Skip to main content

ઢળતી ઉંમરે તન-મનની માવજત

ઢળત્તી ઉમરે તન-મનના માવજત. (૨૦૧૬)

લેખક: પ્રો. ગણેશભાઈ કે. પટેલ
પુરત્તક પરિચય: ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ

પુરત્તક પરિચય આપનાર પાસે વાચક પુસ્તક કેવું છે, કયા વિષયની છણાવટ કરેલી છે, લેખક કોણ છે, જેવી માહિતીની અપેક્ષા રાખે છે. ઉપરાંત પુસ્તક કાગળ, છાપકામ, જોડણી અને ચિત્રોથી સજાવેલ છે કે કેમ તે પણ જાણવા ઈચ્છે છે.


ચાલો, લેખકના પરિચયથી વાત માંડીએ. સંબંધોમાં અતિ પરિચય ધણી વખત વ્યક્તિના બૌદ્ધિક કે લેખનશક્તિ વિષયક અવમૂલ્યન વહોરતો હોય છે. તે ન થાય એટલા માટે લેખક પ્રો. ગણેશભાઈ કચરાભાઈ પટેલને ઓળખવા જરૂરી છે. તેઓ ભૌતિકશાસ્ત્રમાં B. Sc., M. Sc. અને M. Phil. ડિગ્રી ધરાવતા બીલીમોરાનાં વી. એસ. પટેલ કોલેજમાં ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે ૨૦૦૨માં નિવૃત્ત થયા છે. એન.સી.સી.ના તાલીમી, એન.એસ.એસ.માં તાલીમ આપનાર પ્રોગ્રામ ઓફિસર હોવા ઉપરાંત બ્રહ્માકુમારી, વિપશ્યના અને આર્ટ ઓફ લિવિંગના નિષ્ણાંત પણ છે. હાક્પ્રાયો (હાસ્ય, કસરત, પ્રાણાયામ અને યોગ) કલબ બીલીમોરાના સ્થાપક છે. સીનીપર સીટીઝન કલબ બીલીમોરાના સ્થાપક, આજીવન સભ્ય અને હાલમાં મત્રી છે.

એમની મહાનતા એમના પુસ્તક “અર્પણ” ના પાત્રમાં છલકે છે. આ પુસ્તક તેમણે ધર્મપત્ની શ્રીમતી રૂક્ષ્મણીબેનને અર્પણ કર્યું છે. એમણે નમ્રભાવે પોતાના લગ્નજીવન બદલ ધર્મપત્નીને બિરદાવી છે. કદાચ દક્ષિણ ગુજરાતના પુરૂષો માટે આ અપવાદરૂપ અને તેમ છતાં અનુકરણીપ ધટના કહેવાય.

ચાલો, ધીરે ધીરે પુસ્તક પરિચય કરવા માંડીએ.

૧૦-૯૭ : પ્રણવધ્વનિ  - ઓમ્

ઑમનું ઉચ્ચારણ મનને વિચારરહિત કરવામાં મદદરૂપ થાય છે. લંબાણપૂર્વક, મધુર અને કર્ણપ્રિય ઉચ્પારણને પ્રણવધ્વનિ કહે. છે. પ્રણવમુદ્રામાં બેસીને શ્વાસને અંદર ભર્યા પછી, રોકયા સિવાય ઓમના લાંબા ઉચ્ચાર સાથે ખુલ્લા ગળામાંથી મધુર ગુંજરવ સાથે બહાર કાઢવામાં આવે છે.

૯-૯૧: પ્રાણાયામ 

વૃવ્દ્વાવસ્થા ધીમી પાડવા, અનિંદ્રાથી મુક્ત થવા અને હતાશા, તાણ, નિરાશા, ચિંતા જેવી નકારાત્મક લાગણીઑથી છૂટવા પ્રાણાયામ ખૂબ યોગ્ય કસરત છે.

