Skip to main content

ભગવાન શિવ શંકર – ભોલેનાથ

શિવ – શંકર – ભોલેનાથ તરીકે

ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ.

ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી.
લગ્ન

એમના લગ્નની જાન લઈ આવેલ શંકર નંદી (ઘોડે સવારી ને બદલે) નંદી - બળદ ની સવારી કરે છે. શરીર ઉપર ભસ્મ લગાવેલ છે અને પ્રાણીનું ચામડું પહેરીને શરીર ઢાંકેલ છે. ગાળામાં ફુલમાળા હાર પહેરવાને બદલે સાપ લટકાવેલ છે અને હાથમાં ક્લગીને બદલે ત્રિશુળ લીધેલ છે અને સંગીત માટે બેંડવાજા ને બદલે ડમરુ વગાડે છે આવું જંગલી સ્વરૂપ ભયજનક અને બિવડાવનારું છે તેથી તેમણે કાલભૈરવ કહે છે, તેને મધપાન કરાવાતું હોય છે.

આ જોઈને પાર્વતિ ને ચિંતા થાય છે કે તેના પિતા દક્ષ અને માતા મેના આ ઉપરાંત સખીઓ અને બીજા શું કહેશે ત્યારે ભગવાન ને બરાબર તેયાર થવાનું કહે છે. ભગવાન વિનંતી ને માન આપીને આકર્ષક – રૂપવાન બને છે જેને ગોરા-ભૈરવ તરીકે ઓળખાય છે. જે હજૂપણ ભોલેનાથ જ છે. તેઓ ચંદ્ર જેવા દેખાવડા-રૂપાળા હોવાથી સોમ-સુંદર પણ કહેવાય છે. તેઓ સાપ, પ્રાણીના ચામડી નું વસ્ત્ર અને ભભૂતિ દૂર કરી સ્નાન કરીને તૈયાર થાય છે. અને સુંદર રેશમી વસ્ત્રો ધારણ કરે છે. શરીરને અત્તર થી સુગંધિત કરે છે. આવા સૌજન્યશીલ અને મુલાયમ શિવ ભગવાન નવા અવતારમાં જાન લાવી લગ્ન કરે છે.

ઘર

લગ્ન પછી પાર્વતિમાતા ઘર માટે વિનવે છે ત્યારે ભોલેનાથ શું જરૂરી છે એમ જવાબ આપે છે. માં કહે છે ઉનાળામાં તાપથી રક્ષણ કરવા ત્યારે તેઓ વડનું ઝાડ બતાવી ત્યાં આશરો લેવાનું કહે છે. પછીથી શિયાળાની ટાઢકની વાત કરે છે તેના ઉપાયમાં સ્મશાનમાં રહેવાનુ સમજાવે છે કારણ ત્યાં અગ્નિદાહ થતો હોવાથી ગરમી મળે છે કારણ ત્યાં અગ્નિદાહ થતો હોવાથી ગરમી મળે છે. છેલ્લે વરસાદની વાતના ઉપાય તરીકે તેઓ વાદળોની ઉપર લઈ જઈ,ત્યાં વરસાદ જ વરસતો નથી એમ કહે છે આમ શિયાળો, ઉનાળો, કે ચોમાસાનો ઉપાય બતાવે છે, પણ લગ્ન પછી ગૃહસ્થ જીવન જીવવામાટે ઘર જરૂરી હોય છે, તે બિલકુલ સમજતા નથી. ઘર ને જંજાળ કે ભાર માનતા ભોલેનાથ છેવટે ઘર માટે રાજી થાય છે.

