Skip to main content

હિન્દુત્વ

સિંધુ નદી કિનારે વસેલા આર્યોનો દેશ ‘આયાવર્ત’ તરીકે ઓળખાતો – લોકોઆર્યો અથવા સિંધુ પણ કહેવાતા. પરદેશીઓ સિંધુને બદલીને ‘હિન્દુ’ કહેવા લાગ્યા અને તેમનો ધર્મ હિન્દુ ધર્મ કહેવાયો હકીકતમાં વૈદિક પરંપરામાં સનાતન ધર્મ હતો, તે હિન્દુ બન્યો.

વર્તમાન ધાર્મિક અસહિષ્ણુતા ના વાતાવરણમાં ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મો પોતાના અલગ ચોકા બનાવી ટોળાં શાહી અને અરાજકતા તરફ વળ્યા ત્યારે જીવન જીવવાની સર્વમાન્ય શૈલી ધરાવતા અને સિંધુ નદી કિનારે થી અરબી સમુદ્ર સુધી વિસ્તરેલ ભૂમિના લોકો – હિન્દુ કહેવાયા – તેમના વિચારો તે 'હિન્દુત્વ'!

હિન્દુ એ સર્વમાન્ય – આદર્શ જીવનશૈલી છે. તે ઈસ્લામ કે ખ્રિસ્તી વિરોધી નથી કે એ કોઈપણ ધર્મ સામે નથી. વનસ્પતિ, પ્રાણી અને સર્વને સમાન જણાવી – દરેક ને કાળજી લઈ સહજીવનની પ્રણાલી તે હિન્દુત્વ. બધા ભગવાનને સ્વીકારી સર્વધર્મ સમભાવ અને કોમી એક્તા શીખવે તે હિન્દત્વ.

ચાલો સરળ ભાષામાં લેખક રામસ્વરૂપે કહેલી હિન્દુત્વની વિગતો બરાબર જાણીએ – સમજીએ.

હિન્દુ ધર્મ, હિંદુઓ અને ભારત

ભારતની ભૂમિ ઉપર સનાતન ધર્મ ઉત્તપન્ન થયો. અહીના લોકો હિંદુઓ કહેવાયા અને ધર્મને હિન્દુ ધર્મ કહ્યો આ ધર્મમાં ચાર પુરૂષાર્થ, ચાર વર્ણ અને ચાર આશ્રમોની વ્યાખ્યા આપી ને સમજાવ્યા.

વર્ણ: વર્ણાશ્રમ ધર્મ સમાજ જીવનની જવાબદારી સાથે સંકળાયેલો હતો. કેટલાક પૂજારી અને શિક્ષકો હતા (બ્રાહ્મણ), કેટલાક યોધ્ધાઓ અને રક્ષકો હતા (ક્ષત્રિય), તો કેટલાક સંપત્તિનું ઉપાર્જન અને સાચવણીમાં જોડાયેલા હતા (વૈશ્ય), તો બાકીના લોકો રોજીંદી સામાન્ય જરૂરિયાતો – જેવી કે પાણી લાવવું, લાકડા કાપવાં – સાફ સફાઈ કરવી સાથે કાર્યરત હતા (શુદ્ર). આ ફક્ત કાર્યોનું વિભાજન હતું, તેમાં અસમાનતા કે અશ્યપૃશ્યતા હતી જ નહીં. દરેક સભ્ય અહીં પ્રમાણિકપણે કામ કરી પોતાની આવડત મુજબ પોતાનો ધર્મ બજાવી સંપતિનું ઉપાર્જન કરતો હતો. ભારતમાં કોઈપણ તબક્કે ગુલામી પ્રથા હતી જ નહીં. એ તો સુવિદિત છે. જુદા-જુદા કાર્યો કરતાં અને જુદી જુદી પરંપરા નિભાવતા લોકો હિન્દુ આધ્યાત્મિકતા અને આદર્શવાદમાં માને છે.