સહજ પ્રાણાયામ 
  1. સાવધાન સ્થિતિમાં ઉભા રહીને કે બેસીને મનને શ્વાસ સાથે રાખીને, ઊંડો પૂરક શ્વાસને અંદર ભરતા જઈ, શ્વાસને સહન થાય ત્પાં સુધી રોકી રાખીને (કુંભક) ત્યાર પછી શ્વાસને ધીમે ધીમે બહાર કાઢતા જઈ પૂર્ણ રેચક કરવાનો હોય છે. ત્યાર પછી શ્વાસને બહાર રોકવાનને હોય છે.
  2. ડુંટીને ઝાટકાથી અંદર ખેંચવાની પ્રક્રિયા તે કપાલભાતી.
  3. લુહારની ધમણની જેમ છાતી ફૂલાવીને પૂરક અને સંકોચીને રેચક કરવાના પ્રાણાયામને ભિસ્ત્રિકા પ્રાણાયામ કહે. છે.
  4. અનુલોમ-વિલોમ પ્રાણાયામમાં વારાફરતી જમણા અને ડાબા નાકને બંધ કરીને શ્વાસ લેવાનો હોય છે.
૮-૮૯: મૌન 

(૧) મુખ બંધ રાખી વાણીવિહીન બનવાથી અને મુખથી કોઈપણ પ્રકારનો શબ્દોચ્ચાર ન કરવો તે વાણીનુ' મૌન છે. (૨) પાંચે કર્મેન્દ્રિયો દ્વારા કોઈપણ પ્રકારનું કાર્ય ન કરવાની અકર્તા સ્થિતિ એ કર્મથી પળાતું મૌન છે. (3) માનસિક મૌન એટલે કોઈપણ બાબતની માનસિક પ્રતિક્રિયા પેદા ન થવા દેવી, એટલે કે ફક્ત સાક્ષીભાવ કેળવવું. (૪) આમ ત્રણે રીતે મન જ્યારે તરંગવિહિન શાંત બને ત્યારે આપણામાં રહેલા ચૈતન્યનું અનંત સાથે અનુસંધાન થાય છે.

૧૩-૧૦૫: સૂર્યનમસ્કાર

સૂર્યનમસ્કાર મૂળભૂત રીતે સૂર્યની ઉપાસના, સૂર્યની સામે મોં રાખી, નમસ્કારની મુદ્રામાં બન્ને હથેળીઓ ભેગી કરી "ૐ સૂર્યાય નમઃ" મંત્રનું ઉચ્ચારણ કરી શ્વાસ રોકો. આ રીતે શરૂ કરી સૂર્યનમસ્કારની બાર વિધિ સ્થિતિઓ (મુદ્રાઓ) દ્વારા કરવામાં આવે છે.

૧૨-૧૦૨: શવાસન

શવ + આસન = મડદું જેવી શરીરની ચોકક્સ પ્રકારની સ્થિતિ
  • Lie Down - સપાટ જમીન ઉપર બન્ને પગ વચ્ચે આશરે એક કે દોઢેક ફૂટનું અંતર રહે તેટલા પહોળા કરી, બન્ને હાથને બાજુએ પ્રસારી, પીઠ ઉપર, આરામદાયક સ્થિતિમાં ચત્તાપાટ સૂઈ જવું.
  • Relaxation - શરીરના દરેક અવયવને વારાફરતી સહેજ ખેંચાણ આપી એટલે કે સખત કરી, કે સહેજ અધ્ધર ઉપાડી પછી નીચે મૂકીને તેમનામાં સ્નાયુઓની ઢીલાશ પેદા કરવાની હોય છે. જીવંત શરીર ચોકક્સ સમય માટે મરી જઈ લાશ જેવું ઢીલું ઢસ થઈ જવું જોઈએ.
  • Respiration - શ્વાસોશ્વાસની પ્રક્રિયા ઉપર મનને કેન્દ્રિત કરવાનું હોય છે. શ્વાસ લેતી વખતે પ્રાણશક્રિત અંદર આવતી હોય અને કાઢતી વખતે પીડા બહાર જતી હોય એવો સાક્ષીભાવ કેળવવો જોઈએ.
૧૧-૧૦૦: ઝડપી ચાલ (Brisk Walk)

