Skip to main content

વૃદ્ધાવસ્થાની આરસી

થોડા વખત પહેલાં મેં “વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ” નામનું ડો. હિતેશકુમાર એન. પટેલ લિખિત સંશોધનાત્મક પુસ્તક વાંચ્યું. એ પુસ્તકમાં લેખકે જીવનના વિવિધ વિભાગો જેવા કે માનસિક સ્થિતિ, આર્થિક બાબતો, સામાજિક બાબતો, આરોગ્ય અને સમય પસાર કરવાની સમસ્યાઓ વિષયક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. તે ઉપરાંત આ વિષયમાં બીજા સંશોધનો સાથે સરખામણી કરી. તેમાંથી પ્રેરણા લઈ મેં બીલીમોરાના વૃદ્ધોની ખરેખર સ્થિતિનો અભ્યાસ કરવા વિચાર્યું અને તેના અભ્યાસના ફળ સ્વરૂપે આ લેખ લખ્યો છે.


પહેલાં મેં પ્રશ્નોત્તરી તૈયાર કરી - તેમાં મુખ્યત્વે વૃદ્ધોની વ્યક્તિગત માહિતી લીધા પછી તેમની માનસિક સ્થિતિ, આરોગ્ય અને આર્થિક બાબતોને લગતા સવાલો પૂછયા. ત્રણ પૃષ્ઠોની આ પ્રશ્નોત્તરીમાં શક્ય જવાબો પણ મૂકીને ફક્ત ખરું પાડીને (ટીક માર્ક) જવાબ આપવા સૂચવ્યું. ઉપલબ્ધ માહિતીના આધારે તેનો સાર અહીં રજૂ કરું છું. આશા છે આપને ખરેખર બીલીમોરામાં વસતા વૃદ્ધોની વૃદ્ધાવસ્થાની આરસી જોવા મળશે.

બીલીમોરા ખાતે છેલ્લાં થોડાક વર્ષોથી “સીનીયર સીટીઝન ક્લબ” નામની સંસ્થા ચાલે છે. તેમાંથી સો જેટલા વયસ્કોએ પ્રશ્નાવલિમાં આપેલા જવાબોનો આધાર લઈ મળેલ માહિતી અહીં પ્રસ્‍તુત છે.

જવાબ આપનારા સો (૧૦૦) વ્યક્તિઓએ પોતાનો પરિચય, નામ, સરનામું, ફોન નંબર સાથે આપ્યા પછી, અભ્યાસ, વ્યવસાય, લગ્નજીવન, કુટુંબની માહિતી અને વાર્ષિક આવક જણાવી.

. 9પ પુરૂષો અને ૩પ સ્ત્રીઓએ ભાગ લીધો, આમ, ટકાવારીની સરળતા માટે અભ્યાસ સો વ્યક્તિ સુધી મર્યાદિત રાખ્યો.

. અભ્યાસ: ૦૭ ધો. ૧ થી ૯, ૩૯ એસ.એસ.સી., રપ સ્નાતક, ૧૮ અનુસ્નાતક, પ ડોક્ટર ભણેલાનું સપ્રમાણ મિશ્રણ છે.

. લગ્નજીવન: ૮૦ વ્યક્તિ પરિણિત, ૪ અપરિણિત અને ૧૬ વિધવા/વિધુર છે.

. કુટુંબમાં વ્યક્તિઓની સંખ્યા લગભગ સરખા પ્રમાણમાં બે, બે થી પાંચ અને પાંચ થી વધુ વ્યક્તિઓ ઘરમાં રહે છે. દરેક ૩૩% હોય સરખા છે.

. આવક: લગભગ ત્રણ લાખ અથવા વધુ આવક ધરાવતા વ્યક્તિઓનો જ અહીં સમાવેશ થયો છે. પેન્સનરોની મોટી સંખ્યા કારણરૂપ છે. આમ, ગરીબો કે ગરીબી રેખાની નીચેના લોકો આ અભ્યાસમાં સમાવિષ્ટ નથી.

આ અભ્યાસ વૃદ્ધાવસ્થાની ત્રણ બાબતોને અનુલક્ષીને કર્યો છે: આર્થિક, શારીરિક અને સામાજિક સ્થિતિ.

તો શરૂઆત આર્થિક બાબતોથી કરીએ.

આર્થિક સ્થિતિ

આર્થિક બાબતોના માપદંડો તરીકે ઘરની માલિકી, ઘરમાં સગવડો અને વાહનોને ચર્ચામાં લીધા પછી આર્થિક નિર્ણયો અને હાલની મૂડીની વ્યવસ્થાથા પૂર્ણ કરીશું.

૧. રહેઠાણની માલિકી: સો ટકા વૃદ્ધો પોતાની માલિકીના ઘરમાં રહે છે. એટલે કે પોતાની અથવા સંતાનની છે. કોઈ ભાડૂઆત નથી.

