[Video] દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું વક્તવ્ય

દક્ષિણ ગુજરાત વરિષ્ઠ નાગરિક સંઘના દ્વિતિય મહાસંમેલનના અવસરે પ્રમુખશ્રી ડૉ. ભરતચંદ્ર દેસાઈનું સ્વાગત પ્રવચન 
૨૬ મે, ૨૦૨૪ 
સોમનાથ મંદિર સંકુલ, બીલીમોરા


'વૃદ્ધાવસ્થા' શ્રેણીના બીજા લેખો અને વક્તવ્યો



વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે.

સમૂહ લગ્ન:
  • વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે. 
  • મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે. 
  • મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે. 
  • સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે. 

આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (NGO), ધનિક ઉધ્યોગપતિઓ અને જ્ઞાતિસમૂહો આ પ્રથા અપનાવી લેશે. સાદાઈથી લગ્ન કરવા મધ્યમ વર્ગના અને ગરીબ લોકો માટે તો ખૂબ જ યોગ્ય છે. લગ્નમાં પૈસાના ધુમાડો કરી દીધા પછી આખી જિંદગી દેવને કારણે દુઃખી થવામાં કે પોતાની જમીન વેચીને આવક ગુમાવવામાં કોઈ મહાનતા નથી,મૂર્ખાઈ છે. સમાજે ફરજિયાત અમલ કરવાના આદેશ બહાર પાડવો જોઈએ- જેથી તેનો ચોક્કસ અમલ થાય છે.

સુધારા માંગતા મુદ્દાઓ વિચારીએ.

આમંત્રણ પત્રિકા અને આમંત્રણની રીત:

મોંઘીદાટ કંકોત્રી છપાવવાથી આમંત્રિત કોઈ રીતે પ્રભાવિત થતો નથી- અને અઢળક નાણાવ્યય થાય છે.

રૂબરૂમાં આમંત્રણ આપવાની વિધિઓ ત્રાસ જેમણે સહન કર્યો હોય તે જ જાણે. મુંબઈથી અમદાવાદ કે બીજા રાજ્યમાં રહેતા સંબંધીઓને રૂબરૂ આમંત્રણ આપવું ખરેખર ત્રાસદાયક થાય છે. જે સ્નેહી છે- જે ખરા સંબંધી- મિત્રો છે- તે લગ્નમાં આવવાના જ છે.

લગ્નનું આમંત્રણ સોશિયલ મીડિયામાં વોટ્સએપ (WhatsApp) દ્વારા આપી ફોનથી આમંત્રણ પાકું કરવું ખૂબ સહેલું અને યોગ્ય છે.

વરઘોડો:

જાહેર માર્ગને અવરોધતો, ટ્રાફિકનું રોકાણ અને ત્રાસ ફેલાવતો, ફટાકડા દ્વારા હવાનું પ્રદૂષણ અને ધ્વનિનું પ્રદૂષણ કરતા વરઘોડો કાઢીને આપણે શું સાબિત કરીએ છીએ? વળી ડી. જે. નો ઘોંઘાટ બહેરાશ ન આવે તો જ નવાઈ- વરઘોડો સંપૂર્ણપણે બંધ રાખવું યોગ્ય છે.



ભોજન સમારંભ:

પચાસથી વધારે મદ્રાસી, પંજાબી, ચાઈનીઝ, વિવિધઆઈસ્ક્રીમો સરબતો સુપો સાથેનું ભોજન પીરસવામાં કોઈ મહાનતા નથી- એ દ્વારા અન્નનો અસહ્ય બગાડ અને ખાનારના પાચનતંત્રને નુકસાન સિવાય છે શું? વળી બુફે પ્રથામાં લોકો દ્વારા ભીડમાં બીજીવાર ન જવાની આળસ ને કારણે લીધેલુંવધારે પડતું ભોજન પૂરું કેવી રીતે કરવું શક્ય છે?

ઔરંગાબાદ જૈન સમાજે લીધેલ નિર્ણય મુજબ લગ્નમાં છ થી વધારે વાનગીઓ હોય તો ફક્ત વર કન્યાને આશીર્વાદ આપવા, પણ તે લગ્નમાં ભોજન ન કરવું. અગ્રવાલ સમાજેપણ આ પ્રથાને અનુમોદન આપ્યું છે, આર્થિક સંપન્ન બંને સમાજો આ કરતા હોય છે તો, આપણે તેનું અનુકરણ ચોક્કસ કરવું જ રહ્યું.

લગ્ન ગમે એટલા મોટા હોય પણ લોકો તેને યાદ રાખતા નથી. ખર્ચાળ-ભભકાવાળા લગ્ન કરવા બદલ કોઈને એવોર્ડ મળતો નથી- લગ્ન એ સંસ્કાર છે. અહીં પરસ્પરને વચન બધ્ધ કરી જીવનભર સાથે રહી, અનુકૂલન સાધી, બે કુટુંબમાંથી આવેલ વર-કન્યાના મિલન દ્વારા વંશવૃદ્ધિનો હેતુ ધરાવતો વિધિ છે-

રાસ-ગરબા, સંગીત-સધ્યા, ફોટોગ્રાફી-વિડીયોગ્રાફી પ્રી-વેડિંગ શૂટિંગ, બ્યુટી-પાર્લર,મહેંદી અને પીઠી ચોળવાની વિધિ

​સંગીતસંધ્યામાં આવતા ઓરકેસ્ટ્રાનું બિલ, વર-કન્યા,બંને માબાપ, ભાઈ ભાભી વગેરેને મહીના સુધી પ્રેક્ટિસ કરાવી કરાવતા ડાન્સ અને રાસ-ગરબાનો પ્રસંગ શું સાબિત કરે છે?કંઈ-નહીં, કોઈ ખાસ આનંદ મળતો દેખાતો નથી – ઊલટાનુંઅભદ્ર પ્રદર્શન પણ બિનજરૂરી રીતે થતું હોય છે. ખર્ચ તો વળી ત્રણ ચાર લાખ રૂપિયાનો થઈ જાય છે.

ફોટોગ્રાફી – વિડિયો:

કેટલા આલ્બમ કે વિડીયો ઘરના સભ્યો નિયમિત રીતે જુવે છે. કદાચ એકપણ વાર આલ્બમ કે વિડીયો ન જોયો હોય એવા સભ્યો મળી આવે છે. વર્ષ પછી તો ક્યાં મૂક્યા છે તે પણ ઘણાને ધ્યાન પણ હોતું નથી.

પ્રિ-વેડ શૂટિંગમાં વર્ગ કન્યાને લગ્ન પહેલા એક કે બે દિવસ દૂરના સ્થળે હોટેલમાં લઈ જઈ પિક્ચરના ગીત પ્રમાણે ડાન્સ અને ફોટોગ્રાફી કરાવતા હોય છે. નવા ખરીદેલા ચાર-પાંચ કે વધારે ડ્રેસ બદલાવી ફોટોગ્રાફી કરતાં હોય છે.ઉપરાંત લગ્ન પહેલાનું એકાંત કેટલું નુકસાનકર્તા હોઈ શકે તે તૂટેલા લગ્નવાળાને જ ખબર પડે. ડ્રોન દ્વારા વિડીયોગ્રાફી અનેફોટોગ્રાફીની વિધિમાં ત્રણ-ચાર લાખ રૂપિયા ખર્ચીને કઈ મળતું નથી!

બ્યુટી પાર્લર:

લગ્નના બે દિવસમાં ત્રણથી ચાર વખત તૈયાર થતી ઘણીબધી સ્ત્રીઓ લગભગ પાંચ-છ કલાક ન બગાડે તો જ નવાઈ.ઘણીવાર તો આ કારણે લગ્ન અને બીજી વિધિઓ પણ ખોરવાતી હોય છે. બ્યુટી પાર્લરના આઠ દસ કલાકારોની ફોજ પછી દોઢ બે લાખ રૂપિયા ન લે તો જ નવાઈ. આજ વાત મહેંદીની એક સાંજ માટે કહી શકાય.

આમ બધી વિગતોનો કુલ ખર્ચ, બધા લોકોના ત્રણ-ચાર દિવસના રોકાણનો ખર્ચ અને તેમને નોકરી ધંધામાં થતું નુકસાન અને દોડાદોડી-ત્રાસના હિસાબ નિરાંતે માંડવા જેવો છે.

વિચારો, આમ લગ્નમાં થતો ખર્ચ રોકવાથી થયેલીબચત ભવિષ્યમાં વર- કન્યાને, બંને પક્ષના મા-બાપોને અને ભાઈ-બહેનોને માંદગીસમયે, અભ્યાસમાં કે બીજી કોઈ જરૂરિયાતમાં ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.

ખરેખર વધારે પૈસા હોય તો, સમાજ સેવામાં દાનમાં વાપરી શકાય.

ચાલો. નીચે મુજબ સમાજ દ્વારા નિયમો નક્કી કરી તેનું પાલન કરીએ.

  1. લગ્નમાં બંને પક્ષના મળીને વધુમાં વધુ પચાસ વ્યક્તિઓ ભાગ લેવો જોઈએ તેટલા જ તમારા અંગત સ્નેહીઓ હોય છે.બાકીના તો?
  2. આમંત્રણ ફોનથી અને મોબાઈલમાં whatsapp દ્વારા આપી શકાય. 
  3. એક જ દિવસ લગ્નવિધિ ચાલવું જોઈએ. 
  4. ભોજનમાં વધુમાં વધુ છ વાનગી પીરસવું જોઈએ. 
  5. સમૂહ લગ્નમાં આયોજનોમાં જોડાવું જોઈએ. 