સૂર્યોદય સમયે, ખાલીપેટે અથવા હૂંફાળું કે લીબુવાળું પાણી પીને, બૂટ પહેરીને (દસ મિનિટમાં એક કિલોમીટર અંતર કાપવાની ચાલથી) ઉનાળામાં ખૂલ્લાં કપડાં અને શિયાળામાં ગરમ કપડાં પહેરીને ચાલવું. ચાલતી વખતે મૌન પાળવું જરૂરી છે. ચાલતી વખતે મનને ચાલવાની પ્રક્રિયામાં પરોવવાથી મન ધ્યાનની પાપ્તિનો આનંદ અનુભવી શકે છે.

૩-૨૬: સમતોલ આહાર (Balanced Diet)

શર્કરા, ચરબી અને પ્રોટીન જેવા મુખ્ય ધટકો અને સાથે વિટામીન, ક્ષાર અને પાણી એ સમતોલ આહારમાં જરૂરી છે. હંમેશાં થોડા ભૂખ્યા રહીને ખાવું જોઈએ. ખૂબ ચાવીને ધીમે ધીમે ખાવું જરૂરી છે. તાજાં ફળો, સૂકામેવા તથા છાશ, લીંબુ સરબત કે મગનું પાણી જેવા પ્રવાહી લેવા જોઈએ. રંગબેરંગી ખોરાક અવશ્ય લો.

વિરૂદ્વ આહાર: દૂધ નાંખીને બનાવેલ ફળો (મિલ્કશૅક), ફુટસલાડ, બાસુંદી કે દૂધપાક સાથે કઢી, દહીંવડા પછી આઈસ્ક્રીમ.

જંકફુડ: સોફ્ટડ્રીંક્સ, કેક, બ્રેડ, બિસ્કીટ, બટાકાવડા, સમોસા, કચોરી, પીઝા, બર્ગર, દાબેલી, પાઉભાજી, રાગડા પેટીસ, પાણીપુરી.

વૃદ્ધાવસ્થામાં વિરૂદ્ધ આહાર અને જંકફુડ ત્યાગવા જરૂરી છે.

૫-૪૫: ઊંઘ

પહેલાં શરૂઆતમાં મગજના તરંગો ધીમા અને એકસરખા થવાની શરૂઆત થાય છે. બીજા અને ત્રીજા તબક્કામાં હૃદયના ધબકારા, શરીરનું તાપમાન અને લોહીનું દબાણ ઘટે છે. આ ત્રણે તબક્કા ૩૦ મિનિટ ચાલે છે. ચોથો ગાઢ નિદ્રાનો તબક્કો ૨૦૦ મિનિટ અને હળવી નિદ્રાનો પાંચમો છેલ્લો તબક્કો ૧૦૦ મિનિટ ચાલે છે.
  • મેલા ટોનીન (Melatonin) નામનું હોર્મોન ઉંઘ લાવવા માટે જરૂરી છે. જૈવિક ઘડિયાળ જાળવવા રાતે નવ પછી મેલાટોનીનનો સ્ત્રાવ વધે છે. તે મળશ્કેથી પછી ધટવા માંડે છે અને કોર્ટીસોલ મળસ્કે ત્રણથી વધે છે જે જાગવા માટે જરૂરી છે.
  • સીધા સૂઈ, શરીર શિથિલ કરી ઉંડા શ્વાસ લેવાની શરૂઆત કરવાથી ગાઢ નિદ્રા આવે છે. આરામદાયક પથારી અને તેની સ્વચ્છતા, શાંતિદાયક વાતાવરણ તથા રૂમમાં યોગ્ય હવા ઉજાસ ઉંધ માટે જરૂરી છે.
૭-૭૧: મન (Mind)

