મોરારજી દેસાઈ

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈ આપણી વચ્ચે જીવ્યા અને મર્યા. તેમને માટે આપણને સૌને ગર્વ છે. કારણ તેઓ ગુજરાતી હતા. આપણી જેમ અનાવિલ હતા અને ગરીબ પરિવારના સભ્ય હતા. તો પણ ભારતના રાજકિય સર્વોચ્ચ પદ વડાપ્રધાન પદે સ્વબળે પહોચ્યા હતા. તેઓ આપણા હતા આપણી સાથે હતા જીવ્યા હતા. આપણે તેમને સરળતાથી મળીને વાતચીત કરી શકતા હતા. છતાં તેમનો પરિચય મને કહેવા દો.

મોરારજી દેસાઈનો સ્વભાવ

સાચો પરિચય ખૂબ ઓછા લોકોને હતો. આથી તેમના વિષે ઘણી ગેરસમજો પ્રવર્તતી હતી. તેમના વિષે પૂર્વગ્રહથી લખાતી માહિતીઓ દ્વારા આપણે તેમને ઓળખતા થયા હતા. ત્યારે તેમનો સ્વભાવ જીદ્દી, તુંડમિજાજી, અભિમાની કે ખૂબ જ કડક હોવાની ખોટી માન્યતા હતી. તે દૂર કરવાનો અને સાચી રીતે તેમને ઓળખાવવાનો પ્રયત્ન અહી મેં કર્યો છે. મોરારજી દેસાઈના સ્વભાવનો પરિચય કરાવવા અને તેમને થતો અન્યાય નિવારવા હું તેમની આત્મકથામાંથી દેખાતા અને ઉદભવતા તેમના સ્વભાવની વાત કરીશ. ચાલો, પહેલા ટૂંકો પરિચય જાણીએ.

ટૂંકો જીવન પરિચય
  • ૨૯.૦૨.૧૮૯૬ વલસાડ જીલ્લાના ભદેલી ગામે મોસાળમાં જન્મ
  • પ્રાથમિક શિક્ષણ : ભદેલી અને સાવરકુંડલા
  • માધ્યમિક શિક્ષણ : શેઠ આર.જે.જે.હાઈ સ્કૂલ અને બાઈ આવાંબાઈ હાઈ સ્કૂલ, વલસાડ
  • ૧૫ વર્ષે  મેટ્રિક
  • કોલેજ વિલ્સન કોલેજ, મુંબઈ
  • ૧૫ વર્ષે પિતાનું અવસાન
  • નોકરી : ૧૯૧૮ થી ૧૯૩૦ નાયબ કલેક્ટરની નોકરી
  • મુંબઈ રાજ્યના ધારાસભ્ય, મંત્રી તથા મુખ્ય મંત્રી, ભારતના નાણાપ્રધાન, નાયબવડા પ્રધાન અને વડા પ્રધાન
  • ૧૦.૦૪.૧૯૯૫ મૃત્યુ સાબરમતી આશ્રમ અભયઘાટ
સ્વભાવ જાણવા માટે વ્યક્તિને દિનચર્ચા જાણવું અનિવાર્ય નથી શું?

દૈનિક કાર્યક્રમ  (જેલવાસ દરમ્યાન)
  • ૩.૦૦ કલાકે ઊઠવું, પ્રાર્થના પ્રાંત: ક્રિયાઓ સ્નાન
  • ૪:૧૫ કલાકે પુજા
  • ૫:૦૦ કલાકે પધાસન (૧ કલાક)
  • ૬:૦૦ કલાકે ચાલવું
  • ૭:૦૦ કલાકે દૂધ
  • ૯:૦૦ કલાકે કાંતણ વાંચન
  • ૧૦:૩૦ કલાકે સવારનું ભોજન, ગાયનું દૂધ, કેરી, સફરજન, ચીકુ જેવા ફળો.
  • ૧:૦૦ કલાકે આરામ પધાસન અને ગાયત્રીમંત્રનો જાપ (૧ કલાક)
  • ૨:૩૦ કલાકે કાંતણ અને વાંચન (રામચરિતમાનાસ)
  • ૫:૦૦ કલાકે ચાલવું
  • ૬:૦૦ કલાકે સાંજનું ભોજન દૂધ અને ફળ
  • ૬:૪૫ કલાકે પ્રાર્થના પધાસન (૧ કલાક)
  • ૯:૦૦ કલાકે શયન
  1. સતત સત્યની શોધ માટે આત્મનિરીક્ષણ
  2. અંતર શોધ અંતર યાત્રા
  3. પ્રભૂચિંતન ઈશ્વરનો સાક્ષાત્કારની ઝાંખની 
તુલસીદાસનું રામાયણનું પાંચ વખત વાંચન. ભક્તિ એટલે પરમ કૃપાળુ પરમાત્માના શ્રી ચરણે સંપૂર્ણ અને નિ:શેષ સમર્પણ.