આશ્રમ: ચાર આશ્રમો મનુષ્ય જીવનકાળ ના ચાર તબક્કાઓ છે. વિદ્યાર્થી અવસ્થામાં તે દરેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે (બ્રહ્મચર્યશ્રમ), ત્યારપછી સંસારીના સ્વરૂપમાં અર્થોપાર્જન સહજીવન અને સંતતિ ઉત્પન્ન કરે છે (ગૃહસ્થાશ્રમ), પ્રોઢવયમાં નિવૃતિ લઈ આંતર શોધમાં જોડાય છે (વાનપ્રસ્થાશ્રમ) અને છેલ્લે સન્યાસી બની સમાજ શિક્ષણ આપે છે (સન્યાસાશ્રમ) અહી ગૃહસ્થાશ્રમ કે સાંસારિક જીવનને સૌથી વધુ મહત્વનું ગણવામાં આવ્યું છે.



હિંદુઓ

એક સમયે હિંદુઓ સમૃદ્ધ હતા. તેમના અન્નભંડારો ભરેલા રહેતા. તેઓ જ્ઞાની, સારા વ્યવસ્થાપકો અને સારા વેપારી હતા. તેમના ચરિત્રમાં તેજ અને બળ હતું. તેઓ શોષણ કરતાં નહીં અને શોષિત થતાં નહીં. એ લોકો વિજ્ઞાન અને કલામાં નિષ્ણાંત હતા. હિન્દુ ધર્મ અનેક ધર્મોની આદિમાતા સામો હતો. દાન-દક્ષિણા અને સેવાના આદર્શો હતા. 
  • અતિ શાંતિપ્રિયતા ને કારણે પોતાની રક્ષણાત્મક સજ્જતા ગુમાવી બેઠા. હિન્દુ ધર્મ આત્મવિશ્વાસ ગુમાવી ક્ષમાપર્થ થઈ બેઠો. હિંદુત્વ શબ્દ શરમ અને અવમાનવાનું કારણ બની ગયો. એક એવા વર્ગનો ઉદ્દભવ થયો જે હિન્દુ હોવા છતાં આચાર-વિચાર અને ભાવથી હિન્દુ વિરોધી હતા. આપણે વિવાદ ટાળવા ગમે તે સ્વીકારવા તૈયાર થઈ ગયા. સંઘર્ષની તૈયારી ન હોવાથી, આપણે પોતાનું રક્ષણ ન કરી શક્યા. 
  • હિંદુઓ પોતાના જ દેશમાં દ્વિતીય કક્ષાના નાગરિકો કે શરણાગતો બની ગયા. કટ્ટરવાદી અને નકારાત્મક તાકતો વારંવાર હુમલા કરતી રહી ત્યારે સ્વરક્ષણમાં હિંદુવાદ કે રાષ્ટ્રવાદની ઓળખ જરૂરી બની ગઈ. પોતાના અસ્તિત્વ માટે અને આધ્યાત્મિક ચિંતન જાળવવા પ્રતિકાર જરૂરી બની ગયો. 
હિંદમાં, ભારતમાં મહાન સંતો અને શિક્ષકો દ્વારા સનાતન ધર્મ શીખવાયો અને હિંદુત્વની ઓળખ પાકી થઈ.
  • સનાતન ધર્મ વિશ્વના ઘણા ધર્મોની આદિમાતા છે. 
  • મનુષ્યની અંદર વિશાળ આંતરિક જીવનસ્ત્રોત અસ્તિત્વ ધરાવે છે. 
  • આંતરિક ઊર્જા જે આત્મા સ્વરૂપે પ્રવર્તમાન હતી એ વૈશ્વિક ચેતના કે અવિનાશી બ્રહમનો અંશ હતી. 
  • સનાતન ધર્મ “સત્યનો હંમેશા વિજય થાય છે” એ માને છે. સત્ય જેને કોઈ ભય નથી – કોઈ અધૂરપ નથી. 
ઈશ્વર

ઈશ્વર સ્વયંમની અંદર છે - સ્વયંમમાં સ્થાપિત ઈશ્વર બ્રાહ્ય સ્થૂળ જગતમાં વિસ્તરે છે. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત, સંપૂર્ણ સ્થિર અને શ્રેષ્ઠ સ્વરૂપ છે.

