Skip to main content

વૃદ્ધાવસ્થાની આરસી

થોડા વખત પહેલાં મેં “વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ” નામનું ડો. હિતેશકુમાર એન. પટેલ લિખિત સંશોધનાત્મક પુસ્તક વાંચ્યું. એ પુસ્તકમાં લેખકે જીવનના વિવિધ વિભાગો જેવા કે માનસિક સ્થિતિ, આર્થિક બાબતો, સામાજિક બાબતો, આરોગ્ય અને સમય પસાર કરવાની સમસ્યાઓ વિષયક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. તે ઉપરાંત આ વિષયમાં બીજા સંશોધનો સાથે સરખામણી કરી. તેમાંથી પ્રેરણા લઈ મેં બીલીમોરાના વૃદ્ધોની ખરેખર સ્થિતિનો અભ્યાસ કરવા વિચાર્યું અને તેના અભ્યાસના ફળ સ્વરૂપે આ લેખ લખ્યો છે.


પહેલાં મેં પ્રશ્નોત્તરી તૈયાર કરી - તેમાં મુખ્યત્વે વૃદ્ધોની વ્યક્તિગત માહિતી લીધા પછી તેમની માનસિક સ્થિતિ, આરોગ્ય અને આર્થિક બાબતોને લગતા સવાલો પૂછયા. ત્રણ પૃષ્ઠોની આ પ્રશ્નોત્તરીમાં શક્ય જવાબો પણ મૂકીને ફક્ત ખરું પાડીને (ટીક માર્ક) જવાબ આપવા સૂચવ્યું. ઉપલબ્ધ માહિતીના આધારે તેનો સાર અહીં રજૂ કરું છું. આશા છે આપને ખરેખર બીલીમોરામાં વસતા વૃદ્ધોની વૃદ્ધાવસ્થાની આરસી જોવા મળશે.

બીલીમોરા ખાતે છેલ્લાં થોડાક વર્ષોથી “સીનીયર સીટીઝન ક્લબ” નામની સંસ્થા ચાલે છે. તેમાંથી સો જેટલા વયસ્કોએ પ્રશ્નાવલિમાં આપેલા જવાબોનો આધાર લઈ મળેલ માહિતી અહીં પ્રસ્‍તુત છે.

જવાબ આપનારા સો (૧૦૦) વ્યક્તિઓએ પોતાનો પરિચય, નામ, સરનામું, ફોન નંબર સાથે આપ્યા પછી, અભ્યાસ, વ્યવસાય, લગ્નજીવન, કુટુંબની માહિતી અને વાર્ષિક આવક જણાવી.

. 9પ પુરૂષો અને ૩પ સ્ત્રીઓએ ભાગ લીધો, આમ, ટકાવારીની સરળતા માટે અભ્યાસ સો વ્યક્તિ સુધી મર્યાદિત રાખ્યો.

. અભ્યાસ: ૦૭ ધો. ૧ થી ૯, ૩૯ એસ.એસ.સી., રપ સ્નાતક, ૧૮ અનુસ્નાતક, પ ડોક્ટર ભણેલાનું સપ્રમાણ મિશ્રણ છે.

. લગ્નજીવન: ૮૦ વ્યક્તિ પરિણિત, ૪ અપરિણિત અને ૧૬ વિધવા/વિધુર છે.

. કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા લગભગ સરખા પ્રમાણમાં બે, બે થી પાંચ અને પાંચ થી વધુ વ્યક્તિઓ ઘરમાં રહે છે. દરેક ૩૩% હોય સરખા છે.

. આવક: લગભગ ત્રણ લાખ અથવા વધુ આવક ધરાવતા વ્યક્તિઓનો જ અહીં સમાવેશ થયો છે. પેન્સનરોની મોટી સંખ્યા કારણરૂપ છે. આમ, ગરીબો કે ગરીબી રેખાની નીચેના લોકો આ અભ્યાસમાં સમાવિષ્ટ નથી.

આ અભ્યાસ વૃદ્ધાવસ્થાની ત્રણ બાબતોને અનુલક્ષીને કર્યો છે: આર્થિક, શારીરિક અને સામાજિક સ્થિતિ.

તો શરૂઆત આર્થિક બાબતોથી કરીએ.

આર્થિક સ્થિતિ

આર્થિક બાબતોના માપદંડો તરીકે ઘરની માલિકી, ઘરમાં સગવડો અને વાહનોને ચર્ચામાં લીધા પછી આર્થિક નિર્ણયો અને હાલની મૂડીની વ્યવસ્થાથા પૂર્ણ કરીશું.

૧. રહેઠાણની માલિકી: સો ટકા વૃદ્ધો પોતાની માલિકીના ઘરમાં રહે છે. એટલે કે પોતાની અથવા સંતાનની છે. કોઈ ભાડૂઆત નથી.

