Pains And Pleasures Of Ageing

At the age of 71, I am looking back and see my thoughts recorded in the article Life at 60 years back and find out whether all I said then continues to be true even today. I am happy to say my conclusions proved to be true. In one of them, I wrote 'I can proudly tell myself I can rely on my offspring for whatever I need - a great satisfaction any parent can have.' In the other sentence, I wrote 'my pillars of living are my wife Dr Bhavna, daughter Vaishali and son Rahul.' Yes, the same truth prevails. I concluded the article stating 'I am happy. I have no regrets. I am ready to face whatever situation arises and do what I think right at that moment.' Well, certainly 'all is well!' 

I said at 60 and continue to believe the same at 70+ that, 'I am sure I have no expectation whatsoever before, during and after my death.' Once this mental attitude is reached, I think all the spirituality one needs is at the maximum. One needs not be a 'Sanyaasi' and go to the forest in the last phase of life 'Sanyashashram' to be said after 75. Live happily enjoying the leisure and pleasures of the social life. You might be wondering about the title 'Pains and Pleasures' and wondering about the study around. Let us start.


Dementia

At old age, loss of memory is a great threat to remain normal in relations. You forget names, events and many things around and you find it difficult to recollect. To stop total loss of memory, Alzheimer's disease, interest in the surrounding with love for all-around will make you remember the names. You do not forget the names of your family members, just the same way interest and love for people around will make you remember their minute details including name. Loss of hearing, vision and other illnesses are bound to come, but the loss of memory can be prevented. Aloofness and withdrawal from social life are dangerous and can make your life difficult to live. Maybe others are not interested in you as an old person – but you can continue being interested in them.

Anxiety, Fear and Worries

With seniority and retirement, you have a great amount of free time available not only during the day but also during the night, because sleep hours are also reduced. Now anxiety, fear and worry about yourself, your close-ones and trivial matters overpower the mind. You keep worrying about everything. Sometimes the fear of being beaten or killed by unknown people wakes you up from sleep! A mind without creative activity and loneliness initiates such a thought process. Keeping one busy with reading, writing, watching TV and movies, listening to music and being in conversations with friends and family members seem to stop, or at least reduce such mental stress.

Depression

Disrespecting and ignoring one’s existence by others around lead to feelings of uselessness, in turn leading to sadness and depression. Biphasic variation of mood from being excited to the highest to feeling sad all of a sudden for no reason whatsoever is a natural phenomenon more prevalent in ageing persons. Even with all the positivity and everything at the back of my mind, depression with low mood and sadness appears off and on. The only way out formula is awareness and dealing mood variation by some activity, being accompanied by friends and family and having a dialogue. Awareness and good company can make mood elevation easy and fast. Let us try.

Dissatisfaction About Savings Elevation

Whatever big amount one has earned and saved, they feel to have earned less money during lifetime. Seeing the much bigger amount earned by the present generation, higher cost of day to day life and insecurity of needful money makes one feel unhappy, comparing and sorry. Avoid this. Live your life according to the money you have or, let us say, simple life does not cost much. Even illness can be managed properly at government hospitals free of charge.

Well, do not get carried away hearing all about pains – there are a lot many pleasures to talk of about ageing.

Freedom from Earning

Retirement of compulsion in service and voluntary retirement from private business make one free from hassles and stress of job, duty or business. You have no responsibility to work and earn. This makes you a free bird flying all around and enjoying life.

Freedom of Timetable

You do not have to follow a strict regime of timetable. You can enjoy long sleeping hours, eating at the desired time and wandering in your mood. Well, this is the great luxury of no timetable life. Discipline in exercise and diet can not be better observed, but even both of them are optional. Good health is necessary for a smooth and happy life, but exercise and diet control do not guarantee perfect health at least with ageing.

Free Time Round the Clock

This can be understood better by Mumbaites who have to wander in crowded traffic and work for 10-12-14 hours a day. They leave home in the early morning and reach home at late night. Ageing persons have the luxury of free time for 24 hours a day! This makes them develop a hobby of reading, writing, playing games, travelling abroad and inland and learning whatever they desire. Making oneself busy enjoying all that one has missed during young age is better started soon before it becomes difficult or impossible to do.

Membership at laughing club, senior citizens club, ladies club, Lions, Rotary, Giants - like social service clubs, caste organisation and such meeting places are better tried and if the tuning with activities there and pleasure is gained better continued. If your nature does not permit such membership, better avoid any associations with them. Short and long travels, daily evening meetings, frequent visits to drama, movies and cultural programmes are worth trying.

Conclusion

There can not be any universal formula that guides everyone equally. One has to find out their own way of living with ease and pleasure and follow this. In Japan, they use the word 'Ikigai' to explain the purpose of life. One should find out their own reasoning to search own passion and talents for a long and happy life.

They say - stay active, be slow, surround yourself well. Let me say - good friends, smile, reconnect with nature and give thanks.
  1. I shall live a happy life. I will manage to get rid of anything that distracts the goal of happiness. I will keep such persons and activities away.
  2. I will keep busy living a social life full of reading, writing, talking and being with like-minded people around.
Do tell me what you think!

હોમાય વ્યારાવાલા સાથેના સંભારણાની શબ્દછબી

બકુલાબેન ઘાસવાલાએ ફેસબુકમાં 'હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ' પુસ્તક પરિચય કરાવ્યો, ત્યારે શ્રોતા તરીકે મને પુસ્તક વાંચવાની તીવ્ર ઈચ્છા થઈ એ તેમની સફળતા કહેવાય. પછી તો પુસ્તક ખરીદવાની ઉતાવળ, શોધ અને છેલ્લે બધા પ્રયત્નો પછી ઈચ્છિત પુસ્તક પ્રાપ્તિ અને નવા સંબધોની શરૂઆત – નવા મિત્રની શોધ એમ કહું તે યોગ્ય જ રહેશે.

પુસ્તક પરિચયો મેં ઘણા લખ્યા છે. હમણાં હમણાં તો એક જ દિવસમાં પુસ્તક વાંચી, બીજે જ દિવસે પ્રતિભાવ લખવાની નવી ટેવ પડી છે. પુસ્તક પરિચય કરાવનારે પોતાની વાત કેટલી મર્યાદામાં કરવાની છે, તે મને ખ્યાલ હોવા છતાં શરૂઆત મારી વાતથી જ કરીશ.

૧૯૬૧–૬૩ ના ગાળામાં હું મહેમદાવાદ રહેતો હતો. ત્યાં વેરાઈમાતાના મંદિરની બાજુમાં આવેલા તાલુકા પંચાયત સ્ટાફ ક્વાટર્સમાં રહેતો અને થોડે જ દૂર આવેલી પ્રાથમિક શાળામાં ધોરણ પાંચ, છ અને સાત ભણતો હતો. હવે લગભગ ૬૦ વર્ષ પછી બધુ નહીં છતાં ઘણુ બધું યાદ છે – મોટો દરવાજો અને હોસ્પિટલ નજીક આવેલી પ્રાથમિક શાળા, ગામની વચ્ચે આવેલી વાવ, વાત્રક નદી કિનારે વિશિષ્ટ બાંધણી વાળી ભવ્ય કબર, રોજારોજી, ભમ્મરિયો કૂવો અને ઘણુબધું. બે મહિના પહેલાં શ્રી બિપિનભાઈ શ્રોફ જોડે આ બધુ યાદ કર્યું હતું, ત્યાં હવે બીરેન ભાઈ જોડે ફરીથી મહેમદાવાદ જીવી લઈશ.

તમારી ધીરજ ખૂટે તે પહેલાં પુસ્તકની વાતો શરૂ કરીએ.

આ પુસ્તક હોમાય વ્યારાવાલા વિષે છે. પણ  એ ના તો તેમની આત્મકથા છે કે જીવનચરિત્ર છે – પણ લેખકની હોમાય જોડેની આત્મીયતા – મિત્રતાની આપણી જોડે નિખાલશ – કદાચ સહ્રદય હોવાથી – ખુલ્લી વાતચીતો છે. કોઈ દંભ વગર જીવનનો દસમો દાયકો જીવતી હોમાયબેન સાથેની મિત્રતા અને ખાટીમીઠી તકલીફોવાળી વાતોના વર્ણનોની આ કથા છે.

પુસ્તકમાં આપેલી બધી વાતો ટૂંકાવીને પુસ્તક પરિચયમાં કહી દઈએ – તો કદાચ ઝડપના સમયમાં – પુસ્તક વાંચવાનું ટળી જાય એવું ન બને તે માટે પુસ્તકનો સાર અહીં જણાવવાનો કોઈ ઈરાદો નથી.

વિવેકબુદ્ધિવાદ (Rationalism)ની વાત કરતી વખતે ભગવાનના ઉલ્લેખને અવિવેક ગણાતો હોવા છતાં– બીરેનભાઈ – હોમાયબેનની જેમ જ તેમની મુલાકાત અને સંબંધોનો વિકાસ કદાચ ઈશ્વરાધીન જ હતો એમ હું દ્રઢપણે માનું છું. જીવન દરમ્યાન પરિચિત થયેલા ઘણાબધા લોકોમાંથી ખૂબ ઓછા જોડે પરસ્પર લાગણી ના સંબંધો સ્થપાતાં હોય છે અને તેમાંથી ઘણાજ જૂજને શબ્દદેહ મળતો હોય છે. એ દસકાના આદાનપ્રદાન, નોકજોક, આત્મીયતાનો ખુલ્લો એકરાર તે - બીરેનભાઈ કોઠારીનું હોમાય વ્યારાવાળા વિષેનું પુસ્તક!

આ પુસ્તક વાંચવાની તમને ભલામણ કરવાના બે કારણો છે – એક તો તદ્દન એકલા રહીને સ્વમાનપૂર્વક ખુમારીથી જીવનનો દસમો દાયકો કેમ જીવી શકાય તેનું માર્ગદર્શન આ પુસ્તકનાં દરેક પાને ટપકે છે અને બીજું, કહેવાતા કળયુગમાં નિસ્વાર્થ સેવાભાવનાવાળા મિત્રો–માણસો આપણી પ્રેમાળ જીવનશૈલીથી કેવી રીતે મળતા હોય છે, તે સંબંધોની નિર્દોષ – બાળ સહજ – પણ પ્રમાણિક વાતો તમને અહીં મળે છે. એ જાતે વાંચવાથી જ જીવાય – સમજાય – અને તે તક ચૂકવા જેવી નથી.

હોમાય વ્યારાવાલા (૦૯/૧૨/૧૯૧૩ થી ૧૫/૦૧/૨૦૧૨) ૯૮ વર્ષ જીવ્યા. ૧૯/૦૧/૧૯૪૧ માં પંદર વર્ષના ગાઢ પરિચય પછી માણેકશા જોડે લગ્ન કર્યા. બન્ને ફોટોગ્રાફર – વ્યાવસાયિક ફોટોગ્રાફર – સફળ ફોટોગ્રાફર, ઈતિહાસમાં યાદગાર બનાવોના સાક્ષી અને જવાહરલાલ નહેરુ – ગાંધીજી – સરદાર વલ્લભભાઈ – મહહમદ અલી ઝીણા – લાલબહાદુર શાસ્ત્રીથી ઈન્દિરા ગાંધી સુધીના મહાનુભાવોની ઐતિહાસિક ફોટોગ્રાફી કરનાર, “પદ્મવિભૂષણ”ના રાષ્ટ્રીય પુરસ્કારથી નવાજીત ફોટોગ્રાફર. ૨૬/૦૫/૧૯૬૯ના દિવસે પતિ માણેકશાનું અકસ્માત અને ૦૪/૦૧/૧૯૮૮ના રોજ પુત્ર ફારૂકનું કેન્સરથી અવસાન પછી હિંમતપૂર્વક એકલપંડે તબિયત સાચવીને ૧૫/૦૧/૨૦૧૨ સુધી બીજા ચોવીસ વર્ષ વડોદરા રહ્યાં. ૧૯૭૦ થી તેમણે વ્યવસાયનિવૃત્તિ સ્વીકારેલી. 

ચાલો, હવે બીરેનભાઈએ હોમાયબેનની ખુમારીની જે વાતો કરી છે – તે જાણવું ફરજિયાત છે.

હોમાયબેનની એકલપંડે – ૭૦ પછીના ૨૮ વર્ષોની સફળ જીવનયાત્રાની વિગતો આપણે જાણવી – સમજવી જરૂરી છે. તેના મુખ્ય લક્ષણો – નવું શીખવાની તત્પરતા, નવા અખતરા કરવાનો ઉત્સાહ, નવા ઉપકરણો શીખી લેવાની ત્વરા ઉપરાંત સહજપણે, દયામણા બન્યા વગર પોતાની મનપસંદ રીતે જીવવાનો તેમનો અભિગમ આપણે બધાંએ વૃદ્ધત્વને સન્માનનીય બનાવવા માટે શીખવાની ખાસ જરૂર છે.
  • કળા – કૌશલ્યનો સંગમ ધરાવતા હોમાયબેન ખુદ્દારી, સ્વાલંબન અને સ્વાશ્રય સાથે 'Small, Simple and Beautiful' (સ્મોલ, સિમ્પલ એન્ડ બ્યુટીફુલ)ના સૂત્રમાં જીવન જીવનાર હતા.
  • તેઓ કહેતા – યુવાનીમાં બે-ચાર શોખ કેળવી રાખવા જોઈએ જેથી નિવૃત્તિના સમયમાં એ શોખને વિકસાવી શકાય. તેમના શોખના વિષયો ઈકેબાની, રંગોળી, બાગાયત વગેરે.
  • ઘડપણના ભવિષ્યમાં કામ આવે એટલા માટે જે બચત કરી હતી તે વાપરવાનો ઘડપણ વર્તમાન છે – તે સમજાવતા.
  • કોઈ અચાનક પોતાને ત્યાં ટપકી પડે કે લાંબો સમય બેસે પસંદ ન હતું કારણકે, તે કદી ‘નવરા’ નહોતાં, તેમને સમય પસાર કરવાની સમસ્યા નહોતી. ‘પર્સનલ સ્પેસ’ (Personal Space) અને ‘પ્રાઈવસી’ (Privacy) અંગે તેમનો આગ્રહ અંગ્રેજોની યાદ અપાવી દે એવો લાગે.
ભગવાનમાં શ્રદ્ધા ખૂબ તીવ્ર હતી. ગુજરાતી ભાષાનું તેમનું પારસીકરણ તેઓને કહેવડાવતું – 'ખોદાયજીએ મને આંય મોકલી તો મારી સંભાળ લેવાની જવાબદારી પણ એવનની જ છે!'
સાવ સામાન્ય લાગતી નાની-નાની વાત ઉપર હોમાયબેન ખૂબ ખડખડાટ હસતા. હસવું, કડવું છતાં સાચું મોં પર કહી શકનાર નિખાલસ વ્યક્તિત્વ; સખત મહેનત અને પૂરી નિષ્ઠાથી જીવનાર અને કુદરત સાથે તાલ મિલાવીને જીવેલી અત્યંત સંતોષી એવી આ વ્યક્તિના મિત્રો બીરેનભાઈ કોઠારી અને પરેશભાઈ પ્રજાપતિની ઈર્ષ્યા કરવું સ્વાભાવિક છે!

પુસ્તક પરિચય કરાવતાં કરાવતાં કદાચ હું ૧૩૦ પાનાં ફરીથી અહી લખી ન નાખું – એટલા માટે વિરમું છું. બીરેનભાઈ, પુસ્તકમાં મળતો આપનો અને કામિની બેનનો પરિચય મને ખૂબ પ્રભાવિત કરી ગયો છે. મને કદાચ દૂરથી પ્રેમ કરી શકાય એવા સરળ મિત્ર મળ્યા છે – તે આ પુસ્તકની ઓછી ઉપલબ્ધિ નથી શું ?


ડો. ભરત દેસાઈ, બીલીમોરા
૨૩/૧૧/૨૦૨૧



હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ
  • પુસ્તકનું નામ: હોમાય વ્યારાવાલા - તેમની સાથેનાં સંભારણાની શબ્દછબિ
  • લેખક : બીરેન કોઠારી 
  • પુસ્તક પરિચય: ડો. ભરત દેસાઈ, બીલીમોરા દ્વારા, તા: ૨૩/૧૧/૨૦૨૧
  • કિમત : રૂ ૧૨૫
  • પાનાં : ૧૩૦
  • પ્રકાશન : ઓક્ટોબર ૨૦૨૧+, સાર્થક પ્રકાશન, અમદાવાદ

ઓપરેશન મુંબઈ: ૨૬/૧૧થી શું શીખ્યા?

અનુભવમાંથી ન શીખવાની આપણી હઠ આપણે માટે નવા નવા હુમલાઓની હારમાળા સર્જે છે – તેનો છેલ્લો દાખલો એટલે ૨૬/૧૧/૨૦૦૮ ના મુંબઈનો ભીષણ આતંકવાદી હુમલો. 

બાકી તો તે પહેલાં, ૧૧/૦૭/૨૦૦૬ મુંબઈ લોકલ ટ્રેનમાં બોમ્બબ્લાસ્ટ થી ૨૦૦ લોકો માર્યા ગયા અને ૭૦૦ થી વધુ લોકો ઘાયલ થયા. ૧૯/૦૨/૨૦૦૭ ભારત-પાક સમજૌતા એક્ષપ્રેસ પરના હુમલામાં ૬૬ લોકો માર્યા ગયા હતા અને છેલ્લે ૨૬/૦૭/૨૦૦૮ માં અમદાવાદમાં વીસ બોમ્બ વિસ્ફોટમાં ૫૭ મર્યા હતા. આવી ઘણી ઘટનાઓ અવારનવાર બનતી હોવા છતાં આપણે હતા ત્યાને ત્યાં!

પત્રકાર અતુલ કુલકર્ણી મરાઠીમાં પુસ્તક લખી ઓપરેશન મુંબઈ ૨૬/૧૧ની વિગતો, અસરો અને સુચનો જણાવે છે – તે જાણીએ.