આમ રાજી થાઈ ને શિવ પોતાના ભક્ત રાવણ ને ઘર બનાવવા કહે છે. રાવણ હોંશિયાર ભક્ત છે.તેની રાક્ષસ મંડળી અને પોતાના વાસ્તુ-શાસ્ત્ર જ્ઞાનને આધારે ભવ્ય મહેલ બનાવે છે. અને ભગવાન ને અર્પણ કરે છે. ભગવાન રાવણને મહેલ બનાવવા બદલ ઈનામ-બક્ષિસ માંગવાનુ કહેતા – લુચ્ચો રાવણ મહેલ જ માંગી લે છે અને ભોળા ભગવાન આપી પણ દે છે. પાર્વતિ ને ખૂબ ગુસ્સો ચડે છે, પણ તે ભગવાન ને જેવા ભોળા સ્વભાવ ના છે તેવા સ્વીકારી રાજી રહે છે.

આ વંઠેલ (સુધરી ના શકે એટલો બગડેલો) રાવણ એકવાર ભગવાન શિવ પાસે પાર્વતી માંગે છે. કહે છે. આપની પત્નીને મારે મારી પત્ની બનાવવી એમ કહે છે. લગ્ન જીવન કે સામાજિક જ્ઞાન વગરના ભોળા શંકર રાવણને હા પાડી દે છે. ત્યારે પાર્વતિ લુચ્ચા રાવણ ને પાઠ ભણાવવા દેડકી માથી સુંદર દેખાવડી અને રૂપાળી મંદોદરી ઘડી કડે છે તેના રૂપમાં મોહિત તે મંદોદરીને પાર્વતિ સમજી પોતાની રાણી બનાવે છે.

ચોર ને વરદાન

આવા ભોળા ભગવાન ના અનેક રૂપકો છે. એકવાર ચોર અને ખૂની બીલીના ઝાડઉપર છુપાયા હોય છે, ત્યારે બીલીપત્રો નીચેના શિવલિંગને ભૂલમાં નાખે છે પણ પ્રસન્ન થયેલા ભોલેનાથ તેને માફ કરી દે છે.

દ્રૌપદીને વરરાજાઓનું વરદાન

એકવાર દ્રૌપદી ભગવાન શિવ પાસે પ્રમાણિક, શક્તિશાળી, હોશિયાર,દેખાવડો, અને વ્યવસ્થિત રહેતા એવા પાંચ લક્ષણો ધરાવતો પતિ માંગે છે. તો ભોળા ભગવાન શંકર તેને દરેક એક લક્ષણ ધરાવતા પાંચ પતિ વરદાન માં આપે છે.

અસુરોનું કપટ અને ભોલેનાથ

અસુરોએ શિવજીને જ મારવા માટે, પોતે જેના માથે હાથ મૂકે તે રાખ બની જાય એવું વરદાન માંગ્યું. ભોળા ભગવાને તે આપ્યું, ત્યારે અસુરોએ શિવજીના માથે હાથ મુકી મારવાની કોશિષ કરી. આ જોઈ વિષ્ણુએ મોહિનીનું સ્વરૂપ લઈ તેમને આકાર્ષ્યા તેની શાથે નૃત્ય કરવા લાગ્યા. મોહિનીએ લાગ જોઈ અસુરોનો હાથ તેમના જ માથે મુક્યો અને તેને ભષ્મ કરી દીધા. આવા હતા ભોળા ભગવાન.

સમુદ્ર મંથન અને નીલકંઠ

દેવો-દાનવો સમુદ્રમાંથી જીવન બચાવવા અમૃત્ય કરનાર અમૃત શોધવા સમુદ્રમંથન કર્યું. ત્યારે અમ્રુત અને સુંદર વસ્તુઓ મળી તે દેવ-દાનવો એ વહેંચી લીધી. પણ તેજ વખતે મળેલ સમુદ્ર માંથી નીકળેલ ઝેર હલાહલ નો સ્વીકાર કોઈએ ન કર્યો. યોગ શક્તિ ધરાવતા શિવને જ આ પચાવવાની શક્તિ હતી-તેથી શિવને પીવા આપ્યું. શિવ પીતા હતા ત્યારે પાર્વતીએ તેને ગળા આગળ જ રોકી લીધું આને કારણે શિવનું ગળું ભૂરાશ પડતો રંગ પકડી લીધો આથી તેઓ નીલકંઠ અને વિષધર કહેવાયા.