ચોવીસ કલાકમાં ૬૦ હજાર વિચાર કરતું આપણું મન જાગૃત (Conscious), અર્ધજાગૃત મન (Subconscious), અજાગ્રત મન (Unconscious) અને બેહોશી (Coma) ની ચાર અવસ્થા ધરાવે છે.
  1. જાગૃત મન = IQ હોંશિયાર।... બુદ્ધિ પાંચ કર્મેન્દ્રિયો દ્વારા હલનચલન-સંવેદના અને તર્કશક્તિ ધરાવે છે.
  2. અર્ધજાગૃત મન = EQ અને SQ ધરાવે છે. તે અંતસ્ત્રાવો, શરીરના બધાં જ કાર્યો, રોગપ્રતિકારક શક્તિ અને આધ્યાત્મિક શક્તિ ધરાવે છે.
ધ્યાન (Meditation)

સંતોષની પરિતૃપ્તિની ક્ષણોમાં જ્યારે મન નિર્વિચાર એટલે વિચારશૂન્ય બની જાય છે ત્યારે મનમાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તે છે. ધ્યાન દ્વારા વ્યક્તિ સમય અને સ્થળની મર્યાદા વટાવી વિશ્વચેતના સાથે ઐક્ય અનુભવે છે. શાંત, એકાંત સ્થળે, બેસીને કે સૂઈને, પીઠ-ગરદન-માથાંને સીધા રાખીને, આંખો બંધ રાખી, શરીરને બિલકુલ શિથિલ (Relax) રાખીને ઊંડા શ્વાસોશ્વાસ લેવાથી ધ્યાન થઈ શકે છે. માનસિક તણાવ, બી.પી., ડાયાબીટીશ અને સાંધાના રોગોમાં પણ ધ્યાન ખાસ ફાયદાકારક છે.

આ પુસ્તક વૃદ્ધત્વને બિરદાવવાના રસ્તાઓ બતાવે છે. વૃદ્ધાવસ્થામાં શું કરવું એ તો સમજાવ્યું જ છે, પણ શું ન કરવું એ ખાસ બતાવ્યું છે.
  1. ધરમાં કે બહાર વણગામી સલાહ આપવી નહી.
  2. મનની શાંતિ હરી નાંખે એવી ચર્ચા કે વાદ-વિવાદમાં કદાપિ ન પડો.
  3. ગમા-અણગમા ટાળવા, પોતાના કામ જાતે કરવા.
  4. પોતાને માટે ખોટી કરકસર કે કંજુસાઈ ન કરશો.
  5. સાવ લધર-વધર ન રહો.
હવે શુ કરવું તે જોઇએ...
  1. સવાર-સાંજ ફરવા જવું. ચાલવા માટેના ખાસ જૂતા પહેરો, જાહેર રસ્તા પર જમણી બાજુ ચાલો.
  2. ગમતાં પુસ્તકો અને સદ્વિચારી મિત્રોનો સંગ કરો.
  3. માનવીય સેવાઓ, સામાજિક સેવાઓ કે આધ્યાત્મિક પ્રવૃત્તિ માટે દાન આપતા રહો, સદા પ્રવૃત રહો.
  4. સ્વચ્છ, સુધડ, ઈસ્ત્રીબંધ ખુલ્લા વસ્ત્રો પહેરો.
  5. નાની ટોર્ચ રાત્રે હાથવાગી રાખો.
  6. ચશ્માની બે જોડ રાખવી.
  7. સ્ટૂલ પર બેસીને સ્નાન કરો.
  8. હયાતિમાં વીલ બનાવવાનું ભૂલાશો નહી. તેમાં આર્થિક બાબતો વારસદારોને લગતી નોંધો, ત્યાર પછી સામાજિક ઋણ ચૂકવવા દાનની નોંધ કરો. બ્રેન ડેડ થયા પછી સારવાર ન લેવા બાબત તથા અંગદાન, ચક્ષુદાન અને દેહદાન વિશે લખો.
  9. ખુશીમાં રહો અને બીજાને ખુશ કરતા રહો.
હજુ પુસ્તકમાંની ધણી બધી બાબતો જેવી કે શરીરના કેટલાક રોગો અને તેના ઉપચારો, પ્રસન્ન વૃદ્ધત્વ, પાણીનું મહત્ત્વ, વગેરેની ચર્ચા મેં હેતુપૂર્વક નથી કરી. કારણ કે છેલ્લે તો આ પુસ્તક પરિચય છે અને સંપૂર્ણ વિગતો માટે તો પુસ્તક ખરીદવું અને વાંચવું પડે.

