કાર્તિકેય

કાર્તિકેયના જન્મની વાત

તારક નામ ના અસૂરે દાનવે દેવોને હરાવ્યા હતા. તેને મારવા માટે દેવોએ શું-કરવું તે વિચાર્યું તેને તારક ને મળેલા વરદાન મુજબ તેને ફક્ત નાનું બાળક દ્વારા બનેલું અને માર્ગદર્શિત લશ્કર જ મારી શકે એમ હોવાથી તેઓએ બ્રમ્હાનો સંપર્ક કર્યો. બ્રમ્હાના કહેવા મુજબ ફક્ત શિવ-પુરુષ દ્વારા ફક્ત એકલાથી પેદા થયેલ બાળક – ફક્ત ભગવાન શંકર જ આપી શકે ભગવાન શંકર ને મોહિત કરવા “કામ” ને મોકલ્યો પરંતુ શિવ તેને “ત્રીજી આંખ” ખોલી ને ભશ્મ બનાવી દીધો. ત્યારે તેમણે શક્તિ પાર્વતિ ને આજીજી કરી. પરંતુ આ ભગવાન શિવને પાર્વતિ મનાવી શક્તિ નથી. પરંતુ પછીથી દેવો અને પાર્વતિ ની વિનંતી ગ્રાહ્ય રાખી શિવ છ ચમકારા જેવા અગ્નિ રૂપે બીજ એટલે કે વીર્ય આપે છે તેથી કાર્તિકેય ને સ્કંધ (વીર્ય દ્વારા જીવીત) પણ કહે છે.

આવા શક્તિશાળી અને ઉષ્ણ બીજને અગ્નિને દેવો આપે છે. અગ્નિ બીજને ગરમ હોવાથી સાચવી શક્તિ નથી, ત્યારે પવનને આપે છે. જે વાયુ- પવન ગંગામાં પધરાવે છે ત્યાં પાણી ઉકાળવા માંડે છે અને બારું ના જંગલમાં આ વીર્યમાથી આગ લગતાં,બચેલા અંગારામાથી છ બાળકો ઉદભવે છે. માં માટે રડતાં તડપતા છ બાળકો માંથી છ માથાવાળું એક બાળક બનાવે છે અને છેલ્લે જે એક માથાવાળું એક બાળક બનાવે છે. કાર્તિકેય જન્મ પામે છે તો પહેલાજ દીવસે કાર્તિકેય શસ્ત્રો માંગે છે અને સાતમા દિવસે યુદ્ધ માં લડવા તૈયાર થાય છે તેથી તેને કુમાર બાળ સ્વરૂપ ભગવાન કુમાર કહેવાય છે.

  • અગ્નિ માથી પેદા થયા હોવાથી આગ્નેય કહેવાય છે
  • વાયુ માંથી પેદા થયા હોવાથી ગુહા તરીકે ભેદી બાળક ઓળખાવાય છે
  • છ મુખ સાથે જન્મેલા હોવાથી કાર્તિકેય ને શન્મુગ્ન પણ કહેવાયા છે
  • છ દિવસના બાળયોદ્ધાને કુમાર પણ કહે છે

યુદ્ધ માં થઈ સાત દિવસનો કુમાર કાર્તિકેય તારકને બરછીથી મારી નાખે છે. તારકના બે ભાઈઓ સિંહામુખન અને સુરપદમન યુદ્ધ ચાલુ રાખે છે.મરૂગન આ બન્ને હરાવે છે. ત્યારે માફી માંગતા સિંહમુખનને પાર્વતી માતાના વાહન તરીકે સિંહ બનાવે છે. અને હારેલા સુરપદમન ને પર્વત બનવાનુ સુઝયું ત્યારે મુરૂગન તેનાં બે ફાડચા કરી ડે છે અડધા પર્વતને મરઘો બનાવીને તેને પ્રતીક સંજ્ઞા તરીકે વાપરે છે અને અડધા પર્વત ને મોર બનાવીને પોતાનું વાહન બનાવે છે આમ કાર્તિકેય દેવનું તારક અને બધા દાનવો નું મારવાનું કામ કરે છે

શરતમાં હાર

ગણપતિ અને કાર્તિકેય વચ્ચે કોણ ઝડપથી પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા કરી શકે એવી શરત નારદમુની લગાવે છે ત્યારે ગણેશજી માતપિતાની ફરતે ત્રણ ફેરા પતાવીને એનેપોતાની લાગણીરૂપ દુનિયા તરીકે ઓળખાવે છે, જ્યારે કાર્તિકેય મોરની પીઠ પર પૃથ્વીની ત્રણ પ્રદક્ષિણા કરે છે અને તેને ખરું બાહ્ય જગત જણાવે છે. આમાં નારદ ગણપતિ ને વિજેતા જણાવે છે તેનાથી ગુસ્સે થેયલ કાર્તિકેય પિતાનું ઘર છોડી દક્ષિણ ભારત ના વીંધ્ય પર્વતની દક્ષિણે રહે છે.

કાર્તિકેય ના લગ્ન

ઉત્તર ભારતના કહેવા પ્રમાણે, તેને દરેક સ્ત્રી ક્યાંતો માં જેવી, કે વિધવા લાગે છે તેથી લગ્ન કરતો નથી. ઉત્તર ભારત માં કાર્તિકેયને બ્રમહચારી મનાય છે.

દક્ષિણ ભારત ના લોકો તેણે બે સ્ત્રી જોડે લગ્ન કરેલા હોવાનું કહે છે.