મત્સ્યેન્દ્નનાથ

માછલી એ એકવાર શિવ-પાર્વતિ ની ચર્ચા સાંભળી તેને જ્ઞાન થયું. આ જ્ઞાન થી માછલીઓ માનવ સ્વરૂપ ધારણ કર્યું તે મત્સ્યેન્દ્રનાથ તરીકે ઓળખાયા.

શિવજી નો ત્રીજો પુત્ર અંધકા

ગમ્મત કરતાં આનંદિત પાર્વતિ એકવાર શિવજીની બન્ને આંખો હાથથી ઢાંકે છે. તેનાથી વિશ્વમાં અંધારું થઈ જાય છે. શંકર ભગવાન સૂર્ય ને પ્રકાશિત કરી અજવાળું કરવા ત્રીજી આંખ ખોલે છે આ પ્રકાશ અને ગરમીથી માં પાર્વતિ ના હાથ માં પરસેવો થાય છે જે માંથી બાળક પ્રસવે છે, જેને અંધકા કહેવાય છે. વંધ્ય અસૂરોને અંધકા દત્તક આપે છે. અંધકા મોટો થઈને બ્રમ્હા પાસે વચન માંગે છે કે તેને યુદ્ધમાં કોઈ હરાવી ન શકે, સિવાય કે પોતાની માં સામે વાસનાભરી દ્રષ્ટિ થી જુએ. પોતાના માં બાપ વિષે અજ્ઞાન અંધકા એકવાર અચાનક કૈલાશ પર્વત ઉપર પહોંચે છે અને પાર્વતિને ભગવાન શિવની પાસે બેઠેલા જોઈ છે ત્યારે એને પાર્વતિ પ્રત્યે શારીરિક આકર્ષણ થાય છે પાર્વતી જ્યારે ભગવાન ને આ વાત કહે છે ત્યારે શિવજી ત્રિશુળ વડે અંધકા ને કાયમી રીતે ઇજાગ્રસ્ત અને અપંગ બનાવે છે.

ગંગા અવતરણ અને ગંગા ધારા શિવ

ભાગીરથના મૃત્યુ પૂર્વે જેને જીવંત કરવા ગંગાનું પાણી જરૂરી હતું આકાશમાં દૂધ જેવા સફેદ રંગના પાણી થીવહેતી ગંગા પૃથ્વી પર સીધી પડે તો પૃથ્વી નો વિનાશ થાય એમ હોવાથી તે રોકવા ગંગાના અવતરણ માટે શિવજીને તૈયાર કરે છે ભગવાન ના માથાના વાળ માં ઊતરતી ગંગા શાંત થઈ જાય છે. અને ત્યાથી પૃથ્વી ઉપર અવતરણ કરે છે. આથી જ ભગવાન શિવ ને ગંગાધરા પણ કહે છે.

યોગેશ્વર શિવ

કુદરતમાં કોઈ પક્ષપાત નથી. જે જન્મે છે તેણે મારવાનું છે. આ જીવનનું કુદરતીચક્ર છે, જે નિરંતર ચાલ્યા કરે છે. તેથી પ્રાણીમાત્રને મૃત્યુનો દર રહે છે. ખોરાક માટે પ્રાણીઓમાં મોટાપ્રાણીઓ શિકારી બને છે અને નાના પ્રાણીઓનો શિકાર કરે છે. તેથી પ્રાણીઓમાં શિકારના ડર થી બચવા એ લોકો પોતાની નિર્ધારિત સીમા-વિસ્તાર બાંધી તેમાં વિચરે છે. આ પ્રાણીઓની શિકારીવૃત્તિ માણસોમાં મગજશક્તિની હાજરીથી તોડવાનું કામ ભગવાન શિવ કરે છે, તેથી પશુપતિ કહેવાયા છે.