આ રીતે પુસ્તકનો થોડો પરિચય કરાવવાનો મેં નમ્ર પ્રયત્ન કરી જોયો છે. આપને થોડો ધણી ઉપયોગી કે ફાયદાકારક લાગશે તો મને સંતોષ થશે.

તમને પુસ્તકનું મહત્ત્વ હું સમજાવી શકયો હોઉ તો ખુશી મનાવીશ.

આભાર.

ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા


Image Courtesy: helpageindia.org

Comments

Popular posts from this blog

સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

આધુનીક દાન

ડો. અશ્વીન શાહ, ગ્રામ સેવા ટ્રસ્ટ, ખારેલ  ૧. રક્તદાન દરેક જણ જાણે છે કે વીજ્ઞાને આટલી પ્રગતી કર્યા છતાં હજી તે રક્ત બનાવી શકતું નથી. રક્ત શરીરનાં દરેક અંગને ઑક્સીજન પહોંચાડે છે. જો ઑક્સીજન પુરતા પ્રમાણમાં ન મળે તો માનવશરીરનાં અંગો કામ કરતાં બંધ થઈ જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. જયારે શરીરમાંથી ખુબ રક્તસ્ત્રાવ, ખાસ કરીને માતા/બહેનની સુવાવડ બાદ, વાહનઅકસ્માત, ઑપરેશન દરમ્યાન દર્દીને તાકીદે લોહી ચઢાવવાની જરુર પડે છે, જે ન મળે તો એનું મૃત્યુ થઈ શકે છે. અમુક રોગોના દર્દીઓ માટે જેવા કે થેલેસેમીયા, સીકલસેલ એનીમીયા, લ્યુકેમીયા, શરીરમાં G6PD નામના ઉત્સેચકની જનીનીક કારણસર ઉભી થયેલી ઉણપ, વગેરે કીસ્સાઓમાં પણ લોહી જ જીવ બચાવી શકે છે. આવા દર્દીઓને માટે રક્તનું મળવું નવું જીવન છે. દર્દીનું એબીઓ અને આર.ઍચ. સીસ્ટમ અનુસાર બ્લડ ગ્રુપ નક્કી કરીને એના ગ્રુપને અનુરુપ લોહી જ આપવું જરુરી છે. આથી કોઈ પણ વ્યક્તી પોતાના લોહીનું દાન બ્લડબેન્કમાં નીયમીતપણે કરતી રહે તો જરુરીયાતવાળા દર્દીને સમયસર લોહી મળી રહે અને એનું જીવન બચાવી શકાય છે. ‘રક્તદાન’ કોઈનું જીવન બચાવનારું ઉમદા કાર્ય છે. ‘રક્તદાન’ 62 વર્ષની ઉમ્...

