 
  • Palpitations 
  • Breathlessness 
  • Stomach ulcers and acidity 
  • Stomach loss of appetite 
  • Heaviness after eating 
  • Excessive belching 
  • Weakness 
  • Pain in joints. Arthritis. 
  • Quickening or slowing of the heart 
  • Rise and fall of blood pressure 
  • Asthma 
  • Eczema 
Now, let us discuss important mental disorders. 


Anxiety

Anxiety is a mental condition with fear, shakiness, fast heart rate and excessive worrying. Anxiety is a feeling of worry, nervousness or unease, worry about future events. Anxiety can be generalized, phobia, social, separation anxiety disorder, agoraphobia, panic disorder or selective mutism. 12% of the population suffers from anxiety. It is twice in females than males.


Neurosis 

Neurosis is a relatively mild mental illness involving symptoms of stress (like obsession, depression or anxiety) but not a radical loss of touch with reality. So Neurosis is a borderline personality disorder. Thus Neurosis is in short excessive and irrational anxiety or obsession. Neurosis (also known as psychoneurosis) is a mental disorder that causes a sense of distress and deficit in functioning.

Neurosis is a behaviour that interferes with normal living, impairs the individual’s efficiency, happiness and makes one unable to get along with or love other people.

Disability characterized by too much neurotic behaviour.

Examples: gambling, over concern about bowels, diet and appearance, sexual promiscuity.

True neurosis is accompanied by a feeling of unhappiness, disappointment and frustration.

Neurotic is uncomfortable during an attack but otherwise feels perfectly well.
  • Compulsions: such as washing hands
  • Phobias: such as fear of germs 
  • Obsessions: such as self–torturing jealousy 
Neurosis:
  • Compulsion Neurosis 
  • Anxiety Neurosis 
  • Hysteria
Jumpiness, fast heart, Restlessness, Excessive sweating, Insomnia-nightmares, Haggard feeling and facial expression, Feeling exhausted, having prolonged suffering exertion

Hysteria: Sudden clippings of special parts of the body and any medical condition can be imitated by hysteria.


Psychosis 

It is a mental disorder causing disconnection from reality which results in stranger behaviour often accompanied by a perception of stimuli of voices, images or sensations, delusions, hallucinations and talking incomprehensibly.

Symptoms are delusion, hallucination, inability to concentrate, depression, sleeping too much or too little, losing bond with family and friends, anxiety, suicidal thoughts and switching topics while talking.


Depression 

Depression is a state of low mood and aversion to activity.
  • Depression can affect a person’s thoughts, feelings, behaviour, motivation and serves well-being. It may feature sadness, difficulty in thinking and concentration. It can be seen with an increase or decrease in appetite and sleep time. The person feels dejection, hopelessness and sometimes have suicidal thoughts. Actually, one has a loss of interest or loss of feeling of pleasure in certain activities usually enjoy. 
It is caused as a temporary reaction to life events such as the loss of a loved one or some drugs or diseases. 4.4% population suffers from depression.
  1. Major depression: Here person suffers for at least two weeks of low mood, low self-esteem, low energy, loss of interest and pain without clear reason. Sometimes the period of depression follows a normal mood. Genetic factors, environmental and psychological factors cause it. 3% world population suffers from major depression. 
  2. Melancholia: Is a loss of interest in most or all activities, failure to react to pleasure stimuli, worsening of symptoms in the morning hour, early morning waking, excessive weight loss, excessive guilt and psychomotor retardation. 


Mania 

Mania is a state of abnormally elevated arousal effect and energy level. It is a state of heightened overall activation with enhanced affective expression together with lability of affect.

The heightened mood can be either be euphoric or irritable. At a higher level of mania, irritability leads to anxiety and violence. A person has elevated mood, flight of ideas, the pressure of speech, increased energy, decreased desire and need for sleep and hyperactivity.

Hypomania: is a less intense Mania. Hypomania leads to increase creativity and productivity. Goal motivated behaviour and metabolism increase. Though hypomania with elevated mood and energy is good, when exaggerated, a person displays excessive optimism, grandiosity and poor decision making.


Schizophrenia 

Schizophrenia is a mental illness characterized by relapsing episodes of psychosis. Major symptoms include hallucinations often of hearing voices, delusions of having beliefs not shared by others and disorganized thinking. Other symptoms include social withdrawal, decreased emotional expression and lack of motivation. Symptoms come gradually and young persons of 16 to 30 years of age are involved.

A person has significant alterations in perception, thoughts, mood and behaviour.

The end results, or say, complications are suicide, heart disease or lifestyle disease.

It is a Split Partial or Complete - Between - What happens to them and how they feel about it.

Their feelings are flat so their response is flattened or inappropriate. Their emotions depend more upon what happens inside than what happens outside their minds.

Four types of Schizophrenia:
  1. Paranoid Schizophrenia (More common): The most prominent symptoms are hallucinations and delusions. The patient has the unusual feeling of being watched, followed or even hunted down. Paranoia means an intense, irrational persistent instinct or thought process of fear fall feeling and thoughts.
  2. Catatonic Schizophrenia (Rare): Catatonic means extremes of under or over motor activity. Person falls into behaviours extremes much like music and depressive episodes. In a catatonic stupor, there is a deficit of movement making him motionless and in catatonic excitement, there is excessive movement associated with violent behaviour to oneself or others.
  3. Disorganised Schizophrenia (Also known as hebephrenia): Person has an intentionally disorganized behavioural pattern. This leads to difficulty in communicating because his train of thoughts cannot be understood. It is a disease of adolescence appearing between 15 to 25 years ago. 
  4. Undifferentiated Schizophrenia: Here the person has mixed symptoms of any of the above three.


Bipolar Disorder (Also known as manic depression)

Bipolar disorder is characterized by periods of depression and periods of abnormally elevated mood. The severally elevated mood is called mania and the less severe is called hypomania

Condition is characterised by intermittent episodes of mania and depression with an absence of any symptoms in between (normal state of mind)

Manic Episodes: The person has euphoria to delirium, increased self-esteem or grandiosity, decreased need of sleep and disinhibited social behaviour, impulsive or high-risk behaviours like excessive spending or hypersexuality, inability to work or socialize. A milder form of the above manic symptoms is called hypomania.

Depressive Episodes: Here the person has persistent feelings of sadness, irritability or anger, feeling of guilt, sleeping too much or too little, change in appetite and /or weight, feeling of worthlessness and thoughts of death or suicide.

Mental Health is a human right!
Practices for intact mental health. 
  1. Medicate every day. Learn Practice Mindfulness
  2. Affirm:
    • “I love and approve of myself.”
    • Louise Hay
    • Say the above statement meaningfully. Say it 3 – 4 times every day especially before retiring at night.
  3. Choose kindness :
    • Whenever there is a choice between being right and being kind, choose to be kind Dr Wayne Dyer. Kindness increases serotonin levels… a great healing hormone.
  4. Hobby: Pursue your hobbies. They are a must for stress relief.
  5. Deep breathing: Practice deep breathing whenever possible. Keep your brain healthy and efficient.
  6. Walking: A 20 minutes brisk walk in the morning releases endorphins… the positive and happy hormones. 
  7. Read Inspiring books every day.
  8. Smile: Smile is the window of your soul and laughing is the door. – Neal Donald Walsch.
  9. Love: Love Everything, Love Empowers you beyond measure, Love includes unconditional acceptance. 
  10. Speak out: Don’t suffer silently speak out – seek help. Stock up on compassion for yourself.
  11. Peace: Choose peace in every situation. Make it a habit. Peace brings the best of everything to us. Peace brings prosperity.
  12. Thankful heart: Wake up and sleep with a thankful heart.


Take-Home Message

Life (to remain alive) is more important than no life. Any problem like a failure in examination, financial loss in life, disturbance in friendship or marital relation or any problem can be solved with time, but the resultant mental disorder can be life-threatening. So do not remain disturbed, confused or low, instead talk to your close relatives and friends, communicate freely personally, by writing or on the phone and sick help, the solution is assured.

Lastly, I will conclude by talking about this most important advice, do not plan treatment yourself or with the help of non-psychiatric doctors. The help of a psychiatrist nearby will cure you in total by psychotherapy, medicines or ECT (Electro Convulsive Treatment). So, do not wait and waste time.

Best of luck!

Sanatana Dharma: An Introduction

We, the Hindus, do not have a single book on religion like Bible, Quran or Guru Granth Sahib with finalised general guidance regarding lifestyle, rituals and religious activities. So we are confused. The Vedas are such books guiding us everything about the way of life. Our religion is known as Sanatana Dharma (Sanātana Dharma, सनातन धर्म) meaning thereby it’s eternal – permanent – timeless – never changing (Sanatana) ancient law-abiding religion (Dharma) – the righteous living.
Dharma (धर्म) is a natural law of duty and ethics telling everything about the way of life and social welfare.
So, Sanatana Dharma speaks about Hinduism and shows us Dharma (righteousness), Karma (action) and After-death life or re-birth (reincarnation).



It is the oldest religion, having details by Shruti (श्रुति) heard from Gods and told by the teacher to pupils and told by chanting, or by Smruti (स्मृति) memorised and remembered as it is.

We have four Vedas telling all this.

Veda means knowledge that is known.  
  1. Rigveda: First and oldest having 10600 mantras in 1020 shlokas in 10 manuals. It gives knowledge of everything related to life, including Gayatri Mantra and such prayers. 
  2. Yajurveda: Written in poetry and articles, it tells different formalities Karmakand (कर्मकाण्ड)
  3. Samaveda: Details about music and singing
  4. Atharvaveda: Medical knowledge of disease and treatment, duties of the king and people, and magic etc. 
We have Ramayana, Mahabharata, Puranas and other books also. Now let us know and understand the basics of Sanatana Dharma!

Four Ashramas

Our traditions have rationalised and clearly explained the way of life throughout different stages of life from infancy, childhood, youth, adulthood to old age. Assuming they considered average life to be a century, it was divided into four of twenty-five years each.

They assigned a distinct name and duties to each of these stages: 
  1. Brahmacharya: the stage of studentship 
  2. Grihasthya: the stage of house holdership 
  3. Vanaprastha: the stage of seclusion and the forest-dwelling 
  4. Sanyasa: the stage of total renunciation (i.e. asceticism) 
Let us look into the details, one by one:
  1. Brahmacharya (up to 25 years of age): The life of studentship begins with the Upanayana ceremony also known as the thread ceremony. This is called the “Second birth” because disciplined life of hard and simple habits begin. During this period, one has to rise early and bathe, eat moderately plain food, take plenty of exercise and be away from luxury and idleness. The student must strive for the virtues of industry, obedience, humility and serviceableness. Industriousness in the study gives them knowledge, obedience and humility. This lifts them quickly because all are willing to share what they have and serviceability builds up the nature that will serve humility. They are expected to remain celibate in mind and body, plus they must be chaste in thought and act. Living life like this teaches them all the lesions of life. 
  2. Garhasthya (25 to 50 years): This household stage is entered at marriage. The person takes duties and responsibilities of household life. A good husband, a good father, a good citizen and a good master is the noblest of men. The home is the school of unselfishness, compassion, tenderness, temperance, purity, helpfulness, prudence, industry, right Judgment and charity. Don’t escape but follow the household life – it is sacred. 
  3. Vanaprastha (50 to 75 years): When the signs of age appear and when the son can bear the full burden of his duties, it is time to surrender the leadership of home to son and to retire from active life and worldly labour. A quiet, somewhat scheduled life, given to study and self-sacrifice for the good of others make this third stage of life. 
  4. Sanyasa (75 to 100 years): Life has given all the experiences and the old age of technical life begins. Ascetic life characterised by severe self-discipline and abstention from all forms of indulgence is added here with meditation and worship. 
Five Daily Sacrifices - Yagna (यज्ञ)

We have to do five sacrifices every day as follows:
  1. The sacrifice to Rishis or Vedas "Study and Teach": Study some sacred books daily and thus gradually acquire knowledge. All study is for carefulness and closeness of thought. Once you learn, pass on this knowledge by teaching. 
  2. The Sacrifice to Devas "Homa": Recognise all we owe to God, by offering for their services by homa (होम) – the offerings into the fire. We learn to be in harmony with nature and realize our relation with superphysical worlds and our interdependence. 
  3. The Sacrifice to Pitrus "Tapran": Tarpan is offering water to the older generations of our family and to our ancestors. This is recognition of the great debt we owe to the past and to our ancestors. 
  4. The Sacrifice to Men "Hospitality":  Feed someone poorer than oneself. We have a duty of serving and helping humanity by feeding the hungry, clothing the naked, sheltering the homeless and comforting the sad. 
  5. The Sacrifice to Bhutas (Bhūta, भूत): Put some food on the ground before beginning the meal, put some food on the ground for vagrant men and animals. This is a practice of kindness and consideration towards them for their services to us. 
Thus, the sacrifices daily – Yagna – is because of Rishis, Pitrus, Devas, Bhutas and guests expect help from the householder and so we should give them.

Mannerism for Superiors, Equals and Inferiors

Sanatana Dharma defines all and guides about how to treat them differently.

