[Video] “નરસૈયો” - આદિકવિ નરસિંહ મેહતાનું જીવન દર્શન
“નરસૈયો” - આદિ કવિ નરસિંહ મહેતાનું જીવન દર્શન
પુરુષોમાં અનેક વિવાહની છૂટ હતી.
નંબર | રાજ્ય | રાજધાની | રાજા | રાજ્યનો વિસ્તાર | નોંધ |
---|---|---|---|---|---|
૧ | અંગ (બિહાર) | ચંપાનગરી (હાલનું બિહાર) | દધિવાહન | આધુનિક બિહારના ભાગલપુર અને મુંગેર જીલ્લા | — |
૨ | મગધ (દક્ષિણ બિહાર) | ગિરિવ્રજ (રાજગૃહ) | બિંબિસાર (અજાતશત્રુ) | પટના અને ગયા જીલ્લો | રાજગાદી માટે પિતૃહત્યા |
૩ | કાશી (દક્ષિણ- પૂર્વ ઉત્તર પ્રદેશ) | વારાણસી | બ્રહ્મદત્ત | - | શિલ્પ, વેપાર અને સમૃદ્ધિ માટે પ્રસિદ્ધ હતું. |
૪ | કૌશલ (ઉત્તરપ્રદેશ નું હાલનું અવધ) ઈ.પૂ. ૪૮૧ | ઉત્તરે: શ્રાવસ્તી દક્ષિણે: કુશાવતી | પ્રસેનજિત પૂત્ર વિદુરથ | આધુનિક ઉત્તરપ્રદેશ ના સાકેત, અયોધ્યા અને શ્રાવસ્તીા | - મગધના રાજા અજાતશત્રુ જોડે પુત્રી પરણાવી - અજાતશત્રુ જમાઈ - પિતા ને પદભ્રષ્ટ કરી પુત્ર વિરુદ્ધ રાજા બન્યો. |
૫ | વજિ (વ્રજી)
વિદેહજનપદ વૈશાલી જનપદ | વૈશાલી (મિથિલા) | - | બિહાર, નેપાળ | - આઠ નવ ગણરાજ્યોના સમૂહ (સંઘ)
- વિશ્વના પ્રાચીનત્તમ ગણરાજ્યના જન્મદાતા |
૬ | મલ્લ
હિમાલયની તળેટીમાં (ઉત્તર પ્રદેશ) | કુશિનારા અને પાવા | - | ગોરખપુર જિલ્લો દેવરિયા-ગોરખપુરનો વિસ્તાર | આઠ-દસ ગણરાજ્યોનો સમૂહ |
૭ | ચેદિ (ચેતી) | ઉત્તર ચેદી: નેપાળ
દક્ષીણ ચેદી: બુંદેલખંડ | - | યમુના અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ અને મધ્યપ્રદેશ(બુંદેલખંડ) (U.P. and M.P.) | — |
૮ | વત્સ | કોસાંબી (હાલનું પ્રયાગ) | - | ઉત્તરપ્રદેશ (અલ્હાહાબાદ ) પ્રયાગની આજુબાજુનો પ્રદેશ | — |
૯ | કુરુ (હરિયાણા) | હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ | - | થાનેશ્વર, બરેલી અને મિરત જીલ્લો | — |
૧૦ | પંચાલ (ઉત્તરપ્રદેશ) | ઉત્તર પંચાલ: અહીછત્ર (બરેલ જીલ્લો) દક્ષિણ પંચાલ: કામ્પીલ્ય (ફારુખાબાદ જિલ્લો) | - | બંદાઉં, બરેલી અને ફારુખાબાદ જીલ્લો | — |
૧૧ | મત્સ્ય રાજસ્થાન | વિરાટ (જયપુર નજીક) | - | રાજસ્થાનના અલ્વર, ભરતપુર અને જયપુર જીલ્લા | — |
૧૨ | સુરસેન (ઉત્તરપ્રદેશ) | મથુરા | - | કુરુ ની દક્ષિણ અને ચેદીનો પશ્ચિમોત્તરભાગ | — |
૧૩ | અશ્મક
દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીના કિનારે | પૈઠણ | - | ગોદાવરી નદીનો તટવર્તી પ્રદેશ | — |
૧૪ | અવંતી (માળવા) મધ્યપ્રદેશ | ઉજ્જૈન | પ્રદ્યોત | - | — |
૧૫ | ગાંધાર
પશ્ચિમ પાકીસ્તાન | તક્ષશિલા | - | પાકીસ્તાન અને અફઘાનીસ્તાનના પેશાવર અને રાવલપીંડી જીલ્લાા | — |
૧૬ | કામ્બોજ (પછછીમ પાકિસ્તાન) | રાજૌરી (હઝારા જીલ્લો) | - | જમ્મુ કાશ્મીરના પ્રદેશ દ્વારકા મુખ્ય નગરી | — |
- | આ ઉપરાંતના જનપદો | - | કૈકેય મદ્યક | સિન્ધુ – અંબાઈ- આન્ધ્ર, દ્રવિડ, સિની કલીંગ, સિંહલ, વિદર્ભ | — |
I. હર્ચક વંશ
મગદ સામ્રાજ્ય ૧૬માંથી ૪ અને ૪માંથી એક માત્ર મોટું મહાજનપદ બન્યુ!