. રહેઠાણમાં પોતાની જરૂરિયાતો સંતોષાય છે કે કેમ તે પ્રશ્નનો જવાબ એકમાત્ર અપવાદ સિવાય રહેઠાણમાં દરેકની જરૂરિયાત સંતોષાય છે જે નીચેના કોઠામાં સ્પષ્ટ થાય છે.

૩. રહેઠાશમાં સગવડો

ક્રમ સગવડો સ્ત્રીપુરુષકુલ
ટી વી  ૩૪ ૬૬ ૧૦૦
ફ્રિજ  ૩૩ ૬૪ ૯૭
એ સી  ૧૯ ૩૬ પપ
માઇક્રોવેવ  ૧૬ ર૬ ૪ર
 વોશિંગ મશીન  ર૩ ૪૬ ૬૯
ઘર ઘંટી  ૧૯ ૩પ પ૪
સ્કૂટર ર૬ પ૯ ૮પ
કાર ૧૬ ૩ર ૪૮

ટી.વી., ફ્રિજ અને સ્કૂટરની અનુક્રમે ૧૦૦%, ૯૭% અને ૮૫% સગવડનું પ્રમાણ છે.

ટી.વી. અને રેફ્રિજરેટર દરેક ઘરમાં છે. ક્યારે પચાસ ટકા ઘરમાં એસ.સી., માઈક્રોવેવ, વોશિંગ મશીન, ઘરઘંટી છે. કદાચ જરૂરી કે અનિવાર્ય ના લાગવાને કારણે ન ખરીધ્યું હોય એમ લાગે છે. કાર ૪૮% ક્યારે સ્કુટર ૮૫% વૃદ્ધો પાસે છે, તે સારી આર્થિક સ્થિતિની આરસી કહી શકાય.

. આર્થિક બાબતોનો નિર્ણય કોણ લે છે એ પ્રશ્નના જવાબમાં એકને અવગણના થતી લાગે છે. ચાર જગ્યાએ પુત્રવધુ અને ૯ (નવ) જગ્યાએ પુત્ર આર્થિક નિર્ણય લે છે એમ જણાયું. ૬૦% વ્યક્તિઓ પોતે નિર્ણય લે છે અને ૪૩% બધા સાથે માળાને આર્થિક નિર્ણયો લે છે.

. કમાણીનો ઉપયોગ: જીવનભરની કમાણીનો ઉપયોગ ૭૫% વ્યક્તિઓએ કુટુંબની જરૂરિયાત પુરી કરવામાં, ૪૩% બાળકોના શિક્ષણમાં અને ૪૦% મકાન બનાવવામાં કર્યો છે. પોતાના મોજશોખ, પોતાના રાષ્ટ્રીય કે આંતરાષ્ટ્રિય પ્રવાસોમાં કે પોતાની ગમતી પ્રવૃત્તિ પાછળ ખર્ચ કરવાનો તેમને વિચાર સુદ્ધાં આવ્યો નથી.

૬. મૂડી તથા બચતનો વ્યવસ્થા

ક્રમ  મૂડીની વ્યવસ્થા  સ્ત્રી  પુરુષ  કુલ 
હાલ પૂરતી પાસે રાખી છે. ૪૭ ર૧ ૬૮
બધી જ મૂડી સંતાનોને વહેંચી દીધી છે. ૦૧ ૦ર ૦૩
જરૂર પૂરતી પાસે રાખીને સંતાનોને વહેંચી દીધી છે. ૧૪ ૦૬ ર૦
જેઓ સંભાળ રાખશે તેમને આપીશું. ૦૭ ૦પ ૧ર
જનકલ્યાણ - દાનમાં આપવું છે. ૦૭ ૦૬ ૧૩
વસિયતનામું કર્યું છે. ૦૮ ૦૪ ૧ર

૬૮% વૃદ્ધોએ મૂડી હાલ પૂરતી પોતાની પાસે રાખી છે.

૬૮% વૃદ્ધોએ પોતાની બચતો અને મૂડી પોતાની પાસે રાખી છે અને ર૦% વૃદ્ધોએ જરૂર પૂરતી રાખીને સંતાનો વહેંચી દીધી છે. ક્યારે ૩% સાહસિકોએ બધી જ મૂડી સંતાનોને વહેચી દીધી છે. ૧૨% લોકો ઘડપણમાં સંભાળ રાખશે તેને આપશે. ક્યારે ૧૩% જનકલ્યાણ અને દાનમાં મૂડી વાપરવા ઈચ્છે છે. મરણ પછી મિલકતની વ્યવસ્થા ફક્ત ૧ર% લોકોએ વસીયતનામા દ્વારા કરી છે.