બીજા મત પ્રમાણે તેણે લગ્ન કરીને સ્ત્રીને યુદ્ધ ની વિધવા નહોતી બનાવવી તેથી પોતાની ચામડી માં પાર્વતી ને આપી હતી, જેથી ચામડી વગરના કાર્તિકેય ને સ્ત્રી પરણી ન શકે. દક્ષિણ ભારતમાં તેના લગ્ન બે સ્ત્રી સાથે થયા હોવાનું મનાય છે.

દેવસેના કે સેના

કાર્તિકને તારકને હરાવવાના બદલારૂપે, ઉપકૃત થયેલા ઇન્દ્ર ભગવાને, પોતાની પુત્રી દેવસેના (ભગવાનનું લશ્કર-સેના) સાથે સામાજિક રિવાજ મુજબ પરણાવે છે.


વાલી

બીજા લગ્ન લાગણી અને પ્રેમને લીધે વાલી સાથે થાય છે. ખેતર નું રક્ષણ કરતી બહાદૂર છોકરી નારદના કહેવાથી ત્યાં આવેલ કાર્તિકે ને મારવા જાય છે ત્યારે કાર્તિકેય યોદ્ધા સ્વરૂપ ધારણ કરે છે. તેનાથી બીધેલી વાલીની સામે જંગલી હાથી (સ્વરૂપે ગણપતિ) આવે છે જેનાથી બીકથી દોડતા કાર્તિકેયના હાથમાં આવે છે અને આકર્ષાય છે અને આ આકર્ષણ લગ્નમાં પરિણમે છે
આમ કાર્તિકેય યુદ્ધ શક્તિ અને રોમાંચિતતા દ્વારા શિવનો સંદેશો આપણે પહોચાડે છે.તો, હવે આપણે ભગવાન શંકર – ભોલેનાથ અને તે વિષે લગભગ બધું જાણીએ છીએ. તેથી “ઓમ નમઃ શિવાય” મંત્રોચ્ચાર સાથે શિવભક્તિ સંપૂર્ણ થશે.


ડો. ભરત એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

ગણપતિ ભગવાન

ભગવાન ગણપતિનો જન્મ

વિનાયક: નાયક (પુરુષ)ના સંબંધ વિના-વગર જન્મેલા તે ગણપતિ

  1. જ્યારે શિવ-પાર્વતી ને ગર્ભવતી બનાવવાનો ઇન્કાર કરે છે, ત્યારે પાર્વતિ શરીર ઉપર હળદળ અને તેલનો લેપ લાગવે છે તે સુકાઈ જાય છે ત્યારે શરીર પર થી ઘસી કાઢીને હળદળ-તેલ અને પોતાના પરસેવા યુક્ત ભૂકો ભેગો કરી ને ઢીંગલી બનાવી તેમાં પ્રાણ ફુકે છે જેથી પુત્ર ઉત્પન થાય છે આમ માણસની મદદ વગર પુત્ર થયો હોવાથી વિનાયક તરીકે ઓળખાય છે.
  2. શિવ અને શક્તિ પાર્વતિ હાથી સ્વરૂપે બનીને સવંનન કરે છે તેમાથી ઉત્પન્ન થતો પુત્ર ગણેશ કહેવાય.
  3. એક ત્રીજી વાયકા પ્રમાણે શિવ પાર્વતિ ને પ્રસન્ન કરવા પુત્ર ઉત્પન્ન કરે છે પણ તે ફકત પિતા જેવા વધારે પડતો દેખાતો હોવાથી પાર્વતિ તેનું માથું હાથી સાથે બદલી દે છે.
  4. ગણેશ પુરાણ અને ગણેશ ઉપનિષદ માં ગણેશને પોતાની જાતે જ ઉત્પન્ન થયેલ માનવમાં આવે છે.

ગણેશ મસ્તક વીચ્છેદન અને પુન:સ્થાપન

ગણપતિ પાર્વતિ નું રક્ષણ કરવાના ઇરાદે ભગવાન શિવને કૈલાશ ઘરમાં આવતા રોકે છે, ત્યારે શિવ ત્રિશુળ વડે વિનાયક નું મસ્તક છેદન કરે છે. શિવ લોહીવાળું વિનાયક નું મસ્તક લઈ ઘરમાં પાર્વતિ પાસે જાય છે, ત્યારે દૂ:ખી થઈ પાર્વતિ “મારો પુત્ર” એમ કહી ગુસ્સે થઈ જાય છે અને નરમ પ્રકૃતિની ગૌરી માથી કાળી અને ભયાનક “કાલી” નું સ્વરૂપ ધારણ કરે છે આ જોઈ ને શિવ ધ્રૂજવા લાગે છે તેમના સહાયકગણોને પ્રથમ સામે જે મળે તેનું મસ્તક લાવવા કહે છે આમ હાથી નું મસ્તક આરોપી ગણેશને જીવીત કરે છે.


ગણેશ ના લગ્ન

મોટા ભાગે ગણપતિ ને બ્રહમચારી સમજવામાં આવે છે, તેઓ આ કારણોસર લગ્ન કરતાં નથી.