આતંકવાદી હુમલો – આયોજન અને કાર્ય

પાકિસ્તાનમાં બત્રીસ ૨૧ થી ૨૮ વયજૂથના યુવકોને તૈયાર કરી સર્વપ્રકારની તાલીમ આપી (સપ્ટેમ્બર-૨૦૦૮) કરાંચી નજીક એક ઘરમાં જુદા જુદા રાખી, સહુ કોઈ સાથેનો સંપર્ક તોડવામાં આવ્યો. ઝકી-ઉર-રહેમાન લખવી, અબુ હામની, યુસુફ લાસ મુજ્જ મિલ, અને કાફાના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા. ઈસ્લામ ખાનને ટીમ લીડર બનાવી મોહમ્મદ અજમલ અમીર કસાબ સાથે કુલ દસ ફિદાઈન તરીકે ભારત આવ્યા. જી.પી.એસ. સેટ ઉપર કરાંચીથી મુંબઈ પ્રવાસ કાર્યક્રમ સેટ કરી આપ્યો. સેટેલાઈટ ફોન, આર.ડી.એક્સ., પિસ્તોલ, હેન્ડગ્રેનેડ સહિત જરૂરી સામગ્રી આપી. લશ્કર-એ-તોયબાના ઝકી-ઉર-રહેમાન લકવી મુંબઈ ઓપરેશનનો વડો અને માસ્ટર માઈન્ડ હતો. કરાંચીના અજીજાબાદથી નીકળી “અલહુસેની” બોટમાં આવી કુબેર બોટ દ્વારા મુંબઈ આવ્યા. કુબેરના કપ્તાન અમરસિંહ સોલંકીને મુંબઈ પહોંચતા ઠાર માર્યો. હવા ભરીને બનતી બોટ-ડિંગીને ફુલાવીને સર્વ સામગ્રી મૂકી બધવાર પાર્ક, મુંબઈ ઉતર્યા. બે-બે જણાની ટુકડી બનાવી પોતપોતાના નક્કી કરેલા સ્થળ તરફ પહોંચવા નીકળ્યા.

સૌ પ્રથમ લીઓ પોલ્ડ કેફે અને બાર એકે-૪૭ દ્વારા રાત્રે ૦૯:૪૦ કલાકે ફાયરિંગ કરી બે આતંકવાદી હાફિઝ અર્શદ અને નાસેર નવ જણાને મારી નાંખે છે. ભીડ અને ચીસાચીસનો લાભ લઈ શાંતિથી હોટેલ તાજ પહોંચે છે. ઈ.સ. ૧૯૦૩ માં બનેલ ઐતિહાસિક હોટેલ તાજમાં ૨૯૦ રૂમ અને નવા તાજ ટાવર માં ૨૭૫ રૂમ છે. શોએબ અને જાવેદ રાત્રે ૦૯:૫૦ કલાકે દાખલ થઈ એકે-૪૭ માંથી બ્રશ ફાઈરિંગ કરી વીસને મૃત્યુનો ભોગ બનાવે છે. ચારે આતંકવાદી છઠ્ઠા માળે પહોંચે છે – રસ્તામાં આડે આવે તેનો જીવ લેવાનું ચાલુ જ છે. હેન્ડગ્રેનેડ ફેંકે છે અને ચાર કલાકમાં ફૂટે તેવો આર.ડી.એક્સ બોમ્બ તાજમાં મૂકે છે. આ ઉપરાંત આગ પણ લગાવી છે, જેમાં ચાર જણા હોમાય જાય છે. વાતાવરણ અત્યંત ભયંકર બન્યું છે. ૮૭૭ રૂમ બે વિંગ ધરાવતી હોટેલ ઓબેરોય – ટ્રાઈડન્ટમાં અબ્દુલ રહેમાન છોટા અને ફઈદુલ્લાહ નામના બે આતંકવાદી પ્રવેશી એકાએક એકે-૪૭ થી બ્રશ ફાયરિંગ કરે છે. અનેકોને કેદી બનાવી ૧૬ અને ૧૮ માં માળ કબ્જે કરે છે. જતાં જતાં છ જણાને મારે છે અને બે હેન્ડગ્રેનેડ ફેંકતા જાય છે. ઈસ્માઈલ ખાન અને મોહમ્મદ અજમલ કસાબ નામના આતંકવાદી સી.એસ.ટી. રેલ્વે સ્ટેશન પહોંચી હોલમાં એક ગ્રેનેડ ફેંકે છે અને એકે ૪૭ અંધાધૂંધ ફેરવે છે. ઝેન્ડે-ધી-ગ્રેટ : મધ્ય રેલવેના ઉદ્દ્ઘોષક વિષ્ણુ ઝેન્ડે આ ઘટના જોઈ રહ્યા છે. તેમણે “કૃપા કરીને પ્લેટફોર્મ ક્રમાંક એકના પાછળના દરવાજેથી નીકળો, કોઈપણ હોલની દિશામાં જશો નહીં – અથવા લોકલમાંથી બહાર નિકળશો નહીં – હો ત્યાં બેસી રહો” એવી જાહેરાત વારંવાર કરીને ઘણા જીવ બચાવ્યા. તો પોલીસદળના ૧૧ હવલદાર–સિપાહી હાથમાં શસ્ત્રો હોવા છતાં નાસી ગયા અને તેમને સાથીદારોએ જતાં જોયા ત્યારે ત્રણ પોલીસો અંબારામ પવાર, મુકેશ જાદવ અને મુરલીધર ચૌધરી શહીદ થાય છે.

યહૂદી લોકોનું ધાર્મિક સંગઠન દ્વારા પાંચ માળની ઈમારત “છબડ લિબ્રેશન મુવમેંટ અને હેસડિક જ્યુઝ” છાબડ હાઉસમાં જ્યુ પરિવારો આવતા જતાં રહે છે – તે નરીમાન હાઉસ ખાતે બાબર ઈમરાન અને નજીર નામના આતંકવાદી આવે છે – ગોળીબારમાં ૧૧ લોકોને મારી નરીમાન હાઉસ પર પોતાનો કબ્જો કરે છે. બે ટેક્સીમાં મુંબઈ સેન્ટ્રલ પહોંચેલા આતંકવાદી બંને ટેક્ષીમાં આર.ડી.એક્સ ની આઠ કિલોની એક એક થેલી ઊતરતી વખતે મૂકી રાખે છે – જેથી ૧૦:૩૭ વાગ્યે રાત્રે મઝગાંવ બીપીટી કોલોની પાસે અને બીજી ટેક્ષીમાં ૧૦:૪૫ રાત્રે વિલેપાર્લેમાં વેસ્ટર્ન એક્ષપ્રેસ હાઈવે ઉપર બોમ્બ વિસ્ફોટ થાય છે. બે આતંકવાદીઓ કામા હોસ્પિટલના છઠ્ઠા માળે પહોંચે છે. કરકરે, કામટે, સાળસકર, અને મોહિતે એસટીએસ, એસઆરપી, પોલીસ અને મોબાઈલ વાન સાથે પહોંચે છે. કામા હોસ્પિટલ ઓપરેશનમાં પોલીસ સિપાહી યોગેશ પાટિલ, પોલીસ ઉપનિરીક્ષક પ્રકાશ મોરે અને ખાંડેકર શહીદ થયા. ઈસ્માઈલ અને કસાબ કામા હોસ્પિટલથી આઝાદ મેદાનના રસ્તે રંગભવનની ગલીમાં હોય છે ત્યાં એક ક્વોલિસમાં સાળસ્કર ડ્રાઈવિંગ સીટ ઉપર, નજીક કામટે, વચ્ચે કરકરે અને પાછળ ચાર બેસીને રંગભવનની ગલીમાં આ બને આતંકવાદીને ભેટે છે – કામટેની ગોળીથી કસાબ ઘાયલ થાય છે, પણ ઈસ્માઈલના બ્રશ ફાયરથી ઉપરના સાતે શહીદ થાય છે. કામટે – કરકરે – સાળસ્કર અને ચાર સિપાઈઓ મૃત્યુ પામે છે. ગીરગાંવ ચોપાટી નજીક નરીમાન પોઈન્ટથી ગીરગાંવ જંકસન વચ્ચે પોલીસ અને આતંકવાદી વચ્ચેની ઝડપમાં બહાદુર સહાયક પોલીસ જમાદાર ફક્ત હાથમાં લાકડી હોવાછતાં કસાબને દબોચે છે. તેના એકે ૪૭ના ગોળીબાર છતાં કસાબના શરીર ઉપર ચોંટીને પકડે છે અને કસાબને પકડતાં તુકારામ શહીદ થાય છે.

આમ લગભગ ત્રણ દિવસ ના આતંકવાદી હુમલામાં ૧૭૫ વ્યક્તિઓ મરણ પામ્યા – તેઓ ભારતીય ૧૨૨ + વિદેશી ૨૬ + ભારતીય પોલીસ – આર્મી – એસઆરપી – આરપીએફ – ૧૮ અને આતંકવાદી – ૯ છે. ૨૩૨ વ્યક્તિઓ ઘાયલ થયા.

કોનો વાંક?
રાજકારણી, પોલીસ અને આમ જનતા - ત્રણેનો વાંક છે.
રાજકારણી:

કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલ, મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ અને નાયબ મુખ્યમંત્રી/ગૃહમંત્રી આર.આર.પાટિલે રાજીનામું આપ્યું. તેમની જગ્યાએ અનુક્રમે પી.ચિદમ્બરમ, અશોક ચૌહાણ અને છગન ભુજબળે લીધી.

પોલીસ:

હેમંત કરકરે (એટીએસ વડ), અશોક કામટે (વધારાના પોલીસ આયુક્ત), વિજય સાળસ્કર (પોલીસ ઈન્સ્પેકટર), સંદીપ ઉન્નિકૃષ્ણન (એસ.એસ.જી મેજર), તુકારામ આંબલે (ફોજદાર), પ્રકાશ મોરે, બાપુ ધરગુડે, શશાંક શિંદે (પોલીસ ઈન્સ્પેકટર), બાળાસાહેબ ભોંસલે સહાયક પોલીસ સબ.ઈન્સ્પેકટર, સહિત 18 કર્મચારીઓ શાહિદ થયા.

નાગરિકો:

૧૪૮ નાગરિકોએ વિનાકારણ મરણને શરણ થવું પડ્યું. મિલકતનું નુકશાન અને બીજી બધી તકલીફો નો હિસાબ હતાશા લાવવા પૂરતો છે. આથી અતુલ કુલકર્ણી કહે છે – વાતને વચ્ચેથી છોડી દેવા જેવું નથી – કાયમી ફેંસલો – ઉપાય કરવો જરૂરી છે.

પૂર્વ માહિતી ની ગંભીરતા કોઈએ ગણકારી નહીં.
  • ૨૬-૦૯-૨૦૦૮ ના રોજ પોલીસને સમુદ્ર માર્ગે આતંકવાદી આવીને મુંબઈ તાજ – ઓબેરાય ખાતે સંહાર કરશે. એ માહિતી મળી હતી. 
  • ૨૯-૦૯-૨૦૦૮ ના રોજ હોટેલ તાજના સિક્યુરિટી કાયરેક્ટર-સિક્યુરિટી વ્યવસ્થાપક-વહીવટકર્તા સાથે હોટલ તાજમાં પોલીસ અધિકારીએ સવિસ્તર બેઠક યોજી હતી. ત્યારપછી ૨૬ લેખિત સૂચનાઓ આપવામાં આવી હતી. 
  • ૦૯-૦૮-૨૦૦૮ ના રોજ હોટેલ ઓબેરોય-ટ્રાઈડન્ટ ને પોલીસે ૧૦ મુદ્દાનો લેખિત પત્ર આપ્યો હતો. આમ છતાં, ગંભીર બાબતનો અમલ કરવાની કાળજી પોલીસ વિભાગે અને બંને હોટલ મેનેજમેન્ટે ન લીધી તે કોનો વાંક? 
આતંકવાદી ઈલેક્ટ્રોનિક મિડયા

પોલીસ અને એસજી કમાન્ડોએ ન્યૂઝ ચેનલોનું પ્રસારણ અને તેમાંય જીવંત પ્રસારણ અટકાવવા કહ્યું હતું – આવી યુધ્ધ જેવી કટોકટીમાં મીડિયાએ અનુસાસન ન પાળ્યું. દાખલા તરીકે એનએસજી કમાન્ડો આવી ગયાના સમાચાર મળવાથી આતંકવાદીઓએ બાનમાં રાખેલાઓને એક હરોળમાં ઊભા રાખીને મારી નાખ્યાં. આ માહિતી ચેનલવાળાએ જો પ્રસારિત ન કરી હોત તો – અંદરના લોકોના જીવ બચી ગયા હોત. તાજ હોટેલમાં અગ્નિશામક દળે ત્વરાથી સીડી ગોઠવી વિગેરે માહિતી મળતા આતંકવાદીઓએ આગ લગાવી. આતંકવાદી ટીવી જોઈને નિર્ણય લેતા હોવાનું જણાવતા તાજના કર્મચારીને ઝૂડી નાંખવાની ઘ્રૂષ્ટતા પણ આ મીડિયાએ બતાવી. લાઈવ ટેલિકાસ્ટ ન કરવાની સૂચના અવગણતા મીડિયાને શું સજા કરાય? 

નેવી – કોસ્ટગાર્ડ

મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, સચિવ, પોલીસ મહાસંચાલક દ્વારા તાજ હોટેલમાં મિટિંગ રાખી ઘટનાના બે મહિના પહેલાં નેવી અને કોસ્ટગાર્ડ ને ચોક્કસ લોકેશન સમજવીને યોગ્ય પેટ્રોલીંગ ની સૂચના અપાઈ હતી – નેવી અને કોસ્ટગાર્ડ કેમ ગેરકાળજી બતાવી ? તેનો વાંક તો ખરોજ ને!

અને છેલ્લે, ગુનાખોરીની દુનિયા અને રાજકારણ નો પ્રેમસંબંધ તોડવો જ પડશે. પોલીસદળ ની જૂથબંધી – તડાને નાબૂદ કરવા પડશે. પ્રોટોકોલ – પરીક્ષણ અને શિસ્તનો અભાવ કોપન ક્ષેત્રે – રાજકારણી કે પોલીસ – કોઈ પણ રીતે દૂર કરવા જ રહ્યા. આ દેશભક્તિનું કામ અને રાજધર્મની ફરજ આપણે દરેકે સક્રિયતાપૂર્વક બજાવ્યા વગર બીજો કોઈ આરો નથી – મત આપીને પાંચ વરસ સૂઈ જવાનો જમાનો ગયો. કઈ કરવું જ પડશે. નહીં તો કોનો વાંક ? આપણોજ – કોઈ શંકા ?

મને ગર્વ છે કે હું અનાવિલ છું!

ઓરૂમ વિશ્વાની દેવ, સવિત ર્દુરિતાનિ પરાસુવ | 
યદ્દભદ્રં તન્ન આસુવ ||

હે પ્રેરક દેવ ! સર્વ બૂરાઈયો ને દૂર કરો. જે કલ્યાણકારક ગુણ, કર્મ, સ્વભાવ અને પદાર્થ તે અમને પ્રાપ્ત કરાવો.

પરમાત્માએ આ સૃષ્ટિની રચના કરી છે. સૃષ્ટિના ઉપયોગ માટેના નિયમો બનાવ્યા છે. જે શાશ્વત છે. વેદો દ્વારા આ નિયમોનું જ્ઞાન જીવાત્માઓને આપ્યું છે. તમામ જીવાત્માઓને સહજ જ્ઞાન પરમાત્માએ આપ્યું છે, જેમ કે આહાર, નિંદ્રા, ભય, મૈથુનનું જ્ઞાન. પરંતુ પરમાત્માએ તેના સર્વશ્રેષ્ઠ સર્જન માનવને વિશેષ વેદોનું જ્ઞાન એટલા માટે આપ્યું છે કે માનવે વિશેષ જવાબદારીઓનું પણ વહન કરવાનું છે. આ સમગ્ર સૃષ્ટિના જડ-ચેતન પદાર્થોની જાળવણી મનુષ્યની જવાબદારી છે. વેદોમાં મનુષ્યને તેમના ગુણ, કર્મો, સ્વભાવને આધારે ચાર વર્ણોમાં વિભક્ત કર્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર. ચાર વર્ણ અને ચાર આશ્રમો વેદકાલીન સમાજ વ્યવસ્થા છે.
 
જીવાત્માને કઈ યોનિમાં જન્મ લેવો, કયા માં-બાપને ત્યાં જન્મ લેવો, કયા કુળમાં જન્મ લેવો વિ. નક્કી કરવાનો અધિકાર નથી. તે ઈશ્વરીય વ્યવસ્થા છે. તેમાં કોઈ ઉચ-નીચ ભેદભાવ નથી. દરેકના અલગ-અલગ કર્તવ્યો છે, માટે અલગ-અલગ વર્ણો છે. આપણાં શરીરમાં સર્વ જ્ઞાનેન્દ્રિયો મસ્તિષ્કમાં આવેલી છે, માટે માનવશરીરમાં શીશ એ બ્રાહ્મણ છે. સત્ય જ્ઞાન ભણવું– ભણાવવું એ બ્રાહ્મણનો ધર્મ છે. તેમજ ક્ષત્રિય માટે ન્યાયધર્મ છે, જે શરીરમાં હાથનું કાર્ય કરે છે. તેમ જ લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ/સેવાઓ પૂરી પાડવી એ વૈશ્યનો ધર્મ છે. માટે માનવ શરીરમાં તે પેટ (જઠર) છે. ઉપરોક્ત વર્ણોની સેવા કરવી એ શુદ્રનો ધર્મ છે. માનવશરીરમાં તે ચરણ (પગ) સ્થાનીય છે. આમ છતાં માનવ શરીર માટે જેમ ચારો અંગોનું પોતપોતાનું મહત્વ છે. તેમ સમાજ વ્યવસ્થામાં ચારો વર્ણોનું સમાન મહત્વ છે.

