Skip to main content

ઢળતી ઉંમરે તન-મનની માવજત

ઢળત્તી ઉમરે તન-મનના માવજત. (૨૦૧૬)

લેખક: પ્રો. ગણેશભાઈ કે. પટેલ
પુરત્તક પરિચય: ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ

પુરત્તક પરિચય આપનાર પાસે વાચક પુસ્તક કેવું છે, કયા વિષયની છણાવટ કરેલી છે, લેખક કોણ છે, જેવી માહિતીની અપેક્ષા રાખે છે. ઉપરાંત પુસ્તક કાગળ, છાપકામ, જોડણી અને ચિત્રોથી સજાવેલ છે કે કેમ તે પણ જાણવા ઈચ્છે છે.


ચાલો, લેખકના પરિચયથી વાત માંડીએ. સંબંધોમાં અતિ પરિચય ધણી વખત વ્યક્તિના બૌદ્ધિક કે લેખનશક્તિ વિષયક અવમૂલ્યન વહોરતો હોય છે. તે ન થાય એટલા માટે લેખક પ્રો. ગણેશભાઈ કચરાભાઈ પટેલને ઓળખવા જરૂરી છે. તેઓ ભૌતિકશાસ્ત્રમાં B. Sc., M. Sc. અને M. Phil. ડિગ્રી ધરાવતા બીલીમોરાનાં વી. એસ. પટેલ કોલેજમાં ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે ૨૦૦૨માં નિવૃત્ત થયા છે. એન.સી.સી.ના તાલીમી, એન.એસ.એસ.માં તાલીમ આપનાર પ્રોગ્રામ ઓફિસર હોવા ઉપરાંત બ્રહ્માકુમારી, વિપશ્યના અને આર્ટ ઓફ લિવિંગના નિષ્ણાંત પણ છે. હાક્પ્રાયો (હાસ્ય, કસરત, પ્રાણાયામ અને યોગ) કલબ બીલીમોરાના સ્થાપક છે. સીનીપર સીટીઝન કલબ બીલીમોરાના સ્થાપક, આજીવન સભ્ય અને હાલમાં મત્રી છે.

એમની મહાનતા એમના પુસ્તક “અર્પણ” ના પાત્રમાં છલકે છે. આ પુસ્તક તેમણે ધર્મપત્ની શ્રીમતી રૂક્ષ્મણીબેનને અર્પણ કર્યું છે. એમણે નમ્રભાવે પોતાના લગ્નજીવન બદલ ધર્મપત્નીને બિરદાવી છે. કદાચ દક્ષિણ ગુજરાતના પુરૂષો માટે આ અપવાદરૂપ અને તેમ છતાં અનુકરણીપ ધટના કહેવાય.

ચાલો, ધીરે ધીરે પુસ્તક પરિચય કરવા માંડીએ.

૧૦-૯૭ : પ્રણવધ્વનિ  - ઓમ્

ઑમનું ઉચ્ચારણ મનને વિચારરહિત કરવામાં મદદરૂપ થાય છે. લંબાણપૂર્વક, મધુર અને કર્ણપ્રિય ઉચ્પારણને પ્રણવધ્વનિ કહે. છે. પ્રણવમુદ્રામાં બેસીને શ્વાસને અંદર ભર્યા પછી, રોકયા સિવાય ઓમના લાંબા ઉચ્ચાર સાથે ખુલ્લા ગળામાંથી મધુર ગુંજરવ સાથે બહાર કાઢવામાં આવે છે.

૯-૯૧: પ્રાણાયામ 

વૃવ્દ્વાવસ્થા ધીમી પાડવા, અનિંદ્રાથી મુક્ત થવા અને હતાશા, તાણ, નિરાશા, ચિંતા જેવી નકારાત્મક લાગણીઑથી છૂટવા પ્રાણાયામ ખૂબ યોગ્ય કસરત છે.