તો ચાલો, હવે મૂળવાત મુદ્દાસર માંડીએ. તેમના સ્વભાવના વિવિધ લક્ષણો એક પછી એક સમજી લઈએ તે યોગ્ય રહેશે.

જીવનશ્રદ્ધા
  • કર્મનો સિદ્ધાંત : જેવુ કર્મ હોય તેવું જ તેનું ફળ હોય છે.
  • માણસ જે કઈ સુખ, દુ:ખ કે શાંતિ અનુભવે છે એ પોતાના કર્મો પ્રમાણે જ અનુભવે છે અથવા ભોગવે છે. અને કારણભૂત એટલે કે સાધનરૂપ કાંઈક થઈ શકે.
  • કોઈપણ એક વ્યક્તિને કારણે બીજી વ્યક્તિ સુખી કે દુ:ખી થઈ શકતી નથી.
  • જન્મ અને પુર્નજન્મના સિદ્ધાંતમાંની શ્રદ્ધા કર્મના સિદ્ધાંતમાંથી આવિસ્કાર પામે છે. આ, માન્યતા કે શ્રદ્ધા ભારતીય સંસ્કૃતિની છે.
  • કયા કર્મોનું કયારે પરિણામ ભોગવવાનું હોય છે એનો પણ નિયમ હશે એમાં મને શંકા નથી. આપણે જાણતા નથી તેથી નિયમ નથી એવું નહીં કહી શકાય.
સંચિત કર્મો

પુર્નજન્મની માન્યતામાં એ પણ સિદ્ધાંત રહેલો છે કે માણસ જયારે સંચિત કર્મો ભોગવી લે અને નવા કર્મો ભોગવવાના ન થાય એવા જ કર્મો કરે તો તેનો પછી પુર્નજન્મ ન થાય.

કર્મો:
  1. પુણ્યકર્મ : બીજાનું ભલું કરવું
  2. પાપકર્મ : પોતાના ફાયદા માટે બીજાને નુકશાન કર્તા કર્મ
  3. પાપ પુર્ણ્યકર્મ : નિષ્કામ કર્મ, અનાસક્ત કર્મ
માણસને સત અને અસત એવી બંને પ્રકારની વૃત્તિ મળેલી હોય છે. તે પ્રમાણે સારું અગર ખોટું નવું કર્મ કરવા પ્રેરાય છે. મૂળતત્વ એટલે કે સત્યની ખોજમાં વિચારપૂર્વક અને વિવેકપૂર્વક મંડ્યા રહે તો માણસને સત્યનું દર્શન થાય છે અને આખરે પુર્નજન્મના ફેરામાંથી બચી જાય છે અને મૂળતત્વમાં આવે છે. ઈશ્વરદર્શન કે સત્ય દર્શન આ સૃષ્ટિની સેવા સિવાય થઈ શકતું નથી. તેથી જ જનસેવા એ પ્રભુસેવા દ્વારા પ્રભુદર્શન અને અનાશક્તિ મળે છે. કર્મ માર્ગ છે. હવે ભક્તિમાર્ગમાં ઈશ્વરની સતત ભક્તિ કરતાં કરતાં પણ માણસ અનાસક્ત કર્મ કરતાં શીખે છે. આમ જોતાં કર્મમાર્ગ લગભગ એક જ છે.