કાલાંતરે ખાસ કરીને મહાભારતના યુધ્ધ પછી વર્ણવ્યવસ્થા ભાંગી પડી અને જ્ઞાતિ-વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. જેમાં એક જ્ઞાતિ છે અનાવિલ. જે બ્રાહ્મણ સ્થાનીય છે. આ સંસાર માં પરમાત્મા સિવાય કોઈપણ સંપૂર્ણ નથી, તો સ્વાભાવિક છે કે અનાવિલ જ્ઞાતિમાં પણ કેટલાક દોષો હશે, અને છે. પરંતુ આ જ્ઞાતિની કેટલીક વિશેષતાઓ અને સદ્દગુણો પણ છે જ જેને જોવા–સમજવાની હકારાત્મક દ્રષ્ટિ જોઈએ. જેમ કે:


A. અનાવિલ સત્યવક્તા અને સ્પષ્ટવક્તા છે. કારણ કે તે બ્રાહ્મણ છે. તેનો ઇરાદો કોઈને વ્યથા પહોંચાડવાનો નથી હોતો. જેમ ડોક્ટર દર્દીને ઈંજેકશન આપે ત્યારે તેનો ઈરાદો દર્દીને સાજા કરવાનો હોય છે, દર્દ વધારવાનો હોતો નથી. માનવીએ દરેક સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વ્યવહાર કરવો જોઈએ. અનાવિલ તે જ કરે છે. માટે તેને આખાબોલો કહી વગોવવામાં આવે છે. સત્યને માર્ગે ચાલનાર બ્રાહ્મણમાં વિચારશૂન્યતા કે વિચાર દુર્બળતા ન હોય. અનાવિલ ભવિષ્યનો વિચાર કરીને કાર્ય કરે છે.

B. અનાવિલ સ્વાભિમાની હોય છે. ઘણા લોકો તેને મિથ્યાભિમાન અથવા અભિમાન જેવાં વિશેષણોથી નવાજે છે. દરેક માણસને હું કોણ છું, મારૂ ખાનદાન કયું છે, મારા મરતબા (Status)ને હાનિ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જ જોઈએ. તેમાં કશું ખોટું નથી. દરેક પરિવાર, જ્ઞાતિની પરંપરાઓ, મૂલ્યો, હોય છે. શું બ્રાહ્મણ કસાઈનું કામ કરી શકે?

હું અનાવિલ છું અને મારી જ્ઞાતિ શ્રેષ્ઠ છે તેમાં મને બિલકુલ શંકા નથી. આજે પણ ગામડાઓમાં રહેતા અનાવિલો ખેતી જ કરે છે. ખેડૂત છે. શું આજે અનાવિલો સમૃધ્ધ નથી? પહેલાની તુલનાએ આજનો અનાવિલ – ખેડૂત વધુ સુખી અને સમૃધ્ધ છે.

C. અનાવિલ સાહસિક પ્રજા છે. પરીવર્તન સંસારનો નિયમ છે. કશું જ શાશ્વત નથી. અનાવિલોએ પરિવર્તનોને સ્વીકાર્યા છે, એટલું જ નહીં સાહસિક સ્વભાવને કારણે તેનો મહત્તમ લાભ પણ ઉઠાવ્યો છે. દુનિયાના લગભગ તમામ દેશોમાં જઈ અનાવિલોએ પોતાનું પ્રભુત્વ અને પરચો દેખાડયાં છે. 
ભાત અને ભાઠલો (અનાવિલ) કદી હારતો પણ નથી અને હઠતો પણ નથી, અડગ રહે છે.
D. અનાવિલ અજાચક બ્રાહ્મણ છે. તે ભીખ નહીં માંગે. તે સ્વાભિમાની બ્રાહ્મણ છે. ભિક્ષાવૃત્તિ તેના લોહીમાં નથી. એક ઉદાહરણ જેનો હું પ્રત્યક્ષ સાક્ષી છું તે આપું છું. અમારા ગામના એક શ્રીમંત વ્યક્તિ જે અનાવિલ હતા અને બીજા એક અનાવિલ કે જેઓ મધ્યમ સ્થિતિના હતા અને સહકારી મંડળીની દુકાનમાં નોકરી કરતાં (મેનેજર) હતા. તેમણે પોતાની ઘોડા-ગાડીમાં બેઠા-બેઠા કહ્યું “મંગુ, સો ના છૂટા આપ.” તો મંગુકાકાએ વિનમ્રતાથી પણ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે “કાકા છૂટા જોઈતા હોય તો અહી આવી લઈ જાવ. હું તમારો નોકર નથી.” આ અભિમાન કહેવાય કે સ્વાભિમાન? માન કોને કહેવાય અને ખુશામત કોને કહેવાય તે અનાવિલ સારી રીતે જાણે છે.

વાત ટ્રસ્ટ રચવાની છે તો નિરાલી ટ્રસ્ટના એંધલ નિવાસી અનિલભાઈ નાયકની પૌત્રી નાની વયે મૃત્યુ પામી, તો તેના નામે આખેઆખી કેન્સરની હોસ્પિટલ ખોલી દીધી. સરકારે પણ તેમના કાર્યોની નોંધ લઈ એવોર્ડ આપ્યો.

E. અનાવિલ પોતે નહીં બોલે તેનું કાર્ય બોલે છે. મોરારજી દેસાઈ, મહાદેવભાઈ દેસાઈ, ઠાકોરભાઈ દેસાઈ, જેવા અનેક નામી-અનામી અનાવિલોએ સમાજના દરેક ક્ષેત્રમાં પોતાના કાર્યો દ્વારા માન–સન્માન મેળવ્યાં છે. પાકિસ્તાન જેવા ભારત વિરોધી દેશો પણ તેનું સર્વોચ્ચ સન્માન તે અનાવિલના ઘરે આવી આપી સન્માન કર્યું છે. તે અમસ્થુ જ? 

F. અનાવિલ સંગઠિત જ્ઞાતિ છે. ગુજરાતમાં જ નહીં ભારત અને વિદેશોમાં પણ તેઓના સંગઠનો છે અને સારી રીતે કાર્યરત છે. ખૂબ જ અલ્પસંખ્યક હોવા છતાં દુનિયાએ અનાવિલો, તેમના કાર્યોની નોંધ લેવા મજબૂર થવું પડ્યું છે. હું એવા ઘણા બધા અનાવિલોને ઓળખું છું જેઓ બિલકુલ ચૂપ-ચાપ રહી પોતાના સેવા કાર્યો કર્યે જ જાય છે, દેખાડો કરતાં નથી. હકારાત્મક દ્રષ્ટિથી જોશો તો અનાવિલોમાં ઘણું બધુ સારું છે.

અનાવિલોને અનાવિલો કરતાં અન્યોએ વધુ સારી રીતે ઓળખ્યા છે. અંગ્રેજોને ભારતમાં સૌથી બુધ્ધિશાળી જો કોઈ જ્ઞાતિ લાગી હોય તો તે અનાવિલ છે. આપણી અટક, દેસાઈ, નાયક, વશી, વી. સમાજમાં તેમના કર્યો અનુસાર અપાયેલ હોદ્દાઓ છે. અંગ્રેજ શાશનમાં પણ રેલ્વે, શિક્ષણ, વ્યાપાર, સમાજ સુધારણાના ક્ષેત્રમાં અનાવિલો જ અગ્રસ્થાને હતા. સ્વતંત્રતાસંગ્રામમાં તેમણે અનેક બલિદાનો આપ્યા છે. જેલવાસ વેઠ્યો છે. 

G. સંચાલન (Management) બાબતમાં અનાવિલોને કોઈ પહોંચી ન શકે. જે સંસ્થાઓમાં આજે પણ અનાવિલોનું સંચાલન છે તે જુદી જ તરી આવે છે. ઘરમાં લગ્ન હોય કે મરણ, અનાવિલ યુવાનો ઘરનાને ખબર પણ ન પડે તેમ બધી વ્યવસ્થાઓ ગોઠવતા હતા, અને ગોઠવે જ છે. અનાવિલોની પ્રશંશા તો ૧૦૦ પાના ભરીને લખીએ તો પણ પૂરી ન થાય.

ભગવાન, તેં મને અનાવિલ જ્ઞાતિમાં જન્મ આપ્યો તે બદલ તારો ખૂબ-ખૂબ આભાર.... જય અનાવિલ સમાજ !!!

લેખક: વિનોદભાઈ આર્ય, કછોલી


૧૯-૦૧-૧૯૯૦: કાશ્મીરી પંડિતોનો મૃત્યુઘંટ

જે. કે. એલ. એફ (JKLF) ના આતંકવાદીઓ યાસીન મલિક, બિટ્ટા કરાટે અને જાવેદ નાલકા જેવાઓએ કાશ્મીરી પંડિતો – અને બધા જ હિન્દુઓને કાઢી આઈ. એસ. આઈ. (ISI) ની મદદથી કાશ્મીરને ભારતથી આઝાદ કરવાનું આયોજન કર્યું. તેમાં પાકિસ્તાનની તે વખતની વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોએ કાશ્મીરી મુસ્લિમોને મદદ કરી, ઉપરાંત “પંડિતો કાફિર છે અને મરવાને યોગ્ય છે” તથા ભારતથી છૂટવા – “આઝાદી, આઝાદી, આઝાદી” એવું સૂત્ર આપ્યું. એક પંડિતને મારીશું તો સો પંડિત ભાગી જશે એવા વિચારથી હત્યાઓ (Massacre) નું આયોજન કર્યું.  


૧૯-૦૧-૧૯૯૦ના દિવસે જગમોહન જમ્મુ-કાશ્મીર રાજ્યના ગવર્નર નિયુકત થયા. તેના વિરોધમાં મુખ્યપ્રધાન ફારૂક અબ્દુલ્લાએ રાજીનામું આપ્યું અને મુસ્લિમોને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યાં. ગવાકડલ ખાતે સી. આર. પી. એફ. (CRPF) જવાનોએ મશીનગનથી ૫૦ થી ૧૦૦ આતંકવાદીઓને મારી નાંખ્યા.

મસ્જિદમાંથી આખો દિવસ લાઉડ સ્પીકરમાંથી અવારનવાર ધમકી ભરી રીતે કાશ્મીરી પંડિતોને કાશ્મીર ૪૮ કલાકમાં છોડવા અથવા મરવા તૈયાર રહેવાની ધમકીઓ આપ્યા કરી. પુરૂષોને સ્ત્રીઓને મૂકી ભાગી જવા કહ્યું.

૧૯-૦૧-૧૯૯૦ ની રાત્રે ગવર્નર જગમોહન પર “મુસ્લિમો સામૂહિક હત્યા કરી અમને મારી નાંખશે” માટે અમને પંડિતોને મરી જતાં બચાવવા “લશ્કર તાત્કાલિક મૂકો અથવા કાશ્મીર સલામત છોડવાની વ્યવસ્થા કરવા” કરગરતા ફોન આવ્યા.

સમાચારપત્રો ‘અફતાબ’ અને ‘અલ-સફા’ એ મોટા અક્ષરે જાહેરનામું છાપી કાશ્મીરી પંડિતોને ૪૮ કલાકમાં કાશ્મીર છોડવા અથવા મરવા તૈયાર રહેવા જણાવતી ધમકી છાપી.

પંડિતોની યાદી બનાવી દરેકને ધમકીપત્રો મોકલ્યા. તેમના ઘરની દીવાલો ઉપર ધમકીવાળા સંદેશો લખ્યા - પોસ્ટરો ચોંટાડ્યા. દરેક જગ્યાએ ધમકીભર્યા લખાણો દીવાલો ઉપર ચોંટાડ્યા. ઘર – ઓફિસ – દુકાન અને જાહેર મકાનો બધાને લીલો રંગ લગાવી ઈસ્લામીકરણ દર્શાવ્યું – સાબિત કર્યું.

આ બધા ઉધામાઓથી ગભરાઈને કાશ્મીરી પંડિતોએ જમ્મુ અથવા દિલ્હી બસ, ટેક્ષી કે ટ્રક માં જવાનું ચાલુ કર્યું. લગભગ ૩.૫ થી ૬ લાખ પંડિતો જમ્મુ તરફ અથવા દિલ્હી તરફ ભાગ્યા – શરણાગત કેમ્પ (Refugee Camp) નો આશરો લીધો.

તકલીફ – દુખો સહન કરીને તંબુમાં રાહત સામગ્રીને ભરોસે જીવવા પંડિતો મજબૂર થયા – સગવડ – સાહયબી અને સમૃદ્ધ જિંદગી છોડીને “ક્યારેક પાછા ફરીશું” એવી આશા સાથે આવેલા આજે ૩૧ વર્ષે પણ પરત ન થઈ શક્યા! દયનીય અને કંગાળ જીવન જીવતાં ઘરડા લોકો આકરી ગરમી – લૂ લાગવાથી, સાપ કે વીંછી કરડવાથી કે બીજી માંદગીથી મરણ પામ્યા. ગંદકી ને કારણે બાળકોને ચેપી રોગો – ખૂજલી થયા – બાકીનાને તણાવને લીધે ડાયાબિટિશ, હ્રદયરોગ કે હતાશા જેવા માનસિક રોગો થયા.
૨૧-૦૧-૧૯૯૦ ના રોજ પહેલો મોટો હત્યાકાંડ કર્યો ત્યાર પછી થી રોજ ખુનામરકી દ્વારા ૧૩૯૧ પંડિતોને માર્યા – અસંખ્ય સ્ત્રીઓને બળાત્કાર ગુજારીને – વેચી દીધી – ઘરોમાં લૂંટફાટ ચલાવી. ૩૨૦૦૦ ઘરો બાળ્યા.
પૃથ્વી ઉપરનું સ્વર્ગ કહેવાતું કાશ્મીર પંડિતો માટે નર્ક બન્યું. જીવ બચાવવા ઘણા પંડિતોએ ધર્માંતરણ સ્વીકારી ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો.

૧૯૯૦ વર્ષ દરમ્યાન હત્યાઓનું વર્ણન
  • ૧૪-૦૯-૧૯૮૯: હબ્બાક્દલ ખાતે રાજકીય કાર્યકર પંડિત ટીકાલાલ ટપલુને હથિયારધારી ટોળાએ ગોળી મારી હત્યા કરી
  • ૦૪-૧૧-૧૯૮૯: હાઈકોર્ટના ન્યાયાધીશ નીલકંઠ ગંજુનું હાઈકોર્ટમાં શ્રીનગર ખાતે ખૂન કર્યું
  • ૦૯-૧૨-૧૯૮૯: રાષ્ટ્રના ગૃહમંત્રી બનેલા મુફ્તી મહમદ સઈદની પુત્રી ડો. રૂબૈયાનું અપહરણ કરી – તેની મુક્તિના બદલામાં પાંચ ખતરનાક આતંકવાદી છોડાવ્યા
  • ૨૫-૦૧-૧૯૯૦: રાવળપિંડી ખાતે એરફોર્સ (IAF) ના ચાર લોકો બસની રાહ જોતાં હતા ત્યાં બસ સ્ટેન્ડ ઉપર ૪૦ રાઉન્ડ ગોળીથી માર્યા–બીજા ૧૦ ઘાયલ થયા
  • ૨૯-૦૪-૧૯૯૦: કાશ્મીરી વિદ્ધવાન કવિ સર્વાનંદ કૌલ (પ્રેમી) ને ઘરનો બધો જ સામાન લૂંટયા પછી પુત્ર સાથે પિતા-પુત્રને શરીરમાં ખીલા ઠોકી, બળતી સિગારેટના દામ આપીને ઝાડ ઉપર લટકાવ્યા પછી ગોળી મારીને મારી નાખ્યાં
  • ૦૨-૦૨-૧૯૯૦: હિન્દુ સામાજિક કાર્યકર સતીસ ટીકુની હત્યા
  • ૧૩-૦૨-૧૯૯૦: દૂરદર્શનના સ્ટેશન ડાયરેક્ટર લસ્સા કૌલ ની હત્યા
  • ૨૭-૦૨-૧૯૯૦: નવીન સપરૂ (૩૭) ની હત્યા
  • ૦૪-૦૬-૧૯૯૦: બંદીપોર ખાતે ૨૮ વર્ષની શિક્ષિકા ગિરિજા ટીકુને ચાર પુરૂષોએ કારમાં બળાત્કાર કરી આતંકવાદીઓએ લાકડા કાપવાની કરવતના ઈલેક્ટ્રિક મશીનથી પેટ આગળથી બે ટુકડા કરી હત્યા કરી
  • જૂન ૧૯૯૦: અશ્વિનીકુમાર નામના ચાર્ટડ એકાઉન્ટન્ટને ગોળી મારતા ઈજા પામ્યા – હોસ્પીટલમાં ડોકટરોએ પંડિત હોવાથી સારવારની ના પડતાં મૃત્યુ થયું
  • સપ્ટે ૨૦૧૨: બ્રિજલાલ કૌલ અને એના પત્નીને જીપ પાછળ બાંધી ત્રણ કિલોમીટર ઢસડયા પછી બન્નેની ગોળીથી હત્યા કરી
કાશ્મીરી પંડિતો 

૫૦૦૦ વર્ષનો ઈતિહાસ ધરાવતા કાશ્મીરી પંડિતો વિદ્વાન અને બુદ્ધિશાળી હતા અને છે. તેઓ મુખ્યત્વે ધાર્મિક ગુરુ (Priest), જ્યોતિષ (Astrologer), કે કારકુન (Clerk) તરીકે કાર્ય કરતાં હતા. તે સિવાય સમૃદ્ધ લોકો ગણાતા મોટા ભાગના લોકો ખેતી કરતાં હતા. તેઓ મુખ્યત્વે શિવરાત્રીનો તહેવાર અને કાશ્મીરી નવું વર્ષ (Navreh) ની ઉજવણી ધૂમધામથી કરતાં. તેમના ધાર્મિક સ્થળોમાં હરમુખ અને ગંદરબલ જિલ્લાના તુલ્લામુલ્લા ગામે આવેલ ખીર ભવાની માતાનું મંદિર ગણાય છે.