સહજ પ્રાણાયામ 
  1. સાવધાન સ્થિતિમાં ઉભા રહીને કે બેસીને મનને શ્વાસ સાથે રાખીને, ઊંડો પૂરક શ્વાસને અંદર ભરતા જઈ, શ્વાસને સહન થાય ત્પાં સુધી રોકી રાખીને (કુંભક) ત્યાર પછી શ્વાસને ધીમે ધીમે બહાર કાઢતા જઈ પૂર્ણ રેચક કરવાનો હોય છે. ત્યાર પછી શ્વાસને બહાર રોકવાનને હોય છે.
  2. ડુંટીને ઝાટકાથી અંદર ખેંચવાની પ્રક્રિયા તે કપાલભાતી.
  3. લુહારની ધમણની જેમ છાતી ફૂલાવીને પૂરક અને સંકોચીને રેચક કરવાના પ્રાણાયામને ભિસ્ત્રિકા પ્રાણાયામ કહે. છે.
  4. અનુલોમ-વિલોમ પ્રાણાયામમાં વારાફરતી જમણા અને ડાબા નાકને બંધ કરીને શ્વાસ લેવાનો હોય છે.
૮-૮૯: મૌન 

(૧) મુખ બંધ રાખી વાણીવિહીન બનવાથી અને મુખથી કોઈપણ પ્રકારનો શબ્દોચ્ચાર ન કરવો તે વાણીનુ' મૌન છે. (૨) પાંચે કર્મેન્દ્રિયો દ્વારા કોઈપણ પ્રકારનું કાર્ય ન કરવાની અકર્તા સ્થિતિ એ કર્મથી પળાતું મૌન છે. (3) માનસિક મૌન એટલે કોઈપણ બાબતની માનસિક પ્રતિક્રિયા પેદા ન થવા દેવી, એટલે કે ફક્ત સાક્ષીભાવ કેળવવું. (૪) આમ ત્રણે રીતે મન જ્યારે તરંગવિહિન શાંત બને ત્યારે આપણામાં રહેલા ચૈતન્યનું અનંત સાથે અનુસંધાન થાય છે.

૧૩-૧૦૫: સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કાર મૂળભૂત રીતે સૂર્યની ઉપાસના, સૂર્યની સામે મોં રાખી, નમસ્કારની મુદ્રામાં બન્ને હથેળીઓ ભેગી કરી "ૐ સૂર્યાય નમઃ" મંત્રનું ઉચ્ચારણ કરી શ્વાસ રોકો. આ રીતે શરૂ કરી સૂર્યનમસ્કારની બાર વિધિ સ્થિતિઓ (મુદ્રાઓ) દ્વારા કરવામાં આવે છે.

૧૨-૧૦૨: શવાસન

શવ + આસન = મડદું જેવી શરીરની ચોકક્સ પ્રકારની સ્થિતિ
  • Lie Down - સપાટ જમીન ઉપર બન્ને પગ વચ્ચે આશરે એક કે દોઢેક ફૂટનું અંતર રહે તેટલા પહોળા કરી, બન્ને હાથને બાજુએ પ્રસારી, પીઠ ઉપર, આરામદાયક સ્થિતિમાં ચત્તાપાટ સૂઈ જવું.
  • Relaxation - શરીરના દરેક અવયવને વારાફરતી સહેજ ખેંચાણ આપી એટલે કે સખત કરી, કે સહેજ અધ્ધર ઉપાડી પછી નીચે મૂકીને તેમનામાં સ્નાયુઓની ઢીલાશ પેદા કરવાની હોય છે. જીવંત શરીર ચોકક્સ સમય માટે મરી જઈ લાશ જેવું ઢીલું ઢસ થઈ જવું જોઈએ.
  • Respiration - શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર મનને કેન્દ્રિત કરવાનું હોય છે. શ્વાસ લેતી વખતે પ્રાણશક્રિત અંદર આવતી હોય અને કાઢતી વખતે પીડા બહાર જતી હોય એવો સાક્ષીભાવ કેળવવો જોઈએ.
૧૧-૧૦૦: ઝડપી ચાલ (Brisk Walk)

સૂર્યોદય સમયે, ખાલીપેટે અથવા હૂંફાળું કે લીબુવાળું પાણી પીને, બૂટ પહેરીને (દસ મિનિટમાં એક કિલોમીટર અંતર કાપવાની ચાલથી) ઉનાળામાં ખૂલ્લાં કપડાં અને શિયાળામાં ગરમ કપડાં પહેરીને ચાલવું. ચાલતી વખતે મૌન પાળવું જરૂરી છે. ચાલતી વખતે મનને ચાલવાની પ્રક્રિયામાં પરોવવાથી મન ધ્યાનની પાપ્તિનો આનંદ અનુભવી શકે છે.