ચાલો, સુધારાની શરૂઆત આપણા પોતાનાથી કરીએ તો કેવું?


ડો. ભરતચંદ્ર એમ દેસાઇ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
૨૧/૦૪/૨૦૨૪

અનાવિલ સમાજમાં લગ્નખર્ચનો ભૂતકાળ

અનાવિલ સમાજમાં લગભગ ૪૦-૫૦ વર્ષ પહેલા વાંકડો- સોનાના ઘરેણા અને ઘરવખરીનો સામાન ઘરઘામણના નામે વરપક્ષવાળાઓ કન્યાપક્ષ વાળાઓ પાસે ખુલ્લં-ખુલ્લા ઉઘરાવતા. અત્યારે આપણને ઘૃણાસ્પદ કે શરમજનક લાગતા રિવાજમાં ત્યારે કોઈને કંઈ જ અજગતું લાગતું નહિ. ઊલટાનું માંગવામાં આવતોવાકડાનો આંકડો કે ઘરેણાંનું વજન જેટલું વધારે એટલો વધારે પ્રતિષ્ઠિત કે વધારે મોભાદાર વર પક્ષ પોતાના ગણાવતો. 


એવું આ માનવામાં આવતું કે વરના પિતાશ્રી લગ્નના ખર્ચમાં પોતાના પૈસા બિલકુલ ખર્ચતા નહી, પરંતુ વાંકડાના પૈસા વાપરીને જ પુત્રના લગ્ન પતાવતા. પેઢીવાળા દેસાઈઓ કે કહેવાતા ઊંચા ગામના (દા.ત. મરોલી, વેસ્મા, ઊંટડી વિ. ગામના દેસાઈઓ) પોતાને બાકીના ગામના દેસાઈઓથી ઊંચા સમજી વધારે વાંકડો માંગતા. પાર નદીની દક્ષિણે રહેતા દેસાઈઓ અને પાર નદીની ઉત્તરે રહેતા દેસાઈઓ એકબીજા સાથે લગ્ન વ્યવહાર રાખતા નહીં અને એકબીજાને “પેલાડીયા” કહી ઉતારી પાડતા. વાંકડામાં પારડી તાલુકાના અનાવિલો રોકડ રકમ વધારે લેતા – દા.ત.૫૦,૦૦૦ રૂપિયાની આસપાસ અને સોનું ઓછું માંગતા પાંચ તોલા જેટલું, જ્યારે વલસાડ સુરત બાજુના દેસાઈઓ સોનું વધારે માંગતા ૧૧ થી ૫૦ તોલા સુધી અને રોકડ વાંકડો ઓછો લેતા ફક્ત રૂપિયા ૫૦૦૦ થી ૧૧,૦૦૦ સુધી લગ્નવિધિ સમયે સોની પાસે વજન કરાવીને પુરાવજનનું સોનું ઉઘરાવતા તે વાત આજે કદાચ માનવામાં ન આવે, પરંતુ તે વાંકડાની નામોશી ત્યારે હકીકત હતી.

લેવડદેવડની ચર્ચા અને સમજૂતી લગ્ન નક્કી કરવાની પ્રથમ વિધિ ચાંદલા સમયે કરાતી અને આ બાબતોનો બંને પક્ષની અને બે સાક્ષીઓની સહીવાળા કાગળનું લખાણ કરાવવામાં આવતું.

ચાંદલા વિધિ સમયે લાલ પેનથી લખાતું કરારનામું:


શ્રી ગણેશાય નમઃ


વિક્રમ સંવત ___________ના__________ મહિનાના કૃષ્ણ/શુક્લ પક્ષની તિથિ અને વારે_________ સમયે આ લખાણ કરવામાં આવે છે.

કુ. _______________,  ________________ ની પુત્રી______________ ગામ___________ તાલુકા__________ જિલ્લાની રહેવાસીનો ચાંદલો કુ. _________,  _________ ના પુત્ર_________ ગામ_________ તાલુકા___________ જિલ્લાના રહેવાસી સાથે નક્કી કર્યા તે ચાંદલા દરમ્યાન નીચે મુજબની આપ-લેની ખાત્રી કરી છે. જેનો અમલ થતાં લગ્નની વિધિ પૂર્ણ કરીશું.

૧) હળદર ૬૨૫ ગ્રામ (સવા સેર)

૨) પાન – Betel-nuts _____ ગ્રામ 

૩) રોકડ વાંકડો _______ રૂપિયા (આશરે રૂપિયા ૫૦૦૦૦ સુધી)

૪) સોનાના ઘરેણાં ___________ તોલા (આશરે ૫ થી ૫૦ તોલા સુધી)

૫) પહેરામણી – પુત્રીની માતાને _______ રૂપિયા 

૬) શાલ _______ અને સાડી ________ સ્થિતિ પ્રમાણે શોભે તેવી.

૭) આ ઉપરાંત પ્રસંગને આનુષંગિક ઘરઘામણમાં આપવાની વસ્તુઓ વાસણો- ટેબલ, ખુરશી વિગેરેની યાદી.

૮) વરયાત્રામાં આવેલા _______ વ્યક્તિઓને ભોજન – ચા નાસ્તો

૯) નોંધ: ઉપરોક્ત યાદી ઉપરાંત રોકડવદા, સુવાવડનો ખર્ચ, જાનખર્ચ, વાહનખર્ચ અને વાજાવાળાનો, સુવાવડ શેતરંગી ખર્ચ મજરે આપવાનો રેહશે. 

ઉપરોક્ત લેવડ દેવડ વાંકડાના આવેજ રૂપે __________ રૂપિયા આજ રોજ આપીએ છીએ.



સહી:                                              

કન્યાપક્ષ પિતા        __________________

વરપક્ષ પિતા         __________________



સાક્ષીની સહી:                                             

૧)         __________________

૨)         __________________
  

        


લગ્ન પહેલા આ લેખિત કરારનો સખ્તાઈથી અમલ કરવા કરાવાતો. વાંકડો (રોકડ પૈસા), ઘરેણાં(સોના અને ચાંદીના), ઘરઘામણને નામે ઘરવખરીની બધી જ વસ્તુઓ- વાસણો -ફર્નિચર ઉઘરાવતા વરપક્ષને કંઈ ખોટું કરવાની લાગણી થતી નહીં. ઓછી આવકવાળો ગરીબ સ્થિતિનો કન્યાનો બાપ આ વ્યવહાર દેવું કરીને કે પોતાની જમીન વેચીને નિભાવતો જોવામાં સમાજને કે સગા સંબંધીઓને કોઈ નાનમ કે સંકોચ થતો નહીં. આ ઉપરાંત સગા સંબંધીએ કે મિત્ર મંડળ દ્વારા આપેલ રોકડ ભેટ, સોનું કે વસ્તુ કન્યાને સાસરે પહોંચાડવાની રહેતી.

વાત એટલેથી પતતી હોય તો વાત અલગ છે, પણ લગ્નના બીજા દિવસે દસીયાની વદા- ત્રણ ખાવાં-દિવાળીમાં દીવા મૂકવા- પ્રસુતિ સમયનો ખર્ચ- દર વર્ષે કન્યાના કપડા નો ખર્ચ અને કન્યાના મરણ સમયે લાકડાનો ખર્ચ કન્યા પક્ષે જ કરવાનો કુરિવાજ હતો. વર્ષ દરમિયાન ગમે ત્યારે પિયર આવેલી કન્યા સાસરે ખાલી હાથે ન જતાં પૂરી, વડા અને લાડવા અચૂક લઈ જતી

અને સમયનું ચક્ર ફરે છે- તેમ વખત જતા કન્યાની સંખ્યા ઘટતાં ઉપરાંત કન્યાનું ભણતર અને આવક વધતાં અને વરપક્ષની લાયકાત કન્યા ની સરખામણીએ ઘટતા, ઉપરોક્ત બધા જ રિવાજો મોટા ભાગે અદ્રશ્ય થયા- વરપક્ષેહવે વગર વાંકડે- વગર સોનાએ અને વગર ઘરઘામણે લગ્ન કરવા ફરજિયાત સંમતિ આપવી જ પડે છે- અરે, કન્યા પક્ષનો લગ્નનો ખર્ચો પણ વરપક્ષ આપવાની ગરજ બતાવતા જોવા મળે છે. છતાં છોકરાઓ (દેખાવડા, કમાતા, ભણેલા અને વ્યસન મુક્ત હોવાછતાં) મોટી સંખ્યામાં કુવારા રહી જતા જોવા મળે છે. 

સમય સમયની વાત છે.



ડો. ભરતચંદ્ર એમ દેસાઇ 
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા 
૨૧/૦૪/૨૦૨૪

The Quest For Happiness

With all the success, achievements, and happiness-infusing-technologies, our search for being joyous, pleasant and happy is not over. India has its own guidelines, very well defined by Bhagavadgita, Buddhism, and Jainism. Still, our search for techniques to be happy pushes us to explore different ways around the world. 

Some people traveled to the Netherlands, Denmark, Sweden, and Japan to find out four concepts of happiness, NIKSEN, HYGGE, LAGOM, and WABI-SABI respectively. These four countries top the list of the world happiness index and are amongst the first ten. Let me simplify and summarize each of them and try to derive the ultimate formula for happiness. 


NIKESEN (Netherlands)

In the Netherlands, Dutch people have found out key to happiness in NIKESEN. NIKESEN means “Doing nothing” purposefully and deliberately - leaving from work of body and mind - with a purpose to do nothing or having no purpose at all for a certain time (not exceeding 10 minutes). 