યોગેશ્વર (ધનુધારી યોગેશ્વર)

ભગવાન શિવ ના હાથ માં ધનુષબાણ છે, જે સ્થિરતા અને ધ્યાનનું પ્રતિક છે. અસ્થિર-અસ્વસ્થ-ગુસ્સાવાળા મગજ ને સ્થિર કરવાનું કામ યોગ દ્વારા થાય છે. યોગ મગજની એકરૂપતા-સ્થિરતા-કુદરતીપણું સ્થાપે છે. આવી યોગરૂપી પ્રકૃતિ-મુદ્રામાં સ્થિર ભગવાન શિવને યોગેશ્વર કહેવાયા છે.

સાપ

શિવ ભગવાનના ગાળામાં નાગ સાપ વિટાળેલ છે તે સ્થિર મુદ્રામાં ફેણ પ્રસારીને ગળામાં હોય છે. પતંજલિનું યોગ વિષયક પુસ્તક યોગમુદ્રા આ નાગે લખ્યું હોવાનું મનાય છે.

રુદ્ર -શિવ

બ્રમ્હાને શતરુપાની સાથે દોડાદોડી કરતાં જોઈને ભગવાન શિવ ગુસ્સે ભરાઈને ચીખ પાડે છે અને તેથી એમને રુદ્ર કહેવાયા છે, તે રુદ્ર સ્વરૂપના દર્શન કરાવે છે.

ક્પાલિકા શિવ

પાંચ મસ્તકવાળા બ્રહમા પોતાને પ્રકૃતિ-કુદરતના માલિક ગણાવે છે, ત્યારે શિવ આ બ્રમણાથી બ્રહમા ને અપમાનિત કરવા સજા તરીકે તેમનું પાંચમું મસ્તક તોડી પાડે છે, આવા હાથમાં ખોપરી ધારક શિવને “કપાલિકા” કહ્યા છે, શિવ આ રીતે બ્રમ્હાને પ્રકૃતિની યર્થથતા સમજાવે છે.

ડમરુ

વાંદરાને કેળવવા ડમરુ વગાડાય છે, તેજ રીતે માણસને મગજનો ગુસ્સો અને અસ્વસ્થપણાથી મુક્ત કરવા શિવ ડમરુ વગાડે છે

કાલ ભૈરવ

શિવ ભગવાનને અનેક નામે ઓળખાવાય છે, તેમાં કાળ-ભૈરવનો અર્થ મરણ (કાળ) ના ભય થી મુક્તિ અપાવનાર શિવ ભગવાન તે છે.

દત્ત

ભગવાન શિવ નું સૌમ્ય સ્વરૂપ દત્ત તરીકે ઓળખાય છે અને ફરતે ચાર કૂતરા અને તેમની પાછળ એક ગાય હોય છે. દત્ત ભગવાન ના ત્રણ બ્રમ્હા, વિષ્ણુ અને મહેશ નું પ્રતિક છે. ભવિષ્યની રચના, વર્તમાનની જાળવણી અને ભૂતકાળનો નાશ અહી અપેક્ષિત છે. ચાર કૂતરા આપણાં ચાર ભય દર્શાવે છે.

આદિ-નાથ

દત્ત સ્વરૂપના શિવ ભગવાન ને આદિનાથ પણ કહે છે, તેઓ દરેક માંગનાર- અપેક્ષા રાખનાર કે ભિખારીના શિક્ષણનું શિક્ષક તરીકે કાર્ય કરે છે.