Superiors

God, sovereign, parents, teachers and the aged are our superiors. 
  1. Love to God shows itself as reverence, devotion, worship and submission to this will. 
  2. Loyalty to the head of the state and patriotism to love one’s own country are a must. 
  3. To the parents is due ever the most complete obedience. 
  4. The highest reverence is worth to two parents and teachers. and 
  5. He who habitually salutes and constantly pays reverence to the aged obtains an increase in length of life, knowledge, fame and strength. 
Equals 

Brothers, sisters, husband and wife are equals. Well, husband and wife are one, not two. The home is not home; in truth, the wife is home! Where women are honoured, their Gods are pleased. For brothers, it is said, there is a heaven where my brothers are.

Inferiors 

Interiors are those younger than ourselves, who are less educated, who are poorer and who are below in social rank. They should be treated with tenderness, compassion, gentlemanliness, kindness and without pride.

There are no riches in the three worlds like unto these – compassion, friendliness to all beings, charity, honour the worthy and give, but not ask. Let him speak the truth, let him speak the pleasing, let him not speak an unpleasing truth nor speak a pleasing falsehood.

Sixteen Sanskaras

Sanatana Dharma shows the way of life and has prescribed sixteen ceremonies or rites to be performed by its followers. These rites are known as Sanskaras (saṃskāra, संस्कार). The sole purpose is to help humans to conquer and purify them to bring the help of superiors and Gods. This improves their intelligence and purifies the atmosphere around them, making it easier for them to steady and concentrate their mind.

These rites have shown methods with material objects, gestures, postures, and sounds arranged carefully to bring about the desired result. For example, Mantras are a succession of sounds in a definite sequence and certain order. A 'rosary' (Tulsi mala, तुलसी माला) is used to worship Krishna but 'rudraksha' (rudrākṣa, रूद्राक्ष) is used to worship Mahadeva.

Of the sixteen Sanskaras, the first seven relate to early childhood. 'Vivaha' deals with marriage and the last one 'Anteyesti' with death-related rites. Here is the list with meanings:

  1. Garbhadhana (Garbhādhāna, गर्भाधान): Attaining the wealth of the womb
  2. Pusavana (Pusavaṇa, पुसवण)
  3. Simanta (or Simantakarana): Parting the hair upwards
  4. Jatkarma (Jātakarman, जातकर्मन्): Natal rites
  5. Naamkarann (नामकरण)
  6. Nishkramana (निष्क्रमण)
  7. Annaprashana (अन्नप्राशन): Feeding with the solid for the first time 
  8. Keshmundan (केशमुंडन): Tonsure to cut hair on the hand 
  9. Karnavedha (कर्णवेध): Piercing of the ears for the first time 
  10. Vidyarambh (Vidyāraṃbhaṃ, विद्यारम्भम्): Beginning the studies 
  11. Upanayana (उपनयन): Sacred thread and teaches him Gayatri Mantra, He is called Dvija – Twice born and student life begins 
  12. Vedarambh (वेदारंभ) 
  13. Keshanta (Keśānta, केशान्त)
  14. Samavartana (Samāvartana, समावर्तन): Formal return home after completion of studies 
  15. Vivaha: Marriage – making an entry into manhood and social life 
  16. Antyesti (Antyeṣṭi, अन्त्येष्टि): Death related rites
Re-birth (Reincarnation, पुनर्जन्म)

Re-birth is to repeat coming again and take birth. Reincarnation means taking flesh again, i.e. coming again into a physical body. Similarly, transmigration is passing from one place to another – passing into a new body.

So long as one desires objects on the earth, he has to come back, take a re-birth, to possess and enjoy those objects. Once he ceases to desire objects, he does not need re-birth and gets liberation – Moksha (mokṣa, मोक्ष) – to become a Mukta Jiva (मुक्त जीव, meaning free soul).

Re-birth is just like casting off worn-out garments and make new ones – here the dweller in the body casting off worn-out bodies to enter in the new body – a new and more beautiful body.

He who is happy within, who rejoices within and who is illuminated within gets “Nirvana” – Liberation – Moksha – Mukti.

Penance is a state of being devoid of desires and worldly ties. Keeping thoughts going astray and meditation works – give liberation of harmlessness!

Sacrifice (Yagna, यज्ञ)
He, who realises that all lives are interdependent, so his true function is to live for others, as God lives for others. Then his every action becomes a sacrifice (Yagna) to God. Thus the law of sacrifice becomes the law of liberation.
Now you know the basic guidelines to be followed as taught by Sanatana Dharma. If you follow them, the purpose of life is gained. In the era, when Hindutva – Hinduism and such talks are much discussed – it is time to understand the details and follow sincerely. Have I served the purpose?


મહર્ષિ દયાનંદ સરસ્વતી

ઈતિહાસમાં આપણને બાબર-હુમયું-અકબર-જહાંગીર-ઔરંઝેબ અથવા વિલિયમ હેસ્ટિંગ્સ-રોબર્ટ ક્લાઈવ-લોર્ડ માઉન્ટબેટન ભણાવીને શાસકોએ ગેરમાર્ગે દોર્યા છે. તેથી ભારતીય-હિન્દુ-કોઈ મહાનુભાવ કે ભારતીય સંસ્કૃતિ જેવું કઈ હતું જ નહિ એવી ખોટી છાપ આપણાં મન ઉપર ઉપસી છે, ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી-રામકૃષ્ણ પરમહંસ વિગેરે વિષે કઈ જ ન જાણતા હોય એ સ્વાભાવિક છે.

ભારતીય સંસ્કૃતિ ની નબળાઈઓને કારણે આપણે નમાલા બન્યા ત્યારે આપણી સુધારણા કરવા-ગુલામ મુક્ત થવા શું કરવું જોઈએ-તે બતાવનાર માનાં એક તે સ્વામી દયાનંદ સરસ્વતી.

મહર્ષિ દયાનંદ સરસ્વતી

આર્ય સમાજના સ્થાપક અને સમાજ સુધારક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતી નો જન્મ ઓક્ટોબર, 1825 માં સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલા ટંકારા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. જન્મ સમયે પિતા કરસનજી ત્રિવેદીએ બાળકનું નામ મૂળશંકર રાખ્યું હતું.

બાળ મૂળશંકરને આઠમા વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો. તેને સંસ્કૃત-વેદ અને યજુર્વેદ ઘરે જ ભણાવવાની વ્યવસ્થા થઈ. ચૌદ વર્ષે મૂળશંકરે સંપૂર્ણ યજુર્વેદ અને બીજા કેટલાક વેદોનો પાઠ પૂરો કરી દીધો. તેમણે વેદ સાથે વ્યાકરણ પણ ભણી લીધું.
  • પિતા ના આગ્રહથી શિવરાત્રીનું વ્રત કરી જાગરણનો સંકલ્પ કર્યો. રાત્રે શિવાલયમાં કેટલાક ઉંદરો નીકળી શિવલીંગ ઉપર-નીચે ફરતા જોયા ત્યારે, બાળમાનસમાં ઉથલપાથલ થઈ અને તત્કાળ બોધ થયો કે મુર્તિ તો જડ પ્રતિક છે સાચા શિવ નથી. તેણે સાચા શિવનો સાક્ષાત્કાર કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. 
  • સોળ વર્ષે કોલેરાથી મૃત પામેલી નાની બહેન અને થોડા દિવસ પછી કાકાનું મૃત્યુ જોઈને જીવનની નશ્વરતાનો પાકો ખ્યાલ આવી ગયો ત્યારે 21વર્ષે ગૃહત્યાગ કર્યો. સાયલા જઈ બ્રહમચર્યની દીક્ષા લઈ ‘શુદ્ધ ચૈતન્ય’ નામ ધારણ કર્યું. 
  • ત્રેવીસ વર્ષની વયે, નર્મદાના તટ ઉપર ચણોદ-કરનાલીમાં દક્ષિણના શુંગેરી મઠના સન્યાસી સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી પાસે સન્યસ્ત લઈ “દયાનંદ સરસ્વતી” નામ ધારણ કર્યું. 
  • પંદરેક વર્ષના અવિરત દેશાટન પછી 1860 માં દયાનંદ મથુરા પહોંચ્યા. પ્રજ્ઞાચક્ષુ જ્ઞાનગુરુ સન્યાસી સ્વામી વિરજાનંદ સરસ્વતીએ તેમને યોગવિદ્યા, વ્યાકરણ, મનોરમા- શેખર-ન્યાયમાંસા, વેદાંતના ગ્રંથો, આષ્ટાધ્યાયી અને મહાભાષ્ય શીખવ્યા. 
  • આમ 21 વર્ષ રખડપટ્ટી કરી - 42 વર્ષે વેદોની પુન:પ્રતિષ્ઠા, પાખંડદહન, દેશોદ્ધાર અને સંસાર ના કલ્યાણ ના મહાવ્રત સાથે કાર્યરત થયા 


વર્ણવ્યવસ્થા

વર્ણવ્યવસ્થા જ્ન્મને આધારે નથી, પણ ગુણ કર્મ અને સ્વભાવને આધારે હોવાનું સાબિત કર્યું. શુદ્દ્ર કુળમાં જન્મેલ જો બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય જેવા ગુણ, કર્મ અને સ્વભાવ ધરાવે તો તે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય બની જાય છે.

ત્રેતવાદ સ્થાપ્યો
  1. જીવ 
  2. ઈશ્વર - નિરાકાર છે. 
  3. પ્રકૃતિ અનાદિ - અનંત છે. 
હવન

સવારે સૂર્યોદય પછી અને સાંજે સૂર્યાસ્ત પહેલાં કરવાથી હવાની શુદ્ધિ થાય છે.

ઋષિ પરંપરામાં પત્નીના ત્યાગને વૈરાગ્ય નથી માનતો, પણ પાપ માનવામાં આવે છે. ધર્મસમંત કામ લગ્નજીવન દ્વારા હોવું જોઈએ.

સ્વામીજીએ લખેલ અગત્યના પુસ્તકો
  • સત્યાર્થ પ્રકાશ 
  • વેદભાષ્ય 
  • સંસ્કાર વિધિ (સોળ સંસ્કાર) 
  • આર્યાભિવિનય 
  • ગોકરુણાનિધિ 
પરિવર્તન સંસ્કાર શુદ્ધિ યજ્ઞ

ધર્માંતરણ કરેલા લોકોને અને બીજા ધર્મમાંથી જોડાયેલ લોકોને પાછા હિન્દુ બનાવવાનો વિધિ પૂર્વક સંસ્કાર.

દેવદાસી પ્રથા

વધારાની કન્યાઓને મંદિરમાં કે પુરોહિતોને અર્પણ કરવાની પ્રથાનો વિરોધ. પુષ્ટિ માર્ગી આચાર્યો ‘સર્વકૃષ્ણ ને અર્પણ’ કરવાની પ્રથાનો વિરોધ.

સ્વામીજીના કાર્યો
  • યજ્ઞમાં પશુબલિ કે નરબલી પ્રથાનો વિરોધ. 
  • માંસાહાર નો નિષેધ 
  • સ્વદેશી ચળવળ-1879-ફક્ત ભારતમાં બન્યા હોય તેવા જ વસ્ત્રો નો ઉપયોગ કરવું. 
  • રાષ્ટ્રભાષા હિન્દી - સંપૂર્ણ ભારત દેશને ફક્ત હિન્દી ભાષા જ એક રાખી શકે. 
  • જીવન ઉપયોગી વસ્તુઓ-નમક અને રોટી-પર કર લેવાનો વિરોધ કર્યો. 
  • સ્વામીજી આદર્શ બ્રહ્મચારી, ત્યાગી, તપસ્વી, સમાજસુધારક વેદો અને વૈદિક શાસ્ત્રોના વિદ્વાન, પરમયોગી, બ્રહ્મનિષ્ઠ, સ્પષ્ટ વક્તા, માનવ એક્યનાં દ્રષ્ટા અને રાષ્ટ્ર વિધાયક અને નિર્ભયક સન્યાસી હતા. 
  • આપણો દેશ અંધવિશ્વાસથી મુક્ત થાય, કુરિવાજો અને પાખંડ મુક્ત બને, સર્વલોકો એક જ ઈશ્વરના ઉપાસક બને, સ્વરાજ્ય ની યોગ્યતા અને સ્વરાજ્ય મેળવે અને સંસારના અન્ય રાષ્ટ્રોમાં બરબારીનો અધિકાર મેળવે તે માટે જીવનભર મથ્યા. 
  • સ્વામીજી માનતા, કોઈ સમયે સમસ્ત સંસાર પર આપના પૂર્વજોનું-વૈદિક આર્યોનું- ચક્રવર્તી રાજ્ય પ્રવર્તતું હતું. ભારત-આર્યાવ્રત-સમસ્ત સંસારને જાગૃત કરનાર મહામાનવોથી ભરેલ હતું-એ વિશ્વવિજેતાઓની ગૌરવ ગાથા છે. 
અંધશ્રદ્ધા નિવારણ-લોકજાગૃતિ કાર્યો
  • સૂર્યગ્રહણ સમયે જમવામાં વાંધો નથી. 
  • સ્ત્રીઓને પણ મંત્ર જાપનો અધિકાર છે. 
  • મૂર્તિપૂજા બધા અનર્થોનું મૂળ છે. તેને દૂર કરવી જ રહી. 
  • બાળવિવાહ વિરોધ 
  • વિધવાવિવાહ સમર્થન 
  • વૃદ્ધવિવાહ વિરોધ 
  • અશ્પૃશ્યતા નિવારણ-છૂતછાત-આભડછેટનો વિરોધ. 
  • જ્યોતિષ, મંત્ર-તંત્ર અને ભૂતપ્રેત દ્વારા મચાવાતા ઢોંગ રોકો વિરુદ્ધ અભિયાન. 
ડામ : યમદુતો ભાગતા હોવાની અંધશ્રદ્ધા માટે ડામ લગાવતો રોક્યો.

