Skip to main content

ઢળતી ઉંમરે તન-મનની માવજત

ઢળત્તી ઉમરે તન-મનના માવજત. (૨૦૧૬)

લેખક: પ્રો. ગણેશભાઈ કે. પટેલ
પુરત્તક પરિચય: ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ

પુરત્તક પરિચય આપનાર પાસે વાચક પુસ્તક કેવું છે, કયા વિષયની છણાવટ કરેલી છે, લેખક કોણ છે, જેવી માહિતીની અપેક્ષા રાખે છે. ઉપરાંત પુસ્તક કાગળ, છાપકામ, જોડણી અને ચિત્રોથી સજાવેલ છે કે કેમ તે પણ જાણવા ઈચ્છે છે.


ચાલો, લેખકના પરિચયથી વાત માંડીએ. સંબંધોમાં અતિ પરિચય ધણી વખત વ્યક્તિના બૌદ્ધિક કે લેખનશક્તિ વિષયક અવમૂલ્યન વહોરતો હોય છે. તે ન થાય એટલા માટે લેખક પ્રો. ગણેશભાઈ કચરાભાઈ પટેલને ઓળખવા જરૂરી છે. તેઓ ભૌતિકશાસ્ત્રમાં B. Sc., M. Sc. અને M. Phil. ડિગ્રી ધરાવતા બીલીમોરાનાં વી. એસ. પટેલ કોલેજમાં ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે ૨૦૦૨માં નિવૃત્ત થયા છે. એન.સી.સી.ના તાલીમી, એન.એસ.એસ.માં તાલીમ આપનાર પ્રોગ્રામ ઓફિસર હોવા ઉપરાંત બ્રહ્માકુમારી, વિપશ્યના અને આર્ટ ઓફ લિવિંગના નિષ્ણાંત પણ છે. હાક્પ્રાયો (હાસ્ય, કસરત, પ્રાણાયામ અને યોગ) કલબ બીલીમોરાના સ્થાપક છે. સીનીપર સીટીઝન કલબ બીલીમોરાના સ્થાપક, આજીવન સભ્ય અને હાલમાં મત્રી છે.

એમની મહાનતા એમના પુસ્તક “અર્પણ” ના પાત્રમાં છલકે છે. આ પુસ્તક તેમણે ધર્મપત્ની શ્રીમતી રૂક્ષ્મણીબેનને અર્પણ કર્યું છે. એમણે નમ્રભાવે પોતાના લગ્નજીવન બદલ ધર્મપત્નીને બિરદાવી છે. કદાચ દક્ષિણ ગુજરાતના પુરૂષો માટે આ અપવાદરૂપ અને તેમ છતાં અનુકરણીપ ધટના કહેવાય.

ચાલો, ધીરે ધીરે પુસ્તક પરિચય કરવા માંડીએ.

૧૦-૯૭ : પ્રણવધ્વનિ  - ઓમ્

ઑમનું ઉચ્ચારણ મનને વિચારરહિત કરવામાં મદદરૂપ થાય છે. લંબાણપૂર્વક, મધુર અને કર્ણપ્રિય ઉચ્પારણને પ્રણવધ્વનિ કહે. છે. પ્રણવમુદ્રામાં બેસીને શ્વાસને અંદર ભર્યા પછી, રોકયા સિવાય ઓમના લાંબા ઉચ્ચાર સાથે ખુલ્લા ગળામાંથી મધુર ગુંજરવ સાથે બહાર કાઢવામાં આવે છે.

૯-૯૧: પ્રાણાયામ 

વૃવ્દ્વાવસ્થા ધીમી પાડવા, અનિંદ્રાથી મુક્ત થવા અને હતાશા, તાણ, નિરાશા, ચિંતા જેવી નકારાત્મક લાગણીઑથી છૂટવા પ્રાણાયામ ખૂબ યોગ્ય કસરત છે.