કરુણ હકીકત : અજાતશત્રુથી નાગદશક સુધીના બધા રાજા પિતૃહત્યા કરીને ગાદીએ આવ્યા હતા.હર્ચકવંશ
સૌરાષ્ટ્ર એટલે વીરો અને સંતોની ભૂમિ, તેનું નાગરીરત્ન જુનાગઢનિવાસી ગૃહસ્થ ગિરનારની ઊંચાઈના કવિ અને ભક્ત તે નરસિંહ મહેતા!
વૈષ્ણવજન તો તેને રે કહીએભાવનગરમાં આવેલા ગોપનાથ મહાદેવના મંદિરમાં શ્રીકૃષ્ણના દર્શન થયા.
ઉંચી મેડી તે મારા સંતની રે
જળ કમળ છોડી જાને બાળા સ્વામી અમારો જાગશે
આજની ઘડીએ રળિયામણી રે
ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજીશું શ્રીગોપાળ
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
અખિલ બ્રાહ્મણમાં એક તું શ્રી હરિ
અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનતં ભાસે;
દેહમાં દેવ તું, તત્ત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે, ૧
પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા! વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે;
વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે.૨
વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ શાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે ૩
ગ્રંથ ગરબડ કરી, વાત નવ કરી ખરી, જેહને જે ગમે તેને પૂજે,
મન-વચન-કર્મથી આપ માની લહે, સત્ય છે એ જ: મન એમ સૂઝે. ૪
વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;
ભણે નરસૈંયો : એ મન તણી શોધના : પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે. ૫
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો? તે જ હું,’ ‘તે જ હું' શબ્દ બોલે;
શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે, અહીંયાં કો નથી કૃષ્ણ તોલે. ૧
શ્યામ-શોભા ઘણી, બુદ્ધિ નવ શકે કળી, અનંત ઓચ્છવમાં પંથ ભૂલી;
જડ અને ચેતન રસ કરી જાણવો, પકડી પ્રેમ સજીવંન મૂળી. ૨
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાનાં પારણાં માંહી ઝૂલે. ૩
બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો;
નેત્ર વિણ નિરખવો, રૂપ વિણ પરખવો, વણિજહૂવાએ ૨સ સરસ પીવો. ૪
અકળ અવિનાશી એ, નવ જાયે કળ્યો, અરધ-ઊરધની મધ્યે મહાલે;
નરસૈંયાચો સ્વામી સકળ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે. ૫
જ્યાં લગી આતમાતત્ત્વ ચીન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી;
મનખા દેહ તારો એમ એળે ગયો, માવઠાની જેમ વૃષ્ટિ વૂઠી.
શું થયું સ્નાન, સંધ્યા ને પૂજા થકી? શું થયું ઘે૨ ૨હી દાન દીધે?
શું થયું ધરી જટા ભસ્મ લેપન કર્યે? શું થયું વાળ લુંચન કીધે?
શું થયું જપ-તપ-તીરથ કીધા થકી? શું થયું માળ ગ્રહી નામ લીધે?
શું થયું તિલક ને તુલસી ધાર્યા થકી? શું થયું ગંગાજળ-પાન કીધું?
શું થયું વેદ-વ્યાકરણ-વાણી વઘે? શું થયું રાગ ને રંગ માણ્યે?
શું થયું ખટદર્શન-ભેદ સેવ્યા થકી? શું થયું વરણના ભેદ આપે?
એ છે પરપંચ સહુ પેટ ભરવા તણા, જ્યાંહાં લગી પરિબ્રહ્મ ન જોયો;
ભણે નરસૈંયો : તત્ત્વદર્શન વિના રત્નચિંતામણિ જન્મ ખોયો.
