Skip to main content

મગજ ન ગુમાવો, વજન ગુમાવો

મગજ ન ગુમાવો, વજન ગુમાવો

(Don't Lose Your Mind, Lose Your Weight)

લેખિકા: ઋજુતા દિવેકર (Rujuta Diwekar), અનુવાદ: રેખા ઉદયન 

પુસ્તક પરિચય: ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ

વધેલા વજનથી હતાશ અને ગભરાયેલા લોકોએ સરળ રરત્તો જાણવો હોય તો આટલું જરૂર જાણો. તંદુરસ્તી માપવા માટે વજનકાંટા કે મેઝર ટેપત્તી જરૂર પડે એવું થોડું જ છે? તમારા લગ્ન પ્રત્યે તમે ખરા દિલથી કામ કરતા હો અને ભરપૂર જિંદગી જીવતા હો, તો તમે ફિટ જ છો. આપ, પૌષ્ટિક અને યોગ્ય આહાર લેવા ઉપરાંત જીવન ભરપૂર માણતા પણ શીખવું જોઈએ, ત્યારે જ તમે ફિટ કહેવાઓ.

અહીં આપેલી સૂચનાઓનો કરશો તો Compensatory Diet, Herbal Diet, Crash Diet, Fat Free, Sugar Free, Baked diet, Comfort Food, South Beach Diet, Atkin Diet અને આવા અટપટા - ભૂખમરાવાળા અને થકવનારા ખોરાક (Diet Plan)થી ચોક્કસ મુક્તિ મળશે અને ભુખા રહ્યા વગર, ખાઈ-ખાઈને વજન ઉતારી શકશો.

હા, ખોરાક-પ્રવૃત્તિ અને કસરતની નોંધ શરૂઆતમાં ત્રણ-ચાર દિવસ નીચે મુજબ કરશો તો ફાયદાકારક રહેશે.

સમય ખોરાક અને પીણા તેની લીધેલી માત્રા સાથે પ્રવૃત્તિની વિગત કસરતની વિગત



આ પૂર્વભૂમિકા પછી સીધા જ તંદુરસ્ત જીવનના છ પગથિયાં બતાવી દઉં.
  • પગથિયું-૧: સૂર્યોદય પહેલાં ઉઠો
  • પગથિયું-ર: ભોજન-૧ : ઉઠયા પછી ૧૦ મિનિટમાં (અથવા મોડામાં મોડા 30 મિનિટમાં) કંઈક પૌષ્ટિક ખોરાક ખાઈ લો. ફ્ળથી શરૂઆત કરો.
  • પગથિયું-૩: ભોજન-ર : એક કલાકની અંદર ઘરનો બનાવેલ સારો નાસ્તો આરોગો. ઈડલી, ઢોસા, ઉત્તપા, ઉપમા, તવા પરાઠા, રાબ, ઈંડાની વાનગી વિગેરે સારો વિકલ્પ છે.
  • પગથિયું-૪: ભોજન-૩ : ભોજન-ર પછી દર બે કલાકે ખાઓ, નારિયેળ પાણી અને તેની મલાઈ, લસ્સી, શીંગ અને ચણા, ચીઝ, દહીં, દૂધ, ગાજર, કાકડી, બાફેલા ઈંડા કે આમલેટ, પ્રોટીનબાર, પૌવા, ફણગાવેલા કઠોળ.
  • પગથિયું-પ: સૂર્યાસ્ત પછીના બે કલાકની અંદર જમી લો.
  • પગથિયું-૬: રોજ નિયત સમયે સૂઈ જાઓ. રાત્રે ૧૦:૩૦ આદર્શ સમય છે.
ત્યાર પછી આવી જ બીજી વાત, યોગ્ય રીતે ખાવા માટેના ચાર મુખ્ય સિદ્ધાંતો કહી દઉં.