“Doing nothing” is a Dutch art of experiencing only being and not doing anything whatsoever. NIKESEN says let your mind wader, do not control motion or gesture, and do not try to be productive. Just be natural at that very moment, looking at nature, maybe listening to music and looking around. To practice Nikesen, pick a comfy chair, stare out of the window or around the room, and let your mind go where it wants. Remember do not exceed 10 minutes a day.

For getting rid of anxiety, burnout, trepidation, tiredness, or overwhelmed state, and when all the above turn out to be too much, try NIKESEN - doing nothing. You will find, multiple benefits like an increase in happiness, higher motivation, better rest, increased productivity, stress relief, better balance, digital detox (by staying away from mobile and computers), and better overall mood.

Find out your technique because NIKESEN is different for everyone. To summarize, NIKESEN is all about doing nothing on purpose. NIKESEN is not lazy and it is just doing nothing. It must stop at ten minutes a day.

HYGGE (Denmark)

Hygge is a Danish word pronounced as Hue-Guh. Hygge asks us to be consciously cozy, that is, at rest, comfortable and relaxed. It describes the art of creating a nice atmosphere of good relationships and good companionship between two persons.

The other character of Hygge is Conviviality (પ્રફુલ્લતા) - gladness. By family eating together with everybody in conversation and talk to each other with love and respect. Hygee makes us take a break from the demand for healthy eating. It means eating cakes, candy, chocolate, or drinking alcohol whatever you want to, without limit.

Hygge is a mixture of relaxation, being with the people you love, indulgence, equality, gratitude, and good food.

Meik Wiking (Founder of the Happiness Research Institute), author of a book on Hygge tells us, “At a certain point, additional income does not lead to improved quality of life”.

Amanda Weldon describes Hygge as following: 
  1. Accepting any weather. She says there is nothing like bad weather. 
  2. Enjoy time indoors or outdoors with candles, a fireplace, and cashmere socks. 
  3. Enjoy the togetherness of family and friends by talking loudly, eating your favourite sweets, cake, pastries, coffee, and drinking. 
  4. Come as you are. 
We know, you cannot buy the right atmosphere or a sense of togetherness. So Hygge is for surviving boredom, sadness, depression, cold, and sameness. Hygge is talking about pleasure in the middle of life and a cure for sadness by way of enjoying togetherness, dialogue, and food.

Mark Wiking says, you cannot buy the right atmosphere or a sense of togetherness. You cannot Hygge if you are in a hurry or stressed out. And the art of getting intimacy cannot be bought by anything, but time, interest, and engagement in the people around you.

Danish Word says, Hygge is used when acknowledging a feeling or moment, whether alone or with friends, at home or out, ordinary or extraordinary as cozy, charming, or special. Hygge is a way of life - a lifestyle and doesn’t require learning “How to” or buying anything.

LAGOM (Sweden)

Lagom is a modest approach to life leading to “Balance” - not too much, not too little, but adequate. It means doing work or consuming food adequately.

Lagom teaches boundaries, balance, and mineralization by asking not to exceed personal limits. Lagom life lesson: 
  1. Reconcile rest 
  2. Opt for a moderate diet 
  3. Cultivate healthy relationships 
  4. Tidy up to your home and throw away unnecessary things. 
  5. Consume consciously 
  6. Practice technological detox of mobile and computers 
  7. Respect the environment, and last but most important, 
  8. Apply slow life
So Lagom is just the right amount, not too much, not too little, but balance. Lagom is a Swedish secret to explain a lifestyle based on social awareness sustainability and moderation.

Lagom is a recipe for being happy by living with less. Lagom teaches harmony, moderation universality. Lagom is summarised like this: 
  1. Be positive - Find happiness even in hidden corners and live sobriety as a conquest. 
  2. Importance of exercise and sleep - Find time for exercise and sleep. Both activities purify the mind and help to deal with everyday life in a positive spirit. 
  3. Sustainability and environment - Recycle and Reuse. 
  4. Choose functional, simple, and logical furniture. 
  5. Imperfection is beauty - Swedish people say, abandon the unattainable goal of perfection and allow the middle ground.

Ultimately, true happiness is knowing how to immerse oneself in one’s life with joy and preserve the strength to face everyday life with serenity, simplicity, awareness, and harmony.

WABI-SABI (Japan)

Wabi = Subdued austere beauty
Sabi = Rustic patina

Wabi-Sabi is a Japanese way of living a happy life. Wabi-Sabi is a worldview centered on the acceptance of transience and imperfection. They ask us, via Wabi-Sabi, to accept and appreciate the beauty that is imperfect, impermanent, and simple in nature. 
  • Simplicity: Life is empty. Let us fill it with simplicity, nobility, and humility. At the same time, relax and don’t be in a hurry. “Slow down” to enjoy life all around. 
  • Imperfection: Nothing is ever finished to perfection. Instead, accept imperfection. Robert Watson Watt said, give them the third best to go with because the second best comes too late and the best never comes! Enjoy the cracks and lines of an object’s imperfection. 
  • Impermanence: Nothing lasts forever as it is. It changes human beings- A child becomes young and ultimately old- Accept the importance of aging and respect grey hair and creases in the skin. Enjoy these changes by making them interesting. 
To summarise the long story short:

Happiness in life can be achieved in many ways. All you need is a sincere attempt to get it.

  • Bhagavadgita teaches total surrender to God and witness only to all that happens. Keep working and the result will be pleasant. 
  • Netherlands’ Nikesen tells us to do nothing for maximum ten minutes a day. 
  • Denmark’s Danish ask for Hygge - Enjoy eating with family doing dialogue. 
  • Swedish Lagom describes limiting, without doing too much or too less, only adequate. 
  • Lastly, Japanese Wabi-Sabi teaches simplicity, slowness, and accepting impermanence and imperforation. 

Decide what suits your nature and happiness will be with you forever.



ચાલો, માંદા સ્નેહીઓની ખબર કાઢવા

આપણે સૌ સામાજિક વ્યવહારો સાચવાની ખાસ કાળજી રાખતા હોઈએ છીએ. માંદા પડેલા આપણાં અંગત સ્નેહીજનની હોસ્પિટલમાં દાખલ થયેલ હોય ત્યારે રૂબરૂ મળી મુલાકાત કરીને “વહેલા સારા થઈ જાવ” એવું આશ્વાસન આપવાનો રિવાજ છે. આમ કરવાથી દર્દી ને ખરેખર દિલાસો મળે છે અને માંદગીની કારણે થયેલ દુ:ખ ઓછું થતું હોય છે.

લાગણીથી જોડાયેલ અંગત સ્વજનને મળવા જવાનો રિવાજ ઘણીવાર ફક્ત ઔપચારિક્તામાં પરિણામતો હોય છે. આમ ફક્ત ફરજ નિભાવવાની વિધિ કરવા પૂરતું જઈને વેઠ ઉતારવાનો કોઈ ખાસ અર્થ નથી. ચાલો, કંઈક અર્થસભરતા લાવવાની હકારાત્મક કોશિષ કરીએ.

આ અર્થ શબ્દ દ્વારા મને પૈસા- નાણાંની યાદ આવી. વર્તમાન સંજોગોમાં દરેક વ્યવહાર પૈસાની લેવડદેવડનો રહ્યો છે. જન્મ સમયે, જન્મદિવસે, યજ્ઞોપવિત, લગ્ન કે મરણ દરેક વિધિ પૈસાની આપ લે દ્વારા થતી હોય છે. પોતાની આર્થિક સ્થિતિ સંબંધની નિકટતા અને ભૂતકાળના વ્યવહારોની ગણતરી કરીને તે પ્રમાણે પૈસાનું કવર બનાવી આપણે આદાન-પ્રદાન કરતા હોઈએ છીએ તેમાં માંદગી સમયે આર્થિક ભેટ શરૂ કરવા જેવું છે. 

હોસ્પિટલમાં દાખલ થયેલ સ્નેહીને પ્રાથમિક તપાસ, લેબોરેટરી રેડિયોલોજી તથા નિષ્ણાત ડોક્ટરની નિદાન માટેની તપાસ દરમિયાન ખૂબ મોટો ખર્ચ થતો હોય છે- ત્યાર પછી દવા હોસ્પિટલ ચાર્જ અને ઓપરેશનમાં પણ અણધાર્યા મોટાં બિલ ચૂકવવા પડતા હોય છે. રૂપિયા એક લાખથી આઠ-દસ લાખ સુધીનો ખર્ચો સાધારણ રીતે થઈ જતો હોય છે

માંદગીના બિછાને સુતેલ સ્નેહીજનને ઠાલા શબ્દોના આશ્વાસન કરતાં દરેક મુલાકાતે દ્વારા દરેક મુલાકાત સમયે રોકડ ભેટ ૫૦૦, ૧,૦૦૦ કે ૧૦,૦૦૦ રૂપિયા અથવા વધારે કવરમાં મૂકીને અથવા દર્દીને ભેટ માટે મૂકેલ બોક્સમાં નામ લખ્યા વગર મોટી રકમ સરકાવીને આપવા જેવું છે. આર્થિક સંકટમાં ઘેરાયેલ વ્યક્તિને માંદગીમાં સારા થવામાં આ મદદ કદાચ મોટું આશ્વાસન પૂરું પાડી શકશે. થનાર અણધાર્યો અસહ્ય ખર્ચને પહોંચી વળવામાં આ મદદ ખૂબ અર્થપૂર્ણ સાબિત થતી હોય તો આ નવો રિવાજ શરૂ કરવા જેવો છે. 