સહજ પ્રાણાયામ 
  1. સાવધાન સ્થિતિમાં ઉભા રહીને કે બેસીને મનને શ્વાસ સાથે રાખીને, ઊંડો પૂરક શ્વાસને અંદર ભરતા જઈ, શ્વાસને સહન થાય ત્પાં સુધી રોકી રાખીને (કુંભક) ત્યાર પછી શ્વાસને ધીમે ધીમે બહાર કાઢતા જઈ પૂર્ણ રેચક કરવાનો હોય છે. ત્યાર પછી શ્વાસને બહાર રોકવાનને હોય છે.
  2. ડુંટીને ઝાટકાથી અંદર ખેંચવાની પ્રક્રિયા તે કપાલભાતી.
  3. લુહારની ધમણની જેમ છાતી ફૂલાવીને પૂરક અને સંકોચીને રેચક કરવાના પ્રાણાયામને ભિસ્ત્રિકા પ્રાણાયામ કહે. છે.
  4. અનુલોમ-વિલોમ પ્રાણાયામમાં વારાફરતી જમણા અને ડાબા નાકને બંધ કરીને શ્વાસ લેવાનો હોય છે.
૮-૮૯: મૌન 

(૧) મુખ બંધ રાખી વાણીવિહીન બનવાથી અને મુખથી કોઈપણ પ્રકારનો શબ્દોચ્ચાર ન કરવો તે વાણીનુ' મૌન છે. (૨) પાંચે કર્મેન્દ્રિયો દ્વારા કોઈપણ પ્રકારનું કાર્ય ન કરવાની અકર્તા સ્થિતિ એ કર્મથી પળાતું મૌન છે. (3) માનસિક મૌન એટલે કોઈપણ બાબતની માનસિક પ્રતિક્રિયા પેદા ન થવા દેવી, એટલે કે ફક્ત સાક્ષીભાવ કેળવવું. (૪) આમ ત્રણે રીતે મન જ્યારે તરંગવિહિન શાંત બને ત્યારે આપણામાં રહેલા ચૈતન્યનું અનંત સાથે અનુસંધાન થાય છે.

૧૩-૧૦૫: સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કાર મૂળભૂત રીતે સૂર્યની ઉપાસના, સૂર્યની સામે મોં રાખી, નમસ્કારની મુદ્રામાં બન્ને હથેળીઓ ભેગી કરી "ૐ સૂર્યાય નમઃ" મંત્રનું ઉચ્ચારણ કરી શ્વાસ રોકો. આ રીતે શરૂ કરી સૂર્યનમસ્કારની બાર વિધિ સ્થિતિઓ (મુદ્રાઓ) દ્વારા કરવામાં આવે છે.

૧૨-૧૦૨: શવાસન

શવ + આસન = મડદું જેવી શરીરની ચોકક્સ પ્રકારની સ્થિતિ
  • Lie Down - સપાટ જમીન ઉપર બન્ને પગ વચ્ચે આશરે એક કે દોઢેક ફૂટનું અંતર રહે તેટલા પહોળા કરી, બન્ને હાથને બાજુએ પ્રસારી, પીઠ ઉપર, આરામદાયક સ્થિતિમાં ચત્તાપાટ સૂઈ જવું.
  • Relaxation - શરીરના દરેક અવયવને વારાફરતી સહેજ ખેંચાણ આપી એટલે કે સખત કરી, કે સહેજ અધ્ધર ઉપાડી પછી નીચે મૂકીને તેમનામાં સ્નાયુઓની ઢીલાશ પેદા કરવાની હોય છે. જીવંત શરીર ચોકક્સ સમય માટે મરી જઈ લાશ જેવું ઢીલું ઢસ થઈ જવું જોઈએ.
  • Respiration - શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર મનને કેન્દ્રિત કરવાનું હોય છે. શ્વાસ લેતી વખતે પ્રાણશક્રિત અંદર આવતી હોય અને કાઢતી વખતે પીડા બહાર જતી હોય એવો સાક્ષીભાવ કેળવવો જોઈએ.
૧૧-૧૦૦: ઝડપી ચાલ (Brisk Walk)