સિદ્ધાંત-૧:
  • સવારે ઉઠીને તરત પહેલાં ચા/કોફી ન પીઓ. તેને બદલે વહેલી તકે પૌષ્ટિક ખોરાક લો. ચા/કોફી પીવાથી ભૂખ મરી જાય છે.
  • સુંદર શરીર બનાવવાનો મુખ્ય આધાર સવારે ઉઠીને ૧૦-૧૫ મિનિટમાં શું ખાઓ કે પીઓ છો અથવા શું નથી ખાતાં કે પીતાં તેના પર રહેલો છે.
  • સવારે ૭ થી ૧૦ સુધી જઠરની ખોરાક પચાવવાની વધુમાં વધુ ક્ષમતા હોય છે.
સિદ્ધાંત-ર: દર બે કલાકે ખાઓ.
  • ખાવું એટલે આપણા શરીરને પ્રેમ કરવો. અને તેને પોષણ આપવું. લાંબા સમય સુધી ભૂખ્યા રહેવું કે ન ખાવું એટલે શરીરને શિક્ષા કરવા બરાબર છે.
  • દર બે કલાકે ખાવાથી ઘણી ઓછી કેલરીનું ચરબીમાં રૂપાંતર થાય છે. તેનાથી મગજને નિયમિત શર્કરા (Sugar) મળવાથી વિચાર શક્તિ સારી અને સતેજ બને છે.
  • વધારે વખત ખાવાથી કાર્યક્ષમતા વધારે સારી અને ઝડપી બને છે.
સિદ્ધાંત-૩: ઓછી પ્રવૃત્તિ કરતા હો ત્યારે ઓછું ખાઓ અને વધારે પ્રવૃત્તિ કરતા હો ત્યારે વધારે ખાઓ.
  • જો ખોરાકને દૂર રાખવો (ભૂખ્યા રહેવું) એ શિક્ષા છે, તો વધારે પડતું ખાવું એ ગુનો છે!
સિદ્ધાંત-૪: રાત્રે સૂવાના બે કલાક પહેલાં જમી લો.
  • વજન ધટાડવાનું અગત્યનું નથી, પણ તમારી જાતની સંભાળ રાખવાનું - જાત પ્રત્યે પ્રેમની લાગણી રાખવાનું વધારે અગત્યનું છે. અને તે માટે નિયમિત રોજ જ યોગ્ય આહાર લેવો જોઈએ અને કસરત કરવી જોઈએ.
  • તમારું વજન તમારા સ્વાસ્થ્ય કે ફિટનેસનું ધોરણ બતાવતું નથી.
વ્યાયામ
  • વ્યાયામને જીવનનો એક ભાગ બનાવી દો.
  • તમારે બદલે બીજા કોઈ વ્યાયામ ન કરી શકે.
  • તમારી વય, મોભો, શરીરનું વજન અને આવક ગમે તે હોય, તમે સ્ત્રી હો કે પુરૂષ, દરેકને કસરતની જરૂર છે. કસરત જીંદગીભર કરતા રહો.
  • કસરતના ફાયદાઓ: સ્નાયુઓ અને હાડકાંની ઘનતા વધે છે. હૃદય અને ફેફસાં કાર્યક્ષમ બને છે. વધારે ચપળ, સ્ફૂર્તિલા અને મજબૂત બનાવે છે. બી.પી. અને ડાયાલીસીસ ઘટે છે.
  • કસરત ધીમે ધીમે વધારતા જાઓ.
  • તમે વૅઈટ ટ્રેનિંગની કસરતથી થાકી ગયા હો તો સાયકલ ચલાવો. તે ન ગમે તો દોડવા જાઓ. ચાલો, દોડો, સાયકલ ચલાવો કે કોઈ પણ કસરત જરૂરથી કરો.
પોષક ધટકો ખાવાના છ નિયમો
  1. તાજો રાંધેલો ખોરાક ખાઓ.
  2. ટામેટા-કાકડી-સલાડ ખાઓ.
  3. ફળ અને શાક સમારીને ખાવાને બદલે આખાં જ ખાઓ.
  4. તમારા મૂળને વફાદાર રહો. તમે નાનપણથી જે ખાતા આવ્યા છો તે ખાઓ. પંજાબી હો તો પરાઠા, તમિલીયન હો તો ઈડલી વિ. તમારા ઘરમાં જે બનતું હોય તે ખાઓ.
  5. બને ત્યાં સુધી જે પ્રદેશમાં રહેતા હો તે પ્રદેશમાં ઉગતું અનાજ અને શાકભાજી ઋતુ-ઋતુ  પ્રમાણે ખાઓ.
  6. શાંત માનસિક સ્થિતિ: તણાવભરી પરિસ્થિતિમાં મોટા ભાગના આહારનું ચરબીમાં રૂપાંતર થાય છે અને વજન વધે છે.
ફળ: સવારે ઉઠીને ફળ ખાઓ.