આમ પણ, આપણે સામાજિક વ્યવહારોમાં આર્થિક લેવડ-દેવડ કરતાં હોઈએ છીએ અને સમાજસેવા તરીકે પણ દાન આપતા હોઈએ છીએ, ત્યારે આર્થિક સંકળામણમાં ઘેરાયેલ માંદગીના બીછાને પડેલ સ્વજનને મદદરૂપ થવું આપણો ધર્મ અને આપણી ફરજ બને છે. એક રિવાજ સ્થાપિત કરવાથી આ પૈસા લેનારને પણ યોગ્ય જ લાગશે. 

મેડિક્લેમ – માં કાર્ડ – આયુષ્યમાન ભારત યોજના - કે બીજી બધી જ વાતો આપણે જાણતા હોઈએ તો પણ સ્વજનની તાત્કાલિક આર્થિક સંકળામણ માંદગીના અણધાર્યા સંજોગોમાં આર્થિક મદદ ખૂબ જ આશીર્વાદરૂપ અને આશ્વાસનરૂપ ચોક્કસપણે થશે. 

વળી, આ આર્થિક મદદના રિવાજની સાંકળ (Chain of Economic Help) આગળ જતાં સૌ ચાલુ રાખશે તો સર્વત્ર આનંદ સંતોષ અને સુખની સુંદર લાગણી ચોક્કસપણે થશે જ.

ચાલો, માંદા સ્નેહીને હોસ્પિટલ કે ઘરે મળવાની તત્પરતા દાખવીએ અને ઉદાર મનથી મોટો આર્થિક વ્યવહાર શરૂ કરીએ.

શુભસ્ય શીઘ્રમ!

ડૉ. ભરતચંદ્ર દેસાઇ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા 
૦૧/૦૪/૨૦૨૪

Wabi Sabi

ચીનના તાઓ ધર્મના સ્થાપાક લાઓ-ત્સે-તુંગે એકદમ વ્યવહારિક પરંતુ તદ્દન સરળ સિદ્ધાંતો આપ્યા: 
  • સાદાઈ - Simplicity-Patience-Compassion
  • સંવાદિતા - Harmony
  • મુક્ત કરો - Let go

ત્યાર પછી બીજી બે ખાસ વાત કરી.

તમે તમે જ બની રહો.  તમે તમારા પ્રત્યે સાચા બનો. 

Be yourself. અને જિંદગી આનંદ અને ઉત્સવ માટે છે. જિંદગી કોઈ ઉપયોગીતા માટે નથી. કુદરતી રીતે, નિયમો બનાવ્યા વિના, મહત્વકાંક્ષા વિના બિન્દાસ જીવો - તે જ સુંદરતા છે.

આ જ રીતે ભારતમાં બુદ્ધ ભગવાને બૌદ્ધ ધર્મમાં જીવનમાં સહન કરવાની અને સ્વને અવગણીને કુદરતી રીતે જીવી જીવનના અસ્થાયીપણાની વાત કરી.

તાઓ અને બુદ્ધ ધર્મના સિદ્ધાંતો જોડીને જાપાનમાં પ્રકૃતિમાં શાંત અને મંદગતિના લયની જેમ કશાયની ઉતાવળ સિવાય, નિરાંતમય - કુદરતી ક્રમ મુજબ - સાદગીપૂર્ણ જીવન જીવવાની પદ્ધતિ શોધી તે આપણી Wabi- Sabi “વાબી – સાબી”.
  • Wabi: Subdued austere beauty (દબાયેલ - આડંબર વિનાનું, ગંભીર, સરળ – સૌંદર્ય)
  • Sabi: Rustic Patina (દેશી,  સીધી સાદી ઉમરલાયક –જૂની વસ્તુ)

આમ, વાબી સાબી એટલે જાપાની જીવન જીવવાની કળા!



Wabi-Sabi is a world view centered on the acceptance of transience and imperfection. They ask us to appreciate the beauty that is imperfect, impermanent and incomplete in nature.

વાબી સાબી નિરાંતભરેલું, ધીમું, ઉતાવળ-રહિત, કુદરતી લયવાળું, શાંત, પ્રાકૃતિક જીવન જીવવાની કળા છે. તે વર્તમાન જીવનમાં વર્તમાનમાં જીવતા શીખવે છે. ધીમા પડીને શાંતિથી ક્ષણેક્ષણનો આનંદ માણો. ઉતાવળ શા માટે?

સાદાઈપૂર્ણ જીવન સાદી સરળ રીતે જીવવાથી ઘણાબધા પ્રશ્નો કે દુઃખો ઉદ્ ભવતા જ નથી. વ્યક્તિગત અપેક્ષાઓ અને જરૂરિયાત ઘટાડવાથી સુખ શાંતિ મળવાની જ છે. અપૂર્ણતા (imperfection) અને અસ્થાયીપણા (impermanence) નો સ્વીકાર (acceptance) કરો.

જીવનમાં સંપૂર્ણતાનું અસ્તિત્વ જ નથી. તેથી સઘળું અપૂર્ણ જ છે. અને અપૂર્ણ જ રહેવાનું છે. તેથી સંપૂર્ણતાનો ખ્યાલ છોડી અપૂર્ણતાને જેમનો તેમ સ્વીકારો અને માણો. વસ્તુની દરેક ફાટ અને દરેક તિરાડનું આગવું સૌંદર્ય છે. આ સમજણ અપૂર્ણતાનો સ્વીકાર કરતા શીખવું શીખવશે. તથા બાહ્ય અને આંતરિક પરિવર્તન જેમના તેમ જ, જેવા છે તેવા, સ્વીકારો. વૃદ્ધાવસ્થાની કરચલી અને ગુપ્તાનો સૌંદર્ય અને મહત્વને માન આપો. ફેરફાર સિવાય કંઈ જ નથી અને જ અસ્થાયી પણ કહેવાય છે તે સમજો. એટલે ધીમા પડી નિરાંતે વર્તમાનમાં જીવવું. સાદાય પૂર્ણ અપેક્ષા રહિત જીવન અને અપૂર્ણ હતા અને સમય જતા થતા પરિણામને લીધે આવતા અસ્થાયીપણાનો સ્વીકાર.

Wabi-Sabi teaches:
  • Impermanence: Nothing lasts forever as it is. Accept impotence of ageing. Enjoy changes in the time by making them interesting.
  • Imperfection: Nothing is ever finished to the perfection. Instead, accept imperfection.
  • Simplicity: Life is empty. Fill it with nobility - humility and simplicity.

આ વાબી સાબી બાબતે બે-ત્રણ મહાનુભવોની વાતો કરવાની લાલચ જ રોકાતી નથી.
  1. Pareto Principal of 80-20: ૮૦% કામ કરવા ફક્ત ૨૦% સમય જાય છે, પરંતુ બાકીના ૨૦% કામ કરવામાં ૮૦% સમય જાય છે. તો વિચારો શું કરવું? તેનો જવાબ આ મુજબ છે.
  2. Robert Watson Watt: Give them the third best to go with. Because the second best comes too late. And the best never comes!
  3. George Stigler: તમે જો વિમાન કોઈપણ વાર ચુકતા ન હો, તો શક્યતા એ છે કે તમે વિમાનઘર પર- એરપોર્ટ પર- ઘણો જ વધારે પડતો સમય ગુમાવવો છો!

આ બધી વાતો ટૂંકો સાર:

જાપાની વાબી સાબી પદ્ધતિ એટલે સાદાઈપૂર્ણ નિરાંતનું જીવન, અસ્થાયીપણાનો અને અપૂર્ણતાનો સંપૂર્ણ સ્વીકાર.


ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઇ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
૩૧/૦૩/૨૦૨૪

અનાવિલોની દશા અને દિશા

લેખક: સુરેશ દેસાઇ, નવસારી

અનાવિલ બુધ્ધિશાળી જ્ઞાતિ છે એ નિ:શંક વાત છે. એની આ બુધ્ધિમતા વારસાગત છે. જો કે અનાવિલોનો વંશકાળ ચોક્કસ નથી. બ્રિટીશ શાસનમાં અનાવિલ જ્ઞાતિનું નામ ચમકતું થયું. બીજી જ્ઞાતિઓને રાવસાહેબ કે રાવબહાદુરનો સરપાવ મળતો હતો એમ અનાવિલોને ‘દેસાઇગીરી‘ મળી. બસો વર્ષ પહેલાં ‘દેસાઇઓ‘ ગણ્યાગાંઠ્યા હતા. બીજા અનાવિલો નાયક,મહેતા,વશી તરીકે ઓળખાતા. દેસાઇઓ એટલે સામાન્ય રીતે મોટા જમીનદાર ! અંગ્રેજો કે મરાઠા માટે જે મહેસુલ ઉઘરાવતા એને એમની મહેનતના બદલામાં મોટી જમીન આપવામાં આવતી. આ મોટી જમીનમાંથી થોડી જમીન દેસાઇઓ એમના સગાંવહાલાંઓને આપતા. એ બધા પછીથી પોતાને દેસાઇ કહેવડાવતા. આમ તો અનાવિલોની ઉત્પતિને રામ રાજ્ય સાથે જોડવામાં આવે છે પણ મોગલ કાળમાં કે એ પહેલાં દેસાઇઓનો ઉલ્લેખ જોવા મળતો નથી.