સુખ દુ:ખ પ્રત્યે સમભાવ
  • સુખ દુ:ખ ભોગવવાનું રહે છે અને એને ટાળી શકાતું નથી. પરંતુ એ બંનેમાં માણસ જો સમભાવે રહી શકે તો એ દુખની લાગણીની તીવ્રતામાંથી એ બચી શકે. એનો અર્થ કે બંનેને સરખી રીતે ભોગવે અને બંનેમાં શાંતિ રાખે. કોઈપણ સંજોગોમાં અને પરિસ્થિતિમાં એ શાંત, સંતોષી અને નીવિર્રકારી રહે તો, એ દુ:ખ અનુભવવાની લાગણીની તીવ્રતામાંથી એ બચી શકે.
  • બીજાના દુ:ખમાં સહભાગી થવાનો પ્રયત્ન કરવો જોઈએ, જેથી તે વ્યક્તિને દુ:ખ સહેલાઈથી ભોગવવામાં મદદગાર થઈ શકાય છે અને આ રીતે એ માણસ નમ્ર અને અનાસક્ત બની શકે છે. એ પણ એક નિસ્વાર્થ સેવા બને છે.
  • જ્યાં બદલાની આશા રહે છે, ત્યાં નિરાશાને સ્થાન રહે છે. તેમાંથી અનેક ખોરી પ્રવુતી જન્મે છે. તેથી કોઈપણ સંજોગો સમજણ અને શાંતિ મેળવવાનું મારે માટે સહજ અને આસાન થઈ ગયું છે. આમ દુ:ખ ભોગવવાની વખતે બીજાને દોષ દેવાનું કે રાગદેષ રહેતો નથી.
  • ઈશ્વરનો નિયમ સદા કલ્યાણકારી જ હોય છે. એ નિયમ પ્રમાણે ચાલવાથી હંમેશા કલ્યાણ જ થાય છે.
  • મારા જીવનમાં ખટપટ કરવાનું મે કદી ઉચિત માન્યું નથી. જીવનમાં જે મળે એ ઈશ્વરની પ્રસાદી છે એમ સમજી છું.
  • કોઈને હું મારા કરતાં ઊતરતો ગણતો નથી અને મારી જાતને હું કોઈનાથી ચડિયાતી માણતો નથી.
  • મારા પર જિદ્દી પણાનો ખોટો આરોપ છે. મારો મત ખોટો સમજાય છતાં તેને વળગી રહું તો જિદ્દી કહેવાય, તેવું હું કરતો નથી.
  • માણસે સત્યની ટેવ સિવાય બીજી કોઈ ટેવોમાં પડવું નહી, કારણ ટેવની આદત પરાધીન અને કમનીય બનાવે છે.
  • સત્ય પ્રાપ્તિની એષણા અને જનસેવાની ઇચ્છામાં બાકીની બધી ઈચ્છા લય પામે તો જ માણસ નિર્ભય બની શકે.
ચિંતા
  • હું જાણું છું કે ચિંતા કરવાથી કશો અર્થ સરતો નથી. ઊલટાનું ચિંતા કરવાથી તો નિર્ણયશક્તિ ગુંગળાય છે. ચિંતા કરવાથી વ્યક્તિ અન્ય ને સહાયભૂત થતો અટકે છે અને પ્રગતિને વિલંબમાં નાખે છે. સંપૂર્ણપણે પ્રભુને સમર્પણ કરવાને પરિણામે મારી સઘળી માનસિક યાતનાઓથી હું ઉંચે ઉઠી આવ્યો છે.
  • પરમાત્મા કાનૂન અનુસાર જ સઘળું થતું હોય છે. એવી મારી માન્યતા છે. પરમ કૃપાળુ પરમાત્માની ઈચ્છા કદીએ નુકશાન કારક નથી, પણ ફાયદાકારક જ હોય છે.