નટરાજ - દક્ષિણામૂર્તિ શિવ

ભગવાન શંકર ઈચ્છા, મૃત્યુ અને વિશ્વના સંહારક હોવાથી તેમને અનુક્રમે કામાન્તક, યમન્તક અને ત્રિપુરન્તક તરીકે પણ ઓળખાવાય છે. ભગવાન અહમનો નાશ કરે છે, જેથી આત્માની અનુભૂતિ થઈ શકે અને જેથી આપણું પશુમાંથી પુરુષમાં પરિવર્તન થાય. એ તો આપણને ખબર જ છે કે શિવ-લિંગ-ઉત્થાન પામેલ પુરુષ અંગ-સ્વયંભૂ છે- સ્વયં બનાવેલ અને સ્વયં સંતોષી છે, જેને ઉત્થાન માટે બહારના પરિબળો કે ઉત્તેજકોની જરૂર નથી. વળી શિવ-લિંગ હકીકતમાં શક્તિ-યોનિથી ફરતેથી રક્ષાયેલ છે, જેથી શિવલિંગ ની ઉપર પાણી ની ધાર ઉપરના ઘડામાંથી કાયમ પડતી રખાય છે, જેથી ભગવાન આંખો ખુલ્લી રાખે અને માણસો ઉપર કૃપા દ્રષ્ટિ થી ભયમુકત કરે.

શિવ દક્ષિણ તરફ મોં રાખીને બેઠા હોવાથી દક્ષિણા મૂર્તિ કહેવાય છે. દક્ષિણ દિશા મૃત્યુ-યમ-ની દિશા છે, ત્યાંથી મૃત્યુ અને તેથી પરિવર્તન થાય છે.

આનંદ – તાંડવ નૃત્ય

દક્ષિણ ભારતમાં ભગવાન શિવ – નૃત્ય કરતા- નૃત્ય દ્વારા જ્ઞાન આપતા નટરાજ તરીકે ઓળખાયા. ભગવાન શિવ નગ્ન દેહે, નૃત્ય કરતા હતા, તે જોઈને યજ્ઞ કરતા મિમાંસિકો (જીવનનો અર્થ સમજવાનો પ્રયત્ન કરતા ઋષિઓને) ભય લાગ્યો કે જેને ધન,જ્ઞાન કે શક્તિની કોઈ પડી નથી, કારણ કે જેઓ સ્વયં સંતોષી, ભરેલા અને પોતાની ખત્રીવાળા છે તેવા ભગવાન શિવ તેમની પત્નીઓને નૃત્ય દ્વારા આકર્ષી જશે. તેમણે યજ્ઞ દ્વારા વાઘ, સાપ,અને દૈત્ય પ્રસ્થાપિત કર્યા, જેથી ભગવાન શિવ નો નાશ થાય. પણ આ નિરાલા નૃત્ય કરતા ભગવાને વાઘને મારીને તેની ચામડી શરીર ફરતે વિટાળી, જીવતા સાપને ગળા ફરતે વિટાળી લીધો અને ડમરુ ના અવાજથી નૃત્ય કરતા ભગવાને દૈત્યની ઉપર ચઢી ને તેનો નાશ કર્યો.

નૃત્ય વખતે ભગવાન શિવનાં હાથ, પગ અને શરીર પ્રમાણસર અને યોગ્ય રીતે હલનચલન કરતા હતા, નૃત્ય વખતે તેમના વાળ આકાશ તરફ પ્રસરેલા હતા. તેમના આંગળા, હાથ અને પગ નૃત્યની વિશિષ્ટ શૈલીમાં શોભતા હતા- મન નાં ભાવો, હાથની મુદ્રાઓ, ભાવ અને રસ ભરેલા નૃત્યથી શરીર ની નૃત્યમય અંગીકાઓથી પાર્વતી પ્રભાવિત થઈને ખૂબ આનંદિત થયા. આવા ભાવવિભોર આનંદ-તાંડવ કરતા નટરાજ નૃત્યની ખાસ મુદ્રા મા પ્રખ્યાત થયા. અહિ (૧) તેમનો જમણા હાથની હથેળી ઉભેલી છે અને તે ભયમુક્ત નિર્ભય દર્શાવે છે.(૨) ડાબો પગ ઉંચો અને વળાકવાળો છે તે સંસાર નાં દર્શન કરાવે છે અને (૩) જમીન ઉપર એક પગ- જમણો પગ ટેકવેલો હોવાથી એકપગા ભગવાન એકપદા શિવ તરીકે ઓળખાયા. આ જમીનને અડેલો જમણો પગ આધ્યાત્મનું જ્ઞાન આપે છે. નૃત્ય કરતા ભગવાન નટરાજ ભયમુકત કરે છે અને મુક્તિ-મોક્ષ નો માર્ગ દોરે છે.