દેસાઇઓ ગોરા, ઊંચા અને બોલકણા હોવાથી બીજી જ્ઞાતિઓથી જૂદા પડતા. અંગ્રેજોની જેમ દેસાઇઓને પણ હુકમ કરવાનું ગમતું હોવાથી ગામની ‘પટેલગીરી‘ એ હોંશેહોંશે સ્વીકારતા. શિક્ષણ પ્રત્યે અનાવિલોને રૂચિ હતી અને શિક્ષણ દીકરાઓ પૂરતું મર્યાદિત નહી રાખતાં દીકરીઓને પણ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું. જે અનાવિલોની ખેતીની આવક ઓછી હતી એ શિક્ષકનો વ્યવસાય સ્વીકારતા અને પોતાના સંતાનો અને ગામના અનાવિલોના સંતાનો પણ શિક્ષણ લે એવી પ્રથા એમણે પાડી હતી. શિક્ષક સિવાય રેલવે,તલાટી,કાપડ મિલોમાં પણ અનાવિલો નોકરી કરતા.

અનાવિલો ડાંગર, જુવાર, કપાસ, વાલ, મગ, દીવેલા, સીંગ વગેરેની ખેતી કરતા. શાકભાજીનો પાક લેવામાં મહેનત કરવી પડે એટલે એવા રોકડિયા પાકથી એ દૂર રહેતા. લગભગ દરેક અનાવિલને ત્યાં દૂઝાણુ(ગાયભેંસ) રહેતું અને એમાંથી રોજીંદો ખર્ચ નીકળી જતો. જેમાં બહુ મહેનત ના કરવી પડે અને મજૂરો પાસે કામ કરાવી શકાય એવા પાક લેવાનું અનાવિલો પસંદ કરતા. કેરીનો પાક લેવાનું તો પાછળી ચાલુ થયું. અનાવિલો હળપતિઓ પાસે ખેતી કરાવતા એટલે હળપતિઓ સાથે અનાવિલોના માલિક-મજુરના સબધ બંધાયા જે હજુ સુધી ટકી રહ્યા છે.

અનાવિલો ઘર અને જમીન વેચીને શહેરમાં રહેવા આવી ગયા એનાં કારણો જાણવાં જરૂરી છે.બીજા પાસે ખેતી કરાવતા હોવાથી અનાવિલોને ખેતીના ફાયદા સમજાયા નહીં. વધુ ઉત્પાદન અને વધુ આવક આપતા પાકની ખેતી કરવાનું અનાવિલો આળસુ હોવાથી એમને સૂઝ્યું નહીં. સ્વભાવે અનાવિલો આરામપ્રિય રહ્યા છે. આવશ્યકતાથી વધુ મેળવવાનો એમના સ્વભાવમાં નહોતું, અને જો મળે એ ખોટા ખર્ચ કરીને ઉડાવી દેવાતું. જમીન વેચવાનું મોટું કારણ જમીનની પહેલાં નહીં સાંભળેલી કિંમત હતું. ૧ વિઘું જમીનની આટલી કિંમત અનાવિલોએ પહેલાં કદી સાંભળી નહોતી. બીજું કારણ મહત્તમ અનાવિલ ખેડૂતો પાસે પાંચ વિઘાંથી વધારે જમીન નહોતી. ભાઇઓ વચ્ચે જમીન વહેંચાવાથી ઓછી થતી જતી હતી. આટલી જમીનમાંથી લેવાતા પાકમાંથી મળતી આવક પર્યાપ્ત નહોતી થતી. મોજશોખ કરવાનો તો પ્રશ્ન જ નહોતો. જમીનના આટલા ભાવ આવતાં અનાવિલોએ જમીન વેચવા કાઢી. જમીનની જે રકમ આવી એમાંથી શહેરમાં ઘર લઇને વધેલી રકમ બેંક/પોસ્ટમાં મૂકી.લગભગ વાડીગામો અને ચોર્યાસી અને ઓલપાડ તાલુકાને બાદ કરતાં ૭૦% અનાવિલો શહેરમાં રહેવા આવી ગયા. ૨૪ કલાક વીજળી, સિનેમા,નાટક, ટીવી, હૉટલોમાં નાસ્તો અને સાંજે જમવાનું, અંગ્રેજી ભણતર,રાજકારણ –આ બધાં કારણો ગામો તૂટી જવાના કારણો બન્યાં. દક્ષિણ ગુજરાતમાંથી કણબીઓ જમીનજાગીર છોડીને અમેરિકા જતા રહ્યા એ રીતે અનાવિલો પણ ગામ છોડીને શહેરમાં જતા રહ્યા. શહેરોમાં જઇ વસેલો અનાવિલ કામવિહોણો બની ગયો.યુવાનો દિશાહીન બન્યા, લગભગ બધા અનાવિલ યુવાનો ગ્રેજ્યુએટ તો છે જ, પણ ગ્રેજ્યુએટને નોકરી મળવાનું હવે મુશ્કેલ બની ગયું છે ત્યારે શું કરવું એ પ્રશ્ન બની ગયો છે.

અનાવિલોની અત્યારની સ્થિતિ જોઇએ તો લગભગ ૧૫% અનાવિલો વરીષ્ઠ નાગરિકો છે. ૨૦% ૩૫ વર્ષથી ૫૫ વર્ષના આધેડ કે પ્રૌઢ અનાવિલો છે. અનાવિલોની કુલ બે લાખની વસતિમાં ૧% ડૉક્ટર, ૨% એડવૉકેટ,સી.એ,ટ્યુટર વગેરે ૪% એન્જિનિયર, ૨% શિક્ષકો, ૫% વ્યવસાયિકો, ૪% વિદેશમાં વસતા અનાવિલો, ૩૦% ખેડૂતો, ૧૦% નોકરિયાતો(બેંકો,વીમા કંપનીઓ,પ્રાઇવેટ અને લીમીટેડ કંપનીઓ) થોડા બેકારો અને ગૃહિણીઓ છે. ૫% અનાવિલોને બાદ કરતાં બધા સામાન્ય સ્થિતિના છે. અનાવિલોની આર્થિક સ્થિતિ ધીમેધીમે બગડતી જાય છે.


લગ્ન,જનોઇ, ધાર્મિક વિધિઓ પાછળ અનાવિલો મોટા ખર્ચ કરતા થયા છે. યજ્ઞોપવિતની વિધિ બિલકુલ અર્થહીન હોવા છતાં પરંપરાના નામે હજુ વળગી રહ્યા છે.સંતાનોના ઇન્ટરકાસ્ટ મેરેજને અનાવિલો ખુશીથી સ્વીકારે છે. અનાવિલો પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હોવાનું કહેવાય છે પણ મૃત્યુ પછી યોજાતી શ્રાધ્ધ વિધિને હજુ વળગી રહ્યા છે.મેડીક્લેઇમ જરૂરી હોવા છતાં એનાથી અળગા રહે છે.ગરબા અનાવિલોની સંસ્કૃતિ છે અને ગરબાને અનાવિલો વળગી રહ્યા છે.શિવરાત્રિ,રામનવમી વગેરે તહેવારો ઉજવે છે પણ દિવાળીમાં ફટાકડાનો ખર્ચ,સાથિયા,મિષ્ટાન્ન, ભાઇબીજ વગરેનું ચલણ ઓછું થઇ ગયું છે. લગ્નો હજુ પણ સમયસર-મુર્હુત પ્રમાણે યોજાતાં નથી અને ડીજે પર જુવાનિયાઓ અને સ્ત્રીઓ કલાકો સુધી નાચતા રહે છે.

અનાવિલોએ પ્રિવેડીંગ ફોટોશુટ અને લગ્ન પહેલાં દીકરીને સાસરે રહેવા મોકલવા જેવી જોખમી પ્રથાને અપનાવી લીધી છે.દક્ષિણ ગુજરાતના દરેક નાનામોટા શહેરોમાં અનાવિલ મંડળો હોવા છતાં લગ્નપ્રથામાં સુધારા કરવા બાબતે કોઇ વિચાર થતો નથી. અનાવિલ મંડળોમાં સક્રીય સભ્યોની સંખ્યા ખૂબ અલ્પ પ્રમાણમાં છે.ગરબા ઉત્સવમાં હજારો યુવકયુવતી અને આધેડ વયના અનાવિલો ભેગા થાય છે પણ એ સિવાય સામાજિક કાર્યોમાં કોઇને રસ નથી પડતો.અનાવિલ મંડળો રચનાત્મક પ્રવૃતિઓના અભાવે નિષ્ક્રીય બની જાય છે

અનાવિલો હજુ પણ આડંબરી છે. આડંબરી હોવાના કારણે એમને કોઇની આગેવાની સ્વીકાર્ય નથી હોતી. આડંબર,તોછડાઇ ઉપરાંત હોશાતોશી અને અદેખાઇ અનાવિલોના લોહીમાં વહે છે.બહુ ઓછી બાબતોમાં અનાવિલો વચ્ચે સહમતિ સધાતી હોય છે. અનાવિલોને સંગઠિત કરવાનું સરળ છે પણ એમને સક્રીય કરવાનું કામ કઠણ છે. વાદવિવાદ,પોતે જ ખરા હોવાની મમત, જીદ,પદ લાલસા અનાવિલોનો મૂળગત સ્વભાવ છે.રાજકારણમાં અનાવિલોને રસ છે પણ એમનો ત્યાં કોઇ ભાવ નથી પૂછાતો.બહુ નાની સંખ્યા હોય એવી જ્ઞાતિઓ સંપીલી હોવાના કારણે આગળ નીકળી જાય છે અને અનાવિલો પાછળ રહી જાય છે.