સૂર્યોદય સમયે, ખાલીપેટે અથવા હૂંફાળું કે લીબુવાળું પાણી પીને, બૂટ પહેરીને (દસ મિનિટમાં એક કિલોમીટર અંતર કાપવાની ચાલથી) ઉનાળામાં ખૂલ્લાં કપડાં અને શિયાળામાં ગરમ કપડાં પહેરીને ચાલવું. ચાલતી વખતે મૌન પાળવું જરૂરી છે. ચાલતી વખતે મનને ચાલવાની પ્રક્રિયામાં પરોવવાથી મન ધ્યાનની પાપ્તિનો આનંદ અનુભવી શકે છે.

૩-૨૬: સમતોલ આહાર (Balanced Diet)

શર્કરા, ચરબી અને પ્રોટીન જેવા મુખ્ય ધટકો અને સાથે વિટામીન, ક્ષાર અને પાણી એ સમતોલ આહારમાં જરૂરી છે. હંમેશાં થોડા ભૂખ્યા રહીને ખાવું જોઈએ. ખૂબ ચાવીને ધીમે ધીમે ખાવું જરૂરી છે. તાજાં ફળો, સૂકામેવા તથા છાશ, લીંબુ સરબત કે મગનું પાણી જેવા પ્રવાહી લેવા જોઈએ. રંગબેરંગી ખોરાક અવશ્ય લો.

વિરૂદ્વ આહાર: દૂધ નાંખીને બનાવેલ ફળો (મિલ્કશૅક), ફુટસલાડ, બાસુંદી કે દૂધપાક સાથે કઢી, દહીંવડા પછી આઈસ્ક્રીમ.

જંકફુડ: સોફ્ટડ્રીંક્સ, કેક, બ્રેડ, બિસ્કીટ, બટાકાવડા, સમોસા, કચોરી, પીઝા, બર્ગર, દાબેલી, પાઉભાજી, રાગડા પેટીસ, પાણીપુરી.

વૃદ્ધાવસ્થામાં વિરૂદ્ધ આહાર અને જંકફુડ ત્યાગવા જરૂરી છે.

૫-૪૫: ઊંઘ

પહેલાં શરૂઆતમાં મગજના તરંગો ધીમા અને એકસરખા થવાની શરૂઆત થાય છે. બીજા અને ત્રીજા તબક્કામાં હૃદયના ધબકારા, શરીરનું તાપમાન અને લોહીનું દબાણ ઘટે છે. આ ત્રણે તબક્કા ૩૦ મિનિટ ચાલે છે. ચોથો ગાઢ નિદ્રાનો તબક્કો ૨૦૦ મિનિટ અને હળવી નિદ્રાનો પાંચમો છેલ્લો તબક્કો ૧૦૦ મિનિટ ચાલે છે.
  • મેલા ટોનીન (Melatonin) નામનું હોર્મોન ઉંઘ લાવવા માટે જરૂરી છે. જૈવિક ઘડિયાળ જાળવવા રાતે નવ પછી મેલાટોનીનનો સ્ત્રાવ વધે છે. તે મળશ્કેથી પછી ધટવા માંડે છે અને કોર્ટીસોલ મળસ્કે ત્રણથી વધે છે જે જાગવા માટે જરૂરી છે.
  • સીધા સૂઈ, શરીર શિથિલ કરી ઉંડા શ્વાસ લેવાની શરૂઆત કરવાથી ગાઢ નિદ્રા આવે છે. આરામદાયક પથારી અને તેની સ્વચ્છતા, શાંતિદાયક વાતાવરણ તથા રૂમમાં યોગ્ય હવા ઉજાસ ઉંધ માટે જરૂરી છે.
૭-૭૧: મન (Mind)