ઈશ ભક્તિ

ઈશ્વરને અનેક રીતો દ્વારા પૂજવામાં આવે છે. કોઈ તેને યોગ દ્વારા, કોઈ ભક્તિ માર્ગે કે કોઈ ઈશ્વરને સરળતા માટે મનુષ્ય સ્વરૂપ સમજે છે. સનાતન ધર્મોમાં એક દેવને ચાહવા બીજાનો ધિક્કાર અનિવાર્ય નથી. હા, ઈશ્વરને પોતે પોતાની રીતે પ્રત્યક્ષ સ્વયં જ અનુભવવો પડે છે.

નૈતિક માપદંડ

સારા બનવું કે સારપ આપણી પ્રકૃતિ છે. સહનશક્તિ અને ક્ષમા-સમય અને સંજોગો પ્રમાણે બદલાય છે. જે વ્યક્તિ ક્ષમાને પાત્ર નથી તેને સજા કરવું એ ન્યાયનું વિજ્ઞાન છે.

પાડોશી

તમામ મનુષ્યો, જીવો (વનસ્પતિ જીવન અને પ્રાણી જગત) અને તમામ તત્વો (હવા, પાણી, આકાશ, નદીઓ, સમુદ્રો) ઈશ્વર અને દેવદૂતો આ બધા પાડોશી સાથે સહજીવન ની જવાબદારી અદા કરી ઋણમુક્ત થવાનું છે.

ધર્મ

દરેક વ્યક્તિ આત્મિક વિકાર સાથે આધ્યાત્મિક વિકાસ સાધે તે માટે ના દસ નિયમો :- સંતોષ, ક્ષમા, સ્વમાન, સૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ઘી, વિદ્યા, સત્ય, અને આક્રોધ.

વ્યક્તિગત ક્ષમતા - જીવનની ક્ષમતા અલગ-અલગ (અનેક જીવન, અનેક સ્તર, વિવિધ લોક, મોક્ષ)

સનાતન ધર્મ અનેક જીવનની જ નહીં પરંતુ અનેક સ્તરની અનેક વિવિધ લોકોની વાત વર્ણવે છે. જીવનના નીચલા સ્ટાર સાથે જોડી રાખતા તમામ ગુણો, સ્નેહ, ઋણાનુબંધ, કલેશ, રાગ વિગેરેથી મુક્ત થનાર જળકમળવત બને છે અને તે નિર્વેદ ધારણ કરે છે. પછી જીવ મોક્ષ પામે છે – જેને ફરીથી સ્થૂળ જગતમાં જન્મ લેવાનો નથી.

આમ જીવનયાત્રા એ આત્મશોધ અને આત્મવિકાસની પ્રક્રિયા છે જેનું અંતિમ ધ્યેય મોક્ષ છે.

આધુનિક વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિને લીધે અને ટેક્નોલોજીના વિકાસને લીધે કેટલાક અપ્રકાશિત તથ્યો પ્રચલિત થયાં છે. તે દર્શાવે છે કે સ્થૂળ વિશ્વમાં એક સૂક્ષ્મ શક્તિ કામ કરી રહી છે, જે આપણા મસ્તિષ્ક અને ઈન્દ્રિયો સાથે જોડાયેલી છે. આ શક્તિ સમગ્ર બ્રહમાંડ માં ફેલાયેલી છે.