લિંગેશ્વર

વનસ્પતિએ કુદરતી રીતે ફળ અને બીજ આપવું પડે છે. પ્રાણીઓએ પરસ્પર શરીર સંબંધ બાંધવો પડે-બાળક આપવું પડે. જ્યારે ફક્ત માણસ પોતાની ઈચ્છા શક્તિ મુજબ મૈથુન કે બાળજન્મ કરાવી કે ન કરવી શકે છે. એટલે કે ફક્ત માનવી જ પ્રકૃતિ ના નિયમો થી વિરુદ્ધ જઈ શકે, તેનાથી દૂર રહી શકે અથવા પોતાની ઈચ્છા શક્તિ પ્રમાણે આચરણ કરીને સામાજિક જીવનમાથી મુક્તિ લઈ મોક્ષ પામી શકે.

સિદ્ધ પુરુષ તે છે જેણે પોતાની ઈચ્છાશક્તિ પ્રમાણે મેળવવાની શક્તિ પ્રાપ્ત કરી છે.

તપસ્વી પુરુષે દૂ:ખ, પીડા, અવાજ, સુગંધ કે દ્રશ્ય જોવામાથી મુક્તિ મેળવી છે. તે પ્રકૃતીથી વિમુકત છે. તે ચીજવસ્તુઓથી અલિપ્ત-મુક્ત છે, તે લાગણી, બુદ્ધિ અને શરીર ની મોહમાયાથી નિર્વાણ પામ્યો છે.

ભગવાન શિવ એટલે પવિત્ર, શુદ્ધ, આકારવિહીન, સમય કે સ્થળ ના તત્વથી મુક્ત સર્વોત્તમ જીવ. આ નિરાકાર ભગવાન શિવ ને પુરુષનું અંગ – “લિંગ” ના આકારથી ઓળખવામાં આવે છે, તેથી લિંગેશ્વર પણ કહે છે. ત્રણ સ્વરૂપમાં ભગવાનની ત્રિમૂર્તિ માં બ્રમ્હા-સર્જક, વિષ્ણુ-રક્ષક, અને શિવ-સંહારક તરીકે કાર્ય કરે છે.

ભગવાન શિવ અચલ ધ્રુવ તારાનીચે, કૈલાશ પર્વતમાં અને વડના ઝાડ નીચે રહે છે. અહી ધ્રુવ તારો એક જ સ્થાનમાં રહેતો, અચલ-ફ્રેરફાર, ઘડપણ કે મૃત્યુ થી મુક્ત છે- કૈલાશ પર્વત પણ સ્થિર અને અચલ છે અને વડનું ઝાડ પણ અમત્ય જેવુ લાંબુ જીવન ધરાવતું હોવાથી, આ ત્રણે પ્રતિકોના સથવારે અને આ પ્રતીકો વચ્ચે ભગવાન રહે છે.

ભગવાન શિવ ના હાથ માં દંડક (લાઠી) હોવાથી લકુલેશ તરીકે પણ ઓળખાયા. ટટ્ટાર લિંગ અને-બંધ આંખો સાથે લકુલેશને અંતરમનથી જીવતા બતાવ્યા છે. તેમના મગજને – મનને બાહ્ય સંજ્ઞાઓથી જરાપણ અસર થતી નથી.