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે;
પરદુઃખે ઉપકાર કરે ને મન અભિમાન ન આણે રે.
સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે;
વાચ-કાછ-મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની તેની રે.
સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે;
જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન ન ઝાલે હાથ રે.
મોહ-માયા લેપે નહિ તેને, દૃઢ વૈરાગ્ય તેનાં મનમાં રે;
રામનામ-શું તાળી લાગી, સકળ તીરથ તેનાં તનમાં રે.
વણલોભી ને કપટરહિત છે, કામક્રોધ જેણે માર્યા રે,
ભણે નરસૈંયો તેનું દર્શન કરતાં કુળ એકોતેર તાર્યાં રે.
Maybe we see this thought cycle of a patient and learn about the other side of the story - the patient.
અપનાવીશું તો ચારે બાજુ આનંદ સુખ છે જ- બાકી ફાયદો શોધવાના હિસાબ કિતાબ છોડવા જેવા છે.
આજ આપણો વાનપ્રસ્થાશ્રમઆ જ આપણો સન્યસ્તાશ્રમ
હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા.
તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ.
ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે.
હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છે. સાતેક લાખની વસ્તી ધરાવતા હળપતિ જંગલ, પર્વત કે દરિયાકિનારે વસતા નથી પરંતુ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના ફળદ્રુપ મેદાનમા જ રહે છે.
ઘેરીયો એટલે ઘેર બાંધીને લોકનૃત્ય કરતો હળપતિ.
૨૦ થી ૨૫ ના ટોળામાં લાક્ષણિક નૃત્ય ગાતા ગાતા કરનારુ નૃત્ય એટલે ઘેરિયા નૃત્ય.
ઘેરિયા લોકનૃત્યના આયોજન, પહેરવેશ અને ઘેરીયા નૃત્યના કલાકારો નું સંક્ષિપ્ત-મુદ્દાસર પરંતુ સંપૂર્ણ વર્ણન કરવાનો આ લેખનો મારો આશય છે. તે પહેલા ચાલો, લોકનૃત્યના ગીતો સમજીએ.
માનવજીવનના વિધવિધ પ્રસંગોની નૃત્યમય અભિવ્યક્તિ દર્શકોના ભાવ વિશ્વને આંદોલિત કરે છે તેમાં માનવ જન્મથી માંડીને મૃત્યુ પર્યંતના ગીતોનું નિર્દર્શન લોકભોગ્ય શૈલીમાં નિરૂપિત થવાથી નાટ્યાત્મક પ્રભાવ પેદા થાય છે.
ઘેરીયા દ્વારા ગવાતા ગીતો
“સામરેક મોરચા” કે “હાં રે હાં ભાઈ” શબ્દોની પૂનરુક્તિ કે પછી “ઘોડીએ ચયઢા ભીલા ભીલ” ની રમઝટ સાંભળીએ તો જ ઝમક આવે. દાંડિયાનો અવાજ, કમરે રણકતી ઘૂઘરમાળ, જોરથી બુટ પહેરેલા પગની જમીન પર થપાટ સાથે ઢોલ-મંજીરા અને ગાનનું મિશ્રણ માદક સમારંભ ન પેદા કરે તો જ નવાઈ!
પ્રવેશ સમયનું ગીત:
ઘેરીયાના પડાવ: વીરનું પરાક્રમ દર્શાવતું પ્રશસ્તિ કાવ્ય. ગરબામાં ઈતિહાસ.
લગ્નમાં ઘેરીયા ગીત:
આયોજન
આમ માતાની આરાધના સાથે લોકોનું મનોરંજન કરાવતું દક્ષિણ ગુજરાતના હળપતિઓ દ્વારા કરાતું લોકનૃત્ય તે ઘેરીયા. આ જોઈને જનસમૂહ મુગ્ધભાવે એ રસમાં તરબોળ થઈ જતો જોવા મળે છે.
ગાંધી જયંતિ અંતર્ગત નિબંધ સ્પર્ધાના અવસરે
શેઠ નાનચંદ ચેલાજી માધ્યમિક કન્યા વિદ્યાલય અને શ્રીમતી ગીતાબેન નીતિનભાઈ મેહતા રૉટરી હાયર સેકંડરી સ્કૂલ, બીલીમોરા, ૨૯/૦૯/૨૦૨૩
Created By SoraTemplates | Distributed By Gooyaabi Templates