ઈતિહાસ

માનવ ઈતિહાસ એટલો જૂનો છે કે તેણે અનેક સભ્યતાઓ પાંગરતા અને નષ્ટ થતાં જોઈ છે. અફાર ઈતિહાસના સર્જનની પ્રક્રિયા દરેક ક્ષણે અવિરત ચાલુ છે. હિન્દુ ધર્મ બોધકા, પ્રકાશકા અને વાચકા છે એટલે કે તે જ્ઞાન આપે છે, આત્મતેજ પ્રગટાવે છે અને જ્ઞાનપ્રવાહ આગળ ધપાવવાની દિશા આપે છે.

શરણાગતિ

હું સનાતન ધર્મમાં શરણ થાઉં છું. આ ધર્મમાં ઉર્ધ્વગામી જીવન નો હેતુ છે. આ શરણગતિ દ્વારા સમગ્ર સૃષ્ટિ અને મનુષ્યત્વને અખંડ બનાવી – જે આસપાસ છે તે, ઈશ્વર સાથે એકત્વ કેળવી શકું.

હિંદુત્વના પતનના કારણો

હિંદુવાદ કે હિન્દુ ધર્મ કેટલાક ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે જેમ કે હિન્દુઓમાં ૧) વૈચારિક સમાનતા નો અભાવ, ૨) નૈતૃત્વનો અભાવ, ૩) હિન્દુ ધર્મની ચર્ચા – સમસ્યા સમજવા કોઈ નિશ્ચિત કેન્દ્ર કે સ્થળ નથી, ૪) આર્થિક રીતે સદ્ધર નથી, ૫) નાતીઓ અને પેરાજાતિઓમાં વિભાજિત હોવાથી બાહ્ય પરિબળોનો સામનો કરવા સંગઠન શક્તિ ધરાવતો નથી. તેની સામે ઈસ્લામ અને ક્રિસ્ટીયાનીતિ માં આવું નથી – તેઓ અંતિમવાદી – તીવ્ર અને નિશ્ચિત માળખાવાળા છે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મજબૂત છે – આર્થિક રીતે અને માળખાકીય રીતે પણ ઈસ્લામ તેના ધર્મને – નિયમોને ન માનનારને કાફિર કહીને ધિક્કારે છે અને તેની સામે જિહાદનું એલાન કરે છે. ત્યારે હિન્દુઓમાં દેશની ધર્મભાવના કે વલણમાં ક્યાંક બેદરકારી કે સ્વ-ઓળખનો અભાવ જોવા મળે છે. ક્રિશ્ચિયન્સ સમગ્ર વિશ્વમાં મિશનરી પ્રવુતી દ્વારા અનેક શિક્ષણકેન્દ્રો ચલાવે છે – સેવા કરતાં કરતાં આદિવાસી – વનવાસી કે હરિજનોને મદદરૂપ થઈ વટાળ પ્રવુત્તિ – ધર્મપરિવર્તન વર્ષો થી બેરોકટોક ચલાવે છે. ૧૯૮૦ માં અધિકૃત આંકડા મુજબ ૪૩૮૦૦ કરોડ રૂપિયા ખુલ્લેઆમ ભારતમાં જ ઠલવાયા હતા. ઘણી બધી જમીનો અને સંપતિ ખ્રિસ્તી અને મુસ્લિમો એ ભારતમાં ખરીદી લીધી છે. વિરોધીઓ સાધનસંપન્ન અને આયોજન બદ્ધ છે. તો હિંદુઓ પોતાનું સ્વરક્ષણ કરવા અક્ષમ છે. મુસ્લિમો દર-અલ-હર્બ (એટલે કે ઈસ્લામ માટે યુદ્ધ) અને દર-અલ ઈસ્લામ (એટલે કે ઇસ્લામનું શાસન) માં માને છે. તેમનું ઇલ્સામીકરણ નું ધ્યેય નિશ્ચિત છે.
  • હિંસાપૂર્ણ ઈતિહાસ એ અકસ્માત નથી – ધાર્મિક કટ્ટરવાદનું પરિણામ છે. 
  • વર્તમાનમાં બાંગ્લાદેશના લાખો ઘુસણખોરો અને રોહિંગ્યા ભારતમાં પગપેસારો કરી રહ્યા છે આસામ, લદ્દાખ, અરુણાચલ, કેરલ, કશ્મીર, પશ્ચિમ બંગાળ જેવા અનેક રાજ્યોમાં વિભાજન અને ધર્મપરિવર્તન ની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ સંજોગોમાં પરિસ્થિતી લાગણીશીલ બનીને નહીં, પરંતુ વ્યવહારુ દ્રષ્ટિકોણ થી ઉકેલવી પડશે. આ કરવા દીર્ધદ્રષ્ટિ અને ઊંડાણ સાથે શ્રદ્ધા અને સાતત્યની જરૂર છે. આ આદર્શવાદી યાત્રા માટે લાંબેગાળે ધ્યેયપ્રાપ્તિ માટે નિશ્ચિત પ્રયાસો જરૂરી છે.
હિન્દુકરણ