. રહેઠાણમાં પોતાની જરૂરિયાતો સંતોષાય છે કે કેમ તે પ્રશ્નનો જવાબ એકમાત્ર અપવાદ સિવાય રહેઠાણમાં દરેકની જરૂરિયાત સંતોષાય છે જે નીચેના કોઠામાં સ્પષ્ટ થાય છે.

૩. રહેઠાશમાં સગવડો

ક્રમ સગવડો સ્ત્રીપુરુષકુલ
ટી વી  ૩૪ ૬૬ ૧૦૦
ફ્રિજ  ૩૩ ૬૪ ૯૭
એ સી  ૧૯ ૩૬ પપ
માઇક્રોવેવ  ૧૬ ર૬ ૪ર
 વોશિંગ મશીન  ર૩ ૪૬ ૬૯
ઘર ઘંટી  ૧૯ ૩પ પ૪
સ્કૂટર ર૬ પ૯ ૮પ
કાર ૧૬ ૩ર ૪૮

ટી.વી., ફ્રિજ અને સ્કૂટરની અનુક્રમે ૧૦૦%, ૯૭% અને ૮૫% સગવડનું પ્રમાણ છે.

ટી.વી. અને રેફ્રિજરેટર દરેક ઘરમાં છે. ક્યારે પચાસ ટકા ઘરમાં એસ.સી., માઈક્રોવેવ, વોશિંગ મશીન, ઘરઘંટી છે. કદાચ જરૂરી કે અનિવાર્ય ના લાગવાને કારણે ન ખરીધ્યું હોય એમ લાગે છે. કાર ૪૮% ક્યારે સ્કુટર ૮૫% વૃદ્ધો પાસે છે, તે સારી આર્થિક સ્થિતિની આરસી કહી શકાય.

. આર્થિક બાબતોનો નિર્ણય કોણ લે છે એ પ્રશ્નના જવાબમાં એકને અવગણના થતી લાગે છે. ચાર જગ્યાએ પુત્રવધુ અને ૯ (નવ) જગ્યાએ પુત્ર આર્થિક નિર્ણય લે છે એમ જણાયું. ૬૦% વ્યક્તિઓ પોતે નિર્ણય લે છે અને ૪૩% બધા સાથે માળાને આર્થિક નિર્ણયો લે છે.

. કમાણીનો ઉપયોગ: જીવનભરની કમાણીનો ઉપયોગ ૭૫% વ્યક્તિઓએ કુટુંબની જરૂરિયાત પુરી કરવામાં, ૪૩% બાળકોના શિક્ષણમાં અને ૪૦% મકાન બનાવવામાં કર્યો છે. પોતાના મોજશોખ, પોતાના રાષ્ટ્રીય કે આંતરાષ્ટ્રિય પ્રવાસોમાં કે પોતાની ગમતી પ્રવૃત્તિ પાછળ ખર્ચ કરવાનો તેમને વિચાર સુદ્ધાં આવ્યો નથી.

૬. મૂડી તથા બચતનો વ્યવસ્થા

ક્રમ  મૂડીની વ્યવસ્થા  સ્ત્રી  પુરુષ  કુલ 
હાલ પૂરતી પાસે રાખી છે. ૪૭ ર૧ ૬૮
બધી જ મૂડી સંતાનોને વહેંચી દીધી છે. ૦૧ ૦ર ૦૩
જરૂર પૂરતી પાસે રાખીને સંતાનોને વહેંચી દીધી છે. ૧૪ ૦૬ ર૦
જેઓ સંભાળ રાખશે તેમને આપીશું. ૦૭ ૦પ ૧ર
જનકલ્યાણ - દાનમાં આપવું છે. ૦૭ ૦૬ ૧૩
વસિયતનામું કર્યું છે. ૦૮ ૦૪ ૧ર

૬૮% વૃદ્ધોએ મૂડી હાલ પૂરતી પોતાની પાસે રાખી છે.

૬૮% વૃદ્ધોએ પોતાની બચતો અને મૂડી પોતાની પાસે રાખી છે અને ર૦% વૃદ્ધોએ જરૂર પૂરતી રાખીને સંતાનો વહેંચી દીધી છે. ક્યારે ૩% સાહસિકોએ બધી જ મૂડી સંતાનોને વહેચી દીધી છે. ૧૨% લોકો ઘડપણમાં સંભાળ રાખશે તેને આપશે. ક્યારે ૧૩% જનકલ્યાણ અને દાનમાં મૂડી વાપરવા ઈચ્છે છે. મરણ પછી મિલકતની વ્યવસ્થા ફક્ત ૧ર% લોકોએ વસીયતનામા દ્વારા કરી છે.