અનાવિલોને ભૂતકાળ નડે છે. ભૂતકાળમાં અનાવિલની સામાજિક પ્રતિષ્ઠા હતી, જમીનદારી હતી,શિક્ષણ હતું, મહત્વનાં સ્થાનો ઉપર પદ શોભાવતા હતા,રીતિરિવાજોમાં અગ્રસર હતા,શિક્ષણ અને ખેતીના અભાવે બીજી જ્ઞાતિઓ આર્થિક રીતે પાછળ હતી ત્યારે અનાવિલો ખાધેપીધે સુખી હતા.પણ આળસ,અહંકાર, તોછડાઇ અને સામાજિક બદલાવ સાથે એડજસ્ટમેન્ટ સાધવાની અનીચ્છાએ અનાવિલો પાછળ પડતા ગયા.

અનાવિલોએ પોતાની જ્ઞાતિને વિકાસના પંથે લઇ જવાના ઉપાયો વિચારવા જોઇએ.


લેખક સુરેશભાઈના બીજા લેખો 

[Video] “નરસૈયો” - આદિકવિ નરસિંહ મેહતાનું જીવન દર્શન

“નરસૈયો” - આદિ કવિ નરસિંહ મહેતાનું જીવન દર્શન 
ગણદેવી તાલુકા સીનિયર સિટિજન વેલફેર ટ્રસ્ટ ખાતે ડૉ. ભરતચંદ્ર દેસાઈનું પ્રવચન



નસિંહ મેહતા શ્રેણીના બીજા વ્યક્તવ્યો:

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ.

મહાજન પદો (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦) 
મૌર્ય યુગ પૂર્વે નો સમય 
  1. ગણતંત્ર (Republican): રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી.
  2. વારસાગત (Hereditary): રાજા નો પુત્ર વારસદાર તરીકે રાજા બનતો.


સામાજિક સ્થિતિ

સમાજ વ્યવસ્થામાં ચાર વર્ણાશ્રમ પદ્ધતિ વધારે પ્રચલિત હતી. બ્રાહ્મણ અને ક્ષત્રિયોનો દરજ્જો ઊંચો મનાતો.શુદ્રોને અસ્પૃશ્ય અને ખાણીપીણીમાં જુદા રખાતા, ઉપરાંત ગુલામી જેવા કામો કરવાતા.

ચાર વર્ણો: અધ્યાપન, યાજન અને પ્રતિગ્રહ બ્રાહ્મણોનો વિશિષ્ટ ધર્મ ગણાયો. તો શસ્ત્રાજીવ અને ભુતરક્ષણ ક્ષત્રિયનો વિશિષ્ટ ધર્મ મનાયો. કૃષિ,પશુપાલન અને વાણિજ્ય વૈશ્યનો વિશિષ્ટ ધર્મ બન્યો. છેલ્લા શુદ્રોને ત્રણવર્ણના લોકોની સેવા,કારૂકર્મ અને કુશીલકર્મ જેવા નિમ્નકાર્યો મળ્યા.

ચાર આશ્રમો: આ જ રીતે જીવનની ચાર અવસ્થાઓમાં પ્રથમ બ્રહ્મચર્ય વિદ્યાપાર્જન માટે ગણાવી. ગૃહસ્થ સામાજિક જીવનની બીજી અવસ્થા ગૃહસ્થાશ્રમ હતી. ગૃહસ્થ અધ્યયન, યજન, દાન અને અર્થોપાર્જન દ્વારા મહાયજ્ઞો દ્વારા ઋષિ, દેવ,પિતૃ ,મનુષ્ય અને ભૂત પ્રત્યેના કર્તવ્યો અદા કરતો. વાનપ્રસ્થાશ્રમમાં મનુષ્ય ગૃહસ્થ જીવનમાંથી નિવૃત્ત થઈ તાપસ જીવનની ચર્ચા અપનાવી સન્યાસાશ્રમમાં સંસારિક બંધનો ત્યાગી સંન્યાસ ધારણ કરી પરિવ્રાજક ધર્મ અપનાવી ગૃહસ્થોને આધ્યાત્મિક માર્ગદર્શન આપતો.

સ્ત્રી: સ્ત્રીઓ ગૃહિણી બની ગૃહકાર્ય, કુટુંબના સભ્યોની કાળજી અને પતિની સેવા કરે તે અપેક્ષિત ગણાતું. પુત્રીને શિક્ષણ અપાતું. વિવાહ સંબંધમાં કન્યાને વર (સ્વયંવર દ્વારા) પસંદકરવાનો હક રહેતો. શીલ અને લજજા કુલાંગનાનાવિશિષ્ટ ગુણ ગણાતા. કોઈ સ્ત્રી ગણિકા કે નગરવધુ તરીકે જીવન જીવતી તો કોઈ સ્ત્રી પરિવ્રાજિકા, ભિક્ષુણી કે સાધ્વીનું જીવન અપનાવતી.

ગુલામી (દાસત્વ)ની પ્રથા ચાલુ હતી.

લગ્ન: વિવાહની પ્રાચીન ભારતમાં આઠ પદ્ધતિઓ પ્રચલિત હતી. 
  1. સ્વયંવર: કન્યા જાતે પતિને પસંદ કરે.
  2. આર્યવિવાહ: ગોદાનના બદલામાં મેળવાતી કન્યા સાથે લગ્ન 
  3. ગાંધર્વ વિવાહ: પોતાની પરસ્પર પ્રીતિથી યોજાતા સંબંધ પછી લગ્ન 
  4. દૈવ વિવાહ: ઋત્વિજને અપાતા કન્યાદાન દ્વારા લગ્ન 
  5. રાક્ષસ વિવાહ: કન્યાને બળાત્કારે ઉપાડી જઈને લગ્ન 
  6. પૈશાચ વિવાહ: ઊંઘતી, મત કે ઉન્મત કન્યાને પરણી જવાની બળજબરી
  7. આસુરવિવાહ: દ્રવ્ય આપી મેળવાતી કન્યા સાથે લગ્ન 
  8. બ્રાહ્મવિવાહ: કોઈપણ પરિગ્રહ કે અપેક્ષા વિના વિભૂષિત કન્યાનું દાન દેવાતા લગ્ન

પુરુષોમાં અનેક વિવાહની છૂટ હતી.

કન્યાના લગ્ન ૧૬ વર્ષથી પુખ્ત વય પછી થતો. સ્ત્રીઓમાં વૈધવ્ય બાદ પુનર્વિવાહ થઈ શકતા. 

નંબરરાજ્યરાજધાનીરાજારાજ્યનો વિસ્તારનોંધ
અંગ (બિહાર)ચંપાનગરી (હાલનું બિહાર)દધિવાહનઆધુનિક બિહારના ભાગલપુર અને મુંગેર જીલ્લા
મગધ (દક્ષિણ બિહાર)ગિરિવ્રજ (રાજગૃહ)બિંબિસાર (અજાતશત્રુ)પટના અને ગયા જીલ્લોરાજગાદી માટે પિતૃહત્યા
કાશી (દક્ષિણ- પૂર્વ ઉત્તર પ્રદેશ)વારાણસીબ્રહ્મદત્ત-શિલ્પ, વેપાર અને સમૃદ્ધિ માટે પ્રસિદ્ધ હતું.
કૌશલ (ઉત્તરપ્રદેશ નું હાલનું અવધ) ઈ.પૂ. ૪૮૧ઉત્તરે: શ્રાવસ્તી
દક્ષિણે: કુશાવતી
પ્રસેનજિત પૂત્ર વિદુરથઆધુનિક ઉત્તરપ્રદેશ ના સાકેત, અયોધ્યા અને શ્રાવસ્તીા- મગધના રાજા અજાતશત્રુ જોડે પુત્રી પરણાવી
- અજાતશત્રુ જમાઈ
 - પિતા ને પદભ્રષ્ટ કરી પુત્ર વિરુદ્ધ રાજા બન્યો.
વજિ (વ્રજી)
વિદેહજનપદ
વૈશાલી જનપદ
વૈશાલી (મિથિલા)-બિહાર, નેપાળ- આઠ નવ ગણરાજ્યોના સમૂહ (સંઘ)
- વિશ્વના પ્રાચીનત્તમ ગણરાજ્યના જન્મદાતા
મલ્લ
હિમાલયની તળેટીમાં (ઉત્તર પ્રદેશ)
કુશિનારા અને પાવા-ગોરખપુર જિલ્લો દેવરિયા-ગોરખપુરનો વિસ્તારઆઠ-દસ  ગણરાજ્યોનો સમૂહ
ચેદિ (ચેતી)ઉત્તર ચેદી: નેપાળ
દક્ષીણ ચેદી: બુંદેલખંડ
-યમુના અને નર્મદા નદી વચ્ચેનો પ્રદેશ અને મધ્યપ્રદેશ(બુંદેલખંડ) (U.P. and M.P.)
વત્સકોસાંબી (હાલનું પ્રયાગ)-ઉત્તરપ્રદેશ (અલ્હાહાબાદ ) પ્રયાગની આજુબાજુનો પ્રદેશ
કુરુ (હરિયાણા)હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રસ્થ-થાનેશ્વર, બરેલી અને મિરત જીલ્લો
૧૦પંચાલ (ઉત્તરપ્રદેશ)ઉત્તર પંચાલ: અહીછત્ર (બરેલ જીલ્લો) દક્ષિણ પંચાલ: કામ્પીલ્ય (ફારુખાબાદ જિલ્લો)-બંદાઉં, બરેલી અને ફારુખાબાદ જીલ્લો
૧૧મત્સ્ય
રાજસ્થાન
વિરાટ (જયપુર નજીક)-રાજસ્થાનના અલ્વર, ભરતપુર અને જયપુર જીલ્લા
૧૨સુરસેન (ઉત્તરપ્રદેશ)મથુરા-કુરુ ની દક્ષિણ અને ચેદીનો પશ્ચિમોત્તરભાગ
૧૩અશ્મક
દક્ષિણ ભારતમાં ગોદાવરી નદીના કિનારે
પૈઠણ-ગોદાવરી નદીનો તટવર્તી પ્રદેશ
૧૪અવંતી (માળવા)
મધ્યપ્રદેશ
ઉજ્જૈનપ્રદ્યોત-
૧૫ગાંધાર
પશ્ચિમ પાકીસ્તાન
તક્ષશિલા-પાકીસ્તાન અને અફઘાનીસ્તાનના પેશાવર અને રાવલપીંડી જીલ્લાા
૧૬કામ્બોજ (પછછીમ પાકિસ્તાન)રાજૌરી (હઝારા જીલ્લો)-જમ્મુ કાશ્મીરના પ્રદેશ દ્વારકા મુખ્ય નગરી
-આ ઉપરાંતના જનપદો-કૈકેય મદ્યકસિન્ધુ – અંબાઈ- આન્ધ્ર, દ્રવિડ, સિની કલીંગ, સિંહલ, વિદર્ભ