પૃથ્વીનું સ્વર્ગ ગણાતું કાશ્મીર તેમને માટે મુસ્લિમો દ્વારા નર્ક બનાવાની ૧૯૯૦ની છેલ્લી ઘટના ગણતાં સાથે સાતવાર બની. સૌપ્રથમ ચૌદમી સદીમાં ઈસ્લામ સુલ્તાન સિકંદર કાશ્મીર આવ્યો. ચુસ્ત ધર્માંધ વલણ અને એકેશ્વરવાદી માન્યતાને કારણે તેણે હિન્દુ પંડિતોની હત્યા, હિન્દુ ધર્મગ્રંથોનો નાશ, મુર્તિ અને મંદિરો તોડ્યા. ઉપરાંત હિન્દુ ધર્મ અનુસરવા પર પ્રતિબંધ લગાવ્યો (૧૪૨૦). આથી ક્યાં તો પંડિતોએ કાશ્મીર છોડ્યું કે ઈસ્લામમાં વટલાઈ ગયાં. ૧૬૫૮ માં ઔરંગઝેબ જેવા મુઘલોએ ખુલ્લી તલવાર સાથે પંડિતોને ઘેર્યા અને ધર્મપરિવર્તન ન સ્વીકારે તો તાત્કાલિક હત્યા કરાવી. ૧૮૧૯ માં બ્રિટિશરો પાસેથી ડોગરા વંશના રાજાઓએ કાશ્મીર-જમ્મુ અને લદ્દાખ ખરીધ્યા. તેઓ પંડિતો પ્રત્યે ઉદાર હતા પણ મુસ્લિમ પ્રજા પ્રત્યે ક્રૂરતા બતાવી. ૧૯૧૩ ના રમખાણમાં મુસ્લિમોએ આતંક ફેલાવી હિન્દુઓની કતલ કરી, છેલ્લે ૧૯૪૭માં પાકિસ્તાને કાશ્મીર હડપી લેવા રઝાકારો-પઠાણો-કઝાક આક્રમણકારોને મોકલ્યા. તેઓએ પંડિતો અને હિન્દુઓને 'કાફિર' કહી કત્લેઆમ ચલાવી. આમ અવારનવાર સાત વખત પંડિતોને કાશ્મીર છોડવા અથવા ધર્માતરણ કરવા કે મરવાની ઘડીઓ આવી.

Our Moon Has Blood Clots (by Rahul Pandita, 2012) પુસ્તકનો જેલમ વહોરાએ 2019 માં “અમારું રક્તરંજિત વતન” નામથી ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કર્યો. એ વાંચતાં, 14 વર્ષે 22 ઓરડાના બંગલામાંથી જમ્મુના શરણાગત કેમ્પમાં, કે પછી 17 વર્ષમાં 22 ઘર બદલીને રહેલા યુવાન પત્રકાર લેખક અને તેના જેવા 3.5 લાખ પંડિતોની વ્યથા અનુભવી. તે વખતના ગવર્નર જગમોહને My Frozen Turbulence in Kashmir પુસ્તકમાં પોતાની બધી વિગતોની વાત કરી. અહમદ અલી ફિયાઝે (પત્રકાર) વિડીયોમાં કાશ્મીરના ઈતિહાસની વિગતો કહી. આતુરતા કે જિજ્ઞાસા સંતોષવા Wikipedia ના ઘણા બધા લેખો વાંચ્યા (આ લેખ ના માહિતી સ્ત્રોત તરીકે સાભાર નોંધ) ત્યારે કઈંક વેદનાઓની અનુભૂતિ થઈ. 1341 લોકોની ક્રૂર અને કરુણ હત્યાકાંડની વિગતો અને પોતાના જ દેશમાં 31 વર્ષ થી શરણાર્થી બનેલા પંડિતો વિષયક માહિતી ભેગી કરતાં સાદા સવાલો થયા વગર ન રહે કે આપણે શું કર્યું? કઈં નહિ? ખરેખર આપણું રૂવાડુંય ફરક્યું નથી.

કાશ્મીરી પંડિતો પૂછે છે એવું શું બન્યું કે એમને કાઢવા પડ્યાં? શું મુસ્લિમોને એમના કાઢવાથી આઝાદી મળી? મીડિયા, ભારતના રાજકારણીઓ અને ભારતની આમ જનતા – ખાસ કરીને હિન્દુઓ, કહેવાતા બુદ્ધિજીવીઓ, લાગવળગતા બધા જ – મૌન રહ્યા. સાદો વિરોધ પણ ન નોંધાવ્યો! મદદ કરવાની તો દૂર, સહાનુભૂતિ પણ ન દર્શાવી શક્યા. હંમેશા આંખ આડા કાન જ કર્યા. આમ કરોડો હિન્દુ પરિવારોએ પીડિત કાશ્મીરી પંડિતોને સાથ-સહકાર કે સહાનુભૂતિ ન આપ્યાં.

આવોજ વ્યવહાર આપણે કાયમ ભવિષ્યમાં કરતાં રહીશું – ત્રાસ કે દુખ માં પડેલને મદદ ન કરશું – તો આપણે ચોક્કસ રીતે ખરાબ અંત તરફ આગળ વધી રહ્યા છે. હવે અંગ્રેજો કે મોઘલોની જરૂર પણ આપણાં વિનાશ માટે નહિ પડે!
ઈતિહાસ એ ભારતીય સાહિત્યનું નબળું અંગ છે. કદાચ ભારતીય સાહિત્યમાં ક્યાંય ઈતિહાસનું અસ્તિત્વ જ નથી – તેથી જ કરૂણ રીતે ઈતિહાસ પુનરાવર્તતીત થાય છે.


ગોધરાકાંડ ૨૦૦૨

૨૦ વર્ષ પહેલાંના બનાવ વિષે અત્યારે આછોપાતળો ખ્યાલ છે ત્યારે, વર્ષો પછી કઈં ખબર ન પડે અને ઈતિહાસ ખોટી રીતે ન ચિતરાય તે માટે અહીં સમજ આપતો નિબંધ લખવા વિચાર છે. ભારતમાં ૧૯૪૭ ની આઝાદી સમયે મુસ્લિમો માટે અલગ પાકિસ્તાન અને હિન્દુઓ માટે હિંદુસ્તાન એમ ભાગલા પડ્યા. પરંતુ ભારતમાંથી બધા જ મુસ્લિમો પાકિસ્તાન ન ગયા. તેથી આઝાદી પહેલાંની હિન્દુ-મુસ્લિમ વેરભાવના ચાલુ રહી. બન્ને કોમ વચ્ચે ભાઈચારો હોવા છતાં અવારનવાર તોફાનો ફાટી નીકળ્યાં. ગુજરાતમાં ૧૯૬૯ – ૧૯૮૫ – ૧૯૯૨ અને ૨૦૦૨ માં મોટી સંખ્યામાં ખુનો - આગ લગાડવી અને બીજું નુકશાન કરતાં ભયંકર તોફાનો થયા. તેના કારણો-ઉપાયો અને બીજી વિગતો ઈતિહાસકારોએ બન્ને પક્ષોને પોતાની ઈચ્છા પ્રમાણે ખરાબ બતાવી જણાવ્યાં છે, એટલે સત્ય દૂર રહી ગયું છે. ૧૯૯૨ માં બાવન વર્ષની ઉંમરે મેં જાતે જોયેલી ઘટના મારી રીતે કહેવું છે.

મુખ્ય ઘટનાઓની શરૂઆત મુસ્લિમોએ ૨૭-૦૨-૨૦૦૨ પૂર્વયોજિત કાવતરાના ભાગ તરીકે ગોધરા સાબરમતી એક્ષપ્રેસ ટ્રેનના ડબ્બા એસ-૬ માં આગ લગાવી, તેથી ૫૪ વ્યક્તિના મરણ થયાં. પછી ઉશ્કેરાયેલ હિન્દુઓએ ટોળાશાહી બનાવી અમદાવાદમાં ખાસ વધારે અને આખા ગુજરાતમાં હિંસા આચરી. મુસ્લિમે પણ જવાબ રૂપે ખૂનામરકી કરી. 


 ગોધરાકાંડ – તા. ૨૭-૦૨-૨૦૦૨

પોતાના માથા ઉપર કેસરી પટ્ટી બાંધી ‘જયશ્રી રામ’ નો જયઘોષ કરતાં હજારો કારસેવકો ૨૫-૦૨-૨૦૦૨ ના રોજ અમદાવાદથી આયોધ્યા રામનામના જપના યજ્ઞની પૂર્ણાહુતિ માટે ગયા હતા. તેઓ ૨૭-૦૨-૨૦૦૨ ના રોજ આયોધ્યાથી અમદાવાદ પરત આવતાં સવારે ગોધરા સ્ટેશને પહોંચ્યા હતા. ગોધરાથી ઉપડેલી સાબરમતી એક્ષપ્રેસ (૯૧૬૬ અપ) ગાડી સવારે આઠ વાગ્યે સિગ્નલ ફળિયા નામના વિસ્તારમાં પહોંચી ત્યારે ચેન પુલિંગથી કે લાલ સિગ્નલને કારણે ગાડી રોકાઈ હતી. ટ્રેનના એસ-૬ માં કારસેવકો હોવાની ગોધરાના મુસ્લિમોને ખબર હોવાથી પૂર્વયોજિત ઘટનાસ્વરૂપે મોટી સંખ્યામાં આવેલા મુસ્લિમ સ્ત્રી-પુરુષ અને બાળકોએ ટ્રેન ઉપર પથ્થરમારો શરૂ કર્યો. હાથમાં ઘાતક હથિયારો અને પેટ્રોલ લાવેલ ટોળાએ કોચને આગ લગાડી.

બહાર હથિયાર બંધ ટોળું અને અંદર આગ ફાટી નીકળતાં મોત સામે લડતા બહુ ઓછાને બચવાની તક મળી તેઓ પણ ગંભીર રીતે ઘવાયા. બાકીના ૫૪ વ્યક્તિઓ વિકરાળ આગમાં શ્વાસ રૂંધાવાથી મૃત્યુ પામ્યાં. તમામ મૃતદેહો કોલસો બની ગયા હોવાથી ઓળખી શકાય એમ નહોતા. લાશો એટલી બળેલી હતી કે ખસેડતી વખતે હાથ-પગ શરીરથી છૂટા પડી જતાં હતા. આમ મૃત્યુ પામેલાઓની લાશો કતારમાં હતી. મૃતદેહો માત્ર હાડકાં જ બની ગયા હતા. પોષ્ટમોર્ટમ શક્ય ન હોવાથી ડોકટરોએ સ્થળ પર તપાસી લીધા હતા. તેમને અમદાવાદ સોલા સિવિલ હોસ્પીટલમાં લાવવામાં આવ્યા. પ્રમાણભાન ગુમાવેલ ટીવી ઉપર મૃતદેહો સતત બતાવવામાં આવ્યા હતા.  (માહિતી: એસ-૬ કોચમાંથી જીવતા બચેલા કારસેવકો કૌશિક પટેલ, ધર્મેન્દ્ર પટેલ, અને હર્ષદ પટેલ દ્વારા)

ત્યારે આ ઘટના પછી અમદાવાદ લાવેલ મૃતદેહો જોઈને કે પછી ટેલીવિઝન પર બળેલા મૃતદેહો બતાવતા જોઈને ઉશ્કેરાયેલ હિન્દુઓ પ્રત્યાઘાત આપે છે. તેની વિગતો જાણીએ.

અમદાવાદ – મેઘાણીનગર – ગુલબર્ગ સોસાયટી

બંગલા નં ૧૯. માં પૂર્વ સાંસદ અહેસાન જાફરી રહેતા હતા. સોસાયટીના ડરી ગયેલા મુસ્લિમો તેમના ઘરમાં છુપાયા હતા. બહારથી પથ્થરમારો કરતું ટોળું મારો-કાપોની બૂમો પાડતા દાખલ થતાં, જાફરીએ ટોળાને ભગાડવા ગોળીબાર કર્યો. જેમાં કેટલાકને ગોળી વાગતા સિવિલ હોસ્પિટલ ખસેડાયા. તેને કારણે વાત વણસી જતાં ટોળું ઘાતક હથિયારો અને જલદ પ્રવાહીના કેરબા સાથે સોસાયટીમાં દાખલ થયું.

અહેસાનને ઘરની બહાર કાઢી રસ્તા ઉપર સુવડાવી તલવાર વડે કાપી સળગાવી મૂક્યા. ત્યારબાદ ટોળાએ લગાવેલ આગથી સંખ્યાબંધ લાશો, સળગતા ઘરો અને કણસતા ઈજાગ્રસ્તો જ બચ્યા હતા. અનેક લોકોની કત્લેઆમ અને કરોડો રૂપિયાની મિલકતોને આગ ચાંપી દીધી હતી. (માહિતી: નાણાવટી પંચ સમક્ષ જુબાનીમાં શ્રીમતી જાફરીના શબ્દો)

નરોડા પાટિયા, અમદાવાદ

નરોડા પાટિયા વિસ્તારમાં ટ્રક ચાલકે અકસ્માતે યુવાનને અડફેટે લીધો હતો, તેથી વાત પ્રસરીકે મુસ્લિમે એક હિન્દુને કચડી માર્યો છે. હજારો નહીં પણ લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા.
  • સત્તરમી સદીના મહાન કવિ-સૂફી સંત વલીની દરગાહ-શાહ મહોમ્મદ વલી ઉલ્લાહની દરગાહ-ઉખેડી ફેંકી દીધી. 
  • અંડરપાસ નજીકની હોટલ મોટીમનોરને આગ ચાંપી. 
  • નૂરાની મસ્જિદ નજીક બ્રેડ-બિસ્કિટ વેચતા નઈમ શેખ પરિવારના વૃધ્ધ માતા-પિતા, પત્ની-બાળકો, બહેન-બનેવી અને તેના બાળકો સહિત સૌને પેટ્રોલ છાંટી-સળગતા કાકડાથી સળગાવ્યા. 
  • બેબી બાનુના પતિને તલવારથી કાપી નાખ્યો, દેરાણીને કપડાં ફાડી જાહેરમાં બળાત્કાર ગુજાર્યો અને નાના મોટા આઠ જણની હત્યા કરી. 
  • ગંગોત્રી સોસાયટીની આજુબાજુ સંખ્યાબંધ મૃતદેહો હતા. નરોડા પાટિયા વિસ્તારમાં સો કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યાં હતા. 
ગોમતીપુર વણકરવાસ, અમદાવાદ - દેવાણંદ સોલંકી

ગોમતીપુર્માં દલિતો અને મુસ્લિમો એકબીજા ઉપર પથ્થરમારો કરતાં હતાં. અચાનક મુસ્લિમોનું એક ટોળું દોડ્યું ત્યારે એકલો રહી ગયેલ દેવાણંદ સોલંકીને ટોળું ખેંચી ગયું. તે જ દિવસે તેની હત્યા કરી અઢાર ટુકડા કરી મોટા પ્રમાણમાં મીઠું નાંખી દાટી દીધો. આરોપીએ કરેલી કબુલાતને આધારે ખોદકામ કરતાં અઢાર ટુકડાઓ જમીનમાથી મળ્યા.

મુસ્લિમોના ટોળાં દ્વારા હત્યા 
  • ૧, મહેમદાવાદમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રામસિંહ 
  • ૨, ગોમતીપુર, અમદાવાદ કોન્સ્ટેબલ ચૌહાણ
ઉપરોક્ત બન્નેને મુસ્લિમ ટોળાંએ પેટ્રોલ છાંટી સળગાવ્યા.
  • ૩, ધંધૂકાના કોન્સ્ટેબલ ભાણું ભરવાડની હત્યા-ગોળી મારીને જુહાપુરા પોલીસચોકીની પાછળ
  • ૪, શાહપુર વિસ્તારમાં સ્કૂટર પર જતાં ગણપત પરમાર અને તેના પુત્ર નિતિનની તલવાર અને ગુપ્તી મારીને હત્યા
આમ, મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થતાં એકલા હિન્દુને પકડી નિશાન બનાવ્યા.

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું સરદારપુરા ગામ

હજારો માણસો ટ્રેક્ટરમાં બેસી શેખ મહોલ્લામાં પહોંચ્યા, પોતાને બચાવવા માટે મોટી સંખ્યામાં એક મકાનમાં છુપાયેલા મુસ્લિમોને મકાનની બારીમાંથી જ્વલનશીલ પ્રવાહી ફેંકી ત્યારપછી સળગતો કાકડો નાંખ્યો. મોટાભાગના લોકો સળગીને મર્યા.