આપણે સૌ પ્રથમ ભય કે લાલચને લીધે ધર્મ પરીવર્તન કરેલ લોકોને પ્રાચીન મૂળ તરફ પાછા વાળવા અને વાસ્તવિક હિન્દુ ધર્મમાં પાછા ફરે તે માટે વાતાવરણ પૂરું પાડવું પડશે.

તાલીમકેન્દ્રો

મંદિરો-ધર્મસ્થળો કે તાલીમ કેન્દ્રો સ્થાયી પાયાની વિચારધારા, ધર્મનું જ્ઞાન, હિન્દુ મૂલ્યો અને પરંપરાનો પ્રચાર કરવો પડશે. જેથી બાહ્ય વિરોધો નકારાત્મકતા સામે આપણી હિન્દુ મૂલયવ્યવસ્થા ટકી રહે. સૌ આત્મશિક્ષણ મેળવે અને અન્યને પણ શિક્ષિત કરે.

સામાજિક દૂષણોથી મુક્તિ

લગ્ન પ્રસંગો અને તહેવારોની ઉજવણી બીભત્સ ન બને તેની કાળજી લેવી પડશે. ફિલ્મો, સાહિત્ય, જાહેરાતો–પ્રચાર વિગેરે અશ્લીલતા અને ગુનાખોરી રોકવી પડશે. તો જ અર્થહિનતા-ધ્યેયહીનતા-સ્થૂળ સિદ્ધિઓની દોડમાં જીવનનો મૂળ ધ્યેય ચૂકી ન જવાય.

આમ, હિન્દુત્વમાં આપણી માન્યતાઓને આપણે સ્પષ્ટ કરી લઈએ. ખોટા તર્ક અને દૂષિત વાતાવરણથી બુદ્ધિપૂર્વક મુક્તિ મેળવીએ. તાર્કિકતા-શાણપણ અને ધાર્મિકતાને ફરીથી સમજીએ. આપણી ખોવાયેલી મહાનતાને ફરીથી પ્રસ્થાપિત કરીએ.