ચોવીસ કલાકમાં ૬૦ હજાર વિચાર કરતું આપણું મન જાગૃત (Conscious), અર્ધજાગૃત મન (Subconscious), અજાગ્રત મન (Unconscious) અને બેહોશી (Coma) ની ચાર અવસ્થા ધરાવે છે.
  1. જાગૃત મન = IQ હોંશિયાર।... બુદ્ધિ પાંચ કર્મેન્દ્રિયો દ્વારા હલનચલન-સંવેદના અને તર્કશક્તિ ધરાવે છે.
  2. અર્ધજાગૃત મન = EQ અને SQ ધરાવે છે. તે અંતસ્ત્રાવો, શરીરના બધાં જ કાર્યો, રોગપ્રતિકારક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ ધરાવે છે.
ધ્યાન (Meditation)

સંતોષની પરિતૃપ્તિની ક્ષણોમાં જ્યારે મન નિર્વિચાર એટલે વિચારશૂન્ય બની જાય છે ત્યારે મનમાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તે છે. ધ્યાન દ્વારા વ્યક્તિ સમય અને સ્થળની મર્યાદા વટાવી વિશ્વચેતના સાથે ઐક્ય અનુભવે છે. શાંત, એકાંત સ્થળે, બેસીને કે સૂઈને, પીઠ-ગરદન-માથાંને સીધા રાખીને, આંખો બંધ રાખી, શરીરને બિલકુલ શિથિલ (Relax) રાખીને ઊંડા શ્વાસોશ્વાસ લેવાથી ધ્યાન થઈ શકે છે. માનસિક તણાવ, બી.પી., ડાયાબીટીશ અને સાંધાના રોગોમાં પણ ધ્યાન ખાસ ફાયદાકારક છે.

આ પુસ્તક વૃદ્ધત્વને બિરદાવવાના રસ્તાઓ બતાવે છે. વૃદ્ધાવસ્થામાં શું કરવું એ તો સમજાવ્યું જ છે, પણ શું ન કરવું એ ખાસ બતાવ્યું છે.
  1. ધરમાં કે બહાર વણગામી સલાહ આપવી નહી.
  2. મનની શાંતિ હરી નાંખે એવી ચર્ચા કે વાદ-વિવાદમાં કદાપિ ન પડો.
  3. ગમા-અણગમા ટાળવા, પોતાના કામ જાતે કરવા.
  4. પોતાને માટે ખોટી કરકસર કે કંજુસાઈ ન કરશો.
  5. સાવ લધર-વધર ન રહો.
હવે શુ કરવું તે જોઇએ...
  1. સવાર-સાંજ ફરવા જવું. ચાલવા માટેના ખાસ જૂતા પહેરો, જાહેર રસ્તા પર જમણી બાજુ ચાલો.
  2. ગમતાં પુસ્તકો અને સદ્વિચારી મિત્રોનો સંગ કરો.
  3. માનવીય સેવાઓ, સામાજિક સેવાઓ કે આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે દાન આપતા રહો, સદા પ્રવૃત રહો.
  4. સ્વચ્છ, સુધડ, ઈસ્ત્રીબંધ ખુલ્લા વસ્ત્રો પહેરો.
  5. નાની ટોર્ચ રાત્રે હાથવાગી રાખો.
  6. ચશ્માની બે જોડ રાખવી.
  7. સ્ટૂલ પર બેસીને સ્નાન કરો.
  8. હયાતિમાં વીલ બનાવવાનું ભૂલાશો નહી. તેમાં આર્થિક બાબતો વારસદારોને લગતી નોંધો, ત્યાર પછી સામાજિક ઋણ ચૂકવવા દાનની નોંધ કરો. બ્રેન ડેડ થયા પછી સારવાર ન લેવા બાબત તથા અંગદાન, ચક્ષુદાન અને દેહદાન વિશે લખો.
  9. ખુશીમાં રહો અને બીજાને ખુશ કરતા રહો.
હજુ પુસ્તકમાંની ધણી બધી બાબતો જેવી કે શરીરના કેટલાક રોગો અને તેના ઉપચારો, પ્રસન્ન વૃદ્ધત્વ, પાણીનું મહત્ત્વ, વગેરેની ચર્ચા મેં હેતુપૂર્વક નથી કરી. કારણ કે છેલ્લે તો આ પુસ્તક પરિચય છે અને સંપૂર્ણ વિગતો માટે તો પુસ્તક ખરીદવું અને વાંચવું પડે.