આલ્કોહોલ:
  1. ચરબી વધે
  2. ઈસ્ટ્રોજન વધે - સ્ત્રી જેવી વર્તણૂંક કરે છે.
  3. બીઅરબેલી (Beerbelly) - ગોળમટોળ પેટ થાય છે.
દૂધ: દૂધમાં મળતું ટ્રીપ્ટોફેન નામનો એમિનોએસિડ મગજ શાંત રાખે છે અને સારી ઊંધ લાવે છે. તેથી દૂધ રાત્રે સૂતી વખતે પીવું જોઈએ.

રાંધવામાં એલ્યુમિનિયમના વાસણો ખતરનાક નુકશાન કરે છે.

રેસાતત્વ (Fibre): ખોરાકનું રેસાતત્ત્વ વધારે પડતું ખાવાથી પચપ્વે છે - કબજીયાત રોકે છે.

પોષકતત્ત્વો
  1. કાર્બ્સ: પૌંવા, ઉપમા, પરાઠા, ઈડલી, ઢોસા, ઢોકળા, ભાત, દાળ, રોટલી, શાક, રાજમા, છોલે, વિ. શક્તિ અને વિચારશક્તિ વધારે છે.
  2. પ્રોટીન્સ: ચરબી ઓગાળવાનું કામ કરે, દરરોજ ૧ ગ્રામ પ્રોટીન દર કિલોગ્રામ વજન પ્રમાણે જરૂરી છે.
  3. ચરબી: વિટામિન (A, D, E & K)નું પરિવહન ચરબી દ્વારા થાય છે. સાંધાઓમાં તેલ પુરવાનું અને જ્ઞાનતંતુનું આવરણ બની રક્ષણ કરવાનું કામ ચરબી કરે છે.
  4. વિટામીન અને ખનિજ ઘટકો 
  5. પાણી: પાણી કેટલું પીવું જોઈએ? એટલું પાણી પીઓ જેનાથી તમારું મૂત્ર કાચ જેવું ચોખ્ખું બહાર આવે, પીળું કે લાલાશ પડતું નહીં. પાણી જીવન છે, એક-એક ઘૂંટડાને માણો!

આદર્શ જીવન: આદર્શ જગતમાં તમને મોટા ઘરની, મોટી ગાડીઓની કે શ્રેષ્ઠ પતિ/પત્નીની ઝંખના થતી નથી. તમને જે મળ્યું તેનાથી તમને સંતોષ હોય છે. લાલચ, ક્રોધ, ઈર્ષ્યા, બીજાથી અંજાઈ જવાનો સ્વભાવ હોતો નથી. આદર્શ જિંદગીમાં વધારે પડતું કમાઈ લેવાના મહત્વાકાંક્ષા હોતી નથી.