લગ્ન : સ્વામીજીએ રાજસ્થાનમાં કન્યાઓને મુસ્લિમ જોડેજ પરણાવવાનો રિવાજ બંધ કરાવ્યો- પ્રથા બંધ કરાવી.

ધન : આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે-ધન ત્યાગ રાષ્ટ્ર માટે આત્મહત્યા સમાન છે. ધર્મસંમત ધન હોવું જ જોઈએ.

07-03-1867ના રોજ હરદ્વારના કુંભમેળામાં પાખંડખંડિની ધ્વજપતાકા ફરકાવીને નવજાગરણનો અને પાખંડદહનનો એક મહિનાનો કાર્યક્રમ કર્યો. તેમણે મૂર્તિપૂજાની અવૈદિકતા સિદ્ધ કરી. 
 

આર્યસમાજ


10-04-1875 આર્યસમાજની 10 નિયમો સાથે મુંબઈમાં સ્થાપના કરી શ્રી ગિરધરલાલ કોઠારીને પ્રમુખ અને શ્રી પાનાચંદ આણંદજી પારેખ ને મંત્રી બનાવ્યા. તેમણે કહ્યું આર્યસમાજ દ્વારા,
  1. હું વેદો ને સંદેશો આપું છું, મારો નહીં. 
  2. મારા વિચારો યોગ્ય ન લાગે તો, તેને માનશો નહીં. 
  3. મારા ફોટો કોઈ મંદિરમાં રાખશો નહીં. 
“અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ” એમનો જીવનમંત્ર કેવળ ઈશ્વર જ તેમનો સહાયક હતો અને સત્ય જ તેમનું પરમ અવલંબન હતું. સ્વામીજી પર અનેકવાર જીવલેણ હુમલા થયા પણ અખૂટ શારીરિક સામર્થ્ય અને યોગ બળથી તેઓ પોતાને બચાવતા રહ્યા.

31-05-1883 જોધપુર ખાતે મહારાજા અને બીજાવિશે ટીકા સાંભળી તેમના પ્રધાનોએ સ્વામીજીને રસોઈના દૂધમાં ઝેર પીવડાવી દીધું. 31-10-1883 રોજ આબુ ખાતે તેમનો દેહોત્સર્ગ થયો.

ઉપસંહાર 

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના મુખ્યત: વેદના પ્રચાર-પ્રસાર માટે કરી હતી. ત્યારે સર્વ સત્ય વિદ્યાઓનું પુસ્તક વેદ ભણવા, ભણાવવા અને સાંભળવા-સંભળાવવા એ સર્વ આર્યસમાજનો પરમ ધર્મ છે.

મહર્ષિ દયાનંદની વેદ વિષયક માન્યતાઓના પોષક ઉચ્ચ સ્તરીય મૌલિક ગ્રંથોનું પ્રણયન અને પ્રકાશન કરીને તેની સર્વત્ર પહોંચ કરાવવામાં આવે. એ અનિવાર્ય છે.

દરેક વિશ્વવિદ્યાલયો(University)માં દયાનંદ વૈદિક શોધપીઠો (Research Center) સ્થપાય તો, આર્યસમાજની સફળતા બહુ દૂર નથી. 

- ડો. ભરત દેસાઈ, બીલીમોરા
Related Article: આર્ય સમાજ અને હિંદુત્વ – એક અભ્યાસ

આર્ય સમાજ અને હિંદુત્વ – એક અભ્યાસ

હિંદુત્વ - સનાતન ધર્મ - ભારતીય સંસ્કૃતિ જેવા ભારેખમ શબ્દોથી પ્રભાવિત વર્તમાન ભારતમાં ધર્મ-ધાર્મિકતા અને જીવનનો હેતુ જેવા વિષયો તદ્દન અસ્પષ્ટ છે. ત્યારે મેં ‘આર્યસમાજ’ નો સહારો લીધો. તે વિષયના પુસ્તકો વાંચ્યા-સમજ્યો-ફરીથી વાંચ્યા અને અહીં કઈંક સમજાય એવી સરળ વાતોની નોંધ બનાવી. ચાલો, વિગતો જાણીએ.

પુસ્તકો
  1. મહર્ષિ દયાનંદ સરસ્વતી – લે. સ્વામી સચ્ચિદાનંદ (૨૦૧૩) 
  2. સ્વામી દયાનંદ – શ્રી નાથુભાઈ ડોડિયા (૨૦૨૦) 
  3. સત્યાર્થ – પ્રકાશક: મહર્ષિ દયાનંદ સરસ્વતી રચિત સત્યાર્થ પ્રકાશક ના અંશો – સંપાદક અને અનુવાદક ભાવેશ મેરજા (૨૦૧૮) 
  4. કુમાર સત્યાર્થ પ્રકાશ (બાળકો માટે સત્યાર્થ પ્રકાશની સમજૂતી) પ્રયોજક વલ્લભદાસ રત્નસિંહ મહેતા (૧૯૩૫) અને 
  5. વેદાર્થ – ભૂમિકા: સ્વામી વિદ્યાનંદ સરસ્વતી (૨૦૧૩) 

હવે, આ વિષય ઉપર ખૂબ ગહન વિચારણા માંગે એવો હોવા છતાં, વેદો – આર્યસમાજ – આધ્યાત્મ એવા ભારે ભરખમ શબ્દોથી, જરાપણ ગુંચવણ વગર, સરળ રીતે કહેવાનો હું પ્રયત્ન કરું છું.

કહે છે ને- આકાશ અનંત છે, તેનો પાર ગરુડ પણ પામી શકતું નથી. છતાં સામર્થ્ય અનુસાર ઉડાન ભરી લે છે અને જુએ છે. બસ આ જ ન્યાયથી મારાથી જેટલું અને જેવુ બની શક્યું છે એટલું પ્રસ્તુત કરવાનું સાહસ મેં કર્યું છે. ધીરજપૂર્વક પહેલાં ખાલી ઝડપથી જોઈ જશો તોપણ વાંચવાની ઉત્કંઠા જાગશે જ એવી મને ખાત્રી છે.

ચાલો, ઈશ્વર એટલે શું?

ઈશ્વર - ભગવાન

સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના વેદ દ્વારા આર્યાવર્તની ભવ્યતા સમજાવવા કરી છે. ચાર વેદો-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદના જ્ઞાનને સર્વ સંસારનો આધાર માન્યો છે. તેઓ કહે છે પ્રાણીઓ અને મનુષ્યોમાં ખાવું, પીવું, સૂવું, ઊઠવું જેવા જ્ઞાન કોઈના પણ શિખવ્યા વગર મળે છે તે સ્વાભાવિક છે. પરંતુ ભગવાને મનુષ્યને (અગ્નિ દ્વારા ઋગ્વેદ, વાયુ દ્વારા યજુર્વેદ, સૂર્ય દ્વારા સામવેદ અને અંગીરા દ્વારા અર્થવેદ પ્રગટાવી) વિદ્યા અને સુશિક્ષા આપી વિદ્વાન બનાવ્યો.

આ ઈશ્વર એટલે શું?
  • ઈશ્વર દિવ્ય ગુણ-કર્મ-સ્વભાવવાળો અને વિદ્યાયુક્ત છે. 
  • ઈશ્વરમાં પૃથ્વી-સૂર્ય અને આકાશ સમાવિષ્ઠ છે. 
  • ઈશ્વર નથી જન્મ લેતો કે નથી મૃત્યુ પામતો. 
  • ઈશ્વર સર્વ શક્તિમાન, સર્વ અંતર્યામી અને જગતસ્વામી છે. 
  • ઈશ્વર વેદોનો પ્રકાશક, ન્યાયકારી, ન્યાયાધીશ, કર્મફળદાતા, નિરાકાર, દયાળુ અને સુખ સ્વરૂપ છે. 
  • ઈશ્વર સર્વ જગતની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલયનો અધિષ્ઠાતા છે. 
  • ખરાબ કર્મો કરવા સમયે ભય, શંકા, અને લજ્જા થાય છે. તેવી રીતે શુભ કર્મો કરતાં અભય, નિશાંકતા અને આનંદ ઉત્સાહ ઉત્પન થાય છે, તે પરમાત્મા દ્વારા થાય છે. 
ચાલો બીજી રીતે સમજીએ.
  • ઈશ્વર નિરાકાર છે. (અકાય – જેનો દેહ નથી) 
  • ઈશ્વર સર્વશક્તિમાન છે. (સૃષ્ટિની ઉત્પતિ-પ્રલય-નાશ કરવા સામર્થ્યવાન છે.) 
  • ઈશ્વર પાપની ક્ષમા નથી કરતો. ઈશ્વરનું કાર્ય સર્વ કર્મોનું યથાવત ફળ આપવાનું છે. અપરાધ અનુસાર દંડ આપવો તેનું નામ ન્યાય છે. અપરાધી લૂંટારાને છોડી દેવો, એ હજારો ધર્માત્માને દુ:ખ દેવા જેવુ છે. લૂંટારા પર દયા એ જ કે તેને જેલમાં રાખીને પાપ કરતો બચાવવો. 
ઈશ્વર અને જીવ
  • બન્ને ચૈતન્ય સ્વરૂપ છે. 
  • બન્ને અવિનાશી છે. 
  • બન્નેનો સ્વભાવ પવિત્ર છે. 
સૃષ્ટિની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલય કરવો વિગેરેથી સમસ્ત બ્રમાંડ ને નિયમમાં રાખવું સાથે જીવોને પાપ-પુણ્યનું ફળ આપવું ઈશ્વરનું ધર્મયુક્ત કાર્ય છે. સંતાનોત્પત્તિ અને તેમનું પાલન-પોષણ આદિ જગતના વ્યવહારો સાચવવા એ જીવનું કાર્ય છે.

ઈશ્વરની સ્તુતિ-પ્રાર્થના-કે ઉપાસના

હે ઈશ્વર, તું શુદ્ધ છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે, સનાતન છે, સ્વયં શિદ્ધ છે, એમાં ઈશ્વરના ગુણોનું વર્ણન હોવાથી સગુણ કહેવાય છે.

હે ઈશ્વર, તું શરીરરહિત છે, મૃત્યુરહિત છે, પાપરહિત છે, આકારરહિત છે આમ ઈશ્વરને ગુણ-કર્મ અને આકાર રહિત માનતા હોવાથી તેને નિર્ગુણ કહે છે.

ઉપાસનાનો પ્રારંભ પાંચ યમ અને પાંચ નિયમથી થાય છે.

પાંચ યમ
  1. અહિંસા-કોઈથી વેર ન રાખવું. સૌથી પ્રીતિ રાખવી. 
  2. સત્ય-સાચું બોલવું. મિથ્યા ભાષણ કરવું નહીં. 
  3. અસત્ય - ચોરી ન કરવી. 
  4. બ્રહ્મચર્ય-જીતેન્દ્રિય થવું. વિષયી ન થવું. 
  5. અપરિગ્રહ-વસ્તુઓ ન સ્વીકારવું. 
પાંચ નિયમ
  1. શૌચ-શરીર ને પવિત્ર બનાવવું. 
  2. સંતોષ
  3. તપ-આળસત્યાગી પુરુષાર્થ કરવું. 
  4. સ્વાધ્યાય-વેદ ભણવા-ભણાવવા 
  5. ઈશ્વર પ્રણિધાન-પોતાની જાતને ઈશ્વરી આજ્ઞા અનુસાર સમર્પિત કરવી. 
શ્રાદ્ધ અને તર્પણ

શ્રદ્ધાપૂર્વક સત્યનું ગ્રહણ કરવું તે શ્રાદ્ધ. જે કર્મથી માતાપિતા અને પિતરો પ્રસન્ન થાય તે તર્પણ. જીવિત વિદ્યામાન માતાપિતા માટે જ શ્રાદ્ધ અને તર્પણ છે-તેઓ પ્રસન્ન થાય અને આનંદમાં રહે તેવી સેવા એટલે તર્પણ.

પૂજા અને મૂર્તિપૂજા

પાંચ ચેતન મૂર્તિઓની પૂજા આપણે નિત્ય કરવી જોઈએ.
  1. માતા : દ્ર્શ્યમાન મુર્તિમા સાક્ષાત પૂજનીય દેવતા એટલે માતા. સંતાનોએ તન-મન-ધનથી સેવા કરીને માતાને પ્રસન્ન રાખવી જોઈએ. માતા સાથે ક્યારેય હિંસા-મારપીટ-ધાકધમકી નો વર્તાવ કરવો ન જોઈએ. તેને લેશમાત્ર દુ:ખ ન પડે તે જોઈ પ્રસન્ન રાખવું જોઈએ. 
  2. પિતા : સત્કર્મ દેવ-બીજો દેવતા પિતા છે. એટલે કે પિતાની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. 
  3. આચાર્ય : જેણે તમને વિદ્યા આદીનું શિક્ષણ આપીને યોગ્ય બનાવ્યા-તે પૂજનીય છે. 
  4. અતિથિ : આવવાની તિથી નિશ્ચિત ન હોય અને અચાનક આવી ચડે એવા ધર્માત્મા, પરોપકારી અને વિદ્વાન મહાત્માની યથાયોગ્ય સેવા કરવી. 
  5. પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ એ બન્ને એકબીજા માટે દેવતા છે - પૂજનીય છે. 
આમ, આ પાંચેય સાક્ષાત મૂર્તિમાન દેવ છે. જેમના સંગથી મનુષ્ય દેહની ઉત્પતિ, પાલન, શિક્ષા અને સત્યોપદેશની પ્રાપ્તિ થાય છે. પરમેશ્વરને પ્રાપ્ત કરવાની આ જ સીડીઓ છે. જે લોકો આ દેવતાઓની પૂજા અને સેવા છોડીને પત્થર વગેરેની મુર્તિ પૂજે છે, તેઓ અત્યંત પામર અને નરકગામી છે.