આ રીતે પુસ્તકનો થોડો પરિચય કરાવવાનો મેં નમ્ર પ્રયત્ન કરી જોયો છે. આપને થોડો ધણી ઉપયોગી કે ફાયદાકારક લાગશે તો મને સંતોષ થશે.

તમને પુસ્તકનું મહત્ત્વ હું સમજાવી શકયો હોઉ તો ખુશી મનાવીશ.

આભાર.

ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા


Image Courtesy: helpageindia.org

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

દિકરીના અવિચારી લગ્ન અને મા–બાપ: અભ્યાસ લેખ

સાધારણ રીતે, દીકરીના જન્મના વધરામણા સાથે જ તેના લગ્નના મંગળમય દિવસનું આયોજન મા બાપ શરૂ કરતાં હોય છે. પૈસા બચાવતા થઈને ભાવિ જમાઈ વિષેના દીવાસ્વ્પ્નોમાં રાચવા માંડે છે. પણ આ બધાં વચ્ચે મા બાપ પોતાની મરજી, પોતાની સંમતિ અને પોતાનો નિર્ણય દિકરીના લગ્ન માટે ફરજીયાત સમજતાં હોય છે. તેથી જયારે આવું નથી થતું અને પુત્રી પોતાની મરજીથી મા બાપની પરવાનગી, ઈચ્છા વિરુદ્ધ જયારે લગ્ન કરે છે ત્યારે, મા બાપ ઉપર આભ તૂટી પડે એટલું દુ:ખ આવી પડતું હોય છે. આવું કેમ થાય છે? તે વિષયની અહીં ચર્ચા કરીએ.

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

સીનિયર સીટીઝન ક્લબ, બીલીમોરા પ્રમુખ ડો. ભરત દેસાઈનું વિદાય પ્રવચન

માનનીય પૂર્વપ્રમુખ પ્રો. જી. કે. પટેલસાહેબ, મંત્રીશ્રી ઊર્મિલાબેન, ખજાનચીશ્રી ડો. રામજીભાઈ તથા સર્વે સભ્યો, સાદર વંદન. બે વર્ષના પ્રમુખના કાર્યકાળ પછી વિદાય થતાં પ્રમુખે પોતાના કાર્યોનું સરવૈયું આપવાનું હોય છે. તે કાર્ય મારા છ સાથીઓએ બખૂબી નિભવ્યું છે, ત્યારે પુનરાવર્તનનો અતિરેક ન થાય તે મારે જાણવું રહ્યું. મારી બે વર્ષની સૌથી મોટી ઉપલબ્ધિ મારા હિસાબે સર્વ સભ્યોમાં વિકસેલી કુટુંબભાવના ને વિકાસ ગણાવું છું. ત્રણ પ્રવાસો, છાંયડો દ્વિવાર્ષિક મેગેઝીન, પાંચ સંગીતના કાર્યક્રમો, શ્રદ્ધાંજલી, કુદરતી ભોજનનો આસ્વાદ ઉપરાંત તજજ્ઞો દ્વારા વિવિધ વિષયોના પ્રવચનો કરતાં મહત્વનું સભા સમાપ્તિ બાદ ભોજન સમયે અને ત્યારબાદ દોઢ કલાકથી વધારેની એકબીજાની સાથેની હ્રદયસ્પર્શી લાગણીશીલ વાર્તાલાપવાળી બેઠકો દ્વારા થતી મિત્રતા-પ્રેમ અને કુટુંબભાવના ગણાવું છું. કદાચ બધાના નામ દઈને વિગતે વાત કરી શકું, પણ એ લોભ છોડીને પણ થોડી વાત તો કહીશ જ. 1. પાંચ વર્ષ પહેલા મને ઉપપ્રમુખ નિમવા બદલ, પ્રો.જી.કે.પટેલ સાહેબનો હું ખાસ ઋણી છું. ત્રણ વર્ષ તેમના ઉપપ્રમુખ તરીકે અને છેલ્લા બે વર્ષ પ્રમુખ તરીકેના પાંચ ...