પંચમહાલ જિલ્લાના રણધીપુર

ગર્ભવતી યાકુબ રસુલની પત્ની બિલ્કિસબાનું તેની ગર્ભવતી પિતરાઈ બહેન સિમન અને બીજા ૧૬ માણસો થઈ કુલ ૧૮ લોકો જીવ બચાવવા જંગલના રસ્તે ભાગતા હતા, ત્યારે છાપરવડ તરફથી પાંચસો લોકોનું ટોળું આવીને ચારે તરફથી ઘેરી લીધા. ત્રણ વર્ષની બાળકીને રહેંસી નાંખી. તમામ મહિલાઓના કપડાં ફાડી નાંખ્યા અને બધાને મારી નાંખ્યા. (માહિતી: માથામાં ફટકાથી મારવા છતાં બચી ગયેલી બિલ્કિસ્બાનું દ્વારા)

બેસ્ટ બેકરી, વડોદરા

વડોદરા પાણીગેટ વિસ્તારમાં ડભોઈ રોડ પાસે હનુમાન ટેકરી ખાતે બેસ્ટ બેકરી આવેલી છે. ઘાતક હથિયારો અને જ્વલનશીલ પ્રવાહી સાથે હિન્દુઓનું ટોળું ચીચયારી પાડતું આવ્યું ત્યારે બેકરીના લોકો ઉપરના માળે જતાં રહ્યાં આગની જવાળામાં ચાર બાળકો, ત્રણ સ્ત્રીઓ સહિત ૧૪ લોકો માર્યા ગયા. સંજોગોવસાત બેકરીના માલિક ની દીકરી ઝાહીરા શેખ અને તેની માતા બચી ગયા. ઝાહીરાએ ૨૧ આરોપીના નામ પોલીસને આપ્યા હતાં પરંતુ કોર્ટમાં પોલીસ સામેનું નિવેદન ફેરવી તોળ્યું હતું. પાછળથી કેસ મુંબઈ ખાતે ખસેડાયો હતો ત્યાં પણ ઝાહીરાએ જુબાની બદલી હોવાથી તેને એક વર્ષની કેદની સજા થઈ હતી.
‘આ ખોટું થયું.’
‘ક્યાં જ્ન્મ લેવો તે કોઈના હાથમાં હોતું નથી, ત્યારે કોણ કયા કુળમાં જન્મ્યો છે, ફક્ત તેના આધારે તેનો વિરોધ કરવો વાજબી નથી!’
અમદાવાદ માં ત્રણ મહિના ચાલેલા તોફાનમાં ૧૮૨ વ્યક્તિઓને જીવતી સળગાવી, ૬૮ વ્યક્તિઓને છૂરાબાજી થી મારી, જ્યારે ૯૭ વ્યક્તિઓ પોલીસ ગોળીબારમાં અને ૩૯ વ્યક્તિ ખાનગી ગોળીબારમાં મરી હતી. તેમાં ગુમ થયેલી ૩૯ વ્યક્તિઓ ને મૃત જાહેર કરતાં કુલ્લે ૪૨૫ મરણ થયા હતા. ૮૪૨૦ ટીયર ગેસ ના સેલ અને ૪૪૦૦ રાઉન્ડ ગોળીબારકર્યા હતા. દરમ્યાન ૧૯૭૭ હિન્દુ અને ૧૩૫૦ મુસ્લિમોને પકડી જેલમાં મોકલી આપ્યા હતા. આશરે ૨૦૦૦ વ્યક્તિઓ મરી હતી જેમાંથી ૭૯૦ મુસ્લિમ અને ૨૫૪ હિન્દુ મરણ સરકારી દફતરે નોંધાયા હતા.

ઈતિહાસ પાઠ ભણાવે છે અનુભવ આપે છે અને લોકઘડતર કરી જનસામાન્યને રસ્તો બતાવે છે. પણ સરળ અહિંસક લાગતા લોકો એકબીજાના લોહીના તરસ્યા શા માટે બને છે? કદાચ રાજકારણી, પોલીસદળ, ઉશ્કેરણીજનક ઈલેક્ટ્રોનિક મીડિયા અને લોકોની હતાશા ભેગા થાય ત્યારે આવું બને છે. ભૂતકાળના અનુભવ કે વિદ્વતા સમજદાર બનાવતા નથી, ત્યારે લોક જાગૃતિ કરી સર્વધર્મસમભાવ કે કોમીએકતાના પાઠ કોણ શીખવશે? ઈતિહાસ સમજીને કોઈ નવો સીધો રસ્તો શોધીશું?

હિન્દુત્વ

સિંધુ નદી કિનારે વસેલા આર્યોનો દેશ ‘આયાવર્ત’ તરીકે ઓળખાતો – લોકોઆર્યો અથવા સિંધુ પણ કહેવાતા. પરદેશીઓ સિંધુને બદલીને ‘હિન્દુ’ કહેવા લાગ્યા અને તેમનો ધર્મ હિન્દુ ધર્મ કહેવાયો હકીકતમાં વૈદિક પરંપરામાં સનાતન ધર્મ હતો, તે હિન્દુ બન્યો.

વર્તમાન ધાર્મિક અસહિષ્ણુતા ના વાતાવરણમાં ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મો પોતાના અલગ ચોકા બનાવી ટોળાં શાહી અને અરાજકતા તરફ વળ્યા ત્યારે જીવન જીવવાની સર્વમાન્ય શૈલી ધરાવતા અને સિંધુ નદી કિનારે થી અરબી સમુદ્ર સુધી વિસ્તરેલ ભૂમિના લોકો – હિન્દુ કહેવાયા – તેમના વિચારો તે 'હિન્દુત્વ'!

હિન્દુ એ સર્વમાન્ય – આદર્શ જીવનશૈલી છે. તે ઈસ્લામ કે ખ્રિસ્તી વિરોધી નથી કે એ કોઈપણ ધર્મ સામે નથી. વનસ્પતિ, પ્રાણી અને સર્વને સમાન જણાવી – દરેક ને કાળજી લઈ સહજીવનની પ્રણાલી તે હિન્દુત્વ. બધા ભગવાનને સ્વીકારી સર્વધર્મ સમભાવ અને કોમી એક્તા શીખવે તે હિન્દત્વ.

ચાલો સરળ ભાષામાં લેખક રામસ્વરૂપે કહેલી હિન્દુત્વની વિગતો બરાબર જાણીએ – સમજીએ.

હિન્દુ ધર્મ, હિંદુઓ અને ભારત

ભારતની ભૂમિ ઉપર સનાતન ધર્મ ઉત્તપન્ન થયો. અહીના લોકો હિંદુઓ કહેવાયા અને ધર્મને હિન્દુ ધર્મ કહ્યો આ ધર્મમાં ચાર પુરૂષાર્થ, ચાર વર્ણ અને ચાર આશ્રમોની વ્યાખ્યા આપી ને સમજાવ્યા.

વર્ણ: વર્ણાશ્રમ ધર્મ સમાજ જીવનની જવાબદારી સાથે સંકળાયેલો હતો. કેટલાક પૂજારી અને શિક્ષકો હતા (બ્રાહ્મણ), કેટલાક યોધ્ધાઓ અને રક્ષકો હતા (ક્ષત્રિય), તો કેટલાક સંપત્તિનું ઉપાર્જન અને સાચવણીમાં જોડાયેલા હતા (વૈશ્ય), તો બાકીના લોકો રોજીંદી સામાન્ય જરૂરિયાતો – જેવી કે પાણી લાવવું, લાકડા કાપવાં – સાફ સફાઈ કરવી સાથે કાર્યરત હતા (શુદ્ર). આ ફક્ત કાર્યોનું વિભાજન હતું, તેમાં અસમાનતા કે અશ્યપૃશ્યતા હતી જ નહીં. દરેક સભ્ય અહીં પ્રમાણિકપણે કામ કરી પોતાની આવડત મુજબ પોતાનો ધર્મ બજાવી સંપતિનું ઉપાર્જન કરતો હતો. ભારતમાં કોઈપણ તબક્કે ગુલામી પ્રથા હતી જ નહીં. એ તો સુવિદિત છે. જુદા-જુદા કાર્યો કરતાં અને જુદી જુદી પરંપરા નિભાવતા લોકો હિન્દુ આધ્યાત્મિકતા અને આદર્શવાદમાં માને છે.

આશ્રમ: ચાર આશ્રમો મનુષ્ય જીવનકાળ ના ચાર તબક્કાઓ છે. વિદ્યાર્થી અવસ્થામાં તે દરેક પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે છે (બ્રહ્મચર્યશ્રમ), ત્યારપછી સંસારીના સ્વરૂપમાં અર્થોપાર્જન સહજીવન અને સંતતિ ઉત્પન્ન કરે છે (ગૃહસ્થાશ્રમ), પ્રોઢવયમાં નિવૃતિ લઈ આંતર શોધમાં જોડાય છે (વાનપ્રસ્થાશ્રમ) અને છેલ્લે સન્યાસી બની સમાજ શિક્ષણ આપે છે (સન્યાસાશ્રમ) અહી ગૃહસ્થાશ્રમ કે સાંસારિક જીવનને સૌથી વધુ મહત્વનું ગણવામાં આવ્યું છે.



હિંદુઓ

એક સમયે હિંદુઓ સમૃદ્ધ હતા. તેમના અન્નભંડારો ભરેલા રહેતા. તેઓ જ્ઞાની, સારા વ્યવસ્થાપકો અને સારા વેપારી હતા. તેમના ચરિત્રમાં તેજ અને બળ હતું. તેઓ શોષણ કરતાં નહીં અને શોષિત થતાં નહીં. એ લોકો વિજ્ઞાન અને કલામાં નિષ્ણાંત હતા. હિન્દુ ધર્મ અનેક ધર્મોની આદિમાતા સામો હતો. દાન-દક્ષિણા અને સેવાના આદર્શો હતા. 
  • અતિ શાંતિપ્રિયતા ને કારણે પોતાની રક્ષણાત્મક સજ્જતા ગુમાવી બેઠા. હિન્દુ ધર્મ આત્મવિશ્વાસ ગુમાવી ક્ષમાપર્થ થઈ બેઠો. હિંદુત્વ શબ્દ શરમ અને અવમાનવાનું કારણ બની ગયો. એક એવા વર્ગનો ઉદ્દભવ થયો જે હિન્દુ હોવા છતાં આચાર-વિચાર અને ભાવથી હિન્દુ વિરોધી હતા. આપણે વિવાદ ટાળવા ગમે તે સ્વીકારવા તૈયાર થઈ ગયા. સંઘર્ષની તૈયારી ન હોવાથી, આપણે પોતાનું રક્ષણ ન કરી શક્યા. 
  • હિંદુઓ પોતાના જ દેશમાં દ્વિતીય કક્ષાના નાગરિકો કે શરણાગતો બની ગયા. કટ્ટરવાદી અને નકારાત્મક તાકતો વારંવાર હુમલા કરતી રહી ત્યારે સ્વરક્ષણમાં હિંદુવાદ કે રાષ્ટ્રવાદની ઓળખ જરૂરી બની ગઈ. પોતાના અસ્તિત્વ માટે અને આધ્યાત્મિક ચિંતન જાળવવા પ્રતિકાર જરૂરી બની ગયો. 
હિંદમાં, ભારતમાં મહાન સંતો અને શિક્ષકો દ્વારા સનાતન ધર્મ શીખવાયો અને હિંદુત્વની ઓળખ પાકી થઈ.
  • સનાતન ધર્મ વિશ્વના ઘણા ધર્મોની આદિમાતા છે. 
  • મનુષ્યની અંદર વિશાળ આંતરિક જીવનસ્ત્રોત અસ્તિત્વ ધરાવે છે. 
  • આંતરિક ઊર્જા જે આત્મા સ્વરૂપે પ્રવર્તમાન હતી એ વૈશ્વિક ચેતના કે અવિનાશી બ્રહમનો અંશ હતી. 
  • સનાતન ધર્મ “સત્યનો હંમેશા વિજય થાય છે” એ માને છે. સત્ય જેને કોઈ ભય નથી – કોઈ અધૂરપ નથી. 
ઈશ્વર

ઈશ્વર સ્વયંમની અંદર છે - સ્વયંમમાં સ્થાપિત ઈશ્વર બ્રાહ્ય સ્થૂળ જગતમાં વિસ્તરે છે. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત, સંપૂર્ણ સ્થિર અને શ્રેષ્ઠ સ્વરૂપ છે.

ઈશ ભક્તિ

ઈશ્વરને અનેક રીતો દ્વારા પૂજવામાં આવે છે. કોઈ તેને યોગ દ્વારા, કોઈ ભક્તિ માર્ગે કે કોઈ ઈશ્વરને સરળતા માટે મનુષ્ય સ્વરૂપ સમજે છે. સનાતન ધર્મોમાં એક દેવને ચાહવા બીજાનો ધિક્કાર અનિવાર્ય નથી. હા, ઈશ્વરને પોતે પોતાની રીતે પ્રત્યક્ષ સ્વયં જ અનુભવવો પડે છે.

નૈતિક માપદંડ

સારા બનવું કે સારપ આપણી પ્રકૃતિ છે. સહનશક્તિ અને ક્ષમા-સમય અને સંજોગો પ્રમાણે બદલાય છે. જે વ્યક્તિ ક્ષમાને પાત્ર નથી તેને સજા કરવું એ ન્યાયનું વિજ્ઞાન છે.

પાડોશી

તમામ મનુષ્યો, જીવો (વનસ્પતિ જીવન અને પ્રાણી જગત) અને તમામ તત્વો (હવા, પાણી, આકાશ, નદીઓ, સમુદ્રો) ઈશ્વર અને દેવદૂતો આ બધા પાડોશી સાથે સહજીવન ની જવાબદારી અદા કરી ઋણમુક્ત થવાનું છે.

ધર્મ

દરેક વ્યક્તિ આત્મિક વિકાર સાથે આધ્યાત્મિક વિકાસ સાધે તે માટે ના દસ નિયમો :- સંતોષ, ક્ષમા, સ્વમાન, સૌચ, ઇન્દ્રિય નિગ્રહ, ઘી, વિદ્યા, સત્ય, અને આક્રોધ.

વ્યક્તિગત ક્ષમતા - જીવનની ક્ષમતા અલગ-અલગ (અનેક જીવન, અનેક સ્તર, વિવિધ લોક, મોક્ષ)

સનાતન ધર્મ અનેક જીવનની જ નહીં પરંતુ અનેક સ્તરની અનેક વિવિધ લોકોની વાત વર્ણવે છે. જીવનના નીચલા સ્ટાર સાથે જોડી રાખતા તમામ ગુણો, સ્નેહ, ઋણાનુબંધ, કલેશ, રાગ વિગેરેથી મુક્ત થનાર જળકમળવત બને છે અને તે નિર્વેદ ધારણ કરે છે. પછી જીવ મોક્ષ પામે છે – જેને ફરીથી સ્થૂળ જગતમાં જન્મ લેવાનો નથી.

આમ જીવનયાત્રા એ આત્મશોધ અને આત્મવિકાસની પ્રક્રિયા છે જેનું અંતિમ ધ્યેય મોક્ષ છે.

આધુનિક વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિને લીધે અને ટેક્નોલોજીના વિકાસને લીધે કેટલાક અપ્રકાશિત તથ્યો પ્રચલિત થયાં છે. તે દર્શાવે છે કે સ્થૂળ વિશ્વમાં એક સૂક્ષ્મ શક્તિ કામ કરી રહી છે, જે આપણા મસ્તિષ્ક અને ઈન્દ્રિયો સાથે જોડાયેલી છે. આ શક્તિ સમગ્ર બ્રહમાંડ માં ફેલાયેલી છે.

ઈતિહાસ

માનવ ઈતિહાસ એટલો જૂનો છે કે તેણે અનેક સભ્યતાઓ પાંગરતા અને નષ્ટ થતાં જોઈ છે. અફાર ઈતિહાસના સર્જનની પ્રક્રિયા દરેક ક્ષણે અવિરત ચાલુ છે. હિન્દુ ધર્મ બોધકા, પ્રકાશકા અને વાચકા છે એટલે કે તે જ્ઞાન આપે છે, આત્મતેજ પ્રગટાવે છે અને જ્ઞાનપ્રવાહ આગળ ધપાવવાની દિશા આપે છે.

શરણાગતિ

હું સનાતન ધર્મમાં શરણ થાઉં છું. આ ધર્મમાં ઉર્ધ્વગામી જીવન નો હેતુ છે. આ શરણગતિ દ્વારા સમગ્ર સૃષ્ટિ અને મનુષ્યત્વને અખંડ બનાવી – જે આસપાસ છે તે, ઈશ્વર સાથે એકત્વ કેળવી શકું.

હિંદુત્વના પતનના કારણો

હિંદુવાદ કે હિન્દુ ધર્મ કેટલાક ગંભીર પ્રશ્નોનો સામનો કરી રહ્યો છે જેમ કે હિન્દુઓમાં ૧) વૈચારિક સમાનતા નો અભાવ, ૨) નૈતૃત્વનો અભાવ, ૩) હિન્દુ ધર્મની ચર્ચા – સમસ્યા સમજવા કોઈ નિશ્ચિત કેન્દ્ર કે સ્થળ નથી, ૪) આર્થિક રીતે સદ્ધર નથી, ૫) નાતીઓ અને પેરાજાતિઓમાં વિભાજિત હોવાથી બાહ્ય પરિબળોનો સામનો કરવા સંગઠન શક્તિ ધરાવતો નથી. તેની સામે ઈસ્લામ અને ક્રિસ્ટીયાનીતિ માં આવું નથી – તેઓ અંતિમવાદી – તીવ્ર અને નિશ્ચિત માળખાવાળા છે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ મજબૂત છે – આર્થિક રીતે અને માળખાકીય રીતે પણ ઈસ્લામ તેના ધર્મને – નિયમોને ન માનનારને કાફિર કહીને ધિક્કારે છે અને તેની સામે જિહાદનું એલાન કરે છે. ત્યારે હિન્દુઓમાં દેશની ધર્મભાવના કે વલણમાં ક્યાંક બેદરકારી કે સ્વ-ઓળખનો અભાવ જોવા મળે છે. ક્રિશ્ચિયન્સ સમગ્ર વિશ્વમાં મિશનરી પ્રવુતી દ્વારા અનેક શિક્ષણકેન્દ્રો ચલાવે છે – સેવા કરતાં કરતાં આદિવાસી – વનવાસી કે હરિજનોને મદદરૂપ થઈ વટાળ પ્રવુત્તિ – ધર્મપરિવર્તન વર્ષો થી બેરોકટોક ચલાવે છે. ૧૯૮૦ માં અધિકૃત આંકડા મુજબ ૪૩૮૦૦ કરોડ રૂપિયા ખુલ્લેઆમ ભારતમાં જ ઠલવાયા હતા. ઘણી બધી જમીનો અને સંપતિ ખ્રિસ્તી અને મુસ્લિમો એ ભારતમાં ખરીદી લીધી છે. વિરોધીઓ સાધનસંપન્ન અને આયોજન બદ્ધ છે. તો હિંદુઓ પોતાનું સ્વરક્ષણ કરવા અક્ષમ છે. મુસ્લિમો દર-અલ-હર્બ (એટલે કે ઈસ્લામ માટે યુદ્ધ) અને દર-અલ ઈસ્લામ (એટલે કે ઇસ્લામનું શાસન) માં માને છે. તેમનું ઇલ્સામીકરણ નું ધ્યેય નિશ્ચિત છે.
  • હિંસાપૂર્ણ ઈતિહાસ એ અકસ્માત નથી – ધાર્મિક કટ્ટરવાદનું પરિણામ છે. 
  • વર્તમાનમાં બાંગ્લાદેશના લાખો ઘુસણખોરો અને રોહિંગ્યા ભારતમાં પગપેસારો કરી રહ્યા છે આસામ, લદ્દાખ, અરુણાચલ, કેરલ, કશ્મીર, પશ્ચિમ બંગાળ જેવા અનેક રાજ્યોમાં વિભાજન અને ધર્મપરિવર્તન ની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. આ સંજોગોમાં પરિસ્થિતી લાગણીશીલ બનીને નહીં, પરંતુ વ્યવહારુ દ્રષ્ટિકોણ થી ઉકેલવી પડશે. આ કરવા દીર્ધદ્રષ્ટિ અને ઊંડાણ સાથે શ્રદ્ધા અને સાતત્યની જરૂર છે. આ આદર્શવાદી યાત્રા માટે લાંબેગાળે ધ્યેયપ્રાપ્તિ માટે નિશ્ચિત પ્રયાસો જરૂરી છે.
હિન્દુકરણ

આપણે સૌ પ્રથમ ભય કે લાલચને લીધે ધર્મ પરીવર્તન કરેલ લોકોને પ્રાચીન મૂળ તરફ પાછા વાળવા અને વાસ્તવિક હિન્દુ ધર્મમાં પાછા ફરે તે માટે વાતાવરણ પૂરું પાડવું પડશે.