૩-૨૬: સમતોલ આહાર (Balanced Diet)

શર્કરા, ચરબી અને પ્રોટીન જેવા મુખ્ય ધટકો અને સાથે વિટામીન, ક્ષાર અને પાણી એ સમતોલ આહારમાં જરૂરી છે. હંમેશાં થોડા ભૂખ્યા રહીને ખાવું જોઈએ. ખૂબ ચાવીને ધીમે ધીમે ખાવું જરૂરી છે. તાજાં ફળો, સૂકામેવા તથા છાશ, લીંબુ સરબત કે મગનું પાણી જેવા પ્રવાહી લેવા જોઈએ. રંગબેરંગી ખોરાક અવશ્ય લો.

વિરૂદ્વ આહાર: દૂધ નાંખીને બનાવેલ ફળો (મિલ્કશૅક), ફુટસલાડ, બાસુંદી કે દૂધપાક સાથે કઢી, દહીંવડા પછી આઈસ્ક્રીમ.

જંકફુડ: સોફ્ટડ્રીંક્સ, કેક, બ્રેડ, બિસ્કીટ, બટાકાવડા, સમોસા, કચોરી, પીઝા, બર્ગર, દાબેલી, પાઉભાજી, રાગડા પેટીસ, પાણીપુરી.

વૃદ્ધાવસ્થામાં વિરૂદ્ધ આહાર અને જંકફુડ ત્યાગવા જરૂરી છે.

૫-૪૫: ઊંઘ

પહેલાં શરૂઆતમાં મગજના તરંગો ધીમા અને એકસરખા થવાની શરૂઆત થાય છે. બીજા અને ત્રીજા તબક્કામાં હૃદયના ધબકારા, શરીરનું તાપમાન અને લોહીનું દબાણ ઘટે છે. આ ત્રણે તબક્કા ૩૦ મિનિટ ચાલે છે. ચોથો ગાઢ નિદ્રાનો તબક્કો ૨૦૦ મિનિટ અને હળવી નિદ્રાનો પાંચમો છેલ્લો તબક્કો ૧૦૦ મિનિટ ચાલે છે.
  • મેલા ટોનીન (Melatonin) નામનું હોર્મોન ઉંઘ લાવવા માટે જરૂરી છે. જૈવિક ઘડિયાળ જાળવવા રાતે નવ પછી મેલાટોનીનનો સ્ત્રાવ વધે છે. તે મળશ્કેથી પછી ધટવા માંડે છે અને કોર્ટીસોલ મળસ્કે ત્રણથી વધે છે જે જાગવા માટે જરૂરી છે.
  • સીધા સૂઈ, શરીર શિથિલ કરી ઉંડા શ્વાસ લેવાની શરૂઆત કરવાથી ગાઢ નિદ્રા આવે છે. આરામદાયક પથારી અને તેની સ્વચ્છતા, શાંતિદાયક વાતાવરણ તથા રૂમમાં યોગ્ય હવા ઉજાસ ઉંધ માટે જરૂરી છે.
૭-૭૧: મન (Mind)

ચોવીસ કલાકમાં ૬૦ હજાર વિચાર કરતું આપણું મન જાગૃત (Conscious), અર્ધજાગૃત મન (Subconscious), અજાગ્રત મન (Unconscious) અને બેહોશી (Coma) ની ચાર અવસ્થા ધરાવે છે.
  1. જાગૃત મન = IQ હોંશિયાર।... બુદ્ધિ પાંચ કર્મેન્દ્રિયો દ્વારા હલનચલન-સંવેદના અને તર્કશક્તિ ધરાવે છે.
  2. અર્ધજાગૃત મન = EQ અને SQ ધરાવે છે. તે અંતસ્ત્રાવો, શરીરના બધાં જ કાર્યો, રોગપ્રતિકારક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ ધરાવે છે.
ધ્યાન (Meditation)

સંતોષની પરિતૃપ્તિની ક્ષણોમાં જ્યારે મન નિર્વિચાર એટલે વિચારશૂન્ય બની જાય છે ત્યારે મનમાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તે છે. ધ્યાન દ્વારા વ્યક્તિ સમય અને સ્થળની મર્યાદા વટાવી વિશ્વચેતના સાથે ઐક્ય અનુભવે છે. શાંત, એકાંત સ્થળે, બેસીને કે સૂઈને, પીઠ-ગરદન-માથાંને સીધા રાખીને, આંખો બંધ રાખી, શરીરને બિલકુલ શિથિલ (Relax) રાખીને ઊંડા શ્વાસોશ્વાસ લેવાથી ધ્યાન થઈ શકે છે. માનસિક તણાવ, બી.પી., ડાયાબીટીશ અને સાંધાના રોગોમાં પણ ધ્યાન ખાસ ફાયદાકારક છે.