  1. ગણપતિ ને પરણવા લાયક કોઈ સ્ત્રી માતા જેટલી સારી અને સુંદર લગતી નથી, તેથી લગ્ન કરતાં નથી.
  2. ગણપતિની કરૂપતા ને કારણે અને હાથીના મસ્તક ને લીધે કોઈ સ્ત્રી પરણવા રાજી થતી નથી. આથી પાર્વતિ આશ્વાસન રૂપે ગણેશ ના લગ્ન કેળના થડ ને સાળી પહેરાવી કેળના થડ સાથે કરાવે છે.
  3. જો કે આમ છતાં પણ ગણપતિ ની પત્ની તરીકે બન્ને રિદ્ધિ (ભૌતિક સમૃદ્ધિ) અને સિદ્ધિ(અધ્યાત્મિક વિકાસ) ઓળખવામાં આવે છે. ગણેશ પુત્ર તરીકે શુભ અને લાભ (શુભ = પવિત્ર) અને (લાભ = નફો, ફાયદો) તેમજ પુત્રી તરીકે સંતોષી જણાવાય છે.

ગણેશ ની પુજા

ગણેશચતુર્થી થી આનંદ ચૌદસ સુધી, દસ દિવસ સુધી જીવન ને મરણના ચક્રના પુરાવા રૂપે પ્રકૃતિ ના કુદરતી ચક્ર સમજાવવા ગણેશ સ્થાપના માટીમાંથી કરવામાં આવે છે. ગણેશ મુર્તિ ફરતે જવારા ઉગાડવામાં આવે છે જેને માતા પાર્વતિ-ગૌરી માનવવામાં આવે છે. દસ દિવસ પછી પાણીમાં તેનું વિસર્જન કરવામાં આવે છે.


ગણપતિ ના હાથી દાંત

ગણેશના બે હાથી દાંત ગણેશજી તોડી નાખે છે, તેના કારણો આમ છે.

  1. વ્યાસ મુનિ બૌધિક વાતો ગણપતિ ને કહે છે તેને લખવાની કલમ તરીકે ગણેશ હાથીદાંતો વાપરે છે.
  2. ગણપતિના મોટાપણાનો ઉપહાસ-કટાક્ષ કરતાં ચંદ્રને મારવા માટે હાથીદાંત તોડે છે.
  3. પરશુરામ કે બલરામ ની સાથે લડવા હાથીદાંત નો ઉપયોગ કરે છે.
  4. શક્તિ નો ઉપયોગ પોષણ અને રક્ષણ માટે કરવાનો છે નહીં કે મોટાઈ માટે તે બનાવવા ગણેશજી દેખાડવાના હાથીદાંત તોડે છે.


  • પેટ ખૂબ મોટું હોવાથી તેમને લંબોધરા કહે છે.
  • ગણપતિ ના શરીરે સાપ વિટળાયેલ છે અને પગ આગળ ઉંદર બેઠેલ છે.

ભગવાન ગણપતિ ના બે સ્વરૂપો જાણીતા છે એક માં તેઓ હાથ માં કુહાડી લઈ જીવનની ભૌતિક સુવિધાઓ થી દૂર થવાનું સુચન કરે છે અને બીજા હાથ માં દોરડાનો ગાળિયો બનાવી વિરોધાભાસી તત્વોને જોડાવાની વાત સમજાવે છે અને શિવ-પાર્વતિ એક છે એમ સમજાવે છે.

જ્યારે બીજા સ્વરૂપ માં એક હાથમાં અંકુશ દ્વારા યમ ના બંધન અને મૃત્યુ પર કાબૂ મેળવે છે અને બીજા હાથમાં શેરડી લઈ કામ-અપેક્ષા-કામનાથી મુક્તિ મેળવવાનું કહે છે.

કુબેર ગણેશ નું જમવા આમંત્રણ

ધન વૈભવના અભિમાનમાં ગણપતિને તારા પિતા તારે માટે ભોજન નહીં આપી શકે એમ કહીને કુબેર ગણપતિને જમવા આમંત્ર છે ત્યારે ગણપતિ ખાવાનું અને ધન ખુટાડી દે છે. કુબેરને અભિમાન તોડી જણાવે છેકે તમે ભૂખ માટે ખોરાક લાવો છે અને સંગ્રહો છે, પણ શિવ મારા પિતા ભૂખ પર વિજય મેળવવાનું શીખવે છે.
ભગવાન શિવ – ગણપતિ ને ગણના નેતા બનાવે છે અને ભય થી મુક્તિ આપવાનો રસ્તો બતાવે છે ભયથી મુક્તિ હશે તો જ સંગ્રહ ની લાલચ છોડાશે.

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે.

આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

મા પાર્વતી

ભગવાન શિવ-શંકર-મહાદેવ અને ગણેશ વિષે આપણે ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હોઈએ છીએ. એ બન્ને વિષે જાતજાતની માહિતી રાખીએ છે. પણ તેમના કુટુંબના અગત્યના સભ્ય પાર્વતી-મા દુર્ગા-વિષે લગભગ અજ્ઞાત છીએ. ચાલો, મા પાર્વતીને વિગતે ઓળખીએ.

પર્વતપુત્રી તે પાર્વતી

પર્વત રાજા હિમાવત અને માતા મેનાવતીની પુત્રી પાર્વતીનો ભગવાન શિવ પતિ છે, તો ગણેશ અને કાર્તિકેય પુત્રો છે. પાર્વતિના ભાઈ વિષ્ણુ અને બહેન નદી ગંગા છે. આ સામાજીક પરિચય વાળી મા પાર્વતીને પર્વતને લીધે શૈલજા, અદિજા, નાગજા, ગિરિજા, અને હેમવતી તરીકે પણ ઓળખવામા આવે છે.