મૂર્તિપૂજા

પરમેશ્વર નિરાકાર-શરીર ધારણથી રહિત-સર્વવ્યાપક છે. તેથી તેની મુર્તિ બનાવવું શક્ય જ નથી. પરંતુ મૂર્તિપૂજાનું પાખંડ જૈનોએ શરૂ કર્યું. જૈનોએ નગ્ન ધ્યાનાવસ્થિત અને વીરક્ત મનુષ્ય જેવી મુર્તિ બનાવી, તો વૈષ્ણવોએ શૃંગારિત, સ્ત્રી સહિત ઊભી અને બેઠેલી મૂર્તિઓ બનાવી.

ભાવ વિભોર થઈને મૂર્તિપૂજા કરવાથી પરમાત્મા પ્રસન્ન થઈને ઇચ્છાપૂર્તિ કરતાં હોય તો-દુ:ખ કેમ પ્રાપ્ત થાય છે-જે વસ્તુ જેવી હોય તેવી જ માનવી તેનું નામ ભાવના છે-જેમકે અગ્નિમાં અગ્નિ અને પાણીમાં પાણી જાણવું એ ભાવના છે. જ્યારે પાણીમાં અગ્નિ અને અગ્નિમાં પાણી જાણવું એ અભાવના છે-અજ્ઞાન છે.

જો મંત્રો ભણીને આહવાન કરવાથી દેવતા આવી પહોંચતા હોય તો, મુર્તિ ચેતન કેમ નથી થઈ જતી. વિસર્જન કરવાથી દેવતા ચાલ્યા જતાં હોય તો, ક્યાં જાય છે. જો મંત્રના બળથી ભગવાન આવતા હોય તો, એ મંત્રથી મૃત પુત્રના શરીરમાં જીવાત્માનું વિસર્જન કરી મરી કેમ નથી શકતા ? હકીકતમાં, વેદોમાં મૂર્તિપૂજા કે પામેશ્વરના આવાહન-વિસર્જનની કોઈ વાત નથી.
  • મૂર્તિપૂજાને કારણે મંદિરો પાછળ કરોડો રૂપિયાનો વ્યય કરવામાં આવે છે. આથી ગરીબાઈ ઉત્પન્ન થાય છે. 
  • મંદિરોમાં ઠઠ્ઠા મશ્કરી ચાલવાથી વ્યભિચાર વધે છે. 
  • જડના સંગથી બુદ્ધિ પણ જડ બની જાય છે. 
  • ભક્તો ફક્ત મૂર્તિપૂજાને જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન માની લઈ, પુરુષાર્થ રહિત થઈને મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવે છે. 
  • પૂજારી પૂજા એટલે સત્કર્મ અને અરિ એટલે શત્રુ પૂજારી એટલે સત્કર્મના શત્રુ. 
  • પરમાત્માના નામે એક પત્થરની મૂર્તિની સ્થાપના કરવી એ ઈશ્વરનું અપમાન કરવા બરાબર છે. 

આર્યસમાજના દસ નિયમો / આદેશો

(મહર્ષિ દયાનંદ સરસ્વતી)
  1. સર્વ સત્યવિદ્યા અને જે પદાર્થ વિદ્યાથી જાણવામાં આવે છે. તે સર્વેનું આદીમુલ પરમેશ્વર છે. 
  2. ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ, નિરાકાર, સર્વશક્તિમાન, ન્યાયકારી, દયાળુ, અજન્મા, અનંત, નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વોધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, અજર, અમર, અભય, સર્વોથામી, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિકર્તા છે. તે એની જ ઉપાસના કરવી યોગ્ય છે. 
  3. વેદ : વેદ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે. વેદ ભણવા-ભણાવવા + સાંભળવા-સંભળાવવા એ સર્વ આર્યોનો પરમ ધર્મ છે. 
  4. સત્ય ગ્રહણ કરવામાં અને અસત્ય છોડવામાં સર્વદા ઉદ્ધત રહેવું જોઈએ. 
  5. સર્વકાર્યો ધર્માનુસાર અર્થાત સત્ય અને અસત્યનો વિચાર કરીને કરવું જોઈએ. 
  6. સંસારનો ઉપકાર કરવો (અર્થાત શારીરિક, આધ્યાત્મિક અને સામાજિક ઉન્નતિ કરવી) એ આર્યસમાજનો મુખ્ય ઉદ્દેશ છે. 
  7. સર્વ સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વર્તવું જોઈએ. 
  8. અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી જોઈએ. 
  9. પ્રત્યેકે પોતાની ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઈએ, કિન્તુ સર્વેની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી. 
  10. સર્વે મનુષ્યોએ સામાજિક હિતકારી નિયમ પાળવામાં પરતંત્ર રહેવું જોઈએ-અને પોતપોતાના હિતકારી નિયમમાં જ સ્વતંત્ર રહેવું જોઈએ. 

આર્યાવર્ત


જગતનાં સર્વ દેશોમાં આર્યાવર્ત ઉત્તમ છે અને એ જ કારણથી સૃષ્ટિના આદિકાળથી આર્ય લોકો અહીં આવીને વસ્યા-આર્ય એટલે શ્રેષ્ઠ અને તે રહે છે તે દેશ આર્યાવર્ત-ભારત. આર્યાવર્તમાં બધી જ વિદ્યાઓ પ્રસાર પામેલી હતી. તે વિદ્યા પ્રથમ મિશ્રમાં ગઈ-ત્યાંથી યુનાન-પછી રોમ-છેલ્લે યુરોપ અને અમેરિકા ગઈ. Bible in India ના ફેંચ લેખક એમ લોનીસ જેકોલિયત કહે છે આર્યાવર્ત દેશ સર્વ વિદ્યા અને ભલાઈઓનો દેશ છે. આવા સર્વોત્કૃષ્ટ દેશના પતનનો પ્રારંભ મહાભારતના યુદ્ધ પછી થયો. જ્યારે ભાઈભાઈને મારવા ઊઠે ત્યારે નાશ થવામાં શી શંકા રહે ? વિનાશકાળે વિપરીત બુદ્ધિ. સર્વદેશ શિરોમણી ભારત ઉત્તરોત્તર પતનની ગર્તમાં ગરક થતો ચાલ્યો. મહાભારતના ઘોર યુદ્ધમાં વિદ્વાનો, રાજા-મહારાજાઓ અને ઋષિમુનિઓ માર્યા ગયા. ત્યારથી વિદ્યા અને વેદોક્ત ધર્મ ના પ્રચારનો નાશ થતો ચાલ્યો. પંથો અને મતમાંતરો ઉત્તપન થવા લાગ્યા. બ્રાહ્મણ મૂર્ખ, ક્ષત્રિય વિષયી, વૈશ્ય લોભી અને શુદ્ર, ભ્રષ્ટાચારી થઈ ગયા. બાલવિવાહ, વૃદ્ધવિવાહ અને બહુવિવાહે ઘર કર્યું. મૂર્ખ, સ્વાર્થી, અને પાખંડીઓ ઇજારદાર બની બેઠા. બ્રહ્મચર્યનું સ્થાન વ્યભિચારે લીધું. લોકો મદ્ય અને માંસનું સેવન કરવા લાગ્યા પશુઓને યજ્ઞમાં હોમ કરવાથી તે સ્વર્ગે જતાં હોય તો, પોતાના માતા-પિતા, સ્ત્રી અને પુત્રાદિને હોમિને સ્વર્ગમાં કેમ ન મોકલ્યા ?

રાજધર્મ રાજ્ય શાસન ચલાવવામાં છે, ત્યાગ, વૈરાગ્ય, કે અહિંસામાં નથી. 261 BC સાલમાં અશોક કલિંગની લડાઈમાં થયેલ વ્યાપક નરસંહારથી હતાશ થઈ શસ્ત્રો ત્યાગી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. ભારતના પતનની આ ઘટના સીમાસ્તંભ સ્વરૂપ છે. રાષ્ટ્રધર્મ અહિંસા-ત્યાગ-વૈરાગ્યથી જળવાતો નથી. ભરતવર્ષ માટે કાયરતાના બીજ અહીં વવાયાં.

છેલ્લે, ગાંધીજી અહિંસા શીખવવા આવ્યા-તેથી આઝાદ ભારત ખુમારી વગરનું, નમાલું, ભાઈચારો-મિત્રતા અને શાંતિના ગુણગાન ગાઈને ગાફેલ દેશ બન્યો. 1962નું ચીન-ભારત યુદ્ધની હાર આ પાઠ ગાઈવગાડીને શીખવી ગયો.
રાષ્ટ્રની અસ્મિતા-ગૌરવ-શૌર્ય અને બહાદુરીથી જ આવે એવું આપણે જાણીને અમલમાં મૂકવું જ રહ્યું.

- ડો. ભરત દેસાઈ, બીલીમોરા

અનાવિલ જ્ઞાતિ

અનાવિલ જ્ઞાતિ - લેખક સુરેશભાઈ દેસાઈની નજરે  

સંસ્કૃતના એક સુભાષિતમાં કહેવાયું છે કે સજજનો, માણસના દુર્ગુણો જોવાને બદલે એના સદ્દ્ગુણો જ જૂએ છે, જ્યારે દુર્જનો, માણસમાં રહેલા સદ્દ્ગુણો જોવાને બદલે એના દુર્ગુણોને જ જૂએ છે, જો કે માત્ર દુર્ગુણો ભર્યા હોય એવી વ્યક્તિને જોવા માટે સજજનોનો માપદંડ કેવો હોય છે એનો આ સુભાષિતમાં ઉલ્લેખ નથી. ખેર, માત્ર દોષો જોતાં દુર્જન કહેવડાવવાનું જોખમ વહોરીને અસંખ્ય અવગુણોથી ભરેલી મારી અનાવિલ જ્ઞાતિ વિષે મારે થોડી વાત કહેવી છે.

અનાવિલ આખાબોલા હોય છે. એની દ્રષ્ટિ ટૂંકી હોય છે. સામેની વ્યક્તિને વ્યથા પહોંચાડતા એ ખચકાતો નથી. આખાબોલાપણું એ કદાચ વિચારદુર્બળતા કે વિચારશૂન્યતાની બહુ નજીકની માનસિક પરિસ્થિતી છે. આ દ્રષ્ટિએ જોઈએ તો આખાબોલા કહેવડાવવું એ અનાવિલોની વિચારદુર્બળતા ઉપર ઢાંકપિછોડો છે. અનાવિલો પોતાને ટેકીલી પ્રજા તરીકે ઓળખાવે છે. અનાવિલોનું ટેકીલાપણું એ બહુધા એનું મિથ્યાભિમાન છે, હું એટલે કોણ ? મારું ખાનદાન કેવું છે! હું ભૂખ્યો મરી જાઉં પણ મારા સ્ટેટસને યોગ્ય નહીં હોય એવું કામ હું નહીં કરું! આવું છે અનાવિલોનું ટેકીલાપણું. આ મિથ્યાભિમાનને લીધે અનેક અનાવિલોને મેં ખુવાર થતાં જોયા છે. પોતે અનાવિલ છે, પોતાનું ખાનદાન ઘણું ઊંચું છે, અનાવિલ હોવાને લીધે પોતે અમુક કામ કે અમુક ધંધો નહીં કરી શકે એવી માન્યતાઓને લીધે અનેક અનાવિલ કુટુંબો બિલકુલ તારાજ થતાં મે જોયા છે.

હું પોતે અનાવિલ હોવા છતાં, ગુજરાતની જુદીજુદી જ્ઞાતિઓમાં અનાવિલો સૌથી કનિષ્ઠ જ્ઞાતિ હોવા અંગે મારા મનમાં બિલકુલ શંકા નથી. આળસ એ અનાવિલ પ્રજાનું મોટામાં મોટું અપલક્ષણ છે. એક જમાનામાં નેવું ટકા અનાવિલોનો વ્યવસાય ખેતી હતો. ખેતીને વ્યવસાય તરીકે અપનાવ્યો હોવા છતાં નવીન પ્રયોગો કરીને ખેતીમાંથી સમૃદ્ધ થવાનું અનાવિલોએ કદી વિચાર્યું જ નહીં. ખેતમજૂરોને ભરોસે એણે ખેતીને રેઢી મુકી દીધી. કુદરત ઉપર આધારિત કેરી અને ડાંગર જેવા પાકો ઉપર મદાર બાંધ્યા સિવાય એને કશું આવડ્યું જ નહીં. આર્થિક સંકડામણ ઊભી થતાં જમીનનો નાનો મોટો ટુકડો વેચીને ગાડું ગબડાવવાની દાનત અનાવિલોની પડતી થવાનું મુખ્ય કારણ બની રહી.