આરોગ્ય

આ અભ્યાસમાં અપવાદરૂપ કહી શકાય એમ લગભગ બધા જ તંદુરસ્ત છે. સામાન્ય રોગને બાદ કરતાં વૃદ્ધો પોતાના સ્વાસ્થ્ય માટે સભાન છે એવું જણાય છે.

ક્રમ  રોગ  સ્ત્રી  પુરુષ  કુલ 
દમ  ૦૦ ૦ર ૦ર
ડાયાબિટીસ  ૧૯ ૧ર ૩૧
બી. પી. રપ ૧૩ ૩૮
વા - સંધિવા  ૦પ ૦૮ ૧૩
કબજિયાત  ૦૦ ૦૧ ૦૧
અન્ય બિમારી  ૧૦ ૦૯ ૧૯
લકવો - હાર્ટ પ્રોબ્લેમ  ૦૦ ૦૦ ૦૦

કોલેસ્ટ્રોલ, થાઈરોઈડ, કમરનો દુ:ખાવો, બાયપાસ, સંધિવા, હાડકાનો દુઃખાવો, ઘૂંટણનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, કફ પ્રવૃતિ, પ્રોસ્ટેટ અને કેન્સર જેવી બીમારીનું પ્રમાણ પણ નહિવત છે.

૩૧% ડાયાબીટીશ, ૩૮% વધુ બ્લડપ્રેશર, ૧૩% સંધિવા અને ૧૯% નાની-મોટી અન્ય બિમારીઓથી પીડાય છે. તેમાંથી ૬ર% દવા નિયમિત લે છે, પરંતુ ૧૫% લોકો સારવારને અવગણે છે - કરતા નથી.

ઘર અને સમાજમાં સ્થાન

. કૌટુંબિક જીવનની વાત કરીએ તો ૯૦% સુખી છે. ફક્ત ૧ બહેન દુ:ખી છે. ક્યારે ૮% લોકો સામાન્ય રીતે ચલાવી લેવાય એવું સાધારણ જીવન જીવે છે.

. ૩૪% સંતાનો મા-બાપની કાળજી લેતા નથી. ૮૮% લોકો તેમના સંતાનોની કાળજીથી સંતુષ્ટ છે.

. સંતાનો તેમની સાથે વાતચીત કરે છે કે કેમ? ત્યારે ૬૮% લોકોએ 'હા' અને ૫% લોકોએ 'ના' કહી જવાબ વાળ્યો. રર% સંતાનો દરરોજ, ક્યારે ૮% બાળકો કોઈક કોઈકવાર વાત કરે છે.

. પુત્રવધુનું સાસુ-સસરા તરફનું વલણ ફકત ૫% ને સંઘર્ષમય અસ્વીકાર્ય લાગ્યું. ૭૧% ને સંતોષકારક લાગ્યું, પણ ર૪% લોકોએ જવાબ આપવાનું ટાળ્યું. આમ જોતાં ર9% વર્તમાન સમયમાં પુત્રવધુ-સાસુ-સસરા વચ્ચેના સંબંધો ૭૧% લોકોએ સંતોષકારક કહ્યા. તેમા પણ કદાચ અસત્યનો અંશ હોય શકે.

. વૃદ્ધાવસ્થામાં કેટલી સ્વતંત્રતા અનુભવો છો? એનો જવાબ ૩૭% પહેલા કરતાં વધારે અને ૬૩% પહેલાં જેટલી જ એમ જણાવ્યું. બંધન-પરાધીનતા કે અશાંતિ કોઈ અનુભવતું નથી, એ સાચું હોય તો, ખૂબ
પ્રશંસનીય છે.

૬. વૃદ્ધાવસ્થામાં મનોસ્થિતિ

ક્રમ અનુભૂતિ  સંખ્યા
લાચારી અનુભવે છે. ૦ર
એકલતા અનુભવે છે. ૧૦
હતાશા અનુભવે છે. ૦ર
કાલ્પનિક દુઃખ અનુભવે છે. ૦ર
લઘુતા/ગુરુતા ગ્રંથિથી પીડાય છે.  ૦૬
જીવન અર્થહીન લાગે/ મૃત્યુનો ડર લાગે ૦૧
માનસિક તાણ  ૦પ
આનંદ એન્ડ આત્મસંતોષ અનુભવે છે. ૯૮

આ પ્રશ્નનો જવાબ ૯૮% વૃદ્ધોએ આનંદ અને આત્મસંતોષ અનુભવતા હોવાનું જણાવ્યું, જે સારા સમાજના તંદુરસ્ત નિશાની છે. ર% લાચારી, ૧૦% એકલતા, ૨% હતાશા, ર% કાલ્પનિક દુઃખથી, ૬% લઘુતા/ગુરૂતા ગ્રંથિ, ૫% માનસિક તાણ અને ૧% જીવનને અર્થહીન માને છે. આમ, વૃદ્ધાવસ્થાનો માનસિક તાણનો અનુભવ ઓછા લોકોને થયેલ દેખાય છે.