આ પુસ્તક વૃદ્ધત્વને બિરદાવવાના રસ્તાઓ બતાવે છે. વૃદ્ધાવસ્થામાં શું કરવું એ તો સમજાવ્યું જ છે, પણ શું ન કરવું એ ખાસ બતાવ્યું છે.
  1. ધરમાં કે બહાર વણગામી સલાહ આપવી નહી.
  2. મનની શાંતિ હરી નાંખે એવી ચર્ચા કે વાદ-વિવાદમાં કદાપિ ન પડો.
  3. ગમા-અણગમા ટાળવા, પોતાના કામ જાતે કરવા.
  4. પોતાને માટે ખોટી કરકસર કે કંજુસાઈ ન કરશો.
  5. સાવ લધર-વધર ન રહો.
હવે શુ કરવું તે જોઇએ...
  1. સવાર-સાંજ ફરવા જવું. ચાલવા માટેના ખાસ જૂતા પહેરો, જાહેર રસ્તા પર જમણી બાજુ ચાલો.
  2. ગમતાં પુસ્તકો અને સદ્વિચારી મિત્રોનો સંગ કરો.
  3. માનવીય સેવાઓ, સામાજિક સેવાઓ કે આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે દાન આપતા રહો, સદા પ્રવૃત રહો.
  4. સ્વચ્છ, સુધડ, ઈસ્ત્રીબંધ ખુલ્લા વસ્ત્રો પહેરો.
  5. નાની ટોર્ચ રાત્રે હાથવાગી રાખો.
  6. ચશ્માની બે જોડ રાખવી.
  7. સ્ટૂલ પર બેસીને સ્નાન કરો.
  8. હયાતિમાં વીલ બનાવવાનું ભૂલાશો નહી. તેમાં આર્થિક બાબતો વારસદારોને લગતી નોંધો, ત્યાર પછી સામાજિક ઋણ ચૂકવવા દાનની નોંધ કરો. બ્રેન ડેડ થયા પછી સારવાર ન લેવા બાબત તથા અંગદાન, ચક્ષુદાન અને દેહદાન વિશે લખો.
  9. ખુશીમાં રહો અને બીજાને ખુશ કરતા રહો.
હજુ પુસ્તકમાંની ધણી બધી બાબતો જેવી કે શરીરના કેટલાક રોગો અને તેના ઉપચારો, પ્રસન્ન વૃદ્ધત્વ, પાણીનું મહત્ત્વ, વગેરેની ચર્ચા મેં હેતુપૂર્વક નથી કરી. કારણ કે છેલ્લે તો આ પુસ્તક પરિચય છે અને સંપૂર્ણ વિગતો માટે તો પુસ્તક ખરીદવું અને વાંચવું પડે.

આ રીતે પુસ્તકનો થોડો પરિચય કરાવવાનો મેં નમ્ર પ્રયત્ન કરી જોયો છે. આપને થોડો ધણી ઉપયોગી કે ફાયદાકારક લાગશે તો મને સંતોષ થશે.

તમને પુસ્તકનું મહત્ત્વ હું સમજાવી શકયો હોઉ તો ખુશી મનાવીશ.

આભાર.

ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા


Image Courtesy: helpageindia.org

Popular this week

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે. આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

પવિત્ર કુરાન - સારાંશ

દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

મહાન અકબર?