અનાવિલોની અદેખાઈ પણ ભારે ભૂંડી. પોતાના જ્ઞાતિબંધુનું સુખ એનાથી દેખ્યું ના જાય. એની એ બદબોઈ કરવા માંડે. એનાથી કોઈ જ્ઞાતિબંધુ ચઢિયાતો હોય તો એ એની સમકક્ષ થવાનું વિચારવાને બદલે એમ વિચારે કે એ નીચો પાડીને પોતાના જેવો દરિદ્ર બની રહેવો જોઈએ. અનાવિલ બીજી જ્ઞાતીના હોંશિયાર માણસની ભારોભાર પ્રશંસા કરે પણ પોતાના જ્ઞાતિબંધુની હોંશિયારીની એ લવારે ચઢેલા માણસની જેમ ટીકા કરે. પૈસાપાત્ર અનાવિલમાં ગરીબ અનાવિલને મદદ કરવાની ભાવના બિલકુલ જોવાની મળે નહીં. અનાવિલ પૈસાદાર થાય એટલે એનું સ્ટેટસ અને એનો ક્લાસ બદલાય જાય. બીજા અનાવિલોને એ તુચ્છ સમજે, આમ છતાં અનાવિલો સાથે એ સંબંધો જાળવી જ રાખે. આ સંબંધ જાળવી રાખવવાનું કારણ એટલું જ કે પોતાની જાહોજલાલી, પોતાનો દોરદમામ એ પોતાના જાતિભાઈઓને બતાવી શકે. અનાવિલ પાસે થોડા પૈસા આવે એટલે એને ટ્રસ્ટ રચવાનો ઉત્સાહ જાગે. એ ગરીબ અનાવિલ વિદ્યાર્થીઓ માટે, વિધવાઓ માટે મેડિકલ રાહત માટે ટ્રસ્ટ રચી નાંખે, પણ આ ટ્રસ્ટમાંથી વર્ષ દરમ્યાન ભાગ્યે જ એકાદ અનાવિલને મદદ થઈ હોય. બસ, ટ્રસ્ટ રચ્યું એટલે પોતે જ્ઞાતિ માટે કાઈંક કર્યું છે એવા આત્મસંતોષમાં એ રચ્યા કરે.

ગરીબ માબાપની દેખાવડી, સંસ્કારી, સુશિક્ષિત છોકરીને વહુ તરીકે સ્વીકારતા અનાવિલ યુવાનના માબાપના અહમને ઠેસ પહોંચતી મેં જોઈ છે. માબાપને એવું લાગે કે આ અમારા વેવાઈ-વેવાણ છે એવો પરિચય કરાવવાનું થાય, કોઈવાર કોઈ મિત્ર કે સંબંધીને લઈને વેવાઈને ઘરે જવાનું થાય તો એની સ્થિતિ જોઈને પોતાનું સ્ટેટસ નીચું પડી જશે, પોતાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચશે. અનાવિલ વેવાઈ તરીકે પોતાના બરોબરિયાને શોધે. આ બરોબરિયાની શોધમાં સારી, સંસ્કારી ગરીબ છોકરીનુ મૂલ્ય આંકવામાં ના આવે. એને ગણતરીમાં લેવાય જ નહીં. ગરીબના ઘરનું માંગુ આવ્યું હોય તો સ્થિતિપાત્ર અનાવિલ માબાપનો પ્રતિસાદ એટલો ઠંડો હોય કે અમારે ત્યાં માંગુ નાખવાની તમે હિંમત જ કેમ કરી એટલું કહેવાનું જ બાકી રહે.

હું આટ અને આમરી રહ્યો એ દરમ્યાન અનાવિલના મનોવ્યવહારને બહુ નજીકથી જાણી શક્યો. અનાવિલોથી દૂર, નંદરબાર અને નવાપુરમાં હું રહ્યો ના હોત અને અનાવિલોની વચ્ચે મારો ઉછેર થયો હોત તો અનાવિલોની તુચ્છ મનોવૃત્તિઓ મારા ધ્યાનમાં આટલી સ્પષ્ટ રીતે આવી ના હોત. આટમાં એ વખતે વસતા ચાલીસ જેટલા અનાવિલોની સ્થિતિ મધ્યમ હતી. આ ચાળીસેય કુટુંબનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. ઘણા ખરાં કુટુંબો જેમતેમ ગુજરાન કરતાં હતાં અને કેટલાક તો મારા આજાબાપાની જેમ જમીનના ટુકડા વેચીને ગાડું ગબડાવતા હતા. ગામના અનાવિલોમાં શિક્ષણનું પ્રમાણ ઠીકઠીક હતું અને શિક્ષિત હોવા છતાં અનાવિલોના આ ચાળીસ કુટુંબો વચ્ચે કોને કોઈ પ્રકારનો ગજગ્રાહ ચાલતો રહેતો. શિક્ષિત અનાવિલો પણ બીજા અનાવિલની ઈર્ષા અને અદેખાઈ કરવામાંથી બાકાત રહેતા નહીં. દીકરા કે દીકરીના વિવાહ થાય તો સૌ રાજીપો કરવા જતાં ખરા પણ એમાં ય કેવું ઠેકાણું મળ્યું છે એ જાણવાની અને જાણીને કૂથલી કરવાની ભાવનાનું જ પ્રાધાન્ય રહેતું. ની:સહાય, દુ:ખી અને આર્થિક રીતે પીડાતા અનાવિલ સાથે કોઈ ગાઢ સંબંધ રાખતું નથી. આ અનાવિલ સ્થિતિપાત્ર છે એટલે મારે પાસે પૈસા માંગવા આવવાનો નથી એવી ગણતરીથી સંબંધ રાખવામાં આવતો અને પૈસાની તકલીફવાળા અનાવિલથી દૂર રહેવાનું જ પસંદ થતું. આટના અનાવિલોને પણ સુફિયાણી સલાહ આપવાનું વ્યસન હતું. દરેક અનાવિલ બીજા અનાવિલને સલાહ આપતો રહેતો. હું આટ રહ્યો એ દરમ્યાન કોઈ અનાવિલે જમીન ખરીદી એવું ભયે જ સાંભળેલું. જમીન વેચી એવું હું અવારનાવાર સાંભળતો. અનાવિલો મુખ્યત્વે ડાંગર પકવતા. ખપ પૂરતી ડાંગર રાખીને બાકીની ડાંગર વેચીને એમાંથી વરસ પૂર કરવાનો વારો આવતો. શિયાળામાં વાલની કે મગની ખેતી થતી. વાલ કે મગની ખેતીમાં ઝાઝી મહેનત કરવાની રહેતી નહીં એટલે જ આ પાકને પ્રાધાન્ય આપવામાં આવતું. મોટાભાગના અનાવિલોના ઘરમાં અઠવાડિયામાં ચ દિવસ સાંજે માગ, મગની દાળ કે વાલ કે વાલની દાળનું જ શાક થતું મે જોયું છે. બપોરે જમીને ઊંઘી જવું અને સાંજે ઓટલા ઉપર બેસીને આખી દુનિયાની ફિકર કરવી એ અનાવિલોનું સામૂહિક લક્ષણ છે. અનાવિલ જેવી આરામપરસ્ત (આળસુ!) જ્ઞાતિ બીજી કોઈ નથી. બડાસ મારવી એ અનાવિલ જ્ઞાતિનું સર્વસામાન્ય અપલક્ષણ છે. પાંચસો રૂપિયા હોય તો પચ્ચીસો રૂપિયાનો ખર્ચ કરીને દેવાદાર બનવાના સંસ્કાર તો અનાવિલોને ગળથૂથીમાં જ મળતા હોય છે.

અનાવિલો સમગ્ર જ્ઞાતિ માટે ભાગ્યે જ વિચારે છે અને આ બાબતને લીધે સમગ્ર જ્ઞાતિ સતત અધોગતિ પામતી રહી છે. પાંચ દશ માણસો કોઈ રચનાત્મક કાર્ય માટે ભેગા થાય ત્યાં પણ વ્યક્તિગત મહત્વાકાંક્ષા અને પદલાલસા એટલી તીવ્ર હોય છે કે કામમાં રહેલું રચનાત્મક પાસું બાજુ પર રહી જાય છે ને હુંસાતુંસી અને નામના મેળવવાની લાલસા જ મુખ્ય ધ્યેય બની રહે છે. જક્કી, જિદ્દી, બડાઈખોર, મિથ્યાભિમાની, સ્વકેન્દ્રી અને આળસુ અનાવિલ જ્ઞાતિનો આર્થિક અને સામાજિક ક્ષય અત્યારે તો નિશ્ચિત જ જણાય છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે અનાવિલ જ્ઞાતિનું આ રીતે સામુહિક નિકંદન થઈ રહ્યું છે, ત્યારે કૌરવો તો અનેક છે પરંતુ ભીષ્મ જેવી મનોવ્યથા અનુભવવાવાળું કોઈ નથી.



લેખક: શ્રી સુરેશભાઈ દેસાઈ
“પ્રિયમિત્ર”
નવસારી
આત્મકથા "આગિયાનું અજવાળું" પુસ્તકમાં પ્રકરણ: ૧૫ (૨૦૦૩)           

મારા સંસ્મરણો - પુસ્તક પરિચય

આ પુસ્તક અનાવિલની આત્મકથા છે. જીવનનાં ૬૫ વર્ષોનો નિચોડ રજૂ કરવાનો પ્રામાણિક પ્રયત્ન લેખક ડો. પ્રિ. જયંતભાઈ ટી.દેસાઈ ના ૧૪૫ પૃષ્ટોમાં ચમકે છે. તેઓ ખરું જ કહે છે કે યાદશક્તિ જતી રહે તે પહેલાં (Before memory fades... - Fali. S. Nariman) જીવનનાં અનુભવોને આધારે પામેલા જ્ઞાનનો સાર વ્યવસ્થિત રીતે કહી દઈએ-એટલે આપણે જવાબદારી અદા કરીને છૂટા. મિત્રોને, સમાજને કે રાષ્ટ્રને જરૂરી માર્ગદર્શન અનુભવસિદ્ધ રીતે મળે.

જયંતભાઈને મેં તેમનો સંપર્ક માટે મોબાઈલ નંબર અને સરનામું માંગ્યા, ત્યારે તેમને જરા આશ્ચર્ય થયું કે મારી આત્મકથામાં તમને આટલો બધો રસ કેમ ? તો જવાબમાં લખવાનું કે અનાવિલ સાહિત્યના અભ્યાસી એવા મને - દરેક ભણેલા - તકલીફો અને પારાવાર મુશ્કેલીઓ વેઠીને નોંધપાત્ર સ્થાને પહોંચેલા - દરેકમાં રસ હોવાથી આ ઉત્સાહ છે.

૪૯૭૦ Facebook Friends માનો એક હું એમનો ક્યારેય મળ્યો નથી-ફક્ત એમના Facebook લેખનો જેટલો પરિચય-પણ મને આ અપરિચય ગમે છે, કારણ કે પરિચિત વ્યક્તિ પ્રત્યે આપણને પૂર્વગ્રહ-તિરસ્કાર કે સન્માન હોવાથી આપણે કદાચ પક્ષપાતપૂર્ણ વાંચન કરીએ, જ્યારે અહીં તો એમની રજૂઆત નિષ્પક્ષભાવે-માણી શકાય.

આ અનાવિલની આત્મકથા છે એમ મેં કહ્યું ત્યારે મારે જણાવવું જોઈએ કે અહીં પ્રામાણિક્તા-સાક્ષીભાવ-સ્પષ્ટવક્તાપણું અને નીડર રજૂઆત સ્વાભાવિક જ છે. ૬૫ વર્ષ પહેલાં મોટા ભાગના અનાવિલો નિમ્ન-મધ્યમવર્ગમાં આર્થિક રીતે આવતા-પણ ગરીબી તેમની આગળ વધવાની ધગશમાં ક્યાંય આડખીલીરૂપ નથી હોતી. સમાજને અને તેથી જ તેમને ભણેલા મોટાબેન ડો. પ્રવિણાબેન માટે ખૂબ અહોભાવ-સન્માન અને તેથી જ આત્મકથા જયંતભાઈએ એમને અર્પણ કરી છે.

B.Sc., LL.B., LL.M., અને Ph.D. ભણેલા લેખક-સફળ વકીલાત કરીને અઢળક ધનના સ્વામી બન્યા હોત-તેમણે શરૂઆત નવસારીમાં વકીલાતથી કરી પણ ખરી. પણ અનાવિલ વારસાગત શિક્ષકનો જીવ તેમને શિક્ષક-પ્રોફેસર-આચાર્ય અને યુનિવર્સિટી ના ‘કાનૂની’ શાખાના ડિન બનાવીને જ જંપ્યો.

મેં ગયા વર્ષે બીલીમોરા ખાતે ‘વરિષ્ઠ નાગરિકો’ માટે “મારી આત્મકથા” વિષય ઉપર નિબંધસ્પર્ધા રાખી હતી-ત્યારે કુટુંબજીવન, અભ્યાસ, વ્યવસાય, અને જીવનનાં અનુભવોને આધારે માર્ગદર્શન એમ ચાર મુદ્દા પર લખવા કહ્યું હતું. મારી અપેક્ષાનાં બધા વિષયો અહીં એમણે વિગતવાર આવરી લીધા છે.