તાલીમકેન્દ્રો

મંદિરો-ધર્મસ્થળો કે તાલીમ કેન્દ્રો સ્થાયી પાયાની વિચારધારા, ધર્મનું જ્ઞાન, હિન્દુ મૂલ્યો અને પરંપરાનો પ્રચાર કરવો પડશે. જેથી બાહ્ય વિરોધો નકારાત્મકતા સામે આપણી હિન્દુ મૂલયવ્યવસ્થા ટકી રહે. સૌ આત્મશિક્ષણ મેળવે અને અન્યને પણ શિક્ષિત કરે.

સામાજિક દૂષણોથી મુક્તિ

લગ્ન પ્રસંગો અને તહેવારોની ઉજવણી બીભત્સ ન બને તેની કાળજી લેવી પડશે. ફિલ્મો, સાહિત્ય, જાહેરાતો–પ્રચાર વિગેરે અશ્લીલતા અને ગુનાખોરી રોકવી પડશે. તો જ અર્થહિનતા-ધ્યેયહીનતા-સ્થૂળ સિદ્ધિઓની દોડમાં જીવનનો મૂળ ધ્યેય ચૂકી ન જવાય.

આમ, હિન્દુત્વમાં આપણી માન્યતાઓને આપણે સ્પષ્ટ કરી લઈએ. ખોટા તર્ક અને દૂષિત વાતાવરણથી બુદ્ધિપૂર્વક મુક્તિ મેળવીએ. તાર્કિકતા-શાણપણ અને ધાર્મિકતાને ફરીથી સમજીએ. આપણી ખોવાયેલી મહાનતાને ફરીથી પ્રસ્થાપિત કરીએ.

ડો. ભરત દેસાઈ 
બીલીમોરા


Mental Disorders You Must Know

Actually, we suffer from two types of diseases disturbing our life – one is physical – having symptoms of bodily illness and they can be diagnosed and cured easily by doctors, but other is a mental illness which is not recognised properly either by the individual or their doctor! This life-threatening mental illness needs great care and attention. I am introducing them one by one. 

First, we must know basic problems. 


Now I want to tell you about the symptoms not cleared by routine medical doctors and needing psychiatric help. All these listed here if not relived or recurred now and then, be aware mental illness is certainly present.

Symptoms
  • Vomiting – Nausea 
  • Fainting spells – dizziness 
  • Headache – backache 
  • Pain in the chest 
  • Palpitations 
  • Breathlessness 
  • Stomach ulcers and acidity 
  • Stomach loss of appetite 
  • Heaviness after eating 
  • Excessive belching 
  • Weakness 
  • Pain in joints. Arthritis. 
  • Quickening or slowing of the heart 
  • Rise and fall of blood pressure 
  • Asthma 
  • Eczema 
Now, let us discuss important mental disorders. 


Anxiety

Anxiety is a mental condition with fear, shakiness, fast heart rate and excessive worrying. Anxiety is a feeling of worry, nervousness or unease, worry about future events. Anxiety can be generalized, phobia, social, separation anxiety disorder, agoraphobia, panic disorder or selective mutism. 12% of the population suffers from anxiety. It is twice in females than males.


Neurosis 

Neurosis is a relatively mild mental illness involving symptoms of stress (like obsession, depression or anxiety) but not a radical loss of touch with reality. So Neurosis is a borderline personality disorder. Thus Neurosis is in short excessive and irrational anxiety or obsession. Neurosis (also known as psychoneurosis) is a mental disorder that causes a sense of distress and deficit in functioning.

Neurosis is a behaviour that interferes with normal living, impairs the individual’s efficiency, happiness and makes one unable to get along with or love other people.

Disability characterized by too much neurotic behaviour.

Examples: gambling, over concern about bowels, diet and appearance, sexual promiscuity.

True neurosis is accompanied by a feeling of unhappiness, disappointment and frustration.

Neurotic is uncomfortable during an attack but otherwise feels perfectly well.
  • Compulsions: such as washing hands
  • Phobias: such as fear of germs 
  • Obsessions: such as self–torturing jealousy 
Neurosis:
  • Compulsion Neurosis 
  • Anxiety Neurosis 
  • Hysteria
Jumpiness, fast heart, Restlessness, Excessive sweating, Insomnia-nightmares, Haggard feeling and facial expression, Feeling exhausted, having prolonged suffering exertion

Hysteria: Sudden clippings of special parts of the body and any medical condition can be imitated by hysteria.


Psychosis 

It is a mental disorder causing disconnection from reality which results in stranger behaviour often accompanied by a perception of stimuli of voices, images or sensations, delusions, hallucinations and talking incomprehensibly.

Symptoms are delusion, hallucination, inability to concentrate, depression, sleeping too much or too little, losing bond with family and friends, anxiety, suicidal thoughts and switching topics while talking.


Depression 

Depression is a state of low mood and aversion to activity.
  • Depression can affect a person’s thoughts, feelings, behaviour, motivation and serves well-being. It may feature sadness, difficulty in thinking and concentration. It can be seen with an increase or decrease in appetite and sleep time. The person feels dejection, hopelessness and sometimes have suicidal thoughts. Actually, one has a loss of interest or loss of feeling of pleasure in certain activities usually enjoy. 
It is caused as a temporary reaction to life events such as the loss of a loved one or some drugs or diseases. 4.4% population suffers from depression.
  1. Major depression: Here person suffers for at least two weeks of low mood, low self-esteem, low energy, loss of interest and pain without clear reason. Sometimes the period of depression follows a normal mood. Genetic factors, environmental and psychological factors cause it. 3% world population suffers from major depression. 
  2. Melancholia: Is a loss of interest in most or all activities, failure to react to pleasure stimuli, worsening of symptoms in the morning hour, early morning waking, excessive weight loss, excessive guilt and psychomotor retardation. 


Mania 

Mania is a state of abnormally elevated arousal effect and energy level. It is a state of heightened overall activation with enhanced affective expression together with lability of affect.

The heightened mood can be either be euphoric or irritable. At a higher level of mania, irritability leads to anxiety and violence. A person has elevated mood, flight of ideas, the pressure of speech, increased energy, decreased desire and need for sleep and hyperactivity.

Hypomania: is a less intense Mania. Hypomania leads to increase creativity and productivity. Goal motivated behaviour and metabolism increase. Though hypomania with elevated mood and energy is good, when exaggerated, a person displays excessive optimism, grandiosity and poor decision making.


Schizophrenia 

Schizophrenia is a mental illness characterized by relapsing episodes of psychosis. Major symptoms include hallucinations often of hearing voices, delusions of having beliefs not shared by others and disorganized thinking. Other symptoms include social withdrawal, decreased emotional expression and lack of motivation. Symptoms come gradually and young persons of 16 to 30 years of age are involved.

A person has significant alterations in perception, thoughts, mood and behaviour.

The end results, or say, complications are suicide, heart disease or lifestyle disease.

It is a Split Partial or Complete - Between - What happens to them and how they feel about it.

Their feelings are flat so their response is flattened or inappropriate. Their emotions depend more upon what happens inside than what happens outside their minds.

Four types of Schizophrenia:
  1. Paranoid Schizophrenia (More common): The most prominent symptoms are hallucinations and delusions. The patient has the unusual feeling of being watched, followed or even hunted down. Paranoia means an intense, irrational persistent instinct or thought process of fear fall feeling and thoughts.
  2. Catatonic Schizophrenia (Rare): Catatonic means extremes of under or over motor activity. Person falls into behaviours extremes much like music and depressive episodes. In a catatonic stupor, there is a deficit of movement making him motionless and in catatonic excitement, there is excessive movement associated with violent behaviour to oneself or others.
  3. Disorganised Schizophrenia (Also known as hebephrenia): Person has an intentionally disorganized behavioural pattern. This leads to difficulty in communicating because his train of thoughts cannot be understood. It is a disease of adolescence appearing between 15 to 25 years ago. 
  4. Undifferentiated Schizophrenia: Here the person has mixed symptoms of any of the above three.


Bipolar Disorder (Also known as manic depression)

Bipolar disorder is characterized by periods of depression and periods of abnormally elevated mood. The severally elevated mood is called mania and the less severe is called hypomania

Condition is characterised by intermittent episodes of mania and depression with an absence of any symptoms in between (normal state of mind)

Manic Episodes: The person has euphoria to delirium, increased self-esteem or grandiosity, decreased need of sleep and disinhibited social behaviour, impulsive or high-risk behaviours like excessive spending or hypersexuality, inability to work or socialize. A milder form of the above manic symptoms is called hypomania.

Depressive Episodes: Here the person has persistent feelings of sadness, irritability or anger, feeling of guilt, sleeping too much or too little, change in appetite and /or weight, feeling of worthlessness and thoughts of death or suicide.

Mental Health is a human right!
Practices for intact mental health. 
  1. Medicate every day. Learn Practice Mindfulness
  2. Affirm:
    • “I love and approve of myself.”
    • Louise Hay
    • Say the above statement meaningfully. Say it 3 – 4 times every day especially before retiring at night.
  3. Choose kindness :
    • Whenever there is a choice between being right and being kind, choose to be kind Dr Wayne Dyer. Kindness increases serotonin levels… a great healing hormone.
  4. Hobby: Pursue your hobbies. They are a must for stress relief.
  5. Deep breathing: Practice deep breathing whenever possible. Keep your brain healthy and efficient.
  6. Walking: A 20 minutes brisk walk in the morning releases endorphins… the positive and happy hormones. 
  7. Read Inspiring books every day.
  8. Smile: Smile is the window of your soul and laughing is the door. – Neal Donald Walsch.
  9. Love: Love Everything, Love Empowers you beyond measure, Love includes unconditional acceptance. 
  10. Speak out: Don’t suffer silently speak out – seek help. Stock up on compassion for yourself.
  11. Peace: Choose peace in every situation. Make it a habit. Peace brings the best of everything to us. Peace brings prosperity.
  12. Thankful heart: Wake up and sleep with a thankful heart.


Take-Home Message

Life (to remain alive) is more important than no life. Any problem like a failure in examination, financial loss in life, disturbance in friendship or marital relation or any problem can be solved with time, but the resultant mental disorder can be life-threatening. So do not remain disturbed, confused or low, instead talk to your close relatives and friends, communicate freely personally, by writing or on the phone and sick help, the solution is assured.

Lastly, I will conclude by talking about this most important advice, do not plan treatment yourself or with the help of non-psychiatric doctors. The help of a psychiatrist nearby will cure you in total by psychotherapy, medicines or ECT (Electro Convulsive Treatment). So, do not wait and waste time.

Best of luck!

Sanatana Dharma: An Introduction

We, the Hindus, do not have a single book on religion like Bible, Quran or Guru Granth Sahib with finalised general guidance regarding lifestyle, rituals and religious activities. So we are confused. The Vedas are such books guiding us everything about the way of life. Our religion is known as Sanatana Dharma (Sanātana Dharma, सनातन धर्म) meaning thereby it’s eternal – permanent – timeless – never changing (Sanatana) ancient law-abiding religion (Dharma) – the righteous living.
Dharma (धर्म) is a natural law of duty and ethics telling everything about the way of life and social welfare.
So, Sanatana Dharma speaks about Hinduism and shows us Dharma (righteousness), Karma (action) and After-death life or re-birth (reincarnation).



It is the oldest religion, having details by Shruti (श्रुति) heard from Gods and told by the teacher to pupils and told by chanting, or by Smruti (स्मृति) memorised and remembered as it is.

We have four Vedas telling all this.

Veda means knowledge that is known.  
  1. Rigveda: First and oldest having 10600 mantras in 1020 shlokas in 10 manuals. It gives knowledge of everything related to life, including Gayatri Mantra and such prayers. 
  2. Yajurveda: Written in poetry and articles, it tells different formalities Karmakand (कर्मकाण्ड)
  3. Samaveda: Details about music and singing
  4. Atharvaveda: Medical knowledge of disease and treatment, duties of the king and people, and magic etc. 
We have Ramayana, Mahabharata, Puranas and other books also. Now let us know and understand the basics of Sanatana Dharma!

Four Ashramas

Our traditions have rationalised and clearly explained the way of life throughout different stages of life from infancy, childhood, youth, adulthood to old age. Assuming they considered average life to be a century, it was divided into four of twenty-five years each.

They assigned a distinct name and duties to each of these stages: 
  1. Brahmacharya: the stage of studentship 
  2. Grihasthya: the stage of house holdership 
  3. Vanaprastha: the stage of seclusion and the forest-dwelling 
  4. Sanyasa: the stage of total renunciation (i.e. asceticism) 
Let us look into the details, one by one:
  1. Brahmacharya (up to 25 years of age): The life of studentship begins with the Upanayana ceremony also known as the thread ceremony. This is called the “Second birth” because disciplined life of hard and simple habits begin. During this period, one has to rise early and bathe, eat moderately plain food, take plenty of exercise and be away from luxury and idleness. The student must strive for the virtues of industry, obedience, humility and serviceableness. Industriousness in the study gives them knowledge, obedience and humility. This lifts them quickly because all are willing to share what they have and serviceability builds up the nature that will serve humility. They are expected to remain celibate in mind and body, plus they must be chaste in thought and act. Living life like this teaches them all the lesions of life. 
  2. Garhasthya (25 to 50 years): This household stage is entered at marriage. The person takes duties and responsibilities of household life. A good husband, a good father, a good citizen and a good master is the noblest of men. The home is the school of unselfishness, compassion, tenderness, temperance, purity, helpfulness, prudence, industry, right Judgment and charity. Don’t escape but follow the household life – it is sacred. 
  3. Vanaprastha (50 to 75 years): When the signs of age appear and when the son can bear the full burden of his duties, it is time to surrender the leadership of home to son and to retire from active life and worldly labour. A quiet, somewhat scheduled life, given to study and self-sacrifice for the good of others make this third stage of life. 
  4. Sanyasa (75 to 100 years): Life has given all the experiences and the old age of technical life begins. Ascetic life characterised by severe self-discipline and abstention from all forms of indulgence is added here with meditation and worship. 
Five Daily Sacrifices - Yagna (यज्ञ)

We have to do five sacrifices every day as follows:
  1. The sacrifice to Rishis or Vedas "Study and Teach": Study some sacred books daily and thus gradually acquire knowledge. All study is for carefulness and closeness of thought. Once you learn, pass on this knowledge by teaching. 
  2. The Sacrifice to Devas "Homa": Recognise all we owe to God, by offering for their services by homa (होम) – the offerings into the fire. We learn to be in harmony with nature and realize our relation with superphysical worlds and our interdependence. 
  3. The Sacrifice to Pitrus "Tapran": Tarpan is offering water to the older generations of our family and to our ancestors. This is recognition of the great debt we owe to the past and to our ancestors. 
  4. The Sacrifice to Men "Hospitality":  Feed someone poorer than oneself. We have a duty of serving and helping humanity by feeding the hungry, clothing the naked, sheltering the homeless and comforting the sad. 
  5. The Sacrifice to Bhutas (Bhūta, भूत): Put some food on the ground before beginning the meal, put some food on the ground for vagrant men and animals. This is a practice of kindness and consideration towards them for their services to us. 
Thus, the sacrifices daily – Yagna – is because of Rishis, Pitrus, Devas, Bhutas and guests expect help from the householder and so we should give them.

Mannerism for Superiors, Equals and Inferiors

Sanatana Dharma defines all and guides about how to treat them differently.

Superiors

God, sovereign, parents, teachers and the aged are our superiors. 
  1. Love to God shows itself as reverence, devotion, worship and submission to this will. 
  2. Loyalty to the head of the state and patriotism to love one’s own country are a must. 
  3. To the parents is due ever the most complete obedience. 
  4. The highest reverence is worth to two parents and teachers. and 
  5. He who habitually salutes and constantly pays reverence to the aged obtains an increase in length of life, knowledge, fame and strength. 
Equals 

Brothers, sisters, husband and wife are equals. Well, husband and wife are one, not two. The home is not home; in truth, the wife is home! Where women are honoured, their Gods are pleased. For brothers, it is said, there is a heaven where my brothers are.

Inferiors 

Interiors are those younger than ourselves, who are less educated, who are poorer and who are below in social rank. They should be treated with tenderness, compassion, gentlemanliness, kindness and without pride.

There are no riches in the three worlds like unto these – compassion, friendliness to all beings, charity, honour the worthy and give, but not ask. Let him speak the truth, let him speak the pleasing, let him not speak an unpleasing truth nor speak a pleasing falsehood.