  • વ્યક્તિના જીવનમાં જે કંઇ બને છે તેને પરમ કૃપાળુ પરમાત્માના કાયદા કે ઈચ્છા તરીકે ઘટાવવી જોઈએ. આમ થાય તોજ વ્યક્તિ દરેક પરિશ્થિતિમાં શાંત અને સ્વસ્થ રહી ચિંતામુક્ત બને છે.
ગુસ્સો
  • કોઈ ખોટું બોલતું કે અનીતિ કરતું દેખાય તો એ પ્રત્યે મને ભારે ગુસ્સો આવતો હતો અને એવું કરનાર તરફ હું સખતાઈથી બોલતો અને વર્તતો હતો. અને કેટલીક વખત એ બધાને શારીરિક શિક્ષા પણ કરતો હતો.
  • વહેવારમાં જો વ્યવસ્થા જાળવવી હોય તો ખોટું થાય ત્યાં સખતાઈથી કામ લેવાની જરૂર છે એમ મનમાં રહેતું.
  • ૧૯૫૨માં આ વિશે કોઈ વધારે વિચારતાં મને ખાત્રી થઈ કે માણસ જયારે એની દલીલ ખૂટે છે ત્યારે જ ગુસ્સો કરે છે. અગર પોતે કંઈ ખોટું કર્યું હોય વિશે કોઈ કહે ત્યારે સ્વીકારવાને બદલે ગુસ્સાથી બોલનારને દબાવે છે.
  • ગીતાના અભ્યાસ પછી ગુસ્સો કેમ જન્મે છે અને તેનાથી બુદ્ધિનાશ થાય છે એમ સમજ્યા પછી ગુસ્સો અક્ષમ્ય છે એમ મને ખાતરી થઈ. આમ અધ્યાત્મિક રીતે વિચારમાં ગુસ્સા વગર માણસ કામ કરે તો એની સારી અસર જલદી થાય છે. તે સમજ્યો.
ઉપવાસ
  1. ૧૯૫૬ મહાગુજરાત આંદોલનના નેતાઓએ અજમાવેલ હિંસાના પ્રતિકારમાં, અમદાવાદ.
  2. ૧૯૬૯ કોમી હુલ્લડો સામે અમદાવાદ
  3. ૧૯૭૪ નવનિર્માણ આંદોલનમાં ભળેલી હિંસાના વિરોધમાં બેજવાબદાર પોલીસ ગોળીબારમાં ૧૨૦ ૧૩ થી ૨૫ વર્ષના નિર્દોષ યુવકોની હત્યા થઈ હતી.
હેતુ
  1. હિંસા અટકાવવા
  2. વિધાનસભનું વિસર્જન(ગુજરાત)
  3. ૧૧ માર્ચથી ૧૫ માર્ચ ગુજરાત વિધ્યાપીઠ, અમદાવાદ ખાતે
  4. ગુજરાત વિધાનસભનું વિધાનસભાની ચૂટણી યોજવા અને (મિસા) કાયદો રાજકીય કાર્યકર સામે ન વાપરવા બાબતે બંને માંગણી સ્વીકાર
અહંભાવ
  • મારું નામ કોઈ સંસ્થા, માર્ગ કે સ્થાન વગેરે માટે ન આપવા દેવાનો નિયમ મેં જાહેરજીવનમાં પ્રવેશ કર્યો ત્યારથી જ રાખ્યો છે. અને એ વિશે કોઈ અપવાદ કર્યો નથી.
  • આ નિયમ કરવા પાછળ મારો એક હેતુ સ્પષ્ટ છે અને તે એ કે અહંભાવ છોડવાનો. માણસ અહંભાવ ન છોડે ત્યાં સુધી સત્યદર્શન થઈ શકતું નથી. અને સત્યદર્શન સિવાય બીજી કોઈ અભિલાષા મેં જીવનમાં પોષી નથી.
  • ૧૯૫૬ ની ૨૯ ફેબ્રુઆરીએ ૬૦ વર્ષ પુરા થયા ત્યારે પણ મેં હિરકજયંતી દ્વારા જન્મદિવસની ઉજવણી કરવા દીધી નહોતી.
ઇશ્વરી નિયમ