આરોગ્ય

આ અભ્યાસમાં અપવાદરૂપ કહી શકાય એમ લગભગ બધા જ તંદુરસ્ત છે. સામાન્ય રોગને બાદ કરતાં વૃદ્ધો પોતાના સ્વાસ્થ્ય માટે સભાન છે એવું જણાય છે.

ક્રમ  રોગ  સ્ત્રી  પુરુષ  કુલ 
દમ  ૦૦ ૦ર ૦ર
ડાયાબિટીસ  ૧૯ ૧ર ૩૧
બી. પી. રપ ૧૩ ૩૮
વા - સંધિવા  ૦પ ૦૮ ૧૩
કબજિયાત  ૦૦ ૦૧ ૦૧
અન્ય બિમારી  ૧૦ ૦૯ ૧૯
લકવો - હાર્ટ પ્રોબ્લેમ  ૦૦ ૦૦ ૦૦

કોલેસ્ટ્રોલ, થાઈરોઈડ, કમરનો દુ:ખાવો, બાયપાસ, સંધિવા, હાડકાનો દુઃખાવો, ઘૂંટણનો દુ:ખાવો, માથાનો દુ:ખાવો, કફ પ્રવૃતિ, પ્રોસ્ટેટ અને કેન્સર જેવી બીમારીનું પ્રમાણ પણ નહિવત છે.

૩૧% ડાયાબીટીશ, ૩૮% વધુ બ્લડપ્રેશર, ૧૩% સંધિવા અને ૧૯% નાની-મોટી અન્ય બિમારીઓથી પીડાય છે. તેમાંથી ૬ર% દવા નિયમિત લે છે, પરંતુ ૧૫% લોકો સારવારને અવગણે છે - કરતા નથી.

ઘર અને સમાજમાં સ્થાન

. કૌટુંબિક જીવનની વાત કરીએ તો ૯૦% સુખી છે. ફક્ત ૧ બહેન દુ:ખી છે. ક્યારે ૮% લોકો સામાન્ય રીતે ચલાવી લેવાય એવું સાધારણ જીવન જીવે છે.

. ૩૪% સંતાનો મા-બાપની કાળજી લેતા નથી. ૮૮% લોકો તેમના સંતાનોની કાળજીથી સંતુષ્ટ છે.

. સંતાનો તેમની સાથે વાતચીત કરે છે કે કેમ? ત્યારે ૬૮% લોકોએ 'હા' અને ૫% લોકોએ 'ના' કહી જવાબ વાળ્યો. રર% સંતાનો દરરોજ, ક્યારે ૮% બાળકો કોઈક કોઈકવાર વાત કરે છે.

. પુત્રવધુનું સાસુ-સસરા તરફનું વલણ ફકત ૫% ને સંઘર્ષમય અસ્વીકાર્ય લાગ્યું. ૭૧% ને સંતોષકારક લાગ્યું, પણ ર૪% લોકોએ જવાબ આપવાનું ટાળ્યું. આમ જોતાં ર9% વર્તમાન સમયમાં પુત્રવધુ-સાસુ-સસરા વચ્ચેના સંબંધો ૭૧% લોકોએ સંતોષકારક કહ્યા. તેમા પણ કદાચ અસત્યનો અંશ હોય શકે.

. વૃદ્ધાવસ્થામાં કેટલી સ્વતંત્રતા અનુભવો છો? એનો જવાબ ૩૭% પહેલા કરતાં વધારે અને ૬૩% પહેલાં જેટલી જ એમ જણાવ્યું. બંધન-પરાધીનતા કે અશાંતિ કોઈ અનુભવતું નથી, એ સાચું હોય તો, ખૂબ
પ્રશંસનીય છે.

૬. વૃદ્ધાવસ્થામાં મનોસ્થિતિ

ક્રમ અનુભૂતિ  સંખ્યા
લાચારી અનુભવે છે. ૦ર
એકલતા અનુભવે છે. ૧૦
હતાશા અનુભવે છે. ૦ર
કાલ્પનિક દુઃખ અનુભવે છે. ૦ર
લઘુતા/ગુરુતા ગ્રંથિથી પીડાય છે.  ૦૬
જીવન અર્થહીન લાગે/ મૃત્યુનો ડર લાગે ૦૧
માનસિક તાણ  ૦પ
આનંદ એન્ડ આત્મસંતોષ અનુભવે છે. ૯૮

આ પ્રશ્નનો જવાબ ૯૮% વૃદ્ધોએ આનંદ અને આત્મસંતોષ અનુભવતા હોવાનું જણાવ્યું, જે સારા સમાજના તંદુરસ્ત નિશાની છે. ર% લાચારી, ૧૦% એકલતા, ૨% હતાશા, ર% કાલ્પનિક દુઃખથી, ૬% લઘુતા/ગુરૂતા ગ્રંથિ, ૫% માનસિક તાણ અને ૧% જીવનને અર્થહીન માને છે. આમ, વૃદ્ધાવસ્થાનો માનસિક તાણનો અનુભવ ઓછા લોકોને થયેલ દેખાય છે.

