Skip to main content

ગણપતિ ભગવાન

ભગવાન ગણપતિનો જન્મ

વિનાયક: નાયક (પુરુષ)ના સંબંધ વિના-વગર જન્મેલા તે ગણપતિ

  1. જ્યારે શિવ-પાર્વતી ને ગર્ભવતી બનાવવાનો ઇન્કાર કરે છે, ત્યારે પાર્વતિ શરીર ઉપર હળદળ અને તેલનો લેપ લાગવે છે તે સુકાઈ જાય છે ત્યારે શરીર પર થી ઘસી કાઢીને હળદળ-તેલ અને પોતાના પરસેવા યુક્ત ભૂકો ભેગો કરી ને ઢીંગલી બનાવી તેમાં પ્રાણ ફુકે છે જેથી પુત્ર ઉત્પન થાય છે આમ માણસની મદદ વગર પુત્ર થયો હોવાથી વિનાયક તરીકે ઓળખાય છે.
  2. શિવ અને શક્તિ પાર્વતિ હાથી સ્વરૂપે બનીને સવંનન કરે છે તેમાથી ઉત્પન્ન થતો પુત્ર ગણેશ કહેવાય.
  3. એક ત્રીજી વાયકા પ્રમાણે શિવ પાર્વતિ ને પ્રસન્ન કરવા પુત્ર ઉત્પન્ન કરે છે પણ તે ફકત પિતા જેવા વધારે પડતો દેખાતો હોવાથી પાર્વતિ તેનું માથું હાથી સાથે બદલી દે છે.
  4. ગણેશ પુરાણ અને ગણેશ ઉપનિષદ માં ગણેશને પોતાની જાતે જ ઉત્પન્ન થયેલ માનવમાં આવે છે.

ગણેશ મસ્તક વીચ્છેદન અને પુન:સ્થાપન

ગણપતિ પાર્વતિ નું રક્ષણ કરવાના ઇરાદે ભગવાન શિવને કૈલાશ ઘરમાં આવતા રોકે છે, ત્યારે શિવ ત્રિશુળ વડે વિનાયક નું મસ્તક છેદન કરે છે. શિવ લોહીવાળું વિનાયક નું મસ્તક લઈ ઘરમાં પાર્વતિ પાસે જાય છે, ત્યારે દૂ:ખી થઈ પાર્વતિ “મારો પુત્ર” એમ કહી ગુસ્સે થઈ જાય છે અને નરમ પ્રકૃતિની ગૌરી માથી કાળી અને ભયાનક “કાલી” નું સ્વરૂપ ધારણ કરે છે આ જોઈ ને શિવ ધ્રૂજવા લાગે છે તેમના સહાયકગણોને પ્રથમ સામે જે મળે તેનું મસ્તક લાવવા કહે છે આમ હાથી નું મસ્તક આરોપી ગણેશને જીવીત કરે છે.


ગણેશ ના લગ્ન

મોટા ભાગે ગણપતિ ને બ્રહમચારી સમજવામાં આવે છે, તેઓ આ કારણોસર લગ્ન કરતાં નથી.

  1. ગણપતિ ને પરણવા લાયક કોઈ સ્ત્રી માતા જેટલી સારી અને સુંદર લગતી નથી, તેથી લગ્ન કરતાં નથી.
  2. ગણપતિની કરૂપતા ને કારણે અને હાથીના મસ્તક ને લીધે કોઈ સ્ત્રી પરણવા રાજી થતી નથી. આથી પાર્વતિ આશ્વાસન રૂપે ગણેશ ના લગ્ન કેળના થડ ને સાળી પહેરાવી કેળના થડ સાથે કરાવે છે.
  3. જો કે આમ છતાં પણ ગણપતિ ની પત્ની તરીકે બન્ને રિદ્ધિ (ભૌતિક સમૃદ્ધિ) અને સિદ્ધિ(અધ્યાત્મિક વિકાસ) ઓળખવામાં આવે છે. ગણેશ પુત્ર તરીકે શુભ અને લાભ (શુભ = પવિત્ર) અને (લાભ = નફો, ફાયદો) તેમજ પુત્રી તરીકે સંતોષી જણાવાય છે.