જે બનવાનું હોય છે તે અને છે. અને કોઈ અટકાવી શકતું નથી. જે બને છે તે ઈશ્વરના નિયમ પ્રમાણે બને છે અને તેથી માણસે શાંતિથી અને આનંદથી તે સ્વીકારવું જોઈએ. માણસે બુદ્ધિનો સદુપયોગ કરીને જે કર્મ કરવું જોઈએ તે સતત કર્યા કરવું જોઈએ. એનું પરિણામ ઇશ્વરી નિયમ પ્રમાણે જે આવે તેમાં સંતોષ મને, એમાં પણ ઈશ્વરનો અનુગ્રહ જ મને તો માણસની શાંતિનો કદી ભંગ નહી થાય અને એ દુ:ખી પણ નહીં થાય.

અપ્રિય સત્યવચન

કોઈને સતી કડવું લાગે તો પણ સત્ય બોલતાં અચકાવું નહીં એવી મારી માન્યતા હતી. સત્ય બોલો પણ પ્રિય બોલો. વળી ઋષિમુનિઓની સલાહ પછી મને તુરંત જ સમજીસુ કે આ પહેલી વિચારસરણી ભૂલભરેલી હતી.

સત્ય અપ્રિય કેમ લાગે તે વિચારતાં લાગ્યું કે (૧) કોઈની કહેલી વાત કદાચ અસત્ય પણ હોઈ શકે, તેથી બીજાને તે ચોક્કસ અપ્રિય થાય અને (૨) કોઈપ્રત્યે મને અણગમો હોય તો વાતમાં તે આવતા સત્ય પણ અપ્રિય લાગી શકે. એનાથી મારામાં સારું સરખું પરીવર્તન આવ્યું. મે વિચાર્યું કોઈને વિશે પણ અણગમો ન રાખવું. આ રીતે અપ્રિય બોલવાનું ટાળવા પ્રયત્નપૂર્વક શીખ્યો.

મૃત્યુ

બોમ્બે હોસ્પિટલ ખાતે ડો. શાંતિલાલ મહેતા પાસે, ૧૯૫૮ માં: ૧૯૫૮માં મુત્રપિંડની પથરીના ઓપરેશન વખતે, ઓપરેશનમાં મૃત્યુનો ભય જ ચિંતા ઉપજાવે છે. પણ મને પોતાને મૃત્યુનો ભય નથી કારણ કે મૃત્યુ અનિવાર્ય છે અને એની ઘડી નિશ્ચિત છે એમ હું માનું છું. અને કોઈ ટાળી શકતું નથી કે આગળ ઠેલી શકતું નથી. એથી મૃત્યુ દુ:ખ માનવનું કોઈ કારણ નથી. એટલે જે અનિવાર્ય છે એની ચિંતા કરવી નકામી છે.

૧૯૫૮માં પ્રથમ બોમ્બે હોસ્પીટલમાં કિડની સ્ટોન અને ત્યાર પછી હરકિસનદાસ હોસ્પીટલમાં હર્નિયા ઓપરેશન કરાવ્યું હતું.

સલાહ

હું હંમેશા એમ માણતો આવ્યો છું કે સલાહ, પછી ભલે તે ગમે તેટલી મૂલ્યવાન હોય તો પણ સલાહ માગનારને માટે તે કદી આજ્ઞાન ન બનવી જોઈએ. (સરદારના અવસાન પછી ગુજરાતના વહીવટમાં ગુજરાત વિષયક સલાહ તથા ૧૯૬૦માં ગુજરાત રાજયની સ્થાપના પછી સલાહો બાબત)

સ્વમાન

મારા સ્વમાનને જતન કાજે શ્રીમતી ઈંદિરા ગાંધીના પ્રધાન મંડળમાંથી રાજીનામું નાયબ વડાપ્રધાન તરીકે રાજીનામું આપ્યું. મારા સ્વ્મનને હું મહામૂલી મૂડી સમજું છું. ભયની સામે એજ માત્ર મને હિંમત અને સ્વાતંત્રય બક્ષે છે. મારો જેલવાસ ૨૬.૦૬.૭૫ થી ૧૯ મહિના કટોકટી દરમ્યાન – પહેલાં સોહના પછી તાઓરું ખાતે. જ્યાં જ્યાં હું જાઉં ત્યાં ત્યાં મને ઘર જ લાગે છે.