Sixteen Sanskaras

Sanatana Dharma shows the way of life and has prescribed sixteen ceremonies or rites to be performed by its followers. These rites are known as Sanskaras (saṃskāra, संस्कार). The sole purpose is to help humans to conquer and purify them to bring the help of superiors and Gods. This improves their intelligence and purifies the atmosphere around them, making it easier for them to steady and concentrate their mind.

These rites have shown methods with material objects, gestures, postures, and sounds arranged carefully to bring about the desired result. For example, Mantras are a succession of sounds in a definite sequence and certain order. A 'rosary' (Tulsi mala, तुलसी माला) is used to worship Krishna but 'rudraksha' (rudrākṣa, रूद्राक्ष) is used to worship Mahadeva.

Of the sixteen Sanskaras, the first seven relate to early childhood. 'Vivaha' deals with marriage and the last one 'Anteyesti' with death-related rites. Here is the list with meanings:

  1. Garbhadhana (Garbhādhāna, गर्भाधान): Attaining the wealth of the womb
  2. Pusavana (Pusavaṇa, पुसवण)
  3. Simanta (or Simantakarana): Parting the hair upwards
  4. Jatkarma (Jātakarman, जातकर्मन्): Natal rites
  5. Naamkarann (नामकरण)
  6. Nishkramana (निष्क्रमण)
  7. Annaprashana (अन्नप्राशन): Feeding with the solid for the first time 
  8. Keshmundan (केशमुंडन): Tonsure to cut hair on the hand 
  9. Karnavedha (कर्णवेध): Piercing of the ears for the first time 
  10. Vidyarambh (Vidyāraṃbhaṃ, विद्यारम्भम्): Beginning the studies 
  11. Upanayana (उपनयन): Sacred thread and teaches him Gayatri Mantra, He is called Dvija – Twice born and student life begins 
  12. Vedarambh (वेदारंभ) 
  13. Keshanta (Keśānta, केशान्त)
  14. Samavartana (Samāvartana, समावर्तन): Formal return home after completion of studies 
  15. Vivaha: Marriage – making an entry into manhood and social life 
  16. Antyesti (Antyeṣṭi, अन्त्येष्टि): Death related rites
Re-birth (Reincarnation, पुनर्जन्म)

Re-birth is to repeat coming again and take birth. Reincarnation means taking flesh again, i.e. coming again into a physical body. Similarly, transmigration is passing from one place to another – passing into a new body.

So long as one desires objects on the earth, he has to come back, take a re-birth, to possess and enjoy those objects. Once he ceases to desire objects, he does not need re-birth and gets liberation – Moksha (mokṣa, मोक्ष) – to become a Mukta Jiva (मुक्त जीव, meaning free soul).

Re-birth is just like casting off worn-out garments and make new ones – here the dweller in the body casting off worn-out bodies to enter in the new body – a new and more beautiful body.

He who is happy within, who rejoices within and who is illuminated within gets “Nirvana” – Liberation – Moksha – Mukti.

Penance is a state of being devoid of desires and worldly ties. Keeping thoughts going astray and meditation works – give liberation of harmlessness!

Sacrifice (Yagna, यज्ञ)
He, who realises that all lives are interdependent, so his true function is to live for others, as God lives for others. Then his every action becomes a sacrifice (Yagna) to God. Thus the law of sacrifice becomes the law of liberation.
Now you know the basic guidelines to be followed as taught by Sanatana Dharma. If you follow them, the purpose of life is gained. In the era, when Hindutva – Hinduism and such talks are much discussed – it is time to understand the details and follow sincerely. Have I served the purpose?


મહર્ષિ દયાનંદ સરસ્વતી

ઈતિહાસમાં આપણને બાબર-હુમયું-અકબર-જહાંગીર-ઔરંઝેબ અથવા વિલિયમ હેસ્ટિંગ્સ-રોબર્ટ ક્લાઈવ-લોર્ડ માઉન્ટબેટન ભણાવીને શાસકોએ ગેરમાર્ગે દોર્યા છે. તેથી ભારતીય-હિન્દુ-કોઈ મહાનુભાવ કે ભારતીય સંસ્કૃતિ જેવું કઈ હતું જ નહિ એવી ખોટી છાપ આપણાં મન ઉપર ઉપસી છે, ત્યારે મહર્ષિ દયાનંદ સરસ્વતી-રામકૃષ્ણ પરમહંસ વિગેરે વિષે કઈ જ ન જાણતા હોય એ સ્વાભાવિક છે.

ભારતીય સંસ્કૃતિ ની નબળાઈઓને કારણે આપણે નમાલા બન્યા ત્યારે આપણી સુધારણા કરવા-ગુલામ મુક્ત થવા શું કરવું જોઈએ-તે બતાવનાર માનાં એક તે સ્વામી દયાનંદ સરસ્વતી.

મહર્ષિ દયાનંદ સરસ્વતી

આર્ય સમાજના સ્થાપક અને સમાજ સુધારક એવા મહર્ષિ દયાનંદ સરસ્વતી નો જન્મ ઓક્ટોબર, 1825 માં સૌરાષ્ટ્રમાં મોરબી પાસે આવેલા ટંકારા ગામમાં ઔદિચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. જન્મ સમયે પિતા કરસનજી ત્રિવેદીએ બાળકનું નામ મૂળશંકર રાખ્યું હતું.

બાળ મૂળશંકરને આઠમા વર્ષે યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવ્યો. તેને સંસ્કૃત-વેદ અને યજુર્વેદ ઘરે જ ભણાવવાની વ્યવસ્થા થઈ. ચૌદ વર્ષે મૂળશંકરે સંપૂર્ણ યજુર્વેદ અને બીજા કેટલાક વેદોનો પાઠ પૂરો કરી દીધો. તેમણે વેદ સાથે વ્યાકરણ પણ ભણી લીધું.
  • પિતા ના આગ્રહથી શિવરાત્રીનું વ્રત કરી જાગરણનો સંકલ્પ કર્યો. રાત્રે શિવાલયમાં કેટલાક ઉંદરો નીકળી શિવલીંગ ઉપર-નીચે ફરતા જોયા ત્યારે, બાળમાનસમાં ઉથલપાથલ થઈ અને તત્કાળ બોધ થયો કે મુર્તિ તો જડ પ્રતિક છે સાચા શિવ નથી. તેણે સાચા શિવનો સાક્ષાત્કાર કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. 
  • સોળ વર્ષે કોલેરાથી મૃત પામેલી નાની બહેન અને થોડા દિવસ પછી કાકાનું મૃત્યુ જોઈને જીવનની નશ્વરતાનો પાકો ખ્યાલ આવી ગયો ત્યારે 21વર્ષે ગૃહત્યાગ કર્યો. સાયલા જઈ બ્રહમચર્યની દીક્ષા લઈ ‘શુદ્ધ ચૈતન્ય’ નામ ધારણ કર્યું. 
  • ત્રેવીસ વર્ષની વયે, નર્મદાના તટ ઉપર ચણોદ-કરનાલીમાં દક્ષિણના શુંગેરી મઠના સન્યાસી સ્વામી પૂર્ણાનંદ સરસ્વતી પાસે સન્યસ્ત લઈ “દયાનંદ સરસ્વતી” નામ ધારણ કર્યું. 
  • પંદરેક વર્ષના અવિરત દેશાટન પછી 1860 માં દયાનંદ મથુરા પહોંચ્યા. પ્રજ્ઞાચક્ષુ જ્ઞાનગુરુ સન્યાસી સ્વામી વિરજાનંદ સરસ્વતીએ તેમને યોગવિદ્યા, વ્યાકરણ, મનોરમા- શેખર-ન્યાયમાંસા, વેદાંતના ગ્રંથો, આષ્ટાધ્યાયી અને મહાભાષ્ય શીખવ્યા. 
  • આમ 21 વર્ષ રખડપટ્ટી કરી - 42 વર્ષે વેદોની પુન:પ્રતિષ્ઠા, પાખંડદહન, દેશોદ્ધાર અને સંસાર ના કલ્યાણ ના મહાવ્રત સાથે કાર્યરત થયા 


વર્ણવ્યવસ્થા

વર્ણવ્યવસ્થા જ્ન્મને આધારે નથી, પણ ગુણ કર્મ અને સ્વભાવને આધારે હોવાનું સાબિત કર્યું. શુદ્દ્ર કુળમાં જન્મેલ જો બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય જેવા ગુણ, કર્મ અને સ્વભાવ ધરાવે તો તે બ્રાહ્મણ, ક્ષત્રિય કે વૈશ્ય બની જાય છે.

ત્રેતવાદ સ્થાપ્યો
  1. જીવ 
  2. ઈશ્વર - નિરાકાર છે. 
  3. પ્રકૃતિ અનાદિ - અનંત છે. 
હવન

સવારે સૂર્યોદય પછી અને સાંજે સૂર્યાસ્ત પહેલાં કરવાથી હવાની શુદ્ધિ થાય છે.

ઋષિ પરંપરામાં પત્નીના ત્યાગને વૈરાગ્ય નથી માનતો, પણ પાપ માનવામાં આવે છે. ધર્મસમંત કામ લગ્નજીવન દ્વારા હોવું જોઈએ.

સ્વામીજીએ લખેલ અગત્યના પુસ્તકો
  • સત્યાર્થ પ્રકાશ 
  • વેદભાષ્ય 
  • સંસ્કાર વિધિ (સોળ સંસ્કાર) 
  • આર્યાભિવિનય 
  • ગોકરુણાનિધિ 
પરિવર્તન સંસ્કાર શુદ્ધિ યજ્ઞ

ધર્માંતરણ કરેલા લોકોને અને બીજા ધર્મમાંથી જોડાયેલ લોકોને પાછા હિન્દુ બનાવવાનો વિધિ પૂર્વક સંસ્કાર.

દેવદાસી પ્રથા

વધારાની કન્યાઓને મંદિરમાં કે પુરોહિતોને અર્પણ કરવાની પ્રથાનો વિરોધ. પુષ્ટિ માર્ગી આચાર્યો ‘સર્વકૃષ્ણ ને અર્પણ’ કરવાની પ્રથાનો વિરોધ.

સ્વામીજીના કાર્યો
  • યજ્ઞમાં પશુબલિ કે નરબલી પ્રથાનો વિરોધ. 
  • માંસાહાર નો નિષેધ 
  • સ્વદેશી ચળવળ-1879-ફક્ત ભારતમાં બન્યા હોય તેવા જ વસ્ત્રો નો ઉપયોગ કરવું. 
  • રાષ્ટ્રભાષા હિન્દી - સંપૂર્ણ ભારત દેશને ફક્ત હિન્દી ભાષા જ એક રાખી શકે. 
  • જીવન ઉપયોગી વસ્તુઓ-નમક અને રોટી-પર કર લેવાનો વિરોધ કર્યો. 
  • સ્વામીજી આદર્શ બ્રહ્મચારી, ત્યાગી, તપસ્વી, સમાજસુધારક વેદો અને વૈદિક શાસ્ત્રોના વિદ્વાન, પરમયોગી, બ્રહ્મનિષ્ઠ, સ્પષ્ટ વક્તા, માનવ એક્યનાં દ્રષ્ટા અને રાષ્ટ્ર વિધાયક અને નિર્ભયક સન્યાસી હતા. 
  • આપણો દેશ અંધવિશ્વાસથી મુક્ત થાય, કુરિવાજો અને પાખંડ મુક્ત બને, સર્વલોકો એક જ ઈશ્વરના ઉપાસક બને, સ્વરાજ્ય ની યોગ્યતા અને સ્વરાજ્ય મેળવે અને સંસારના અન્ય રાષ્ટ્રોમાં બરબારીનો અધિકાર મેળવે તે માટે જીવનભર મથ્યા. 
  • સ્વામીજી માનતા, કોઈ સમયે સમસ્ત સંસાર પર આપના પૂર્વજોનું-વૈદિક આર્યોનું- ચક્રવર્તી રાજ્ય પ્રવર્તતું હતું. ભારત-આર્યાવ્રત-સમસ્ત સંસારને જાગૃત કરનાર મહામાનવોથી ભરેલ હતું-એ વિશ્વવિજેતાઓની ગૌરવ ગાથા છે. 
અંધશ્રદ્ધા નિવારણ-લોકજાગૃતિ કાર્યો
  • સૂર્યગ્રહણ સમયે જમવામાં વાંધો નથી. 
  • સ્ત્રીઓને પણ મંત્ર જાપનો અધિકાર છે. 
  • મૂર્તિપૂજા બધા અનર્થોનું મૂળ છે. તેને દૂર કરવી જ રહી. 
  • બાળવિવાહ વિરોધ 
  • વિધવાવિવાહ સમર્થન 
  • વૃદ્ધવિવાહ વિરોધ 
  • અશ્પૃશ્યતા નિવારણ-છૂતછાત-આભડછેટનો વિરોધ. 
  • જ્યોતિષ, મંત્ર-તંત્ર અને ભૂતપ્રેત દ્વારા મચાવાતા ઢોંગ રોકો વિરુદ્ધ અભિયાન. 
ડામ : યમદુતો ભાગતા હોવાની અંધશ્રદ્ધા માટે ડામ લગાવતો રોક્યો.

લગ્ન : સ્વામીજીએ રાજસ્થાનમાં કન્યાઓને મુસ્લિમ જોડેજ પરણાવવાનો રિવાજ બંધ કરાવ્યો- પ્રથા બંધ કરાવી.

ધન : આર્થિક સદ્ધરતા અનિવાર્ય છે-ધન ત્યાગ રાષ્ટ્ર માટે આત્મહત્યા સમાન છે. ધર્મસંમત ધન હોવું જ જોઈએ.

07-03-1867ના રોજ હરદ્વારના કુંભમેળામાં પાખંડખંડિની ધ્વજપતાકા ફરકાવીને નવજાગરણનો અને પાખંડદહનનો એક મહિનાનો કાર્યક્રમ કર્યો. તેમણે મૂર્તિપૂજાની અવૈદિકતા સિદ્ધ કરી. 
 

આર્યસમાજ


10-04-1875 આર્યસમાજની 10 નિયમો સાથે મુંબઈમાં સ્થાપના કરી શ્રી ગિરધરલાલ કોઠારીને પ્રમુખ અને શ્રી પાનાચંદ આણંદજી પારેખ ને મંત્રી બનાવ્યા. તેમણે કહ્યું આર્યસમાજ દ્વારા,
  1. હું વેદો ને સંદેશો આપું છું, મારો નહીં. 
  2. મારા વિચારો યોગ્ય ન લાગે તો, તેને માનશો નહીં. 
  3. મારા ફોટો કોઈ મંદિરમાં રાખશો નહીં. 
“અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ” એમનો જીવનમંત્ર કેવળ ઈશ્વર જ તેમનો સહાયક હતો અને સત્ય જ તેમનું પરમ અવલંબન હતું. સ્વામીજી પર અનેકવાર જીવલેણ હુમલા થયા પણ અખૂટ શારીરિક સામર્થ્ય અને યોગ બળથી તેઓ પોતાને બચાવતા રહ્યા.

31-05-1883 જોધપુર ખાતે મહારાજા અને બીજાવિશે ટીકા સાંભળી તેમના પ્રધાનોએ સ્વામીજીને રસોઈના દૂધમાં ઝેર પીવડાવી દીધું. 31-10-1883 રોજ આબુ ખાતે તેમનો દેહોત્સર્ગ થયો.

ઉપસંહાર 

મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના મુખ્યત: વેદના પ્રચાર-પ્રસાર માટે કરી હતી. ત્યારે સર્વ સત્ય વિદ્યાઓનું પુસ્તક વેદ ભણવા, ભણાવવા અને સાંભળવા-સંભળાવવા એ સર્વ આર્યસમાજનો પરમ ધર્મ છે.

મહર્ષિ દયાનંદની વેદ વિષયક માન્યતાઓના પોષક ઉચ્ચ સ્તરીય મૌલિક ગ્રંથોનું પ્રણયન અને પ્રકાશન કરીને તેની સર્વત્ર પહોંચ કરાવવામાં આવે. એ અનિવાર્ય છે.

દરેક વિશ્વવિદ્યાલયો(University)માં દયાનંદ વૈદિક શોધપીઠો (Research Center) સ્થપાય તો, આર્યસમાજની સફળતા બહુ દૂર નથી. 

- ડો. ભરત દેસાઈ, બીલીમોરા
Related Article: આર્ય સમાજ અને હિંદુત્વ – એક અભ્યાસ

આર્ય સમાજ અને હિંદુત્વ – એક અભ્યાસ

હિંદુત્વ - સનાતન ધર્મ - ભારતીય સંસ્કૃતિ જેવા ભારેખમ શબ્દોથી પ્રભાવિત વર્તમાન ભારતમાં ધર્મ-ધાર્મિકતા અને જીવનનો હેતુ જેવા વિષયો તદ્દન અસ્પષ્ટ છે. ત્યારે મેં ‘આર્યસમાજ’ નો સહારો લીધો. તે વિષયના પુસ્તકો વાંચ્યા-સમજ્યો-ફરીથી વાંચ્યા અને અહીં કઈંક સમજાય એવી સરળ વાતોની નોંધ બનાવી. ચાલો, વિગતો જાણીએ.

પુસ્તકો
  1. મહર્ષિ દયાનંદ સરસ્વતી – લે. સ્વામી સચ્ચિદાનંદ (૨૦૧૩) 
  2. સ્વામી દયાનંદ – શ્રી નાથુભાઈ ડોડિયા (૨૦૨૦) 
  3. સત્યાર્થ – પ્રકાશક: મહર્ષિ દયાનંદ સરસ્વતી રચિત સત્યાર્થ પ્રકાશક ના અંશો – સંપાદક અને અનુવાદક ભાવેશ મેરજા (૨૦૧૮) 
  4. કુમાર સત્યાર્થ પ્રકાશ (બાળકો માટે સત્યાર્થ પ્રકાશની સમજૂતી) પ્રયોજક વલ્લભદાસ રત્નસિંહ મહેતા (૧૯૩૫) અને 
  5. વેદાર્થ – ભૂમિકા: સ્વામી વિદ્યાનંદ સરસ્વતી (૨૦૧૩) 

હવે, આ વિષય ઉપર ખૂબ ગહન વિચારણા માંગે એવો હોવા છતાં, વેદો – આર્યસમાજ – આધ્યાત્મ એવા ભારે ભરખમ શબ્દોથી, જરાપણ ગુંચવણ વગર, સરળ રીતે કહેવાનો હું પ્રયત્ન કરું છું.