ગણેશ ની પુજા

ગણેશચતુર્થી થી આનંદ ચૌદસ સુધી, દસ દિવસ સુધી જીવન ને મરણના ચક્રના પુરાવા રૂપે પ્રકૃતિ ના કુદરતી ચક્ર સમજાવવા ગણેશ સ્થાપના માટીમાંથી કરવામાં આવે છે. ગણેશ મુર્તિ ફરતે જવારા ઉગાડવામાં આવે છે જેને માતા પાર્વતિ-ગૌરી માનવવામાં આવે છે. દસ દિવસ પછી પાણીમાં તેનું વિસર્જન કરવામાં આવે છે.


ગણપતિ ના હાથી દાંત

ગણેશના બે હાથી દાંત ગણેશજી તોડી નાખે છે, તેના કારણો આમ છે.

  1. વ્યાસ મુનિ બૌધિક વાતો ગણપતિ ને કહે છે તેને લખવાની કલમ તરીકે ગણેશ હાથીદાંતો વાપરે છે.
  2. ગણપતિના મોટાપણાનો ઉપહાસ-કટાક્ષ કરતાં ચંદ્રને મારવા માટે હાથીદાંત તોડે છે.
  3. પરશુરામ કે બલરામ ની સાથે લડવા હાથીદાંત નો ઉપયોગ કરે છે.
  4. શક્તિ નો ઉપયોગ પોષણ અને રક્ષણ માટે કરવાનો છે નહીં કે મોટાઈ માટે તે બનાવવા ગણેશજી દેખાડવાના હાથીદાંત તોડે છે.


  • પેટ ખૂબ મોટું હોવાથી તેમને લંબોધરા કહે છે.
  • ગણપતિ ના શરીરે સાપ વિટળાયેલ છે અને પગ આગળ ઉંદર બેઠેલ છે.

ભગવાન ગણપતિ ના બે સ્વરૂપો જાણીતા છે એક માં તેઓ હાથ માં કુહાડી લઈ જીવનની ભૌતિક સુવિધાઓ થી દૂર થવાનું સુચન કરે છે અને બીજા હાથ માં દોરડાનો ગાળિયો બનાવી વિરોધાભાસી તત્વોને જોડાવાની વાત સમજાવે છે અને શિવ-પાર્વતિ એક છે એમ સમજાવે છે.

જ્યારે બીજા સ્વરૂપ માં એક હાથમાં અંકુશ દ્વારા યમ ના બંધન અને મૃત્યુ પર કાબૂ મેળવે છે અને બીજા હાથમાં શેરડી લઈ કામ-અપેક્ષા-કામનાથી મુક્તિ મેળવવાનું કહે છે.

કુબેર ગણેશ નું જમવા આમંત્રણ

ધન વૈભવના અભિમાનમાં ગણપતિને તારા પિતા તારે માટે ભોજન નહીં આપી શકે એમ કહીને કુબેર ગણપતિને જમવા આમંત્ર છે ત્યારે ગણપતિ ખાવાનું અને ધન ખુટાડી દે છે. કુબેરને અભિમાન તોડી જણાવે છેકે તમે ભૂખ માટે ખોરાક લાવો છે અને સંગ્રહો છે, પણ શિવ મારા પિતા ભૂખ પર વિજય મેળવવાનું શીખવે છે.
ભગવાન શિવ – ગણપતિ ને ગણના નેતા બનાવે છે અને ભય થી મુક્તિ આપવાનો રસ્તો બતાવે છે ભયથી મુક્તિ હશે તો જ સંગ્રહ ની લાલચ છોડાશે.