ઘડપણમાં યાદશક્તિ જતી રહેવા છતાં ભૂતકાળની બધી વાતો-વિગતો સંપૂર્ણ યાદ રહે છે-પણ આપના આ યુવાન લેખક માનસિક સ્વસ્થતા સાથે વિગતવાર નામઠામ સાથે વાત કરતાં હોય ત્યારે એ પુસ્તક ખરીદીને વાંચવું જ રહ્યું.

પુસ્તક પરિચયના લંબાણની ચિંતા મને વાતને ટૂંકાવીને મુદ્દાની વાત કહેવા સૂચવે છે.

ચાલો, રક્ષિકાબેનના પતિ, જલપા, જલધિ અને હર્ષના પિતા- જીનસાના આજા ડો. જયંતભાઈ -વકીલ, ખેડૂત અને શિક્ષક - પાસેથી જીવનનો સાર જાણીએ.
  • 61 - God alone is the doer, we are mere instruments in HIS hands. 
  • 123 - For retirement brings repose and repose allows a kindly judgment of all things. - John Sharp Williams 
  • Retirement, a time to do what you want to do, when you want to do it, where you want to do it and how you want to do it. - Catherine Pulsifer  
  • As your life changes, it takes time to recalibrate, to find your values again. You might find that retirement is a time when you stretch out and find your potential. Sid Miramontes. 
  • 6 - Everyone’s life is a page in human history irrespective of the position he or she holds or the work he or she performs. - APJ Abdul Kalam 
જિંદગીએ શીખવેલી અગત્યની બાબતો – 137
  • પરમકૃપાળુ પરમાત્મા પર અતૂટ શ્રદ્ધા રાખો. 
  • નિયતિએ નક્કી કરેલી તમામ ઘટના કે પ્રસંગોમાં સ્થિતપ્રજ્ઞ બનો. લાગણી અને તર્ક વચ્ચે સમતુલા જાળવો. 
  • ક્યારેય કોઈપાસે કોઈપણ બાબતની અપેક્ષા રાખવી નહીં. 
  • માણસોને ઓળખતા શીખો. 
  • શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય તથા શિક્ષણને જીવનમાં અગ્રતા આપો. 
  • નિયમિત પ્રાર્થના અને હિસાબ લખવાની ટેવ પાડો. 
  • પરિવારના સભ્યો વચ્ચે નિખાલસ ચર્ચા કરો. 
  • શક્ય હોય ત્યાં સુધી, કોઈ સાથે ભાગીદારીમાં ધંધો કરવો નહીં. 
  • કપટી સગાસંબંધીઓથી દૂર રહો. 
  • કોઈને છેતરશો નહીં, તેમ કોઈથી છેતરાશો નહીં. 
  • વિવિધ શોખો કેળવીને જીવન આનંદમય બનાવો. 
  • શક્ય હોય તેટલું સામાજિક અંતર રાખવું. 
A reader lives a thousand lives before he dies. The man who never reads only one. - George RR Martin
અલગ અલગ બાબતો અંગે વિચારો, અવલોકનો સૂચનો અને અભિપ્રાયો - 138
  • સ્વાસ્થ્ય: ઉત્તમ સ્વાસ્થય માટે દરેક સાનિષ્ઠ પ્રયાસો કરવા જોઈએ. શારીરિક અને માનસિક સ્વાસ્થય માટે સમતોલ ખોરાક, નિયમિતતા, કસરત, યોગ-ધ્યાન, પ્રાર્થના, વાંચન, પ્રકૃતિદર્શન, રાષ્ટ્રપ્રેમ, વાલીઓનો નિયમિત જીવંત સંપર્ક અને સારા મિત્રો આવશ્યક છે. 
  • શિક્ષણ: ઔપચારિક ઉપરાંત મૂલ્યનિષ્ઠ અને વ્યવસાયલક્ષી શિક્ષણ ને અગ્રતાક્રમ આપવાની જરૂર છે. ઉચ્ચશિક્ષણ મેળવતી વખતે પ્રત્યેક બાળકે જરૂર પડ્યે કાઉન્સેલિંગ દ્વારા પોતાના રસ અને ક્ષમતાનુસાર વિદ્યાશાખા પસંદ કરવી જોઈએ. વ્યવસાયલક્ષી અભ્યાસ અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. 
  • અર્થતંત્ર: મજબૂત અર્થતંત્ર સર્વ માટેની અનિવાર્ય જરૂર છે. રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત કરવું હોય તો સીધી આર્થિક મદદ માત્ર અનાથ, વિકલાંગ, બીમાર અને વૃધ્ધને જ મળવી જોઈએ. બાકીનાને સ્વયં નાણાં મેળવી શકે તેવી તક પૂરી પાડવી જોઈએ. તો જ જાપાન-ચીનની જેમ work culture નું સર્જન થઈ શકે. 
  • પારિવારિક જીવન: પ્રત્યેક પરિવારની સુખાકારી અને વિકાસ આવશ્યક છે. તે શીખવવા, પરિવારિક જીવન અંગેનો વિસ્તૃત વિષય 11 કે 12 ધોરણમાં ફરજિયાત હોવો જોઈએ. આજકાલ પરિવારિક જીવનને દુ:ખદ બનાવતા પરિબળોમાં બાહ્યઆડંબર, અસંતોષ, ઈર્ષ્યા, અયોગ્ય જીવનસાથી, સ્વાર્થ, કરકસરનો અભાવ, મહેનત અને સાદાઈનો અભાવ, ધીરજનો અભાવ, વિનમ્રતા-પ્રામાણિક્તા અને પ્રભુ પ્રત્યે શ્રદ્ધાનો અભાવ અને અન્યો પાસે વધુ પડતી અપેક્ષા વિગેરે ગણી શકાય. 
  • સુ:શાસન (Good Governance): લેખક છ ભાગમાં પ્રસિદ્ધ કરેલા લંબાણ સંશોધનના સાર તરીકે કહ્યું કે સુશાસન અંગે ભાગ્યે જ કોઈ નવા કાયદાની જરૂર છે. જરૂર છે માત્ર નિષ્ઠાપૂર્વક્ન અમલીકરણની એટલે કે “It is the optimum utilization of all natural, financial and human resources for the welfare of whole society.” 
    • સરકાર આ બાબતે નિષ્ફળ નીવડેલ છે. 
    • વિશાળ માનવીયબળ, કહેવાતા સાધુ, સંતો, મૌલવી, મુલ્લા, ધર્મગુરુઓના રૂપે, ભિખારીઓ, જુગારીઓ, દારૂડિયાઓ, કૈદીઓ, બેકાર શિક્ષિત યુવાનો સ્વરૂપે વેડફાય છે. બીજી બાજુ માનવીય બળની અછત છે. 
    • શહેરો ગેરકાયદેસર ઝૂપડપટ્ટીઓથી ખદબદે છે. 
    • અઢળક સંપત્તિ મંદિર, મસ્જિદ, ચર્ચ, ગુરૂદ્વારામાં, ભ્રષ્ટ રાજકારણી અને લાંચિયા અધિકારીઓએ પાસે પડેલી છે, બીજી તરફ અમુક વર્ગ ખોરાક કપડાં અને રહેઠાણથી વંચિત છે. 
    • સત્તા મેળવવા અને તેને જાળવવામાં સમય, શક્તિ અને નાણાંનો દુર્વ્યય થાય છે. 
    • સારું કામ કરનારની પ્રશંસા અને ખોટું કરનારને ત્વરિત શિક્ષા કરવાની જરૂર છે. 
    • સલાહ: પ્રજાએ જ સામૂહિક રીતે જાગૃત થવું પડશે. કટોકટી કરતાં પણ વધુ કપરો કાળ છે. 
  • આધ્યાત્મિકતા: અલૌકિક શક્તિમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ પેદા થવો અત્યંત આવશ્યક છે. ધર્મપુસ્તકોનું વાંચન, નિયમિત ઘરે જ આત્મચિંતન અને આત્મનિરીક્ષણ ધરાવતી આધ્યાત્મિકતા કઠિનમાં કઠિન પરિસ્થિતિમાં પણ શાંતિ અર્પે છે. 
People are illogical, unreasonable and self-centred. Love them anyway. - Mr Kent M. Keith  
આત્મકથા પાસેથી અપેક્ષિત બધી જ વિગતો જન્મ-અભ્યાસ-કુટુંબ-વ્યવસાય-લગ્નજીવન-અને બાળકો-વાંચ્યા પછી સૌથી મહત્વનો ભાગ તે જીવનનો સાર અને જીવનનો અર્થ ફક્ત આ આત્મકથામાંથી જ મળે છે-તેનું વિગતવાર વર્ણન લંબાણ થતું હોવા છતાં મેં અહી આપ્યું છે.
પ્રિ. ડો. જયંતભાઈ, અભિનંદન – આભાર અને શુભેચ્છા સાથે વિરમીએ ત્યારે દરેક વાચકની ભવિષ્યમાં આપની બીજી આત્મકથા (આત્મકથા-2) વાંચવાની અપેક્ષા અસ્થાને નથી શું?
ડો. ભરત એમ. દેસાઈ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા









મારા સંસ્મરણો
  • લેખક : ડો. જયંત ટી. દેસાઈ B.Sc. LLB, LLM, Ph.D.
  • જન્મ : 09-06-1965 મોસાળ વકતાણા (જી. સુરત) ખાતે
  • લગ્ન : 10-05-1985 રક્ષિકાબેન સાથે (શિક્ષિકા)
  • બાળકો : દીકરી: જલપા - લગ્ન શિવકુમાર સાથે - બાળક જિનસા
    દીકરી: જલધિ - લગ્ન વિશાલકુમાર સાથે
    દીકરો: હર્ષ
  • વ્યવસાયમાંથી સંપૂર્ણ મુક્તિ FEB-2019
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: 12-06-2021

વિદુર નીતિનો ઉપદેશ (ઉદ્યોગ પર્વ - મહાભારત)

મહાભારત વાંચનારે જીવનનું ભાથુ - જીવન જીવવાની જડીબુટ્ટી - શ્રીકૃષ્ણ પાસે અર્જુન વિષાદયોગમાં ભગવદગીતા દ્વારા શરૂઆતમાં - કુરુક્ષેત્રના યુદ્ધ રોકવા રાજા ધૃતરાષ્ટ્રને પાંડવોને ભાગ આપવાનું સમજાવનાર વિદુરના પ્રવચન, વિદુરનીતિમાં અને યુદ્ધ જીત્યા પછી વૈરાગ્ય થવાથી વનવાસ કરવા તૈયાર થયેલા યુધિષ્ઠિરને રાજધર્મ કહેતા ભીષ્મપિતામહ પાસે શાંતિપર્વ માં મળે છે. તેર વરસના વનવાસ પછી પાછા ફરેલા પાંડવોને તેમનું ઇન્દ્રપ્રસ્થ રાજ્ય પરત આપવા દુર્યોધન ના પાડે છે ત્યારે પુત્રપ્રેમ અને પોતાની મહેચ્છા દ્વારા પીડિત રાજા ધૃતરાષ્ટ્ર તેને સંમતિ આપે છે. આ સમયે વિદુર ધૃતરાષ્ટ્ર ને અનીતિ છોડવા અને ન્યાયિરીતે વરત્વ સમજાવતી વખતે જે ઉપદેશ આપે છે-તે વિદૂરનીતી. 


ચાલો મુદ્દાસર દરેક વાત સમજીએ.