ડો. ભરત દેસાઈ 
બીલીમોરા


Comments

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

મૃત્યુનું મનોમંથન

ભારત માં જન્મને શુભ અને મૃત્યુ ને અશુભ કહ્યું છે. હકીકતમાં જ્ન્મ-મૃત્યુ બન્ને એક સિક્કાની બે બાજુઓ છે જે બન્ને પરસ્પર જોડાયેલા છે. મૃત્યુની શરૂઆત જન્મથી થાય છે અને તેથી જ તો અનેક અનિશ્ચિત ચિતતાઓને કારણે વ્યક્તિ કોઈપણ ઉંમરે મૃત્યુ પામે છે. ભારતમાં આઝાદી સમયે ૧૯૪૭માં જીવનની અપેક્ષા જન્મ સમયે ૩૭ વર્ષ હતી, તે આજે ૨૦૨૨ માં લગભગ ૭૦ વર્ષ છે (life expectancy at birth). તેમાંય પુરુષનું જીવનકાળ ૬૭.૪ વર્ષ અને સ્ત્રીનો જીવનકાળ ૭૦.૩ વર્ષ એટલેકે લગભગ ૩ વર્ષ ઓછો હોય છે. મરણના મુખ્ય દસ કારણોમાં હ્રદયરોગ ૨૫%, શ્વસનતંત્ર રોગ ૧૦%, ટી.બી. ૧૦%, કેન્સર ૧૦% છે. તો અનિર્ણિત માંદગી, પાચનતંત્રના રોગ, ઝાડા અને અકસ્માત દરેક પાંચ-પાંચ ટકા છે. અને આપઘાત અને મેલેરિયા ત્રણ-ત્રણ ટકા છે. એટલે કે ભારતમાં લગભગ સિત્તેર વર્ષના જીવન પછી હ્રદયરોગથી મરણ ની શક્યતા સૌથી વધુ છે. હા, અમારા દક્ષિણ ગુજરાત નાં અનાવિલ બ્રહ્માણ સમાજમાં મૃત્યુની ઉંમર ૮૪ વર્ષની આસપાસ છે! કરુણતા પૂર્વક સ્વીકારવું રહ્યું કે વર્તમાન મેડિકલ વિજ્ઞાન ને કારણે પહેલાંની જેમ મૃત્યુની ઘડી જલ્દી આવતી નથી અને વૃદ્ધ માણસ બીમાર પડીને તરત મૃત્યુ પામતો નથી, પણ હોસ...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

Computer and Eye

Use of computer is unavoidable in day to day life of an individual dealing with IT industry and such other professions. It is not a safe thing to go using computer carelessly. Then What? The answer to such questions follows. Our science tells following 10 rules to be taken care of.

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

કાર્તિકેય

કાર્તિકેયના જન્મની વાત તારક નામ ના અસૂરે દાનવે દેવોને હરાવ્યા હતા. તેને મારવા માટે દેવોએ શું-કરવું તે વિચાર્યું તેને તારક ને મળેલા વરદાન મુજબ તેને ફક્ત નાનું બાળક દ્વારા બનેલું અને માર્ગદર્શિત લશ્કર જ મારી શકે એમ હોવાથી તેઓએ બ્રમ્હાનો સંપર્ક કર્યો. બ્રમ્હાના કહેવા મુજબ ફક્ત શિવ -પુરુષ દ્વારા ફક્ત એકલાથી પેદા થયેલ બાળક – ફક્ત ભગવાન શંકર જ આપી શકે ભગવાન શંકર ને મોહિત કરવા “કામ” ને મોકલ્યો પરંતુ શિવ તેને “ત્રીજી આંખ” ખોલી ને ભશ્મ બનાવી દીધો. ત્યારે તેમણે શક્તિ પાર્વતિ ને આજીજી કરી. પરંતુ આ ભગવાન શિવને પાર્વતિ મનાવી શક્તિ નથી. પરંતુ પછીથી દેવો અને પાર્વતિ ની વિનંતી ગ્રાહ્ય રાખી શિવ છ ચમકારા જેવા અગ્નિ રૂપે બીજ એટલે કે વીર્ય આપે છે તેથી કાર્તિકેય ને સ્કંધ (વીર્ય દ્વારા જીવીત) પણ કહે છે. આવા શક્તિશાળી અને ઉષ્ણ બીજને અગ્નિને દેવો આપે છે. અગ્નિ બીજને ગરમ હોવાથી સાચવી શક્તિ નથી, ત્યારે પવનને આપે છે. જે વાયુ- પવન ગંગામાં પધરાવે છે ત્યાં પાણી ઉકાળવા માંડે છે અને બારું ના જંગલમાં આ વીર્યમાથી આગ લગતાં,બચેલા અંગારામાથી છ બાળકો ઉદભવે છે. માં માટે રડતાં તડપતા છ બાળકો માંથી છ માથાવાળું એ...

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે. આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.