આ વાતો જાણ્યા, સમજ્યા પછી મને લાગે છે કે વ્યક્તિના પ્રત્યક્ષ સંપર્ક વગર – બહારથી મળેલી માહિતીઓને ભેગી કરીને આપણે નિર્ણાયક બની જતાં હોઈએ છીએ. અને તેથી વ્યકતીને અજાણતા અન્યાય કરી બેસતા હોઈએ છીએ.

અહી શ્રી મોરારજીની આત્મકથા મારું જીવનવૃતાંત ના ૭૨૪ પૃષ્ઠો વાંચીને તેમને ઓળખવાનો સંન્નિષ્થ પ્રયત્ન મેં કર્યો છે. તે પુસ્તકનાં આધારે એમના સ્વભાવના લક્ષણો મેં વાગોળ્યા છે. તેમનો અપ્રિય કઠોર સત્યવચન કહેવાનો સ્વભાવ હતો, તે એમણે સ્વીયાર્યું છે, પરંતુ તેની ભૂલ સ્વીકારી, તેમણે આવું ટાળવાનો પ્રમાણિક પ્રયત્ન કર્યો છે. તે રીતે જ, જીદ્દીપણાના આરોપને પણ ખોટો સાબિત કર્યો છે. પોતાના મતને વળગી રહેવું ખોટું નથી, પણ તે ખોટો છે એમ સમજ્યા છતાં ન સ્વીકારવું અને ન બદલવું તે જિદ્દીપણું તેમનામાં ન હતું. તેઓ ગુસ્સાવાળા હતા એમ કહેવાતું પણ તેઓ અધ્યાત્મિક વિકાસને માર્ગે જઈને પોતાના ગુસ્સાને કાબુમાં રાખી શકયા હતા, પરતું પોતાના સ્વાર્થનું ખોટું કામ ન કરતાં હોવાથી, ઘણાએ તેમને ખોટી રીતે વગોવ્યા છે.

આમ શ્રી મોરારજી દેસાઈનો આત્મકથા દ્વારા મળતો પરિચય તેમને અધ્યાત્મિક પુરુષ, જેઓ ઇશ્વરી શક્તિમાં વિશ્વાસ ધરાવનાર અને આસ્તિક બતાવે છે. તેઓ સત્યવક્તા હોવા ઉપરાંત સ્પષ્ટવક્તા હતા, જે સદગુણ કેળવવો ખૂબ મુશ્કેલ છે. તેઓ નિર્ભય હતા અને તે માટે આપણને પણ નિર્ભયતા સમજાવતા રહ્યા હતા. છેલ્લે તેમને સ્વમાની અને ની:સ્પૃહી કહેવા પડે, કારણ નાયબ વડાપ્રધાન અને વડાપ્રધાનપદેથી તેમણે શાંતિથી રાજીનામું આપી દીધું હતું.

આવા આપણાં શ્રી મોરારજી દેસાઈને વંદન.


ડો. ભરત દેસાઈ, બીલીમોરા
bharat@desaieyehospital.com





શ્રી. મોરારજી દેસાઈની આત્મકથા 
  • “મારું જીવનવૃતાંત” - ભાગ ૧, ૨ અને ૩
  • લેખક : મોરારજી દેસાઈ
  • પ્રકાશન : નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ - ૩૮૦ ૦૧૪
  • કિમત : નવસો રૂપિયા
  • પાનાં : ૭૧૦ + ૧૪
  • પ્રકાશન: ૧૯૮૪ (સંયુક્ત)


ભગવાન શિવ શંકર – ભોલેનાથ

શિવ – શંકર – ભોલેનાથ તરીકે

ભગવાન શંકર નો પરિચય ભોલેનાથ તરીકે અવરનવાર આપવામાં આવે છે, તે અમસ્તો નથી. તેના ભોળપણ ના અસંખ્ય દાખલાઓ તેમના જીવનમાથી જોવા મળે છે, તેથી આ વાત સાબિત થયેલ છે. તો, ચાલો,તેની વિગત મેળવીએ.