ચાલો, હવે થોડી સાદી મૂંઝવણોનો ઉકેલ સમજી લઈએ.
  • ચીઝ, પાસ્તા, પરાઠા, શીગ-દાણા, પનીર, કેળા, કેરી, બટાકા અને ભાત ખાવા અંગે ગેરસમજ થઈ છે. ઉપર બતાવેલ આમાંથી એક પણ ખોરાકથી જાડા થવાતું નથી. ફકત તેનું પ્રમાણ અને લેવાનો સમય મહત્ત્વના છે.
  • સત્રિભોજન પછી ડેઝર્ટ કે કોફી લેવું યોગ્ય નથી, ખરાબ છે.
  • બેડરૂમમાંથી ટીવીને વિદાય આપો, તેનાથી સારી અને એકધારી ઊંઘ આવતી નથી. અને સવારનું વહેલું ઉઠવાનું શક્ય બનતું નથી.
  • ભોજન સમયે ફોન, ટીવી અને કમ્પ્યુટર બંધ કરી દો.
  • ક્યારેક વધારે ખવાય જાય, તો તેનો મન પર ભાર ન રાખો. બસ આનંદથી જીવો.
  • કૃત્રિમ ગળપણ (Sweetness) શરીરને ધીમું પણ ઘાતકી નુકશાન કરે છે. લાંબેગાળે તેનાથી વિસ્મૃતિ, એસિડીટી, મેદસ્વિતા અને થાપરોઈડની બીમારી થાય છે.
  • ઉપવાસ: આપણું પાચનતંત્ર હૃદયની જેમ જ સ્વતંત્ર રીતે કાર્ય કરતું અંગ છે અને એ અવિરત કાર્ય કરે છે. તેથી ઉપવાસ નુકશાનકર્તા છે. ઉપવાસ બિલકુલ જ માંડવાળ રાખવો.
  • કંટાળો દૂર કરવા, આનંદ માટે ખાવું જરૂરી નથી. કંટાળો કે નકારાત્મક વિચારો ખાવાથી જતા નથી.
  • એકી વખતે આપણી બે હથેળીમાં સમાય તેટલો ખોરાક જઠરને આપવો જોઈએ. વધારે નહીં. તેથી થોડા થોડા અંતરે થોડું થોડું ખાવાની સલાહ છે.
  • Anti-ageing: બદામ, અખરોટ, શિંગદાણા, ચીઝ, ધી, પનીર, માછલી, વિ. ચહેરાની સ્નિગ્ધતા-સુંવાળપણું અને યૌવન જાળવે છે.
પુસ્તકનો સાર બે મુદામાં આમ કહી શકાય,
૧. સવારથી સાંજ સુધી જઠરને કઈ ન આપવું અને ડિનર વખતે ઠાંસી ઠાંસીને પેટ ભરી દેવું એ
સદંતર ખોટી જીવનશૈલી છે. વજન ઉતારવા માટે, તમારે દર બે કલાક ખાવું જરૂરી છે.

૨. તમે યોગ્ય સમયે, યોગ્ય માત્રામાં, વિવેકપૂર્વક જે કંઈ ખાઓ, તે તમારા માટે સારું જ છે.
તો હવે કોની રાહ જુઓ છો? શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય હમણાં જ છે. "આજ કરે સો
અબ."

હા, શરૂઆત માટે યોગ્ય સમયનાં રાહ જોવાનું બંધ કરો. તેમાંય વચ્ચે બહાના કે કારણોને બીલકુલ આવવા ન દેશો. પછી વજનની ફીકર ભાગવાની જ છે.


ડો. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા



  • પુસ્તકનું નામ: મગજ ન ગુમાવો, વજન ગુમાવો
  • અંગ્રેજી પુસ્તક (Don't Lose Your Mind, Lose Your Weight)નો ગુજરાતી અનુવાદ
  • લેખિકા: ઋજુતા દિવેકર
  • અનુવાદ:રેખા ઉદયન
  • લેખિકાનો પરિચય:ઋજુતાનું કાર્યસ્થળ મુંબઈ છે. ઋષિકેશમાં તે યોગનો અભ્યાસ કરે છે. ઉત્તરકાશી તેનું પ્રિય સ્થળ છે, તો હિમાલય ખુંદવાનો તેને શોખ છે. છેલ્લા દસકાથી ફિટનેસ અને ડાયેટ વિષયક નિષ્ણાંત તરીકે માર્ગદર્શન આપીને અનિલ અંબાણી, કરીના કપૂર, કોંકણા સેન, પ્રીટી ઝીન્ટા, સૈફ અલી ખાન જેવા અનેક ‘સેલિબ્રીટીઝ’ને તંદુરસ્ત જીવનશૈલી અપનાવડાવી છે. ઋવ્જુતા દિવેકરે "ડાયેટિંગ"ની વ્યાખ્યા જ બદલી નાંખી છે.



Comments

  1. Very useful information
    Thanks Dr. Bharatbhai

    ReplyDelete
  2. Thank you, Shivani.
    I'm glad you found the article to be useful. Please also share the article with your friends and colleagues who may benefit from this information.

    ReplyDelete
  3. very informative. Short but covering almost all topics .thanks

    ReplyDelete

Post a Comment

Thank you for your comment!

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

Dawood Ibrahim - A Journey From Dongri To Karachi, Via Dubai

One of the recent off-bit topics I’ve read, this one book about ‘Mumbai Mafia’ has been the most interesting, well-researched and well-written. Here is an excerpt from Dawood Ibrahim's journey from “Dongri to Dubai”, and the six decades of Mumbai mafia.