મોરારજી દેસાઈ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈ આપણી વચ્ચે જીવ્યા અને મર્યા. તેમને માટે આપણને સૌને ગર્વ છે. કારણ તેઓ ગુજરાતી હતા. આપણી જેમ અનાવિલ હતા અને ગરીબ પરિવારના સભ્ય હતા. તો પણ ભારતના રાજકિય સર્વોચ્ચ પદ વડાપ્રધાન પદે સ્વબળે પહોચ્યા હતા. તેઓ આપણા હતા આપણી સાથે હતા જીવ્યા હતા. આપણે તેમને સરળતાથી મળીને વાતચીત કરી શકતા હતા. છતાં તેમનો પરિચય મને કહેવા દો.

મોરારજી દેસાઈનો સ્વભાવ

સાચો પરિચય ખૂબ ઓછા લોકોને હતો. આથી તેમના વિષે ઘણી ગેરસમજો પ્રવર્તતી હતી. તેમના વિષે પૂર્વગ્રહથી લખાતી માહિતીઓ દ્વારા આપણે તેમને ઓળખતા થયા હતા. ત્યારે તેમનો સ્વભાવ જીદ્દી, તુંડમિજાજી, અભિમાની કે ખૂબ જ કડક હોવાની ખોટી માન્યતા હતી. તે દૂર કરવાનો અને સાચી રીતે તેમને ઓળખાવવાનો પ્રયત્ન અહી મેં કર્યો છે. મોરારજી દેસાઈના સ્વભાવનો પરિચય કરાવવા અને તેમને થતો અન્યાય નિવારવા હું તેમની આત્મકથામાંથી દેખાતા અને ઉદભવતા તેમના સ્વભાવની વાત કરીશ. ચાલો, પહેલા ટૂંકો પરિચય જાણીએ.

ટૂંકો જીવન પરિચય
  • ૨૯.૦૨.૧૮૯૬ વલસાડ જીલ્લાના ભદેલી ગામે મોસાળમાં જન્મ
  • પ્રાથમિક શિક્ષણ : ભદેલી અને સાવરકુંડલા
  • માધ્યમિક શિક્ષણ : શેઠ આર.જે.જે.હાઈ સ્કૂલ અને બાઈ આવાંબાઈ હાઈ સ્કૂલ, વલસાડ
  • ૧૫ વર્ષે  મેટ્રિક
  • કોલેજ વિલ્સન કોલેજ, મુંબઈ
  • ૧૫ વર્ષે પિતાનું અવસાન
  • નોકરી : ૧૯૧૮ થી ૧૯૩૦ નાયબ કલેક્ટરની નોકરી
  • મુંબઈ રાજ્યના ધારાસભ્ય, મંત્રી તથા મુખ્ય મંત્રી, ભારતના નાણાપ્રધાન, નાયબવડા પ્રધાન અને વડા પ્રધાન
  • ૧૦.૦૪.૧૯૯૫ મૃત્યુ સાબરમતી આશ્રમ અભયઘાટ
સ્વભાવ જાણવા માટે વ્યક્તિને દિનચર્ચા જાણવું અનિવાર્ય નથી શું?

દૈનિક કાર્યક્રમ  (જેલવાસ દરમ્યાન)
  • ૩.૦૦ કલાકે ઊઠવું, પ્રાર્થના પ્રાંત: ક્રિયાઓ સ્નાન
  • ૪:૧૫ કલાકે પુજા
  • ૫:૦૦ કલાકે પધાસન (૧ કલાક)
  • ૬:૦૦ કલાકે ચાલવું
  • ૭:૦૦ કલાકે દૂધ
  • ૯:૦૦ કલાકે કાંતણ વાંચન
  • ૧૦:૩૦ કલાકે સવારનું ભોજન, ગાયનું દૂધ, કેરી, સફરજન, ચીકુ જેવા ફળો.
  • ૧:૦૦ કલાકે આરામ પધાસન અને ગાયત્રીમંત્રનો જાપ (૧ કલાક)
  • ૨:૩૦ કલાકે કાંતણ અને વાંચન (રામચરિતમાનાસ)
  • ૫:૦૦ કલાકે ચાલવું
  • ૬:૦૦ કલાકે સાંજનું ભોજન દૂધ અને ફળ
  • ૬:૪૫ કલાકે પ્રાર્થના પધાસન (૧ કલાક)
  • ૯:૦૦ કલાકે શયન
  1. સતત સત્યની શોધ માટે આત્મનિરીક્ષણ
  2. અંતર શોધ અંતર યાત્રા
  3. પ્રભૂચિંતન ઈશ્વરનો સાક્ષાત્કારની ઝાંખની 
તુલસીદાસનું રામાયણનું પાંચ વખત વાંચન. ભક્તિ એટલે પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણે સંપૂર્ણ અને નિ:શેષ સમર્પણ.

તો ચાલો, હવે મૂળવાત મુદ્દાસર માંડીએ. તેમના સ્વભાવના વિવિધ લક્ષણો એક પછી એક સમજી લઈએ તે યોગ્ય રહેશે.