૭. ફુરસદના સમયનો ઉપયોગ

ક્રમ  પ્રવૃત્તિ  સ્ત્રી  પુરુષ  કુલ 
કંઈ નહીં  ૦૦ ૦૧ ૦૧
ઘરકામ  ર૩ ર૪ ૪૭
બાળકોની સંભાળ  ૧૪ ૦૯ ર૩
ધાર્મિક કે અન્ય પુસ્તકોનું વાંચન  ૪૦ રપ ૬પ
રેડિયો સાંભળવો  ૧ર ૦પ ૧૭
ટી વી જોવું  ૩૮ ર૬ ૬૪
ફરવા જવું  ૩૮ ર૦ પ૮
મિત્રોની મુલાકાત  ૩ર ૧૭ ૪૯
મંદિરે જવું  ૩૧ ર૪ પપ
૧૦ કથા શ્રવણ  ૧૩ ૧૮ ૩૧
૧૧ બાગ કામ  ૦૮ ૧૧ ૧૯
૧ર વાતચીત - ગપ્પા મારવા  ૦૬ ૦૮ ૧૪
૧૩ પાર્ટી કરવી  ૦૯ ૦૪ ૧૩
૧૪ અન્ય  ૧ર ૦૭ ૧૯

અહીં વૃદ્ધો પોતાનો ફરસદનો સમય ૬૫% પુસ્તકોનું વાંચન કરવામાં, ૬૪% ટી.વી. જોવામાં, ૫૮% ફરવામાં, ૪૯% મિત્રો સાથે, ૫૫% કથા શ્રવણમાં વાપરે છે. આમ, સમગ્રતયા બધાએ સમય વ્યવસ્થાપન યોગ્ય અને આનંદદાયી રીતે કરી લીધું છે.
આમ, સમગ્રતયા જોતાં, બીલીમોરાના ૬૦ થી ૯૦ વર્ષની વયના લોકો તંદુરસ્ત છે, આર્થિક રીતે નિશ્ચિન્ત છે. અને સામાજિક વ્યવસ્થાપનમાં આદર્શ રીતે સ્વયં સ્થાપિત છે. વર્તમાનપત્રો અને સર્વત્ર થતી ચર્ચાથી વિપરિત, તેઓ સુખી છે - યુવા પેઢી માટે ખાસ કોઈ ફરિયાદ ધરાવતા નથી. હા, અપવાદરૂપ ફરિયાદો-દુ:ખ છે, પણ તે કદાચ નગણ્ય છે.
અંતમાં કહી શકાય કે અભ્યાસમાં સમાવિષ્ટ બધાં વયસ્કો વૃદ્ધાવસ્થા આનંદથી માણે છે. આત્મસંતોષી છે. ઘડપણમાં પાનખરના બદલે વસંતનો વૈભવ માણે છે અને શેષ આયુષ્ય આનંદથી ગુજારે છે જે પ્રશંસનીય અને નોંધપાત્ર છે. દરેક વૃદ્ધોની દશા અને દિશા ઉપર મુજબ થાય તો ઘડપણ પણ આશોર્વાદરૂપ બની શકે છે.
આભાર
  • ૧. માર્ગદર્શન અને મદદ માટે ડો. પ્રવીણચંદ્ર ગીલીટવાળા અને ડો. નલીનીબેન ગીલીટવાળા
  • ર. માહિતી આપી સહકાર આપવા બદલ સિનિયર સીટીઝન ક્લબ, બીલીમોરાના સર્વ સભ્યોનો

ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
(M) 99240 63045

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

The Tragic Story Of Partition

One of the most important chapters in the Indian history (and equally so for Pakistan) is the partition of the nation in 1947. This article is a review of the book “The Tragic Story Of Partition” by H V Sheshadri. और देश बट गया (Hindi) વિભાજનની કરુણાંતિકા (Gujarati)  Translated in Gujarati by Nalin Pandya, Kishor Makwana and Bhagirath Desai. Pages: 294, Price: Rs. 90. Published by Sadhana Pustaka Prakashan, Ram Nivas, Baliyakaka Marg, Near Juna Dhorbajar, Kankaria, Ahmedabad - 380028

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

Long Vacation At Bengaluru

After voluntary retirement as Government Medical Officer, my wife Dr Bhavana (Devyani) wanted to have a vacation and I joined her. The long break of 14 days (2 weeks) was starting on date 9th March 2011 and ending on 23rd March 2011. We planned to stay at Rahul’s (our son) residence at Bangalore and return to Bilimora. Vacation - is stopping the continuous job/work and retire at some place at leisure. We know vacation is a change of activity and we did that. It is a recess, say a break or temporary cessation of routine work. Is vacation necessary ?