  1. અનિન્દ્રા: દુર્બળ-બળવાન સાથે સંઘર્ષ કરે છે ત્યારે, વ્યભિચારીને-ચોરને-દેવાદારને-વધારે પુત્રીના પિતાનેઅને દ્રવ્યના લાલચીને ઊંઘ આવતી નથી.
  2. પંડિત: જેને પોતાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન છે, જેની ધર્મમાં સ્થિરતા છે, જેની દુ:ખ સહન કરવાની શક્તિ છે, જે નિત્ય કંઈનેકંઈ ઉધ્યોગ કરે છે, પોતાના ગુણોની અભિવૃદ્ધિ કરે છે, જે કોઈનો દોરવ્યો દોરાતો નથી. જેને ભૂખ-તરસ, ઠંડી-ગરમી, ભય-પ્રીતિ, ધનિકતા-નિર્ધનતા કંઈ જ અસર કરતા નથી. દ્રવ્યોયોપાર્જનમાં જે પ્રમાણિકતાને પ્રાધાન્ય આપે છે, જેણે ભોગવિલાસ ત્યજ્યા છે અને જે કોઈની નકલ ન કરતાં આપસૂઝ-આગવી બુદ્ધિથી લોકકલ્યાણના કાર્ય કરે છે તે પંડિત કહેવાય છે.
  3. મૂર્ખ: જે વિદ્વાન ન હોવા છતાં પોતાના જ્ઞાનનું અભિમાન કરે છે દરિદ્ર હોવા છતાં લાખોની વાત કરે છે, પરિશ્રમ વિના દ્રવ્યપ્રાપ્તિની ઈચ્છા રાખે છે, જે મિત્ર સાથે કપટ યુકત આચરણ કરે છે, બળિયા સાથે બાથ ભીડે છે, શત્રુને મિત્ર બનાવી સાચા મિત્ર સાથે દ્વેષ રાખે છે, જે નિર્બળને દુ:ખ દે છે અને દરેક બાબતમાં શંકાશીલ હોય છે. તે મૂર્ખ કહેવાય છે.      
  4. ડાહ્યો માણસ: પરસ્ત્રીગમન, દ્યૃતક્રીડા, મૃગયા, મદિરાપાન, કર્કશવાણી, અનીતિ દ્વારા દ્રવ્યોપાર્જન, અને નિર્દોષ પ્રત્યે ઘાતકી વર્તન ત્યજનાર.
  5. આટલું ન કરો: કોઈ અગત્યની બાબતનો નિર્ણય એકલાએ જ ન કરવો, સ્વાદિષ્ટ ભોજન એકલા ન ખાવું, ઉજ્જડ ઘાટે સ્નાને એકલા ન જવું, નિર્જન રસ્તે વિચારણા એકલા ન ફરવું, કોઈની વસ્તુ ધણી ને પૂછ્યા વગર ન લેવી અને એકાંતમાં કામ સિવાય પોતાની માતા,બહેન, કે દીકરી સાથે પણ ન બેસવું.
  6. અનાદર: મોટા ભાગના મનુષ્યો છ વસ્તુઓનો અનાદર કરે છે.
      1. વિદ્યાભ્યાસ પૂર્ણ થતાં વિદ્યાર્થી ગુરુનો,
      2. લગ્ન થઈ ગયા પછી પુત્રો માતાનો,
      3. કામવાસના શાંત થયા પછી પુરુષ સ્ત્રીનો,
      4. પ્રસંગ પૂરો થયા પછી તેમાં સહાય કરનારનો,
      5. રોગ મટ્યા પછી વૈદ્યનો અને છેલ્લે
      6. નદી પાર ઉતાર્યા પછી નાવડીનો લોકો તિરસ્કાર કરે છે.
  7. સંપતિ નાશ: વૃધ્ધવસ્થામાં રૂપ અને સૌંદર્ય હણી લે છે તેવી જ રીતે ઉદ્ધતવર્તન, તોછડાઈ, આછકલાઈ, અભિમાન, વગેરે સંપતિનો નાશ કરે છે. 
  8. સંગ તેવો રંગ: જેમ વસ્ત્રોને જે રંગો રંગવામાં આવે તેવો રંગ ચઢી જાય છે, તેમ જો કોઈ મનુષ્ય સજ્જનના સંસર્ગમાં આવે તો સજ્જન, દુર્જનના સંસર્ગથી દુર્જન, તપસ્વી સંસર્ગથી તપસ્વી અને ચોરના સંગથી ચોર બને છે.
  9. જીવનરથ: મનુષ્યનું શરીર રથ છે, બુદ્ધિ સારથિ છે અને ઈન્દ્રિયો તેના ઘોડા છે. તેમણે વશમાં કરી સાવધાન રહેનાર બુદ્ધિમાન મનુષ્ય સુખપૂર્વક યાત્રા કરી શકે છે.
  10. વિશ્વાસ: કોઈના ઉપર વિશ્વાસ મુક્તા પહેલા ઊંડો વિચાર કરવો જોઈએ - જે વ્યક્તિને વિશ્વાસપાત્ર ગણતાં હોઈએ તેના પર પણ અધિક વિશ્વાસ ન મૂકવો. ખરેખર તો પોતાનો ખાસ વિચાર અતિગુપ્ત રાખવું.
  11. મિત્રતા: સજ્જન પુરુષે અભિમાની, મૂર્ખ, વાચાળ, ક્રોધી, ધર્મહીન અને ઉતાવળિયા પુરુષો સાથે ભૂલેચૂકે પણ મિત્રતા ન બાંધવી. મિત્ર તો સહૃદઈ, ઉદાર, સત્યનિષ્ઠ, કૃતઘ્ન, જિતેન્દ્રિય, પ્રેમી, સ્વભાવવાળો હોવો જોઈએ.
  12. સંતોષ: નિર્ધન હોય તે પણ જીવે છે અને ધનવાન હોય તે પણ જીવે છે, માટે આપણે અધિક ધન અને અધિક ભૂમિનો લોભ ત્યજી દેવો. જેટલું હોય તેનાથી સંતોષ માનશો તો સદા સુખી રહેશો. સંતોષી નર સદા સુખી.
  13. ક્ષણભંગુરતા: આ જગતમાં બધુ ક્ષણભંગુર છે. જે જન્મે છે તે મરે છે અને જે ખીલે છે તે કરમાય છે. કેટલાય લોકો સમૃદ્ધિ ત્યજીને અહી જ મૂકીને મરણ પામ્યા છે. સજ્જન મનુષ્યે કોઈ કામનાથી, ભયથી કે લોભથી પણ ધર્મનો ત્યાગ ન કરવો. કારણ ધર્મ નિત્ય છે પણ સુખ-દુ:ખ અચળ નથી. નાશવંત છે. 
  14. આપત્તિ: પરાઈ મિલકત પચાવી પાડવું, પરસ્ત્રીનો પરાભવ અને મિત્રનો ત્યાગ એ ત્રણ દોષો આપત્તિને આમંત્રણ આપે છે અને મોટી ખાનાખરાબી કરનાર છે.
  15. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ: વિનાસનો સમય આવવાને લીધે બુદ્ધિ મલીન થઈ જાય છે, ત્યારે અનીતિ નીતિ જેવી લાગે છે અને અનીતિ હ્રદયમાંથી ખસતી નથી. દ્વેષભાવને લીધે ફરી ગયેલી બુદ્ધિ લોભને કારણે પોતાને ખબર પડતી નથી.
  16. આવી અનેક વાતો, જ્ઞાની-વિદ્વાન અને ધૈર્યશીલ વિદૂરજીએ લંબાણ પૂર્વક ધૃતરાષ્ટ્ર ને કહીને, પાંડવોને તેમનો ભાગ પરત આપવા અને તેથી યુદ્ધનો આરંભ ત્યજવા સમજાવ્યું-પણ એ બધુ ભેંસ આગળ ભાગવત જેવુ નકામું સાબિત થયું. 
 કઈ નહીં તો, આપણને આ વાતો કઈક શીખવશે કે પછી...??                




"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation

શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા

યુધિષ્ઠિર કુરુક્ષેત્રના યુદ્ધમાં વિજયી થવા છતાં પોતે કુળનો નાશ કરાવ્યો હોવાનું અને સગા સંબંધીઓની હત્યા કરાવી હોવાથી મનોમંથન અનુભવે છે અને જીતીને પણ હાર્યો હોવાની લાગણી અનુભવે છે. યુધિષ્ઠિર વિષાદ-વૈરાગ્ય થવાથી ગૃહત્યાગ-સંસારત્યાગ કરીને વનમાં જવાની તૈયારી કરે છે. 

ખરેખર તો રાજધર્મ સંસારત્યાગમાં નથી અને જીતેલા રાજાની ફરજ રાજ્યાભિષેક કરાવી પ્રજાની કાળજી રાખવામાં જ છે. એ વાત સમજાવવામાં નારદજી, વ્યાસ, માતા કુંતિ, ભીમ અને અર્જુન નિષ્ફળ જાય છે. રાજધર્મ અને ક્ષાત્રધર્મ યુદ્ધ દ્વારા રાજ્યપ્રાપ્તિ કર્યા પછી રાજાની દંડનીતિ અને રાજા જ ન હોય તો આખો દેશ પાયમાલ થઈ જશે એમ સમજાવવા માટે દ્રૌપદી-નકુળ અને સહદેવ ત્રણે નિષ્ફળ પ્રયત્ન કરે છે. 

નિરાશ અને હતાશ એવા યુધિષ્ઠિર કોઈ વાતથી સમજતા નથી ત્યારે શ્રીકૃષ્ણ તેમને બાણશૈયા પર સૂતેલા જ્ઞાની ભીષ્મપિતામહને મળવા સમજાવે છે. ભીષ્મ ત્રણ-ચાર દિવસ દરરોજ યુધિષ્ઠિરને શ્રીકૃષ્ણ સાથે બોલાવી રાજધર્મ-ક્ષાત્રધર્મ-જીવનની ફરજો- ઉપરાંત લગભગ દરેક વિષય ઉપર વિગતવાર જ્ઞાન આપે છે અને ત્યારે છેલ્લે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે સંમત થાય છે. 

શાંતિપર્વ મહાભારતનો બારમો અધ્યાય છે. 365 પ્રકરણો ધરાવતો આ સૌથી લાંબો પર્વ છે. 

મારા હિસાબે ભીષ્મપિતામહે આપણને બધાને માર્ગદર્શન મળે તેવા સિદ્ધાંતો બતાવ્યા છે. જે જાણવા-સમજવા અનિવાર્ય છે. તો ચાલો, ભીષ્મપિતામહની ભગવદગીતાના જ્ઞાનનો મર્મ જાણીએ.  

મિત્રતા 

જીવનમાં આપતિઓ આવતી જ હોય છે, તેને મિત્ર વિના પાર પાડી ન શકાય. હ્રદયથી હ્રદયનું મિલન ધરાવતો મિત્ર જિગરજાન મિત્ર કહેવાય છે. કૃતજ્ઞ, મિત્રદ્રોહી અને વિશ્વાસઘાતી ન હોય તે આદર્શ મિત્ર કહેવાય છે.

મિત્રો ચાર પ્રકારના હોય છે.

  1. સહજ મિત્ર : સગાસંબધિઓ
  2. ભજમાન મિત્ર : પરંપરાથી જે મદદ કરતો આવ્યો હોય
  3. સહાર્થમિત્ર : શરતો કરીને મિત્રતા બાંધી હોય તે.
  4. તૃત્રિમ મિત્ર : ધન-સંપત્તિ આપી વશ કર્યા હોય.

સહજમિત્ર અને ભજમાનમિત્ર શ્રેષ્ઠ કહેવાય છે. સહાર્થ અને તુત્રિમમિત્ર શંકાસ્પદ હોય તેનાથી ચેતતા રહેવું જોઈએ.  

શાંતિના ઉપાયો (ભીષ્મપિતામહનો યુધિષ્ઠિરને બોધ)

શાંતિ પરાક્રમી રાજા અને પરાક્રમી પ્રજાથી જ આવે છે. રાજાએ સ્વયં પોતાનું, મંત્રીઓનું, ખજાનો અને સેનાનું, રાષ્ટ્રની પ્રજા અને રાજધાનીનું ઉપરાંત મિત્રરાષ્ટ્રોનું રક્ષણ કરવાનું હોય છે. 

અશાંતિના કારણો

  1. ખેતી, નોકરી, વ્યાપાર, ઘરકંકાસ, દ્રવ્યવાસના, કામવાસના
  2. અન્યાય, અપમાન, સંબંધો, ભૂલો, સળગતા પ્રશ્નો

ભીષ્મપિતામહ કહે છે,

  • ગુપ્ત રાખો: પોતાનું છિદ્ર, મંત્રણા અને કાર્યકૌશલ બીજાથી ગુપ્ત રાખો.
  • ત્યજો: છિદ્રવાળી નૌકા, ઉપદેશ વિનાનો આચાર્ય, વેદમંત્રવિનાનો હૃત્વિજ, રક્ષા ન કરી શકનાર રાજા, કટુવાણીવાળી સ્ત્રી, ગામમાં રહેતો ભરવાડ અને જંગલમાં રહેતો વાળંદને હંમેશા ત્યજો.
  • આમ પરાક્રમી, રાજધર્મીઓને રાષ્ટ્રવાદી રાજા જ શાંતિ લાવી શકે - સમૃદ્ધિ લાવી શકે છે.

દાન

ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને સમજાવે છે. દાન એ ત્યાગનું સોપાન છે.

  1. સૌથી મોટું દાન અભયદાન છે. જે અભયનો ભંડાર હોય તે જ અભય આપી શકે.
  2. બીજા દાનો - મનોદાન, વચનદાન, શરીરશ્રમદાન, બુદ્ધિદાન, જલદાન, અન્નદાન, વિદ્યાદાન, જ્ઞાનદાન અને સાધનાદાન છે.
  3. અનુકંપાદાન પણ ખૂબ મહત્વ ધરાવે છે.
    • દાનની પાર્શ્વભૂમિકામાં ત્યાગની પરમ મંગળ ભાવના પડેલી છે.
    • દાન કિર્તિના બદલાવાળું કે ભૌતિક હેતુ પામવા ન હોવું જોઈએ.
    • દાનથી ધર્મને, કર્તવ્યને, સદાચારને અને અન્યના દુ:ખ દૂર કરવામાં મદદ મળે છે.
    • એક ગણું દાન અને સહસ્ત્ર ગણું પુણ્ય દાતાને આપોઆપ મળે છે. 

લક્ષ્મી (સ્વામી સચ્ચિદાનંદ, દંતાલી) 

લક્ષ્મીની મહત્તા - જીવન મેળવવાનો મુખ્ય આધાર લક્ષ્મી છે.

  • વિકાસનું મૂળ સુખેચ્છા છે. સુખના વિરોધી વિકાસ વિનાના- દરિદ્ર અને છેલ્લે શોષિત બનતા હોય છે.
  • વધુ પડતાં સંતોષી, પ્રારબ્ધવાદી, અકમર્ણ્ય અને પૂર્વેના કર્મોની વાતો કરનાર દરિદ્રતા અને દુ:ખ લાવે છે.
  • સાદાઈ બેકારી અને દરિદ્રતા લાવે છે. વૈભવની ઈચ્છા રોજી અને સુખ લાવે છે. સાદાઈ વ્યવહારમાં ઠીક છે, જીવનમાં નહીં.
  • લક્ષ્મીના સાચા ઉપાસક અર્થોપાર્જન કરી હજારોના અન્નદાતા અને દાની બની શકે છે.  