મગધ સામ્રાજ્ય



I. હર્ચક વંશ 

સ્થાપક: 
  1. બિમ્બીસાર (ઇ.સ.પૂર્વે  ૫૪૪ - ૪૯૨) 
  2. અજાતસત્રુ (ઇ.સ.પૂર્વે  ૪૯૨ - ૪૬૦) 
  3. ઉદયન (ઇ.સ.પૂર્વે  ૪૬૦-૪૪૪) 
  4. નન્દીવર્ધન 
  5. મુંડ
  6. મહાનંદી
  7. અંતિમ શાસક: નાગદશક

II. શિશુ નાગવંશ (ઇ.સ.પૂર્વે  ૪૧૨ - ૩૯૪) 
સ્થાપક:
  1. શીશુનાગ (ઇ.સ.પૂર્વે  ૪૧૪ - ૨૯૪)
  2. કાલશોક
  3. અંતિમ શાસક: નંદીવર્ધન

III. નંદવંશ (૩૪૨-૩૨૨ BC)
સ્થાપક: 
  1. મહાપદ્યનંદ
  2. અંતિમ શાસક: ધનનંદ

મગદ સામ્રાજ્ય ૧૬માંથી ૪ અને ૪માંથી એક માત્ર મોટું મહાજનપદ બન્યુ!

મગજ સામ્રાજ્યના વિકાસના કારણો
  1. ભૂગોળ રાજધાની રાજગીર પર્વતોથી રક્ષાયેલ
  2. યુદ્ધમાં પ્રથમવાર હાથીના ઉપયોગ
  3. વિકાસ પામેલા સમાજ
  4. બિમ્બીસાર અને અજાતસત્રું જેવા સાહસિક અને મહત્વાકાંક્ષી રાજા
  5. લોખંડના હથિયારો બનાવ્યા લોખંડના ખાણોની શોધ પછી લોખંડના હથિયારો બનાવ્યા.
કરુણ હકીકત : અજાતશત્રુથી નાગદશક સુધીના બધા રાજા પિતૃહત્યા કરીને ગાદીએ આવ્યા હતા.
હર્ચકવંશ 
  • બીમ્બીસાર (ઇ.સ.પૂર્વે  ૫૪૪-૪૯૨): સંસ્થાપક મહાત્મા બુદ્ધના મિત્ર અને સંરક્ષક હતા.સામ્રાજ્યમાં ૮૦૦૦૦ ગામો હતા. બીમ્બીસાર અંગના શાસક બ્રમ્હ્દત્તની હત્યા કરી મગઘમાં ભેળવી દીધું ઉપરાંત તેને લગ્નથી કાશી દહેજમાં કૌશલના રાજાએ આપ્યું.
  • રાજધાની : રાજગૃહ 
  • અજાતશત્રુ (ઇ.સ.પૂર્વે  ૪૯૨ - ૪૬૦): બિમ્બીસારની હત્યા કરી રાજા બન્યો. કૌશલ અને વૈશાલીના યુદ્ધમાં “મહાશીલાકન્ટક અને રથમુસલ” જેવા હથીયારો વાપરી જીત મેળવી મજ્જીઓંના સંયુક્ત ગણસંઘને પણ હરાવ્યુ. રાજધાની પાટલીપુત્ર બનાવી.
  • શીશુનાગવંશ (ઇ.સ.પૂર્વે  ૪૧૨ - ૩૪૫): નાગદશકને પદભ્રષ્ટ કરી શીશુનાગ વંશ ની સ્થાપના શીશુનાગ વંશની સ્થાપના શીશુનાગે (ઇ.સ.પૂર્વે  ૪૧૨ - ૩૯૪) કરી શુદ્ર વંશનો રાજા જે નાગદશક નો અમાત્ય હતા તેના પછી કાલાશોક (ઇ.સ.પૂર્વે  ૩૯૪ - ૩૬૬) રાજા બન્યો નંદીવર્ધન આ વંશનો છેલ્લા રાજા હતો.
  • નંદવંશ (ઇ.સ.પૂર્વે  ૩૪૪ - ૩૩૪): મહાપદ્યનંદ નંદવંશના સ્થાપક બન્યા તેમણે કૌશમ્બી કૌશલ અવંતી અને કલિંગ જીતી મગધમાં મેળવી લીધા છેલ્લા રાજા ધનનંદ ને પરાજીત કરી ચાણક્યે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્યવંશ ની સ્થાપના ઇ.સ.પૂર્વે  ૩૨૩ માં કરાવી ઇ.સ.પૂર્વે  છઠ્ઠી સદીમાં ઈરાનીઓનું અને ઇ.સ.પૂર્વે ૪થી સદીમાં ગ્રીકોનું ભારત પર આક્રમણ થયું. આર્યો મધ્યપ્રદેશ તરફ યુદ્ધ કરતા હતા ત્યારે પહેલાં ઈરાનીઓ અને પછી મેસેડોલ્ફિયાના લોકો ભારતની વાયવ્ય સરહદે ચઢી આવ્યા. 

આમ આપણે મહાજનપદોની વિગતવાર માહિતી લીધી અને તેમાંથી બનેલ મગધ સામ્રાજ્ય જાણ્યુ. ત્યાર પછી ગ્રીકો, હુણ, કુષાણો અને શક લોકોએ ભારત ઉપર ઉત્તર-વાયવ્ય સરહદે ચઢી આવ્યા તેની વાતો જાણીશું.

મહાન સિકંદર (Alexander - The Great)

Alexander III 
356-323 BC
Macedonia

વિશ્વવિજેતા સિકંદર મહાન ફિલસૂફ ડાયોજેનીઝને મળવા જાય છે અને કહે છે : “બોલ તારી જે કંઈ ઈચ્છા હોય તે અબઘડી પૂરી કરી દઉં.” દરિયા કિનારે નિર્વસ્ત્ર આનંદ કરતો ડાયોજેનીઝને સિકંદરને જવાબ આપે છે જે આપણે સૌએ કાયમ સમજવા જેવો છે. ડાયોજેનીઝકહે છે “અરે મૂર્ખ, તારા જેવો દરિદ્વ મેં બીજો કોઈ જોયો નથી મને આપવા કરતા તુંજ તને સમય, આપ. ઘડીક બેસીને શાંતિથી ચિંતા કર છેલ્લી લડાઈ પૂરી કરીને પછી આપવાની વાત કરનાર સિકંદરને ડાયોજેનીઝ જ્ઞાન આપે છે તૃષ્ણા અને વાસનાની તારી આ યાત્રા કદી પૂર્ણ થવાની નથી તું ખાલી હાથ જગતમાંથી વિદાય થશે. જે આજે અને આ ક્ષણે પોતાનો ઉદ્ધાર નથી કરતો તેમની કાલ કદી પડતી નથી.”

ભારતથી પરત ફરેલા સિકંદરની બેબીલોન આગળ તબિયત ખરાબ થઈ જતાં અંતિમ ઘડી આવે છે ત્યારે સિકંદર તેના સેનાપતિને પોતાની આખરી ઈચ્છા કહે છે:
  1. જે ડોક્ટરે આ મારી અંતિમ સારવાર કરી છે તેમને મારી શબ પેટી ને કબ્રસ્તાન લઈ જવા કહેશો, જેથી ડોક્ટર ફક્ત સારવાર આપી શકે, પણ જીવન લંબાવી શકતા નથી, તે લોકો સમજે.
  2. શબયાત્રા દરમિયાન મારી સંપત્તિનું પ્રદર્શન કરશો, જેથી લોકો સંપત્તિની નિરર્થકતા સમજે.
  3. શબપેટીની બહાર મારા બંને હાથ ખુલ્લા રાખશો, લોકો જે જોઈને સમજશે કે 32 વર્ષે સમગ્ર વિશ્વ જીતનાર સિકંદર પણ કંઈ પણ લીધા વગર ખાલી હાથે જાય છે. અરે, વૃદ્ધમાંને મળવાની નાની ઈચ્છા પણ પૂર્ણ કરી શકતો નથી.
આ પૂર્વભૂમિકા લઈને, ચાલો, મહાન સિકંદરના પરાક્રમો અને યુદ્ધોના વિજયોને સમજીએ. જેથી છેલ્લે, કંઇક આત્મનીરીક્ષણ કરવાની પ્રેરણા મળશે કે?