૭. ફુરસદના સમયનો ઉપયોગ

ક્રમ  પ્રવૃત્તિ  સ્ત્રી  પુરુષ  કુલ 
કંઈ નહીં  ૦૦ ૦૧ ૦૧
ઘરકામ  ર૩ ર૪ ૪૭
બાળકોની સંભાળ  ૧૪ ૦૯ ર૩
ધાર્મિક કે અન્ય પુસ્તકોનું વાંચન  ૪૦ રપ ૬પ
રેડિયો સાંભળવો  ૧ર ૦પ ૧૭
ટી વી જોવું  ૩૮ ર૬ ૬૪
ફરવા જવું  ૩૮ ર૦ પ૮
મિત્રોની મુલાકાત  ૩ર ૧૭ ૪૯
મંદિરે જવું  ૩૧ ર૪ પપ
૧૦ કથા શ્રવણ  ૧૩ ૧૮ ૩૧
૧૧ બાગ કામ  ૦૮ ૧૧ ૧૯
૧ર વાતચીત - ગપ્પા મારવા  ૦૬ ૦૮ ૧૪
૧૩ પાર્ટી કરવી  ૦૯ ૦૪ ૧૩
૧૪ અન્ય  ૧ર ૦૭ ૧૯

અહીં વૃદ્ધો પોતાનો ફરસદનો સમય ૬૫% પુસ્તકોનું વાંચન કરવામાં, ૬૪% ટી.વી. જોવામાં, ૫૮% ફરવામાં, ૪૯% મિત્રો સાથે, ૫૫% કથા શ્રવણમાં વાપરે છે. આમ, સમગ્રતયા બધાએ સમય વ્યવસ્થાપન યોગ્ય અને આનંદદાયી રીતે કરી લીધું છે.
આમ, સમગ્રતયા જોતાં, બીલીમોરાના ૬૦ થી ૯૦ વર્ષની વયના લોકો તંદુરસ્ત છે, આર્થિક રીતે નિશ્ચિન્ત છે. અને સામાજિક વ્યવસ્થાપનમાં આદર્શ રીતે સ્વયં સ્થાપિત છે. વર્તમાનપત્રો અને સર્વત્ર થતી ચર્ચાથી વિપરિત, તેઓ સુખી છે - યુવા પેઢી માટે ખાસ કોઈ ફરિયાદ ધરાવતા નથી. હા, અપવાદરૂપ ફરિયાદો-દુ:ખ છે, પણ તે કદાચ નગણ્ય છે.
અંતમાં કહી શકાય કે અભ્યાસમાં સમાવિષ્ટ બધાં વયસ્કો વૃદ્ધાવસ્થા આનંદથી માણે છે. આત્મસંતોષી છે. ઘડપણમાં પાનખરના બદલે વસંતનો વૈભવ માણે છે અને શેષ આયુષ્ય આનંદથી ગુજારે છે જે પ્રશંસનીય અને નોંધપાત્ર છે. દરેક વૃદ્ધોની દશા અને દિશા ઉપર મુજબ થાય તો ઘડપણ પણ આશોર્વાદરૂપ બની શકે છે.
આભાર
  • ૧. માર્ગદર્શન અને મદદ માટે ડો. પ્રવીણચંદ્ર ગીલીટવાળા અને ડો. નલીનીબેન ગીલીટવાળા
  • ર. માહિતી આપી સહકાર આપવા બદલ સિનિયર સીટીઝન ક્લબ, બીલીમોરાના સર્વ સભ્યોનો

ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
(M) 99240 63045

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી. ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

મા પાર્વતી

ભગવાન શિવ-શંકર-મહાદેવ અને ગણેશ વિષે આપણે ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હોઈએ છીએ. એ બન્ને વિષે જાતજાતની માહિતી રાખીએ છે. પણ તેમના કુટુંબના અગત્યના સભ્ય પાર્વતી-મા દુર્ગા-વિષે લગભગ અજ્ઞાત છીએ. ચાલો, મા પાર્વતીને વિગતે ઓળખીએ. પર્વતપુત્રી તે પાર્વતી પર્વત રાજા હિમાવત અને માતા મેનાવતીની પુત્રી પાર્વતીનો ભગવાન શિવ પતિ છે, તો ગણેશ અને કાર્તિકેય   પુત્રો છે. પાર્વતિના ભાઈ વિષ્ણુ અને બહેન નદી ગંગા છે. આ સામાજીક પરિચય વાળી મા પાર્વતીને પર્વતને લીધે શૈલજા, અદિજા, નાગજા, ગિરિજા, અને હેમવતી તરીકે પણ ઓળખવામા આવે છે.

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...