જીવનશ્રદ્ધા
  • કર્મનો સિદ્ધાંત : જેવુ કર્મ હોય તેવું જ તેનું ફળ હોય છે.
  • માણસ જે કઈ સુખ, દુ:ખ કે શાંતિ અનુભવે છે એ પોતાના કર્મો પ્રમાણે જ અનુભવે છે અથવા ભોગવે છે. અને કારણભૂત એટલે કે સાધનરૂપ કાંઈક થઈ શકે.
  • કોઈપણ એક વ્યક્તિને કારણે બીજી વ્યક્તિ સુખી કે દુ:ખી થઈ શકતી નથી.
  • જન્મ અને પુર્નજન્મના સિદ્ધાંતમાંની શ્રદ્ધા કર્મના સિદ્ધાંતમાંથી આવિસ્કાર પામે છે. આ, માન્યતા કે શ્રદ્ધા ભારતીય સંસ્કૃતિની છે.
  • કયા કર્મોનું કયારે પરિણામ ભોગવવાનું હોય છે એનો પણ નિયમ હશે એમાં મને શંકા નથી. આપણે જાણતા નથી તેથી નિયમ નથી એવું નહીં કહી શકાય.
સંચિત કર્મો

પુર્નજન્મની માન્યતામાં એ પણ સિદ્ધાંત રહેલો છે કે માણસ જયારે સંચિત કર્મો ભોગવી લે અને નવા કર્મો ભોગવવાના ન થાય એવા જ કર્મો કરે તો તેનો પછી પુર્નજન્મ ન થાય.

કર્મો:
  1. પુણ્યકર્મ : બીજાનું ભલું કરવું
  2. પાપકર્મ : પોતાના ફાયદા માટે બીજાને નુકશાન કર્તા કર્મ
  3. પાપ પુર્ણ્યકર્મ : નિષ્કામ કર્મ, અનાસક્ત કર્મ
માણસને સત અને અસત એવી બંને પ્રકારની વૃત્તિ મળેલી હોય છે. તે પ્રમાણે સારું અગર ખોટું નવું કર્મ કરવા પ્રેરાય છે. મૂળતત્વ એટલે કે સત્યની ખોજમાં વિચારપૂર્વક અને વિવેકપૂર્વક મંડ્યા રહે તો માણસને સત્યનું દર્શન થાય છે અને આખરે પુર્નજન્મના ફેરામાંથી બચી જાય છે અને મૂળતત્વમાં આવે છે. ઈશ્વરદર્શન કે સત્ય દર્શન આ સૃષ્ટિની સેવા સિવાય થઈ શકતું નથી. તેથી જ જનસેવા એ પ્રભુસેવા દ્વારા પ્રભુદર્શન અને અનાશક્તિ મળે છે. કર્મ માર્ગ છે. હવે ભક્તિમાર્ગમાં ઈશ્વરની સતત ભક્તિ કરતાં કરતાં પણ માણસ અનાસક્ત કર્મ કરતાં શીખે છે. આમ જોતાં કર્મમાર્ગ લગભગ એક જ છે.