પિતા રાજા ફિલિપ II અને માતા ઓલમ્પિયાનો પુત્ર સિકંદર મેસૉડૉનિયામાં જનમ્યો હતો અને ફક્ત 33 વર્ષની વયે બેબીલોનમાં ટાઈફોઈડ, મેલેરિયા કે ખોરાકમાં ઝેર આપવાને કારણે મૃત્યુ પામ્યો હતો. તે 16 વર્ષના અભ્યાસ પછી, 12 વર્ષના યુદ્ધો દ્વારા વિશ્વ વિજેતા બન્યોહતો. તેથી મહાન સિકંદર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ નામે પ્રખ્યાત થયો હતો. ઇતિહાસમાં પ્રાચીન સમયમાં સિકંદરના રાજ્યનો વિસ્તાર સૌથી વધારે હતો જેમાં વર્તમાન સમયના ગ્રીસમેસેડોનિયા તુર્કિસ્તાન, સીરિયા, આફ્રિકા, ઇજિપ્ત, ઈરાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના ભાગો જીત્યા હતા. કદાચ વર્ષો પછી માત્ર ચંગીઝખાન અને ત્યારપછી બ્રિટિશરોએ એટલો વિસ્તાર કબજે કર્યો હતો. સિકંદર ગ્રીક ભગવાન Zeus નો પુત્ર માનતો હતો, તેથી તેનામા દેવી શક્તિ હોવાનું પણ મનાતું.

સિકંદરના પિતા રાજા ફિલિપ્સને સિકંદરમાં બાળપણથી મહાન રાજા બનવાના લક્ષણો દેખાયા હતા તેથી તેને મહાન વિદ્વાન ફિલસુફ અને રાજકારણના નિષ્ણાંત એરિસ્ટોટલ, પ્લેટોઅને સેક્રોટીસ પાસે ભણાવ્યો હતો, બાળપણમાં 12 વર્ષના બાળક સિકંદરે “બેસેફેલેસ”નામના તોફાની ઘોડાને કાબુ કરી બતાવ્યો હતો, ત્યારથી ઘોડો “બેસેફેલેસ” તેનો કાયમી સાથી બન્યો હતો. યુદ્ધમાં સાથે લડતા લડતા ભારત સાથે લડાઈમાં માર્યો હતો.

16 વર્ષના સિકંદરને યુદ્ધમાં લડવા મોકલ્યો હતો અને તે જીત્યો હતો.

18 વર્ષે હરાવવું મુશ્કેલ એવું કોરોનીયા યુદ્ધ જીત્યો.

20 વર્ષે રાજા ફિલિપિન્સનું ખૂન કરનાર વિદ્રોહીઓને મારી હટાવ્યો. કારણ પિતાનું તેના રક્ષકોએ ખૂન કર્યું હતું, 20 વર્ષે જ માતા ઓલમ્પિયની ઈચ્છા મુજબ રાજા બન્યો.


રાજા તરીકે વિશ્વ વિજેતા બનવાની મહાત્વાકાંક્ષાને કારણે પૂર્ણસમયે યુદ્ધોમાં રમમાણરહ્યો.
  1. પહેલા સંપૂર્ણ ગ્રીક વિસ્તાર જીત્યો
  2. ઈરાન = પર્શિયા જીત્યું - રાજા ડરાયસ III ને ટર્કીમાં ઇસુસના યુદ્ધમાં (Battle of Issus) હરાવ્યો. હારેલ રાજા ભાગી જાય છે ત્યારે ગુસ્સે થયેલ લોકોએ પકડીને તેનું ખૂન કર્યું. સિકંદરે ઇરાનના રિવાજો પ્રમાણે વર્તન કર્યું અને તેવા કપડાં પહેર્યા જોકે ઈરાના લોકોએ તે ગમ્યું નહીં (331 BC)
  3. ટાયરેના યુદ્ધમાં(Seize of Tyre) 332 BC માં ઇઝરાયેલ નો ટાપુ જીત્યું 8000 લોકો મરાયા અને 30,000 લોકો ગુલામ તરીકે પકડાયા.
  4. ઈજિપ્ત વિના યુદ્ધે જીત્યો. લોકોએ તેને આવકાર્યો. ઇજિપ્તના રિવાજ મુજબ ધાર્મિક વિધિ કરી રાજા બન્યો.
  5. ભારતની સમૃદ્ધિને કારણે આકર્ષાયેલ સિકંદર 327 BC માં હિન્દુકુશ પર્વતો વટાવી જેલમ નદીને કિનારે યુદ્ધ માટે આવ્યો.
સિકંદરની ભારતની ચડાઈઓ (મેસોડનીયા ના આક્રમણો)

16 મહાજન પદોના રાજ્યોનું બનેલુ ભારતના, વાયવ્ય ભાગમાં અનેક જુદી જુદી રાજસત્તાઓ પ્રવર્તતી હતી. પણ એમની વચ્ચે કોઈ સંગઠન નહોતું.

કેટલાક રાજ્યોએ કાયરતાથી અને કેટલાકે પરસ્પરની ઈર્ષાથી એને આવકારવા સંદેશો મોકલ્યો.

હિન્દુકુશ, પુષ્કલાવતી, કાબુલ વગેરે પ્રદેશના રાજાઓએ સરળતાથી સીધી જ અધિનતા અંગિકાર કરી લીધી. ભારતના ઇતિહાસનો સૌપ્રથમ દેશદ્રોહીઓ એવા તક્ષશિલાના રાજાએ પોતાના પુત્ર આંભીને મોકલી, હિંદ પર ચઢાઈ કરે તો મદદ કરવાનું કહેણ મોકલ્યું. સરહદનો બીજો રાજા શશીગુપ્ત પણ સિકંદર ને સહાય કરવા દોડી ગયો.

આમ, ભારતના ઇતિહાસના કલંક એવા દેશદ્રોહીઓ તરીકે આંભી અને શશીગુપ્તને યાદ કરવા રહ્યા. 

સિકંદરનો ચડાઈએ ભરતીઓની આંતરિક નબળાઈઓ ખુલ્લી પાડી. પરદેશી આક્રમણનો સામનો કરવા નાના રાજ્ય અક્ષમ હોવાથી મોટું બળવાન સામ્રાજ્ય હોવું જરૂરી છે સિકંદરમાં વિજેતા બનવાની ધૂનને કારણે જંગાલીયતનું પ્રદર્શન જોવા મળ્યું. મગધ સામ્રાજ્ય મદદે ન આવ્યુ. રાજ્યો સંગઠિત નહોતા, ઉપરાંત આંતરિક ખટરાગથી પ્રેરાય દેશદ્રોહનું વલણ અપનાવ્યું.

હાઇડાસ્પેશનું યુદ્ધ (Battle of Hydaspes): જેલમ નદી નું યુદ્ધ

જેલમ અને ચિનાબ નદી વચ્ચેના પ્રદેશમાં રઘુવંશી રાજા પર્વતક=પૂરુ=પોરસે યુદ્ધમેદમાં મળવા સિકંદરને લલકાર્યો. 40,00૦ ના સિકંદરના ઘોડેસવાર સૈન્યે પ્રથમવાર યુદ્ધમાં પોરસના હાથીઓનું યુદ્ધ જોયું- હારવાનો ભય લાગ્યો પણ કપટી સિકંદરે ચૂપચાપ નદી ઓળંગી પાછળથી આવી આક્રમણ કર્યું, ઉપરાંત વરસાદ પડવાથી અને કાદવમાં રથ ખૂંપી જવાથી,ગજદળ અશ્વદળનો સામનો ન કરી શક્યું. 

પૂરું હાર્યો – સૈનિકોએ સિકંદર સમક્ષ પુરુને રજૂ કર્યો. સિકંદરે પૂછ્યું: તારી સાથે કેવો વર્તાવ કરું? પૂરુંએ કહ્યું: રાજા તરીકે (Treat me as a King) સિકંદરે પૂરુંને એનું રાજ્ય પરત કરી વિશ્વાસુ ઉપરાજ બનાવ્યો અને (Vessal State) સમાંતર રાજ્ય બનાવ્યું. 

ત્યાર પછી સિકંદરે ગ્લચૂકાયનોનાં ગણરાજ્યને અને સાકલના કઠ લોકોને હરાવી યુદ્ધ જીત્યા. 

મદક દેશના પૌરવ, સૌભૂતિ અને ભાગલના રાજ્યોએ યુદ્ધ વિના સિકંદરનું આધિપત્ય સ્વીકાર્યું. 

સૈનિકોએ આગેકૂચ કરવાની સાફ ના પાડી દેતા, સિકંદર સંપૂર્ણ ભારત જીતવાની મહેચ્છા છોડી ભારે હ્રદયે પાછો ફર્યો. 

-પરત ફરતા રસ્તામાં બેબિલોન ખાતે 323 BC અકાળે સિકંદર અવસાન પામ્યો. ત્યાર પછી યુનાની સત્તા બે ત્રણ વર્ષમાં અસ્ત પામી.મહાન સિકંદર બાર વર્ષમાં એક પણ યુદ્ધ હર્યો નહીં. 

આમ, વિશ્વવિજેતા બનવા બાર વર્ષથી સતત યુદ્ધો કરતો સિકંદર ખાલી હાથે મૃત્યુ પામ્યો. (323 BC)