શિવ ભગવાનના વિવિધ નામો - શંકર ભોલેનાથ નો પરિચય

  • કાળ ભૈરવ: કાળ એટલે સમય, ભય એટલે બીક, સમય ની બીક ભાંગતા ભગવાન શિવ તે કાલભૈરવ
  • પ્રકૃત: પ્રકૃતિ કુદરતને કોઈ અકારો કે વહાલો હોતો નથી – તેને બધા જ સરખા છે, તેથી દરેક જીવન-મૃત્યુ ના ચક્રમાં રહેવું પડે છે. પ્રાણીને જીવન અને મૃત્યુ બન્ને સાથે જ મળેલા છે. તેથી જ તે કોઈ નો શિકાર કરે છે – તો પોતે કોઈના શિકાર – ખોરાક પણ બને છે.
  • પશુપતિ: શિવ ભગવાન પ્રાણીજન્ય સ્વભાવ ને જીતીને ભય-મુક્ત બની ગયા હોવાથી તેમણે પશુ-પતિ કહ્યા છે.
  • કમાનતક: ઈચ્છા નો નાશ કરનાર – શિવ
  • યમાંન્તક: શિવ ભગવાન માર્કેન્ડેયને મારવા આવે આટલે યમને પોતાના લિંગમાથી માનવ સ્વરૂપ લઈ હરાવે છે અને માર્કેન્ડેયને અમર બનાવે છે, તેથી યમનો અંત લાવનાર યમન્તક પણ કહેવાયા છે.
  • મહાદેવ: દેવોમાથી સૌથી મોટા – સૌથી મહાન
  • ભોલેનાથ: કોઈ જાતની વૈરવૃત્તિ વગરના, ભોળા, નિષ્પક્ષ દેવ
  • વિરભદ્ર: ભય પમાડે તેવા બહાદુર યોદ્ધા
  • કામાક્ષી: જેમની આંખો જોવાથી કામ ઉત્તપન્ન થાય તેવા
  • સોમસુંદર: ચંદ્ર જેવા સુંદર દેખાતા
  • ખીમુતા-વાહન: વાદળો ઉપર વાહનમાં બિરાજતા
  • નીલકંઠ: ભૂરા ગળાવાળા ભગવાન. (ઝેર પીવાથી)
  • ગજંતક: હાથી નો સંહાર કરનાર
  • ગણેશ નેતા: ગણપતિ સમુહ ના પ્રથમ – ગણ ના માલિક
  • દક્ષિણમૂર્તિ: દક્ષિણ તરફ (મુખ) મોં રાખીને બેઠેલા
  • આદિનનાથ: વિશ્વના માલિક – ગુરુ
  • શિવ: ભયનો નાશ કરનાર, ગુસ્સાવાળા ભગવાન
  • લકુલેશ: હાથ માં દંડક ધરાવનાર
  • ગોરા ભૈરવ: રુપળા – સફેદ ભગવાન
  • કાળ ભૈરવ: કાળા રંગ ના ભગવાન
  • મૃત્યુંજય: મૃત્યુના ભય થી વિજય પામનાર
  • શતરૂપા: સો-હજાર- વિવિધ સ્વરૂપવાળા
  • યોગેશ્વર: યોગ કરનાર, યોગિક બળ ધરાવનાર- ભગવાન શિવ
  • રુદ્ર: ગુસ્સાથી ગર્જના કરતાં સ્વરૂપવાળા ગુસ્સે થયેલ શિવ
  • બટુક ભૈરવ: બાળ સ્વરૂપ શિવ
  • ત્રિપુરાંન્તક: ત્રણ શહેરોના નાશ કરનાર
  • હર હર મહાદેવ: ભય થી મુક્ત કરતાં મહાદેવ
  • કપૂર ગૌરાંગા: કપૂરના રંગ જેવા રૂપાળા-સફેદ ભગવાન
  • શંકરા: ગૃહસ્થી જીવન જીવતા- અનુકંપા અને ધીરજ ધરાવતા શિવ ભગવાન
  • ચંદ્રશેખર: માથાઉપર વાળમાં ચંદ્ર ધારણ કરનાર ભગવાન શિવ
  • શંકર–શંભુ: માયાળું, દયાળુ, અને સમાધાનકારી શિવ
  • નટરાજ: તાંડવ-કે-આનંદ થી નાચતા નૃત્ય કરતાં ભગવા.
  • એક્પદા: એક પગે ઉભેલા ભગવાન શિવ
  • ગંગાધરા: ગંગા નદીને માથા ઉપર ઉતારતા ભગવાન શિવ