આદિકવિ નરસિંહ મહેતા

સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા! મીરા, કબીર કે તુલસીદાસ જેવો ભક્તકવિ પરમ સંત અને ગુજરાતી સાહિત્યનો મહાન સક્ષમ કવિ તે આપણો નરસૈયો . સાદાઈ, સરળતા, બેફિકરપણું જેવા ગુણો સાથે નાગરોની ટીકાને અવગણી હરિજનો વચ્ચે બેસી ભજનો કરતા અને ભોજન કરતા નરસિંહ મહેતા અસ્પૃશ્યતા આભડછેડના પાંચ શતક પહેલાંના સમાજમાં કલ્પવું મુશ્કેલ છે. હરિજન ઉદ્ધાર કે એવી કોઈ મોટાઈ વગર ઉચ્ચનીચના વાડા ભેદી હળવું મળવું જેવું ખૂબ હિંમત નું કામ તેઓ જ કરી શકે સંપૂર્ણ શરણાગતિ (Total Surrender) કે પછી સાક્ષીભાવ (Be Witness) જેવા ગીતાના ઉપદેશો આત્મસાત કરેલા આપણા મહાન કૃષ્ણભક્ત નરસિંહ મહેતાને માટે પ્રશંશાના શબ્દો મળતા નથી. કૃષ્ણ ભક્તિ-ભજન અને સંસારની સાંસારીક બાબતોમાં સંપૂર્ણ નચિંતપાણુંસમજવું સહેલું નથી. પુત્ર શામળશાનો વિવાહ, દીકરી કુંવરબાઈનું મામેરુ, હૂંડી લખી સ્વીકારનીઆશા રાખવી, પુત્ર શામળશા અને પત્ની માણેકબાઈના મૃત્યુ સમયે વિરક્તભાવનાથી “ભલું થયું ભાંગી જંજાળ” ગાતા નરસિંહ મહેતા કલ્પવા અને સમજવા આપણે પણ ખૂબ ઊંચી માનસિક સ્થિતિએ પહોંચવું પડે. આપણી સૌ...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

Computer and Eye

Use of computer is unavoidable in day to day life of an individual dealing with IT industry and such other professions. It is not a safe thing to go using computer carelessly. Then What? The answer to such questions follows. Our science tells following 10 rules to be taken care of.

દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

ખ્રિસ્તી વિધિથી લગ્ન

આપણે લગ્નને પવિત્ર બંધન માનીએ છીએ અને લગ્ન દ્વારા આપણે બે કુટુંબોનો સંબંધ બાંધીએ છીએ. ભાગીને દોડાદોડીમાં કરાતાં લગ્નને બાદ કરીએ તો લગ્ન એક ખૂબ વિધિપૂર્વક ભપકાથી ઘણા બધા સગાં-સંબંધીઓ અને મિત્રોની હાજરીમાં થતાં હોય છે. લગ્ન એક ધાર્મિક વિધિ છે – તેથી હિન્દુ, મુસ્લિમ, પારસી, કે ખ્રિસ્તી જેવા દરેક ધર્મોમાં વિધિ જુદી જુદી હોય છે. આ વિધનો અભ્યાસ અને જાણ રસ ધરાવતા લોકોને થાય તે માટે રસિકજને અને અભ્યાસી વ્યક્તિ એ શરૂથી અંત સુધી પરંપરાગત લગ્નવિધિ સાક્ષીભાવે જોવું જોઈએ. દરેક ધર્મમાં લગ્નવિધિ બે કે તેથી વધારે વ્યક્તિઓ જેને બ્રાહમણ, મુલ્લા, પંથકી, કે ફાધર દ્વારા ધર્મના શસ્ત્રોનો આધાર લઈ વાંચીને, જે તે ધર્મના ભગવાનની પ્રાર્થના કરી ભગવાનને હાજર માની પરસ્પરને પ્રતિજ્ઞાપૂર્વક ખાત્રી આપીને કરવામાં આવે છે – તો ચાલો, આપણે ખ્રિસ્તી ધર્મવિધિ જાણીએ.