ભગવાન શિવ દુનિયાદારીથી તદ્દન અજાણ હતા એટલે તેમને લગ્ન કેવી રીતે થાય, લગ્ન પછી ઘર કેમ જોઈએ અથવા લગ્ન પછી શરીર સંબધ શા માટે જરૂરી તેની બિલકુલ ખબર નહોતી.

વૃદ્ધાવસ્થાની આરસી

થોડા વખત પહેલાં મેં “વૃદ્ધાવસ્થાની સમસ્યાઓ” નામનું ડો. હિતેશકુમાર એન. પટેલ લિખિત સંશોધનાત્મક પુસ્તક વાંચ્યું. એ પુસ્તકમાં લેખકે જીવનના વિવિધ વિભાગો જેવા કે માનસિક સ્થિતિ, આર્થિક બાબતો, સામાજિક બાબતો, આરોગ્ય અને સમય પસાર કરવાની સમસ્યાઓ વિષયક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. તે ઉપરાંત આ વિષયમાં બીજા સંશોધનો સાથે સરખામણી કરી. તેમાંથી પ્રેરણા લઈ મેં બીલીમોરાના વૃદ્ધોની ખરેખર સ્થિતિનો અભ્યાસ કરવા વિચાર્યું અને તેના અભ્યાસના ફળ સ્વરૂપે આ લેખ લખ્યો છે.


પહેલાં મેં પ્રશ્નોત્તરી તૈયાર કરી - તેમાં મુખ્યત્વે વૃદ્ધોની વ્યક્તિગત માહિતી લીધા પછી તેમની માનસિક સ્થિતિ, આરોગ્ય અને આર્થિક બાબતોને લગતા સવાલો પૂછયા. ત્રણ પૃષ્ઠોની આ પ્રશ્નોત્તરીમાં શક્ય જવાબો પણ મૂકીને ફક્ત ખરું પાડીને (ટીક માર્ક) જવાબ આપવા સૂચવ્યું. ઉપલબ્ધ માહિતીના આધારે તેનો સાર અહીં રજૂ કરું છું. આશા છે આપને ખરેખર બીલીમોરામાં વસતા વૃદ્ધોની વૃદ્ધાવસ્થાની આરસી જોવા મળશે.

ભારત વિ. પાકિસ્તાન: આપણે મિત્રો કેમ નથી?

ભારત-પાકિસ્તાનના સંબંધો એટલી જટિલ સમસ્યા છે, તે વિષયક ૧૮૦ પાનાના પુસ્તકનો સાર કહેવા ખૂબ હોશિયારી માંગે છે. હું પ્રયત્ન કરીશ. આ વાત ત્રણ મુદામાં વહેંચીને સારી રીતે સમજાવી શકીશ.
  1. ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધો,
  2. ભારત-પાકિસ્તાન અને વિશ્વના નેતા અને બીજાઓના મંતવ્યો કહીશ,
  3. છેલ્લે, આખી વાર્તાનો સાર-ઉપસંહાર કહીશ.

દોસ્તાર - સુખનું સરનામું

દોસ્તાર - સુખનું સરનામું

લેખક: જય વશી 

પુસ્તક પરિચય - પ્રતિભાવ અને વિવેચન (ડૉ. ભરત દેસાઈ)


પુસ્તક પરિચય (Book Review) લખતી વખતે લખનારે પોતાનો પરિચય કે પરાકમોની વાત નથી કરવાની. ઉપરાંત લેખકના પુસ્તક દ્વારા જે વિચારો પોતે માણ્યા છે તેની વાત જ ટૂંકમાં કહેવાની હોય છે. પુસ્તક વાંચ્યું હોવું ફરજિયાત છે!? પુસ્તક વાંચવાની આતુરતા-ઉત્કઠા જાગે ત્યાર પછી થોડી વાતો વાચકને પુસ્તકમાંથી જ મળે તે માટે બાકી પણ રાખવાની હોય છે... મેં બાંઘેલી આ મર્યાદામાં રહીને પ્રતિભાવ રજૂ કરીશ.