ભગવાન શંકર ભોલેનાથ ને પ્રિય અંક - ત્રણ ( ૩ )

એમનો પ્રિય અંક ત્રણ એટલા માટે સાબિત થાય છે કે એમના વર્ણનોમાં દરેક વખતે ત્રણ વાતો સાથે આવતી હોય છે. ચાલો દાખલા સાથે સમજીએ.

  • ત્રિશૂલ: એમનું શસ્ત્ર ત્રણ પંખિયાવાળું ત્રિશૂલ છે.
  • બિલિપત્ર: એમનો પુજા ત્રણ પાંદડા ના સમુહવાળું બિલિપત્ર થી થાય છે.
  • ત્રિદેવ: તેઓ બ્રમ્હા, વિષ્ણુ, અને મહેશ (પોતે) ના ત્રણ ભગવાનના સમુહનું અંગ છે. એમાં બ્રમ્હા સર્જક, વિષ્ણુ રક્ષક, અને મહાદેવ સંહારક છે.
  • ત્રિપુરા: એમના કપાળ ઉપર સ્મશાનની રાખથી ત્રણ આડી લીટી દોરાય છે.
  • ત્રણ-વસ્તુ: તેઓ સાપ, ધનુષ અને ડમરુ જેવી ત્રણ વસ્તુઓ શરીર ઉપર ધારણ કરે છે.
  • ત્રિપુરા: ત્રણ જગત – ધરતી, આકાશ,અને પાતાળ નો તેમણે સંહાર કર્યો છે.
પોતે, સમાજ અને કુદરત આ ત્રણ તત્વોથી તેઓ મુક્તિ મોક્ષ અપાવે છે. જીવન માં ત્રણ વિચારો નું મહત્વ છે, આમ ત્રણ વસ્તુઓ સમજવું જરૂરી છે.

  1. જે શરીર પોતે છે તે માલિકી, મોંભ્ભો, અને મનનું પ્રતિક છે.
  2. જે પોતાનું કુટુંબ છે તે જ્ઞાન નું પ્રતિક છે.
  3. બાકીનું જે પોતાનું નથી તે.


  • પ્રાર્થના: ત્રાણવાર શાંતિ, શાંતિ, શાંતિ બોલીને પૂર્ણ કરાય છે.

ત્રણ શરીર

  • સ્થૂળ: દેહ, શરીર
  • શૂક્ષ્મ: મગજ, વિચાર
  • કારણ: મૃત્યુ થી પર, મૃત્યુ પછી વૈતરણા નદી પસાર કરી પિતૃલોક માં જાય છે અને મૃત પિતૃ સાથે મળી જાય છે.

મસ્તક છેદન: બ્રમ્હા, દક્ષ, ગણેશ
પિતૃ ઋણ - માનવને પિતાનું ઋણ ચુકવવાનું હોવાથી ઘર ગૃહસ્થી વસાવે છે અને સામાજિક બની સંતાનો પેદા કરે છે.
ક્રમશઃ (ગણેશ અને કાર્તિકેય)


ડો. ભરત એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...