સુખ દુ:ખ પ્રત્યે સમભાવ
  • સુખ દુ:ખ ભોગવવાનું રહે છે અને એને ટાળી શકાતું નથી. પરંતુ એ બંનેમાં માણસ જો સમભાવે રહી શકે તો એ દુખની લાગણીની તીવ્રતામાંથી એ બચી શકે. એનો અર્થ કે બંનેને સરખી રીતે ભોગવે અને બંનેમાં શાંતિ રાખે. કોઈપણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં એ શાંત, સંતોષી અને નીવિર્રકારી રહે તો, એ દુ:ખ અનુભવવાની લાગણીની તીવ્રતામાંથી એ બચી શકે.
  • બીજાના દુ:ખમાં સહભાગી થવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી તે વ્યક્તિને દુ:ખ સહેલાઈથી ભોગવવામાં મદદગાર થઈ શકાય છે અને આ રીતે એ માણસ નમ્ર અને અનાસક્ત બની શકે છે. એ પણ એક નિસ્વાર્થ સેવા બને છે.
  • જ્યાં બદલાની આશા રહે છે, ત્યાં નિરાશાને સ્થાન રહે છે. તેમાંથી અનેક ખોરી પ્રવુતી જન્મે છે. તેથી કોઈપણ સંજોગો સમજણ અને શાંતિ મેળવવાનું મારે માટે સહજ અને આસાન થઈ ગયું છે. આમ દુ:ખ ભોગવવાની વખતે બીજાને દોષ દેવાનું કે રાગદેષ રહેતો નથી.
  • ઈશ્વરનો નિયમ સદા કલ્યાણકારી જ હોય છે. એ નિયમ પ્રમાણે ચાલવાથી હંમેશા કલ્યાણ જ થાય છે.
  • મારા જીવનમાં ખટપટ કરવાનું મે કદી ઉચિત માન્યું નથી. જીવનમાં જે મળે એ ઈશ્વરની પ્રસાદી છે એમ સમજી છું.
  • કોઈને હું મારા કરતાં ઊતરતો ગણતો નથી અને મારી જાતને હું કોઈનાથી ચડિયાતી માણતો નથી.
  • મારા પર જિદ્દી પણાનો ખોટો આરોપ છે. મારો મત ખોટો સમજાય છતાં તેને વળગી રહું તો જિદ્દી કહેવાય, તેવું હું કરતો નથી.
  • માણસે સત્યની ટેવ સિવાય બીજી કોઈ ટેવોમાં પડવું નહી, કારણ ટેવની આદત પરાધીન અને કમનીય બનાવે છે.
  • સત્ય પ્રાપ્તિની એષણા અને જનસેવાની ઇચ્છામાં બાકીની બધી ઈચ્છા લય પામે તો જ માણસ નિર્ભય બની શકે.
ચિંતા
  • હું જાણું છું કે ચિંતા કરવાથી કશો અર્થ સરતો નથી. ઊલટાનું ચિંતા કરવાથી તો નિર્ણયશક્તિ ગુંગળાય છે. ચિંતા કરવાથી વ્યક્તિ અન્ય ને સહાયભૂત થતો અટકે છે અને પ્રગતિને વિલંબમાં નાખે છે. સંપૂર્ણપણે પ્રભુને સમર્પણ કરવાને પરિણામે મારી સઘળી માનસિક યાતનાઓથી હું ઉંચે ઉઠી આવ્યો છે.
  • પરમાત્મા કાનૂન અનુસાર જ સઘળું થતું હોય છે. એવી મારી માન્યતા છે. પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા કદીએ નુકશાન કારક નથી, પણ ફાયદાકારક જ હોય છે.
  • વ્યક્તિના જીવનમાં જે કંઇ બને છે તેને પરમ કૃપાળુ પરમાત્માના કાયદા કે ઈચ્છા તરીકે ઘટાવવી જોઈએ. આમ થાય તોજ વ્યક્તિ દરેક પરિશ્થિતિમાં શાંત અને સ્વસ્થ રહી ચિંતામુક્ત બને છે.
ગુસ્સો
  • કોઈ ખોટું બોલતું કે અનીતિ કરતું દેખાય તો એ પ્રત્યે મને ભારે ગુસ્સો આવતો હતો અને એવું કરનાર તરફ હું સખતાઈથી બોલતો અને વર્તતો હતો. અને કેટલીક વખત એ બધાને શારીરિક શિક્ષા પણ કરતો હતો.
  • વહેવારમાં જો વ્યવસ્થા જાળવવી હોય તો ખોટું થાય ત્યાં સખતાઈથી કામ લેવાની જરૂર છે એમ મનમાં રહેતું.
  • ૧૯૫૨માં આ વિશે કોઈ વધારે વિચારતાં મને ખાત્રી થઈ કે માણસ જયારે એની દલીલ ખૂટે છે ત્યારે જ ગુસ્સો કરે છે. અગર પોતે કંઈ ખોટું કર્યું હોય વિશે કોઈ કહે ત્યારે સ્વીકારવાને બદલે ગુસ્સાથી બોલનારને દબાવે છે.
  • ગીતાના અભ્યાસ પછી ગુસ્સો કેમ જન્મે છે અને તેનાથી બુદ્ધિનાશ થાય છે એમ સમજ્યા પછી ગુસ્સો અક્ષમ્ય છે એમ મને ખાતરી થઈ. આમ અધ્યાત્મિક રીતે વિચારમાં ગુસ્સા વગર માણસ કામ કરે તો એની સારી અસર જલદી થાય છે. તે સમજ્યો.
ઉપવાસ
  1. ૧૯૫૬ મહાગુજરાત આંદોલનના નેતાઓએ અજમાવેલ હિંસાના પ્રતિકારમાં, અમદાવાદ.
  2. ૧૯૬૯ કોમી હુલ્લડો સામે અમદાવાદ
  3. ૧૯૭૪ નવનિર્માણ આંદોલનમાં ભળેલી હિંસાના વિરોધમાં બેજવાબદાર પોલીસ ગોળીબારમાં ૧૨૦ ૧૩ થી ૨૫ વર્ષના નિર્દોષ યુવકોની હત્યા થઈ હતી.
હેતુ
  1. હિંસા અટકાવવા
  2. વિધાનસભનું વિસર્જન(ગુજરાત)
  3. ૧૧ માર્ચથી ૧૫ માર્ચ ગુજરાત વિધ્યાપીઠ, અમદાવાદ ખાતે
  4. ગુજરાત વિધાનસભનું વિધાનસભાની ચૂટણી યોજવા અને (મિસા) કાયદો રાજકીય કાર્યકર સામે ન વાપરવા બાબતે બંને માંગણી સ્વીકાર
અહંભાવ
  • મારું નામ કોઈ સંસ્થા, માર્ગ કે સ્થાન વગેરે માટે ન આપવા દેવાનો નિયમ મેં જાહેરજીવનમાં પ્રવેશ કર્યો ત્યારથી જ રાખ્યો છે. અને એ વિશે કોઈ અપવાદ કર્યો નથી.
  • આ નિયમ કરવા પાછળ મારો એક હેતુ સ્પષ્ટ છે અને તે એ કે અહંભાવ છોડવાનો. માણસ અહંભાવ ન છોડે ત્યાં સુધી સત્યદર્શન થઈ શકતું નથી. અને સત્યદર્શન સિવાય બીજી કોઈ અભિલાષા મેં જીવનમાં પોષી નથી.
  • ૧૯૫૬ ની ૨૯ ફેબ્રુઆરીએ ૬૦ વર્ષ પુરા થયા ત્યારે પણ મેં હિરકજયંતી દ્વારા જન્મદિવસની ઉજવણી કરવા દીધી નહોતી.
ઇશ્વરી નિયમ

જે બનવાનું હોય છે તે અને છે. અને કોઈ અટકાવી શકતું નથી. જે બને છે તે ઈશ્વરના નિયમ પ્રમાણે બને છે અને તેથી માણસે શાંતિથી અને આનંદથી તે સ્વીકારવું જોઈએ. માણસે બુદ્ધિનો સદુપયોગ કરીને જે કર્મ કરવું જોઈએ તે સતત કર્યા કરવું જોઈએ. એનું પરિણામ ઇશ્વરી નિયમ પ્રમાણે જે આવે તેમાં સંતોષ મને, એમાં પણ ઈશ્વરનો અનુગ્રહ જ મને તો માણસની શાંતિનો કદી ભંગ નહી થાય અને એ દુ:ખી પણ નહીં થાય.