કહે છે ને- આકાશ અનંત છે, તેનો પાર ગરુડ પણ પામી શકતું નથી. છતાં સામર્થ્ય અનુસાર ઉડાન ભરી લે છે અને જુએ છે. બસ આ જ ન્યાયથી મારાથી જેટલું અને જેવુ બની શક્યું છે એટલું પ્રસ્તુત કરવાનું સાહસ મેં કર્યું છે. ધીરજપૂર્વક પહેલાં ખાલી ઝડપથી જોઈ જશો તોપણ વાંચવાની ઉત્કંઠા જાગશે જ એવી મને ખાત્રી છે.

ચાલો, ઈશ્વર એટલે શું?

ઈશ્વર - ભગવાન

સ્વામી મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના વેદ દ્વારા આર્યાવર્તની ભવ્યતા સમજાવવા કરી છે. ચાર વેદો-ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદના જ્ઞાનને સર્વ સંસારનો આધાર માન્યો છે. તેઓ કહે છે પ્રાણીઓ અને મનુષ્યોમાં ખાવું, પીવું, સૂવું, ઊઠવું જેવા જ્ઞાન કોઈના પણ શિખવ્યા વગર મળે છે તે સ્વાભાવિક છે. પરંતુ ભગવાને મનુષ્યને (અગ્નિ દ્વારા ઋગ્વેદ, વાયુ દ્વારા યજુર્વેદ, સૂર્ય દ્વારા સામવેદ અને અંગીરા દ્વારા અર્થવેદ પ્રગટાવી) વિદ્યા અને સુશિક્ષા આપી વિદ્વાન બનાવ્યો.

આ ઈશ્વર એટલે શું?
  • ઈશ્વર દિવ્ય ગુણ-કર્મ-સ્વભાવવાળો અને વિદ્યાયુક્ત છે. 
  • ઈશ્વરમાં પૃથ્વી-સૂર્ય અને આકાશ સમાવિષ્ઠ છે. 
  • ઈશ્વર નથી જન્મ લેતો કે નથી મૃત્યુ પામતો. 
  • ઈશ્વર સર્વ શક્તિમાન, સર્વ અંતર્યામી અને જગતસ્વામી છે. 
  • ઈશ્વર વેદોનો પ્રકાશક, ન્યાયકારી, ન્યાયાધીશ, કર્મફળદાતા, નિરાકાર, દયાળુ અને સુખ સ્વરૂપ છે. 
  • ઈશ્વર સર્વ જગતની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલયનો અધિષ્ઠાતા છે. 
  • ખરાબ કર્મો કરવા સમયે ભય, શંકા, અને લજ્જા થાય છે. તેવી રીતે શુભ કર્મો કરતાં અભય, નિશાંકતા અને આનંદ ઉત્સાહ ઉત્પન થાય છે, તે પરમાત્મા દ્વારા થાય છે. 
ચાલો બીજી રીતે સમજીએ.
  • ઈશ્વર નિરાકાર છે. (અકાય – જેનો દેહ નથી) 
  • ઈશ્વર સર્વશક્તિમાન છે. (સૃષ્ટિની ઉત્પતિ-પ્રલય-નાશ કરવા સામર્થ્યવાન છે.) 
  • ઈશ્વર પાપની ક્ષમા નથી કરતો. ઈશ્વરનું કાર્ય સર્વ કર્મોનું યથાવત ફળ આપવાનું છે. અપરાધ અનુસાર દંડ આપવો તેનું નામ ન્યાય છે. અપરાધી લૂંટારાને છોડી દેવો, એ હજારો ધર્માત્માને દુ:ખ દેવા જેવુ છે. લૂંટારા પર દયા એ જ કે તેને જેલમાં રાખીને પાપ કરતો બચાવવો. 
ઈશ્વર અને જીવ
  • બન્ને ચૈતન્ય સ્વરૂપ છે. 
  • બન્ને અવિનાશી છે. 
  • બન્નેનો સ્વભાવ પવિત્ર છે. 
સૃષ્ટિની ઉત્પતિ, સ્થિતિ અને પ્રલય કરવો વિગેરેથી સમસ્ત બ્રમાંડ ને નિયમમાં રાખવું સાથે જીવોને પાપ-પુણ્યનું ફળ આપવું ઈશ્વરનું ધર્મયુક્ત કાર્ય છે. સંતાનોત્પત્તિ અને તેમનું પાલન-પોષણ આદિ જગતના વ્યવહારો સાચવવા એ જીવનું કાર્ય છે.

ઈશ્વરની સ્તુતિ-પ્રાર્થના-કે ઉપાસના

હે ઈશ્વર, તું શુદ્ધ છે, સર્વજ્ઞ છે, અંતર્યામી છે, સનાતન છે, સ્વયં શિદ્ધ છે, એમાં ઈશ્વરના ગુણોનું વર્ણન હોવાથી સગુણ કહેવાય છે.

હે ઈશ્વર, તું શરીરરહિત છે, મૃત્યુરહિત છે, પાપરહિત છે, આકારરહિત છે આમ ઈશ્વરને ગુણ-કર્મ અને આકાર રહિત માનતા હોવાથી તેને નિર્ગુણ કહે છે.

ઉપાસનાનો પ્રારંભ પાંચ યમ અને પાંચ નિયમથી થાય છે.

પાંચ યમ
  1. અહિંસા-કોઈથી વેર ન રાખવું. સૌથી પ્રીતિ રાખવી. 
  2. સત્ય-સાચું બોલવું. મિથ્યા ભાષણ કરવું નહીં. 
  3. અસત્ય - ચોરી ન કરવી. 
  4. બ્રહ્મચર્ય-જીતેન્દ્રિય થવું. વિષયી ન થવું. 
  5. અપરિગ્રહ-વસ્તુઓ ન સ્વીકારવું. 
પાંચ નિયમ
  1. શૌચ-શરીર ને પવિત્ર બનાવવું. 
  2. સંતોષ
  3. તપ-આળસત્યાગી પુરુષાર્થ કરવું. 
  4. સ્વાધ્યાય-વેદ ભણવા-ભણાવવા 
  5. ઈશ્વર પ્રણિધાન-પોતાની જાતને ઈશ્વરી આજ્ઞા અનુસાર સમર્પિત કરવી. 
શ્રાદ્ધ અને તર્પણ

શ્રદ્ધાપૂર્વક સત્યનું ગ્રહણ કરવું તે શ્રાદ્ધ. જે કર્મથી માતાપિતા અને પિતરો પ્રસન્ન થાય તે તર્પણ. જીવિત વિદ્યામાન માતાપિતા માટે જ શ્રાદ્ધ અને તર્પણ છે-તેઓ પ્રસન્ન થાય અને આનંદમાં રહે તેવી સેવા એટલે તર્પણ.

પૂજા અને મૂર્તિપૂજા

પાંચ ચેતન મૂર્તિઓની પૂજા આપણે નિત્ય કરવી જોઈએ.
  1. માતા : દ્ર્શ્યમાન મુર્તિમા સાક્ષાત પૂજનીય દેવતા એટલે માતા. સંતાનોએ તન-મન-ધનથી સેવા કરીને માતાને પ્રસન્ન રાખવી જોઈએ. માતા સાથે ક્યારેય હિંસા-મારપીટ-ધાકધમકી નો વર્તાવ કરવો ન જોઈએ. તેને લેશમાત્ર દુ:ખ ન પડે તે જોઈ પ્રસન્ન રાખવું જોઈએ. 
  2. પિતા : સત્કર્મ દેવ-બીજો દેવતા પિતા છે. એટલે કે પિતાની સેવા કરવી એ આપણું કર્તવ્ય છે. 
  3. આચાર્ય : જેણે તમને વિદ્યા આદીનું શિક્ષણ આપીને યોગ્ય બનાવ્યા-તે પૂજનીય છે. 
  4. અતિથિ : આવવાની તિથી નિશ્ચિત ન હોય અને અચાનક આવી ચડે એવા ધર્માત્મા, પરોપકારી અને વિદ્વાન મહાત્માની યથાયોગ્ય સેવા કરવી. 
  5. પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ એ બન્ને એકબીજા માટે દેવતા છે - પૂજનીય છે. 
આમ, આ પાંચેય સાક્ષાત મૂર્તિમાન દેવ છે. જેમના સંગથી મનુષ્ય દેહની ઉત્પતિ, પાલન, શિક્ષા અને સત્યોપદેશની પ્રાપ્તિ થાય છે. પરમેશ્વરને પ્રાપ્ત કરવાની આ જ સીડીઓ છે. જે લોકો આ દેવતાઓની પૂજા અને સેવા છોડીને પત્થર વગેરેની મુર્તિ પૂજે છે, તેઓ અત્યંત પામર અને નરકગામી છે.

મૂર્તિપૂજા

પરમેશ્વર નિરાકાર-શરીર ધારણથી રહિત-સર્વવ્યાપક છે. તેથી તેની મુર્તિ બનાવવું શક્ય જ નથી. પરંતુ મૂર્તિપૂજાનું પાખંડ જૈનોએ શરૂ કર્યું. જૈનોએ નગ્ન ધ્યાનાવસ્થિત અને વીરક્ત મનુષ્ય જેવી મુર્તિ બનાવી, તો વૈષ્ણવોએ શૃંગારિત, સ્ત્રી સહિત ઊભી અને બેઠેલી મૂર્તિઓ બનાવી.

ભાવ વિભોર થઈને મૂર્તિપૂજા કરવાથી પરમાત્મા પ્રસન્ન થઈને ઇચ્છાપૂર્તિ કરતાં હોય તો-દુ:ખ કેમ પ્રાપ્ત થાય છે-જે વસ્તુ જેવી હોય તેવી જ માનવી તેનું નામ ભાવના છે-જેમકે અગ્નિમાં અગ્નિ અને પાણીમાં પાણી જાણવું એ ભાવના છે. જ્યારે પાણીમાં અગ્નિ અને અગ્નિમાં પાણી જાણવું એ અભાવના છે-અજ્ઞાન છે.

જો મંત્રો ભણીને આહવાન કરવાથી દેવતા આવી પહોંચતા હોય તો, મુર્તિ ચેતન કેમ નથી થઈ જતી. વિસર્જન કરવાથી દેવતા ચાલ્યા જતાં હોય તો, ક્યાં જાય છે. જો મંત્રના બળથી ભગવાન આવતા હોય તો, એ મંત્રથી મૃત પુત્રના શરીરમાં જીવાત્માનું વિસર્જન કરી મરી કેમ નથી શકતા ? હકીકતમાં, વેદોમાં મૂર્તિપૂજા કે પામેશ્વરના આવાહન-વિસર્જનની કોઈ વાત નથી.
  • મૂર્તિપૂજાને કારણે મંદિરો પાછળ કરોડો રૂપિયાનો વ્યય કરવામાં આવે છે. આથી ગરીબાઈ ઉત્પન્ન થાય છે. 
  • મંદિરોમાં ઠઠ્ઠા મશ્કરી ચાલવાથી વ્યભિચાર વધે છે. 
  • જડના સંગથી બુદ્ધિ પણ જડ બની જાય છે. 
  • ભક્તો ફક્ત મૂર્તિપૂજાને જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું સાધન માની લઈ, પુરુષાર્થ રહિત થઈને મનુષ્ય જન્મ વ્યર્થ ગુમાવે છે. 
  • પૂજારી પૂજા એટલે સત્કર્મ અને અરિ એટલે શત્રુ પૂજારી એટલે સત્કર્મના શત્રુ. 
  • પરમાત્માના નામે એક પત્થરની મૂર્તિની સ્થાપના કરવી એ ઈશ્વરનું અપમાન કરવા બરાબર છે. 

આર્યસમાજના દસ નિયમો / આદેશો

(મહર્ષિ દયાનંદ સરસ્વતી)
  1. સર્વ સત્યવિદ્યા અને જે પદાર્થ વિદ્યાથી જાણવામાં આવે છે. તે સર્વેનું આદીમુલ પરમેશ્વર છે. 
  2. ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ, નિરાકાર, સર્વશક્તિમાન, ન્યાયકારી, દયાળુ, અજન્મા, અનંત, નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વોધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, અજર, અમર, અભય, સર્વોથામી, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિકર્તા છે. તે એની જ ઉપાસના કરવી યોગ્ય છે. 
  3. વેદ : વેદ સત્ય વિદ્યાઓનું પુસ્તક છે. વેદ ભણવા-ભણાવવા + સાંભળવા-સંભળાવવા એ સર્વ આર્યોનો પરમ ધર્મ છે. 
  4. સત્ય ગ્રહણ કરવામાં અને અસત્ય છોડવામાં સર્વદા ઉદ્ધત રહેવું જોઈએ. 
  5. સર્વકાર્યો ધર્માનુસાર અર્થાત સત્ય અને અસત્યનો વિચાર કરીને કરવું જોઈએ. 
  6. સંસારનો ઉપકાર કરવો (અર્થાત શારીરિક, આધ્યાત્મિક અને સામાજિક ઉન્નતિ કરવી) એ આર્યસમાજનો મુખ્ય ઉદ્દેશ છે. 
  7. સર્વ સાથે પ્રીતિપૂર્વક, ધર્માનુસાર યથાયોગ્ય વર્તવું જોઈએ. 
  8. અવિદ્યાનો નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી જોઈએ. 
  9. પ્રત્યેકે પોતાની ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઈએ, કિન્તુ સર્વેની ઉન્નતિમાં પોતાની ઉન્નતિ સમજવી. 
  10. સર્વે મનુષ્યોએ સામાજિક હિતકારી નિયમ પાળવામાં પરતંત્ર રહેવું જોઈએ-અને પોતપોતાના હિતકારી નિયમમાં જ સ્વતંત્ર રહેવું જોઈએ. 

આર્યાવર્ત


જગતનાં સર્વ દેશોમાં આર્યાવર્ત ઉત્તમ છે અને એ જ કારણથી સૃષ્ટિના આદિકાળથી આર્ય લોકો અહીં આવીને વસ્યા-આર્ય એટલે શ્રેષ્ઠ અને તે રહે છે તે દેશ આર્યાવર્ત-ભારત. આર્યાવર્તમાં બધી જ વિદ્યાઓ પ્રસાર પામેલી હતી. તે વિદ્યા પ્રથમ મિશ્રમાં ગઈ-ત્યાંથી યુનાન-પછી રોમ-છેલ્લે યુરોપ અને અમેરિકા ગઈ. Bible in India ના ફેંચ લેખક એમ લોનીસ જેકોલિયત કહે છે આર્યાવર્ત દેશ સર્વ વિદ્યા અને ભલાઈઓનો દેશ છે. આવા સર્વોત્કૃષ્ટ દેશના પતનનો પ્રારંભ મહાભારતના યુદ્ધ પછી થયો. જ્યારે ભાઈભાઈને મારવા ઊઠે ત્યારે નાશ થવામાં શી શંકા રહે ? વિનાશકાળે વિપરીત બુદ્ધિ. સર્વદેશ શિરોમણી ભારત ઉત્તરોત્તર પતનની ગર્તમાં ગરક થતો ચાલ્યો. મહાભારતના ઘોર યુદ્ધમાં વિદ્વાનો, રાજા-મહારાજાઓ અને ઋષિમુનિઓ માર્યા ગયા. ત્યારથી વિદ્યા અને વેદોક્ત ધર્મ ના પ્રચારનો નાશ થતો ચાલ્યો. પંથો અને મતમાંતરો ઉત્તપન થવા લાગ્યા. બ્રાહ્મણ મૂર્ખ, ક્ષત્રિય વિષયી, વૈશ્ય લોભી અને શુદ્ર, ભ્રષ્ટાચારી થઈ ગયા. બાલવિવાહ, વૃદ્ધવિવાહ અને બહુવિવાહે ઘર કર્યું. મૂર્ખ, સ્વાર્થી, અને પાખંડીઓ ઇજારદાર બની બેઠા. બ્રહ્મચર્યનું સ્થાન વ્યભિચારે લીધું. લોકો મદ્ય અને માંસનું સેવન કરવા લાગ્યા પશુઓને યજ્ઞમાં હોમ કરવાથી તે સ્વર્ગે જતાં હોય તો, પોતાના માતા-પિતા, સ્ત્રી અને પુત્રાદિને હોમિને સ્વર્ગમાં કેમ ન મોકલ્યા ?

રાજધર્મ રાજ્ય શાસન ચલાવવામાં છે, ત્યાગ, વૈરાગ્ય, કે અહિંસામાં નથી. 261 BC સાલમાં અશોક કલિંગની લડાઈમાં થયેલ વ્યાપક નરસંહારથી હતાશ થઈ શસ્ત્રો ત્યાગી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો. ભારતના પતનની આ ઘટના સીમાસ્તંભ સ્વરૂપ છે. રાષ્ટ્રધર્મ અહિંસા-ત્યાગ-વૈરાગ્યથી જળવાતો નથી. ભરતવર્ષ માટે કાયરતાના બીજ અહીં વવાયાં.

છેલ્લે, ગાંધીજી અહિંસા શીખવવા આવ્યા-તેથી આઝાદ ભારત ખુમારી વગરનું, નમાલું, ભાઈચારો-મિત્રતા અને શાંતિના ગુણગાન ગાઈને ગાફેલ દેશ બન્યો. 1962નું ચીન-ભારત યુદ્ધની હાર આ પાઠ ગાઈવગાડીને શીખવી ગયો.
રાષ્ટ્રની અસ્મિતા-ગૌરવ-શૌર્ય અને બહાદુરીથી જ આવે એવું આપણે જાણીને અમલમાં મૂકવું જ રહ્યું.

- ડો. ભરત દેસાઈ, બીલીમોરા