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...

વિદુર નીતિનો ઉપદેશ (ઉદ્યોગ પર્વ - મહાભારત)

મહાભારત વાંચનારે જીવનનું ભાથુ - જીવન જીવવાની જડીબુટ્ટી - શ્રીકૃષ્ણ પાસે અર્જુન વિષાદયોગમાં ભગવદગીતા દ્વારા શરૂઆતમાં - કુરુક્ષેત્રના યુદ્ધ રોકવા રાજા ધૃતરાષ્ટ્રને પાંડવોને ભાગ આપવાનું સમજાવનાર વિદુરના પ્રવચન, વિદુરનીતિમાં અને યુદ્ધ જીત્યા પછી વૈરાગ્ય થવાથી વનવાસ કરવા તૈયાર થયેલા યુધિષ્ઠિરને રાજધર્મ કહેતા ભીષ્મપિતામહ પાસે શાંતિપર્વ માં મળે છે. તેર વરસના વનવાસ પછી પાછા ફરેલા પાંડવોને તેમનું ઇન્દ્રપ્રસ્થ રાજ્ય પરત આપવા દુર્યોધન ના પાડે છે ત્યારે પુત્રપ્રેમ અને પોતાની મહેચ્છા દ્વારા પીડિત રાજા ધૃતરાષ્ટ્ર તેને સંમતિ આપે છે. આ સમયે વિદુર ધૃતરાષ્ટ્ર ને અનીતિ છોડવા અને ન્યાયિરીતે વરત્વ સમજાવતી વખતે જે ઉપદેશ આપે છે-તે વિદૂરનીતી.  ચાલો મુદ્દાસર દરેક વાત સમજીએ. અનિન્દ્રા : દુર્બળ-બળવાન સાથે સંઘર્ષ કરે છે ત્યારે, વ્યભિચારીને-ચોરને-દેવાદારને-વધારે પુત્રીના પિતાનેઅને દ્રવ્યના લાલચીને ઊંઘ આવતી નથી. પંડિત : જેને પોતાની વાસ્તવિક સ્થિતિનું જ્ઞાન છે, જેની ધર્મમાં સ્થિરતા છે, જેની દુ:ખ સહન કરવાની શક્તિ છે, જે નિત્ય કંઈનેકંઈ ઉધ્યોગ કરે છે, પોતાના ગુણોની અભિવૃદ્ધિ કરે છે, જે કોઈનો દોરવ્યો દોરાતો નથી. જે...

History Of Muslims In India: Hindu-Muslim Relations

With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

Expectations of a Cataract Surgery Patient

Aging brings loss of vision due to loss of transparency in the crystalline lens of the eye and the condition is known as Cataract . No medicine can cure it, so surgery to remove the opaque lens and replace it with an artificial lens is the only remedy. With the advent of microscopes and phaco machines, cataract surgery has become a miracle bringing great visual results. But surgery has its own challenges. Here, we as surgeons are afraid of infection leading to endophthalmitis and the second is intraoperative drownings of the crystalline lens in the vitreous chamber. Either of the two complications can lead to visual damage and phthisis - softening of the eyeball to the shrunken small eye. So though results are the best most of the time, it cannot be so each and every time and complications can occur. What are the expectations of a cataract patient going for surgery? Though this may sound to be a simple question, the answer is a bit complicated. I will start from the expectations. one b...

Anavils - An Endangered Community

After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....