અપ્રિય સત્યવચન

કોઈને સતી કડવું લાગે તો પણ સત્ય બોલતાં અચકાવું નહીં એવી મારી માન્યતા હતી. સત્ય બોલો પણ પ્રિય બોલો. વળી ઋષિમુનિઓની સલાહ પછી મને તુરંત જ સમજીસુ કે આ પહેલી વિચારસરણી ભૂલભરેલી હતી.

સત્ય અપ્રિય કેમ લાગે તે વિચારતાં લાગ્યું કે (૧) કોઈની કહેલી વાત કદાચ અસત્ય પણ હોઈ શકે, તેથી બીજાને તે ચોક્કસ અપ્રિય થાય અને (૨) કોઈપ્રત્યે મને અણગમો હોય તો વાતમાં તે આવતા સત્ય પણ અપ્રિય લાગી શકે. એનાથી મારામાં સારું સરખું પરીવર્તન આવ્યું. મે વિચાર્યું કોઈને વિશે પણ અણગમો ન રાખવું. આ રીતે અપ્રિય બોલવાનું ટાળવા પ્રયત્નપૂર્વક શીખ્યો.

મૃત્યુ

બોમ્બે હોસ્પિટલ ખાતે ડો. શાંતિલાલ મહેતા પાસે, ૧૯૫૮ માં: ૧૯૫૮માં મુત્રપિંડની પથરીના ઓપરેશન વખતે, ઓપરેશનમાં મૃત્યુનો ભય જ ચિંતા ઉપજાવે છે. પણ મને પોતાને મૃત્યુનો ભય નથી કારણ કે મૃત્યુ અનિવાર્ય છે અને એની ઘડી નિશ્ચિત છે એમ હું માનું છું. અને કોઈ ટાળી શકતું નથી કે આગળ ઠેલી શકતું નથી. એથી મૃત્યુ દુ:ખ માનવનું કોઈ કારણ નથી. એટલે જે અનિવાર્ય છે એની ચિંતા કરવી નકામી છે.

૧૯૫૮માં પ્રથમ બોમ્બે હોસ્પીટલમાં કિડની સ્ટોન અને ત્યાર પછી હરકિસનદાસ હોસ્પીટલમાં હર્નિયા ઓપરેશન કરાવ્યું હતું.

સલાહ

હું હંમેશા એમ માણતો આવ્યો છું કે સલાહ, પછી ભલે તે ગમે તેટલી મૂલ્યવાન હોય તો પણ સલાહ માગનારને માટે તે કદી આજ્ઞાન ન બનવી જોઈએ. (સરદારના અવસાન પછી ગુજરાતના વહીવટમાં ગુજરાત વિષયક સલાહ તથા ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના પછી સલાહો બાબત)

સ્વમાન

મારા સ્વમાનને જતન કાજે શ્રીમતી ઈંદિરા ગાંધીના પ્રધાન મંડળમાંથી રાજીનામું નાયબ વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું. મારા સ્વ્મનને હું મહામૂલી મૂડી સમજું છું. ભયની સામે એજ માત્ર મને હિંમત અને સ્વાતંત્રય બક્ષે છે. મારો જેલવાસ ૨૬.૦૬.૭૫ થી ૧૯ મહિના કટોકટી દરમ્યાન – પહેલાં સોહના પછી તાઓરું ખાતે. જ્યાં જ્યાં હું જાઉં ત્યાં ત્યાં મને ઘર જ લાગે છે.

આ વાતો જાણ્યા, સમજ્યા પછી મને લાગે છે કે વ્યક્તિના પ્રત્યક્ષ સંપર્ક વગર – બહારથી મળેલી માહિતીઓને ભેગી કરીને આપણે નિર્ણાયક બની જતાં હોઈએ છીએ. અને તેથી વ્યકતીને અજાણતા અન્યાય કરી બેસતા હોઈએ છીએ.

અહી શ્રી મોરારજીની આત્મકથા મારું જીવનવૃતાંત ના ૭૨૪ પૃષ્ઠો વાંચીને તેમને ઓળખવાનો સંન્નિષ્થ પ્રયત્ન મેં કર્યો છે. તે પુસ્તકનાં આધારે એમના સ્વભાવના લક્ષણો મેં વાગોળ્યા છે. તેમનો અપ્રિય કઠોર સત્યવચન કહેવાનો સ્વભાવ હતો, તે એમણે સ્વીયાર્યું છે, પરંતુ તેની ભૂલ સ્વીકારી, તેમણે આવું ટાળવાનો પ્રમાણિક પ્રયત્ન કર્યો છે. તે રીતે જ, જીદ્દીપણાના આરોપને પણ ખોટો સાબિત કર્યો છે. પોતાના મતને વળગી રહેવું ખોટું નથી, પણ તે ખોટો છે એમ સમજ્યા છતાં ન સ્વીકારવું અને ન બદલવું તે જિદ્દીપણું તેમનામાં ન હતું. તેઓ ગુસ્સાવાળા હતા એમ કહેવાતું પણ તેઓ અધ્યાત્મિક વિકાસને માર્ગે જઈને પોતાના ગુસ્સાને કાબુમાં રાખી શકયા હતા, પરતું પોતાના સ્વાર્થનું ખોટું કામ ન કરતાં હોવાથી, ઘણાએ તેમને ખોટી રીતે વગોવ્યા છે.