Akbar - The Great (1556 – 1605) જલાલુદ્દીન મુહમ્મદ અકબર  લગભગ 250 વર્ષના મુગલયુગનો ઈતિહાસ વાંચતા અકબર સૌથી મહાન હોય એવી છાપ ઊપસે તે સ્વભાવિક છે, કારણ લગભગ પચાસથી વધારે વર્ષ તેણુ રાજ કર્યું છે. અને તેણે લગભગ આખા ભારત ઉપર મુઘલ ઝંડો ફરકાવ્યો છે.  જન્મ : 15-10-1542 માતા હામીદાબાનુના પેટે રાજસ્થાન અમરકોટમાં, રવિવારે સવારે રાજ્યાભિષેક : 14-02-1956 પંજાબમાં ગુરૂદાસપુર જિલ્લાના કાલનૌર ગામે, 14 વર્ષની ઉંમરે મૃત્યુ : 26-10-1605 (25-26 મધ્યરાત્રિ) મરડાના રોગની માંદગીને કારણે આગ્રા ખાતે 63 વર્ષ જીવેલ અકબરે લગભગ 50 વર્ષ રાજા તરીકે રાજ્ય કર્યું. તેમાં સગીર હોવાથી પહેલા ચાર વર્ષ રખેવાળ સ્વામીભક્ત અનુભવી બૈરામખાં (ખાનબાબા) હેઠળ અને બે વર્ષ મહામઆંગા દાયમાં દ્વારા સ્ત્રીયાશાસન (Petticoat Govt) રહ્યું. અકબરે, બાબરે સ્થાપેલ મુઘલ સામ્રાજ્યને અને હુમાયુએ શેરશાહ પાસે જીતીને પુન:સ્થાપિત કરેલ રાજ્યને લગભગ સંપૂર્ણ ભારત (દિલ્હી–આગ્રા–બંગાળ–સિંધ–ઓરિસ્સા–કાશ્મીર અને આસામ ઉપરાંત બલૂચિસ્તાન–કંધહાર અને કાબુલ સહિત) વિસ્તાર્યું. અકબર માનતો “સમ્રાટે વિજયો માટે સદા તત્પર રહેવું જોઈએ, નહિતર પાડોશી ર...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

પારસીઓ તથા પારસીઓનો ધર્મ ”જરથોસ્તી ધર્મ”

પારસીઓની વાતની શરૂઆત ૧૨૦૦ વર્ષ પહેલાંથી થાય છે, જ્યારે તેઓ ઈરાનથી આરબ મુસ્લિમોથી પોતાના ધર્મની રક્ષા કાજે (Fire) આગની જ્વાળા લઈને ભારતમાં ગુજરાતના સંજાણ બંદરે આવ્યા હતા. પારસી સમુદાય ભારતનો ગૌરવશાળી, સમૃદ્ધ અને દેશભક્ત સમુદાય તરીકે પ્રસ્થાપિત છે - શાંતિપ્રિય સ્વભાવના અને દાનવીર પારસી સમુદાયે એક અનોખી પ્રભાવશાળી ઓળખ ઉભી કરી છે. તેઓએ ભારતમાં શરણ લઈ ભારતને માત્ર શરણભૂમિ ન રાખતા, પોતાની માતૃભૂમિ બનાવી છે જેની સગર્વ નોંધ લેવી જ રહી. આ લોકોમાં મોડા લગ્ન અને ઓછા સંતાન હોવાથી તેમની વસ્તી એટલી હદે ઓછી થઈ રહી છે કે ટૂંકા ગાળામાં વિલુપ્ત થઈ ભૂતકાળની યાદમાં ન ધકેલાય તેવો ભય છે જ. આવા પારસીઓ અને તેમના વિષે પ્રાથમિક માહિતી પહેલા રજુ કરું છું. જરથોસ્તી ધર્મ (Zoroastrian Religion) સ્થાપક: અશો જરથુષ્ટ્ર (ઈ.પૂ. ૧૦૦૦) સ્થળ: ઈરાન મુખ્ય ગ્રંથ: ઝેંદ અવસ્થા મુખ્ય દેવ : અહુરમજદ મુખ્ય પ્રાર્થના: અહૂનવર ધર્મગુરુ: મોબેદ , દસ્તૂર ધર્મસ્થાન: અગિયારી પ્રથમ કક્ષા: આતશ બહેરામ બીજી કક્ષા: અગીયારી / આતશ આદરાન ત્રીજી કક્ષા: ઘરની પૂજાનું સ્થાન / આતશ દાદગાહ ધર્મચિહ્ન: અગ્નિ , અગ્નિકુંડ મુખ્ય પંથો...