Learning To Say No, When You Usually Say Yes

Great damage is done to you if you say Yes when actually you want to say No. During a lifetime, we come across incidences in the day to day life where a critical situation arises and we wrongly say Yes instead of No. This is about the analysis of all circumstances telling and teaching us why do we say Yes, how should we say No and most importantly, what are the benefits of telling No.

No means no!
(Photo source: indiatoday.in)

Should You Visit The Taj Mahal?

Should I at all visit 'the Taj' the Taj Mahal?

Yes, it is a must, because we have the world’s best wonder (The best of seven wonders of the world) and nothing should stop you from visiting it. Let me tell what others say about Taj.

What do visitors say?

French traveller Bernier said, “Of all the seven wonders of the world (1) Great Wall of China 7Th BC. China, (2) Petra 100 BC. Jordan, (3) Machu Picchu 1450AD. Peru, (4) Chinchan Itza 600 AD. Mexico, (5) Colossian 80AD. Italy, (6) Taj Mahal 1648AD. India, (7) Great Pyramid of Geisha 2560 BC. Egypt., Taj is the best. How can I praise unshaped pyramids of Gaza or irregular long wall of China and any of the other fort after seeing Taj Mahal- a poem in marble?”



મગજ ન ગુમાવો, વજન ગુમાવો

મગજ ન ગુમાવો, વજન ગુમાવો

(Don't Lose Your Mind, Lose Your Weight)

લેખિકા: ઋજુતા દિવેકર (Rujuta Diwekar), અનુવાદ: રેખા ઉદયન 

પુસ્તક પરિચય: ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ

વધેલા વજનથી હતાશ અને ગભરાયેલા લોકોએ સરળ રરત્તો જાણવો હોય તો આટલું જરૂર જાણો. તંદુરસ્તી માપવા માટે વજનકાંટા કે મેઝર ટેપત્તી જરૂર પડે એવું થોડું જ છે? તમારા લગ્ન પ્રત્યે તમે ખરા દિલથી કામ કરતા હો અને ભરપૂર જિંદગી જીવતા હો, તો તમે ફિટ જ છો. આપ, પૌષ્ટિક અને યોગ્ય આહાર લેવા ઉપરાંત જીવન ભરપૂર માણતા પણ શીખવું જોઈએ, ત્યારે જ તમે ફિટ કહેવાઓ.

અહીં આપેલી સૂચનાઓનો કરશો તો Compensatory Diet, Herbal Diet, Crash Diet, Fat Free, Sugar Free, Baked diet, Comfort Food, South Beach Diet, Atkin Diet અને આવા અટપટા - ભૂખમરાવાળા અને થકવનારા ખોરાક (Diet Plan)થી ચોક્કસ મુક્તિ મળશે અને ભુખા રહ્યા વગર, ખાઈ-ખાઈને વજન ઉતારી શકશો.

On Father’s Day

Parents are important. Because we take birth because of them. They get married (usually)and decide to become parents. They stop anti-pregnancy drugs-contraceptives, they start loving(!) each other and have a physical relationship or sometimes even tolerate the torture of IVF and the end result is the birth of a child - YOU! So, in a time of very late marriages, delayed parenthood and zero-to-one child, to take birth is no accident. The point being, the parents are important and the children should be grateful to them.

2018 - The Centenary Year of My Highschool D.C.O. Killa Pardi

To my greatest surprise, one fine morning I received a memento with my name inscribed, in the honour of outstanding academic achievements! Turned out that Pardi Education Society's trustees and event organisers (including the Vice President Hemant J. Desai) had sent this memento as part of the centenary celebrations of my high school D.C.O. (1918-2018). This award depicting the story of grand 100-year celebrations inspired me to write about my story with nostalgic emotions and the then D.C.O. High School. Killa Pardi.

It gives me great pleasure to witness the 100-year celebration of my school where I was a student (1963 to 1967), 50 years ago! So, all I wish to tell you here is a story of my experiences as a student in an era of student-teacher relationship 50 years back.