આમ શ્રી મોરારજી દેસાઈનો આત્મકથા દ્વારા મળતો પરિચય તેમને અધ્યાત્મિક પુરુષ, જેઓ ઇશ્વરી શક્તિમાં વિશ્વાસ ધરાવનાર અને આસ્તિક બતાવે છે. તેઓ સત્યવક્તા હોવા ઉપરાંત સ્પષ્ટવક્તા હતા, જે સદગુણ કેળવવો ખૂબ મુશ્કેલ છે. તેઓ નિર્ભય હતા અને તે માટે આપણને પણ નિર્ભયતા સમજાવતા રહ્યા હતા. છેલ્લે તેમને સ્વમાની અને ની:સ્પૃહી કહેવા પડે, કારણ નાયબ વડાપ્રધાન અને વડાપ્રધાનપદેથી તેમણે શાંતિથી રાજીનામું આપી દીધું હતું.

આવા આપણાં શ્રી મોરારજી દેસાઈને વંદન.


ડો. ભરત દેસાઈ, બીલીમોરા
bharat@desaieyehospital.com





શ્રી. મોરારજી દેસાઈની આત્મકથા 
  • “મારું જીવનવૃતાંત” - ભાગ ૧, ૨ અને ૩
  • લેખક : મોરારજી દેસાઈ
  • પ્રકાશન : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
  • કિમત : નવસો રૂપિયા
  • પાનાં : ૭૧૦ + ૧૪
  • પ્રકાશન: ૧૯૮૪ (સંયુક્ત)


ભગવાન શિવ શંકર – ભોલેનાથ

શિવ – શંકર – ભોલેનાથ તરીકે

ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ.

ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી.

વૃદ્ધાવસ્થાની આરસી

થોડા વખત પહેલાં મેં “વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ” નામનું ડો. હિતેશકુમાર એન. પટેલ લિખિત સંશોધનાત્મક પુસ્તક વાંચ્યું. એ પુસ્તકમાં લેખકે જીવનના વિવિધ વિભાગો જેવા કે માનસિક સ્થિતિ, આર્થિક બાબતો, સામાજિક બાબતો, આરોગ્ય અને સમય પસાર કરવાની સમસ્યાઓ વિષયક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. તે ઉપરાંત આ વિષયમાં બીજા સંશોધનો સાથે સરખામણી કરી. તેમાંથી પ્રેરણા લઈ મેં બીલીમોરાના વૃદ્ધોની ખરેખર સ્થિતિનો અભ્યાસ કરવા વિચાર્યું અને તેના અભ્યાસના ફળ સ્વરૂપે આ લેખ લખ્યો છે.


પહેલાં મેં પ્રશ્નોત્તરી તૈયાર કરી - તેમાં મુખ્યત્વે વૃદ્ધોની વ્યક્તિગત માહિતી લીધા પછી તેમની માનસિક સ્થિતિ, આરોગ્ય અને આર્થિક બાબતોને લગતા સવાલો પૂછયા. ત્રણ પૃષ્ઠોની આ પ્રશ્નોત્તરીમાં શક્ય જવાબો પણ મૂકીને ફક્ત ખરું પાડીને (ટીક માર્ક) જવાબ આપવા સૂચવ્યું. ઉપલબ્ધ માહિતીના આધારે તેનો સાર અહીં રજૂ કરું છું. આશા છે આપને ખરેખર બીલીમોરામાં વસતા વૃદ્ધોની વૃદ્ધાવસ્થાની આરસી જોવા મળશે.

ભારત વિ. પાકિસ્તાન: આપણે મિત્રો કેમ નથી?

ભારત-પાકિસ્તાનના સંબંધો એટલી જટિલ સમસ્યા છે, તે વિષયક ૧૮૦ પાનાના પુસ્તકનો સાર કહેવા ખૂબ હોશિયારી માંગે છે. હું પ્રયત્ન કરીશ. આ વાત ત્રણ મુદામાં વહેંચીને સારી રીતે સમજાવી શકીશ.
  1. ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધો,
  2. ભારત-પાકિસ્તાન અને વિશ્વના નેતા અને બીજાઓના મંતવ્યો કહીશ,
  3. છેલ્લે, આખી વાર્તાનો સાર-ઉપસંહાર કહીશ.

દોસ્તાર - સુખનું સરનામું

દોસ્તાર - સુખનું સરનામું

લેખક: જય વશી 

પુસ્તક પરિચય - પ્રતિભાવ અને વિવેચન (ડૉ. ભરત દેસાઈ)


પુસ્તક પરિચય (Book Review) લખતી વખતે લખનારે પોતાનો પરિચય કે પરાકમોની વાત નથી કરવાની. ઉપરાંત લેખકના પુસ્તક દ્વારા જે વિચારો પોતે માણ્યા છે તેની વાત જ ટૂંકમાં કહેવાની હોય છે. પુસ્તક વાંચ્યું હોવું ફરજિયાત છે!? પુસ્તક વાંચવાની આતુરતા-ઉત્કઠા જાગે ત્યાર પછી થોડી વાતો વાચકને પુસ્તકમાંથી જ મળે તે માટે બાકી પણ રાખવાની હોય છે... મેં બાંઘેલી આ મર્યાદામાં રહીને પ્રતિભાવ રજૂ કરીશ.


Learning To Say No, When You Usually Say Yes

Great damage is done to you if you say Yes when actually you want to say No. During a lifetime, we come across incidences in the day to day life where a critical situation arises and we wrongly say Yes instead of No. This is about the analysis of all circumstances telling and teaching us why do we say Yes, how should we say No and most importantly, what are the benefits of telling No.

No means no!
(Photo source: indiatoday.in)