પાપી મનુષ્યના લક્ષણો  (વેદ વ્યાસ)

  • કૃપણને દાન આપનાર                     
  • નિંદા કરનાર 
  • જૂઠું બોલીને પેટ ભરનાર                     
  • ગુરુનું અપમાન કરનાર 
  • માતા-પિતાને હડધૂત કરનાર                     
  • સ્વાર્થી 
  • ખોટાં તોલ-માપ કરનાર                     
  • ક્રોધથી ગામનો નાશ કરનાર 
  • બ્રાહ્મમણની હત્યા કરનાર

સમાજવિરુદ્ધ કામથી થતાં પાપ

  • અભક્ષ્ય આહાર લેવું                         
  • સ્વધર્મનો ત્યાગ કરવું 
  • શરણાગતનો તિરસ્કાર કરવો                     
  • માતા-પિતાનું ભરણપોષણ ન કરવું
  • યાચકોનો અનાદર કરવો                     
  • હિંસા કરવી 
  • અતિથિનો અનાદર કરવું 

પ્રાયશ્ચિત દ્વારા પાપ મુક્ત થવા પ્રાર્થના અને ભાવનાસહ ભક્તિ કરવી પડે છે.

સનાતન ધર્મ  (મુનિ દેવસ્થાન) 

સનાતન ધર્મના નવ અંગો:

  1. સર્વ પ્રાણીઓનો અદ્રોહ
  2. સત્યભાષણ
  3. આતિથ્ય સત્કાર
  4. દયા
  5. ચાપલ્ય
  6. લજ્જા
  7. મૃદુતા
  8. એક પત્ની વ્રત અને
  9. ઈંદ્રિયનિગ્રહ 

ચાર આશ્રમો અને તે વખતના કાર્યો

  1. બ્રહમચર્યાશ્રમ - સ્વાધ્યાય
  2. ગૃહસ્થાશ્રમ - ગૃહસ્થજીવન-યજ્ઞો
  3. વાન પ્રસ્થાશ્રમ - તપ
  4. સન્યાસ્તઆશ્રમ - જ્ઞાનયજ્ઞ   

સત્ય 

સત્ય સનાતન ધર્મ છે. સત્ય જ બ્રહમ છે. માટે સત્યનો સદૈવ આદર કરવો. સત્ય જીવની પરમગતિ છે. સત્યના તેર સ્વરૂપો છે. સત્ય, સમતા, દમ, મતસરનો અભાવ, લજ્જા, ક્ષમા, તિતિક્ષા, અન્યના દોષ ન જોવા, ત્યાગ, શુદ્ધ આચરણ, ધૈર્ય, દયા અને અહિંસા.
હકીકતમાં સત્ય એ ધર્મની પરાકાષ્ઠા છે. 

મોક્ષધર્મ

  • જેમ ફૂલથી સુગંધ અને સુખડ ઘસવાથી સુવાસ મળે છે, તેમ ઈષ્ટદેવનું અહર્નિશ ચિંતન કરવાથી આધ્યાત્મિક જાગૃતિ આવે છે. તો જ શ્રીહરિની કૃપાથી પ્રભુદર્શન શક્ય બને છે.
  • આપણામાં ભક્તિ હોય જ છે. કામ અને કાંચનનું આવરણ તેને ઢાંકે છે.
  • સત્કર્મ, ધ્યાન, જપ, પુજા, ઈશ્વરચિંતન, અને પ્રભુભક્તિથી પાપ કપાય છે.
  • ધર્મ એટલે બૌદ્ધિક વાદવિવાદ કે વિતંડાવાદ નહીં, ધર્મ એટલે નીતિશાસ્ત્ર મુજબ વર્તન-     ધર્માચરણ અને સંસ્કારીપણું-તેનાથી જ શાંતિ, પ્રગતિ અને ભાઈચારો મેળવી-છેલ્લે મોક્ષ મળે છે. 
 પાંચ મહાયજ્ઞ
  • બ્રહમયજ્ઞ - વેદનું અધ્યયન
  • પિતૃયજ્ઞ -  પિતૃ-તર્પણ અને શ્રાદ્ધ   
  • દેવયજ્ઞ - હોમહવન
  • ભૂતયજ્ઞ - બલીકર્મ
  • નૃયજ્ઞ  - માનવસેવા, અતિથિસેવા       

સર્વત્યાગીને જ મોક્ષ મળે છે એવી ગોરમાન્યતા છે.

  1. ત્યાગ: સુખનો ત્યાગ-ધન અને સ્ત્રીસંગ છોડવું
  2. મહાત્યાગ: સુખત્યાગ ઉપરાંત દુ:ખ સ્વીકૃતિ : અનિકેત- ઘર વગર વૃક્ષ નીચે રહેવું – આહાર-વિહાર કષ્ટદાયક રાખવા.
  3. અતિત્યાગ: મહાત્યાગ ઉપરાંત પ્રચુર દેહદમન-વસ્ત્ર ન પહેરવું, પાત્ર ન રાખવું, પગમાં કઈ ન પહેરવું, નામમાત્રનો આહાર, ઠંડી-તાપ-વરસાદ સહન કરવું. 

કળયુગ વિષે ભવિષ્યવાણી

વૃષ્ટિ નહિવત હશે- કૂવા, વાવ, તળાવના પાણીઓ, છોડ, વૃક્ષોની સંખ્યા ઘટશે, તૈયાર પાક તીડ ખાઈ જશે. ઋતુઓમાં અનિયમિતતા આવશે. દુષ્કાળ અવારનવાર પડશે. ગાય-ભેંસ ઓછું દૂધ આપશે. શ્વાન કરતાં ગાયો સસ્તી મળશે. વાસના, દંભ, ક્રોધ, લાલસા, મમત્વ જેવા દુર્ગુણો વધતાં જશે માનવમન સંકુચિત થશે. ભોગ-વિલાસમાં લોકો રચ્યાપચ્યા રહેશે. સદ્દ્ગુણોમાં ઓટ આવશે. અન્નના કોઠાર હશે ત્યાં ખાનાર નહીં હોય. અને ખાનાર હશે ત્યાં અન્નની અછત હશે. માનવ-માનવના સંહાર કરશે. ઘરે ઘરે કજિયો કંકાસ જોવા મળશે. ધનવાન-દાતાર નહીં બને. રાંધેલું અન્ન બજારમાં મળશે. ભિન્ન-ભિન્ન પ્રકારના યંત્રો, શસ્ત્રો અને વસ્ત્રો ઉત્તપન્ન થશે. 

ગુરુ, સ્વામી, મિત્ર અને ભક્તોનો દ્રોહ કરનારો વધશે. સ્ત્રી-પુરુષ વચ્ચે પ્રીતિ ઓછી થશે. પુરુષ પત્નીને વશ થઈ પુત્રવધૂ સાસુ-સાસરનો તિરસ્કાર કરશે. સ્ત્રી પતિને તુચ્છ ગણશે. સ્ત્રી પતિનું કહેલું માનશે નહીં. પતિવ્રતા ધર્મનું પાલન નહીં કરે. આડંબર ખાતર સ્ત્રી ઓછું બોલશે. સ્ત્રીઓ અંગો દેખાય તેવા વસ્ત્રો પરિધાન કરશે. ગણિકાઓ નીતિ નિયમ પાળશે અને કુળવાન સ્ત્રી વેશ્યા જેવુ વર્તન કરશે. ભાઈ પોતાના ભાઈને દુશ્મન ગણશે. માતા-પિતા અને સંતાનો વચ્ચે વેર બંધાશે. દેવાલયની મૂર્તિઓમાં દેવાયત નાશ પામશે. સાધુ-સન્યાસી ધનના લાલચુ અને ચારિત્રહીન બનશે વૈદ્ય-હકીમો દર્દીઓને ખોટી દવા આપશે. મલેચ્છ રાજકરતા બનશે. રાજા, પ્રધાન, વજીર, પ્રજા બધા ભેગા મળી ચોરી કરશે. મિથ્યા વાદવિવાદ-વિતંડાવાદ કરનારને લોકો વિદ્વાન માનશે. સાચા જ્ઞાનીને લોકો ગાળો ભાંડશે.

રાજધર્મ (રાજાએ ધ્યાનમાં રાખવાના લક્ષણો

ભીષ્મપિતામહ યુધિષ્ઠિરને બાણશૈયા પરથી કહે છે,

  1. શ્રદ્ધાપૂર્વક પરલોકની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો
  2. ક્રૂરતા વિના દ્રવ્યોપાર્જન કરવું
  3. ધર્મઅનુસાર ઈંદ્રિયનિગ્રહ કરવો
  4. દિનપણું તજવું
  5. શૂરવીર થવું, પણ અભિમાન કરવું નહીં
  6. સર્વ જીવપ્રાણીમાત્ર પર દયા રાખવી
  7. પોતાની તાકાતની મર્યાદા વિચારી સંધિ કરવી
  8. કુપાત્રે નહીં, પણ સુપાત્રે દાન કરવું
  9. સગાવહાલાં સાથે સંઘર્ષમાં ઊતરવું નહીં
  10. દુષ્ટ માણસની દુત તરીકે નિમણૂંક કરવી નહીં
  11. કાર્ય સિદ્ધ કરવા કોઈને દુ:ખ દેવું નહીં
  12. પોતાના વિચારો અપાત્ર મનુષ્યને જણાવવા નહીં
  13. આત્મશ્લાઘા (પોતાની પ્રશંસા) કરવી નહીં
  14. સાધુ-સંતો પાસે કરવેરા લેવા નહીં
  15. દુષ્ટ લોકોને મિત્ર બનાવવા નહીં
  16. પૂરી તપાસ કર્યા વિના શિક્ષા કરવી નહીં
  17. ગુપ્ત વાતો જાહેર કરવી નહીં
  18. લોભી જનોને દાન આપવું નહીં
  19. અપકાર કરનારનો વિશ્વાસ કરવો નહીં
  20.  ઈર્ષા આગ સમાન છે, ઈર્ષા કરવી નહીં
  21.  શુદ્ધતા (પવિત્રતા) જાળવવી
  22. અતિ વિષયભોગ (સ્ત્રીસેવન) ભોગવવા નહીં
  23. પથ્ય અને પોષક આહાર લેવું
  24. ગુરૂજનો અને વડીલોનું પૂજન કરવું
  25. ગુરુની પાસે ખાલી હાથે જવું નહીં. તેમની સેવા કરવી
  26. દેવતાઓની પુજા કરવી
  27. ન્યાયમાર્ગે જ ધન એકત્ર કરવું
  28. આસક્તિ વિના ધન વાપરવું
  29. દેશકાળને અનુસરી-સમયનો વિચાર કરી વ્યવહાર કરવો
  30. દરેક ને ધીરજ આપવી
  31. તિરસ્કારપૂર્વક નહીં-પ્રેમપૂર્વક ઉપકાર કરવો
  32. અન્યાયપૂર્વક કોઈને દંડ ન કરવો કે મારવું  નહીં 
  33. શત્રુને મારીને શોક કરવું નહીં
  34. વગર વિચાર્યે ક્રોધ કરવો નહીં
  35. અપરાધી ઉપર દયા રાખવી
  36. રાગદ્વેષ રહિત સર્વધર્મનું આચરણ કરવું અને સર્વધર્મ પ્રત્યે સમભાવ રાખવું

દરેક વ્યક્તિ સ્વયં રાજવી - રાજા! 

આપણે પોતે કુટુંબના, આપણાં પોતાના શરીરના અને તે ઉપરાંત બીજી ઘણી બધી રીતે રાજા છીએ. તેથી આ રાજાની સલાહો આપણને પણ એટલી જ અનુરૂપ યથાયોગ્ય અને જરૂરી છે. કઈંક વિચારીશું? 

  • પહેલી ભગવદગીતા માં અર્જુનનો વિષાદ દૂર કરવા અર્જુનને યુદ્ધની શરૂઆતમાં શ્રીકૃષ્ણે કહી છે અને તેમાં છેલ્લે અર્જુન પોતાનો ધર્મ સમજી “હું યુદ્ધ કરીશ” એમ વચન આપે છે. 
  • તેવી જ રીતે યુદ્ધના વિજય પછી યુધિષ્ઠિરને આપેલ વૈરાગ્ય અને સંસારત્યાગની ઈચ્છા છોડવા ભીષ્મપિતામહ જ્ઞાન આપે છે. પરિણામે યુધિષ્ઠિર રાજ્યાભિષેક માટે તૈયાર થાય છે. આ બીજી ભગવદગીતા છે. 
  • પણ, એ બંને સંભાષણો આપણને જીવન જીવવાની જડીબુટ્ટી આપે છે. હા, ખરેખર, દરેક પ્રશ્નનો ઉકેલ અને મનનું  સમાધાન આ બન્નેમં છે. ચાલો તો પછી આપણે સૌ માનવધર્મ-માણસાઈ-જીવનજીવવા આ પાઠોનું જીવનમાં આચરણ કરીએ.




"મહાભારત" શ્રેણીના બીજા લેખો
Other Related Articles
મહાભારત
ભગવદ્દ ગીતા
શાંતિપર્વ: બીજી ભગવદ્દ ગીતા
વિદુર નીતિનો ઉપદેશ
Hinduism
Bhagavad Gita - Short And Straight
Karmic Theory (Law Of Karma)
Karmic Theory - Practical Meditation