Comments

  1. Twelve different names of GANAPATI:
    1. Vakratund: Having curved nose of elephant.."SUNDH"
    2 .Ekadant: One having only one tooth out of his two.
    3. Krushnapingax: One having black and yellow tinged eyes
    4. Gajavakatra : One having face of an elephant
    5. Sambodar: Alias LAMBODAR : One having big abdomen full of wisdom and/or due to
    over-eating of LADDU.
    6. Vikat: one who gives/showers desired thing
    7. Vignaraj: One who solves problem ..."VIGNA"...also Vignaharta.
    8.Dhumravarna: Smoke like colored
    9. Bhalchandra: one having moon on forehead
    10. Vinayak: A leader having special status
    11.Ganapati: Owner/head o a group..
    12.Gajanan: One having face of an elephant

    ReplyDelete
  2. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  3. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

મહાભારત

આપણે ૨૫૦૦ વર્ષ પહેલાં, સંસ્કૃતમાં વ્યાસમુની દ્વારા લખાયેલ મહાભારત વિષે એટલું જાણીએ કે તે ૧૮ લાખ શબ્દોથી બે લાખ લીટીમાં એક લાખ શ્લોકોવાળું હિંદુધર્મની માહિતી અને જ્ઞાન આપતું લાંબામાં લાંબી કવિતાનું પુસ્તક છે.  આ ધર્મપુસ્તકમાં હકીકતમાં અઢાર પર્વ-એટલે કે અઢાર અધ્યાયમાં કુરુક્ષેત્રના મેદાનમાં સો કૌરવો અને પાંચ પાંડવો (બન્ને પક્ષે પિત્રાઈભાઈઓ) વચ્ચે લડાયેલ યુદ્ધની વિગતવાર કથા છે. આ વાર્તા વ્યાસમુનીના વિદ્યાર્થી એવા વૈશામપાયને પ્રથમવાર વાંચીને તક્ષશિલા ખાતે અર્જુનના પૌત્ર એવા રાજા જન્મેજય ને સંભળાવી છે. વૈશમપાયને જન્મેજયને કહી સાંભળવી તે ધર્મકથા તે મહાભારત. મને ખબર છે તમારે ફક્ત કથાવસ્તુ ટૂંકાણમાં જ જાણવી છે- અઢાર લાખ શબ્દો દ્વારા કહેવાયેલ વાત હું અઢાર પાનામાં કથાનું હાર્દ સમજાય પણ લંબાણ ન થાય એ રીતે) કહેવાનો નમ્ર પ્રયાસ કરું છું.   કૌટુંબિક પરિચય મહાભારતની શરૂઆત કુરુવંશનો ઈતિહાસ અને કુટુંબવૃક્ષ (Family Tree) ના પરિચય થી આદિપર્વ માં થાય છે. ત્યાર પછી સભાપર્વ માં કૌરવો-પાંડવો વચ્ચે રમાયેલ ધૃત જૂગટું અને પાંડવોની હાર ની કથા છે. તેર વર્ષમાંથી પહેલાં બાર વર્ષના વનવાસનું વર્ણન વનપર્વ માં...

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

મા પાર્વતી

ભગવાન શિવ-શંકર-મહાદેવ અને ગણેશ વિષે આપણે ખૂબ જ ભક્તિભાવ ધરાવતા હોઈએ છીએ. એ બન્ને વિષે જાતજાતની માહિતી રાખીએ છે. પણ તેમના કુટુંબના અગત્યના સભ્ય પાર્વતી-મા દુર્ગા-વિષે લગભગ અજ્ઞાત છીએ. ચાલો, મા પાર્વતીને વિગતે ઓળખીએ. પર્વતપુત્રી તે પાર્વતી પર્વત રાજા હિમાવત અને માતા મેનાવતીની પુત્રી પાર્વતીનો ભગવાન શિવ પતિ છે, તો ગણેશ અને કાર્તિકેય   પુત્રો છે. પાર્વતિના ભાઈ વિષ્ણુ અને બહેન નદી ગંગા છે. આ સામાજીક પરિચય વાળી મા પાર્વતીને પર્વતને લીધે શૈલજા, અદિજા, નાગજા, ગિરિજા, અને હેમવતી તરીકે પણ ઓળખવામા આવે છે.

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી. ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર...

ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.