બૌદ્ધ ધર્મ

લગભગ 2500 વર્ષ પહેલા બીજી રીતે કહીએ તો ઈ. પૂ. 500 વર્ષ પહેલા વિશ્વમાં વિચાર ક્રાંતિ થઈ હતી. એકી સાથે વિશ્વમાં જે તે સમયગાળામાં વિચારક, ક્રાંતિકાર, ધર્મસ્થાપક અને ફીલસૂફ એવા સોક્રેટિસ, કન્ફયુશ્યસ પ્લેટો, એરિસ્ટોટલ અને તાઓ સાથે ભારતમાં ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર જન્મ્યા હતા. તેમણે માનવસમાજ્મા પડેલો સડો સુધારવા કઠોર તપ કરી, માનવવાદની શોધ કરી હતી. ભારતમાં આમ પણ બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્ર જેવા ચાર વર્ણોમાં બ્રાહ્મણોની ઉચ્ચતા અને શ્રેષ્ઠતા સ્થાપિત થઈ હતી, તે વાત ખાસ કરીને વૈશ્યને ગમતી નહોતી. બ્રાહ્મણોએ ખર્ચાળ અને ગૂંચવણ ભરેલી જીવન દરમ્યાનની સોળ સંસ્કારની સોળ વિધિઓમાં સમાજને હેરાન પાડી દીધો હતો. વળી લોકોને ન સમજાય એવી સંસ્કૃત ભાષામાં વિધિ કરાવતા હતા. ઉપરાંત ક્ષુદ્રવર્ણને ઓછા વળતરમાં સખત પરિશ્રમ કરાવ્યા પછી પણ અશ્યૃશ્યતાનું અપમાન સહેવું પડ્યું, તે કષ્ટદાયક થઈ પડ્યું હતું. યજ્ઞમાં પશુઓના બલીને કારણે ખેતીને સહન કરવું પડતું હતું ત્યારે લોકબોલી પાલીમાં ઉપદેશ આપી સર્વ માનવોને સન્માન દરજ્જો અને માન આપતો બુદ્ધ ધર્મ ના સ્થપાય તો જ નવાઈ! આમ સમયની જરૂરિયાત સંતોષવા બે ધર્મો: બુદ્ધ અને જૈન ધર...

નેત્રયજ્ઞો અને હું

૧૯૭૫માં મેં પહેલું મોતીયાનું ઓપરેશન કર્યા પછી ૨૦૨૫ સુધી પચાસ વર્ષ દિવસ-રાત આંખના સર્જન તરીકે સમાજસેવા કરી. ત્યાર પછી ૨૦૨૫માં સંપૂર્ણપણે નિવૃત્તિ લીધી ત્યારે મારી કારકીર્દી વિષેનો હિસાબ લખવો મારા પોતાના સંતોષ માટે જરૂરી હોવાથી અહીં અહેવાલ આપું છું. બી. જે. મેડિકલ કોલેજ, અમદાવાદનો આંખ વિભાગ “એમ. એન્ડ જે. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓફથેલમોલોજી સંસ્થા સમગ્ર ભારતની અગ્રગણ્ય સંસ્થા હતી. ત્યાં ડૉ. આર. પી. ઢાંડા, ડૉ. વી. કાલેવર, ડૉ. નાગપાલ, ડૉ. નારંગ, ડૉ. ભીખુભાઇ પટેલ અને ડૉ. આર. એન. માથુર જેવા સંનિષ્ઠ અને સર્વશ્રેષ્ઠ નિષ્ણાતો આંખના શિક્ષકો તરીકે સેવા આપતા હતા. દર છ મહિને એક વિભાગ રેટિના, ઝામર, ત્રાંસી આંખ, કોર્નિયા જેવા વિભાગોમાં વારાફરતી કામ કરતાં વિદ્યાર્થી આંખનો ઉત્તમ નિષ્ણાંત તરીકે બહાર પડતો. વળી, ડૉ. આર. એન. માથુર જેવા સેવાને વરેલા - સાદગીવાળા અને ઉત્તમ માનવ વિદ્યાર્થીઓને માનવતાના પાઠો ભણાવતા. ૧૯૭૮માં બીલીમોરા ખાતે આંખની હોસ્પિટલ શરૂ કરી ત્યારે આંખના બધા જ રોગોની સેવા હું કરતો. મોતીયા, ઝામર, ત્રાંસી આંખ, નાસુર, પાંપણના રોગો અને આંખના કેન્સર સહિત દરેક ઓપરેશનો હું નજીવાદરે કરતો. વિસ્તારમાં એકમાત્ર આં...