વસિયતનામું (Will)

વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

વારસદાર (Legal Heir)

હિન્દુ વસિયતનામું લખ્યા/બનાવ્યા સિવાયના, હિન્દુ મૃતકના વારસદારો નીચે મુજબ ગણાશે. હિન્દુ પુરુષ મૃતક   CLASS-I LEGAL HEIRS:  પુત્ર / પુત્રી વિધવા / વિધુર મા મૃતકના પુત્રનો દીકરો / દીકરી મૃતકની પુત્રીનો દીકરો / દીકરી મૃતક પુત્રની વિધવા મૃતકના પુત્રના મૃતક પુત્રનો દીકરો (પૌત્ર) / દીકરી (પૌત્રી) મૃતક પુત્રના મૃતક પુત્રની વિધવા  CLASS-II LEGAL HEIRS (in absence of Class-I Legal Heirs):  પિતા  પુત્રની પુત્રીનો પુત્ર / પુત્રી, ભાઈ / બહેન, દીકરીના દીકરાનો પુત્ર / પુત્રી  ભાઈનો દીકરો / દીકરી, બહેનનો દીકરો / દીકરી દાદા (Father’s Father) દાદી (Father’s Mother)  પિતાની વિધવા પિતાની માતા, પિતાનો ભાઈ / બહેન  માતાના પિતા (આજા) / મા (આજી)  માતાનો ભાઈ / બહેન પ્રથમ પસંદગી વારસદાર Class-I માંથી થશે. એ પણ આપેલ ક્રમ પ્રમાણે જ રહેશે. Class-I માં કોઈ સગું ન હોય તો જ Class-II ગણાશે. તેમાં પણ ૧ પ્રથમ અને ૯ નંબરનો છેલ્લા ગણાશે.  હિન્દુ/પરણિત સ્ત્રી મૃતક ક્રમ પ્રમાણે અગ્રતા ગણાશે.  પુત્ર, પુત્રી, મૃતક પુત્ર / પુત્રીના દીકરા / દીકરી  પતિના વારસદારો  ...

મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭

Maintenance and Welfare of Parents and Senior Citizens Act, 2007 મા બાપ અને વરિષ્ઠ નાગરિકોના ભરણપોષણ અને સારા જીવન માટેનો કાયદો, ૨૦૦૭  ભારતમાં રહેતા, ભારતના વરિષ્ઠ નાગરિકોના હક્કો માટે, ૨૦૦૭ માં ભારત સરકારે બનાવેલ કાયદો.  I. વ્યાખ્યાઓની સમજૂતી   બાળકો (Children): પુખ્ત વયના પુત્ર, પુત્રી, પૌત્ર અને પૌત્રી  ભરણપોષણ (Maintenance): ખોરાક, કપડાં, રહેઠાણ અને માંદગીમાં હાજર રહી સારવાર.  મા-બાપ (Parents): ખરા મૂળ મા-બાપ કે સાવકા માબાપ  મિલકત (Wealth, Property) : દરેક જાતની મિલકતો પોતાની, વારસાગત, સ્થાયી કે અસ્થાયી (movable or immovable)  સગા (Relatives): બાળક વગરના મા બાપના કાયદેસરના વારસદારો (Legal heirs)  વરિષ્ઠ નાગરિક (Senior Citizen): ૬૦ વર્ષથી ઉપરના ભારતના નાગરિકો  સારું જીવન (Welfare): ખોરાકની વ્યવસ્થા,આરોગ્યને લગતી કાળજી અને વરિષ્ઠ નાગરિકની વસ્ત્રો, આનંદ-પ્રમોદ અને બીજી જરૂરીયાતો.  સમિતિ (Tribunal): કલમ ૭ મુજબ ભરણપોષણની વ્યવસ્થા માટે રચાયેલી સરકારી સમિતિ.  II. Maintenance of Parents and Senior Citizens માં-બાપ અને વરિષ્ઠ નાગરિકોનુ...

The Tragic Story Of Partition

One of the most important chapters in the Indian history (and equally so for Pakistan) is the partition of the nation in 1947. This article is a review of the book “The Tragic Story Of Partition” by H V Sheshadri. और देश बट गया (Hindi) વિભાજનની કરુણાંતિકા (Gujarati)  Translated in Gujarati by Nalin Pandya, Kishor Makwana and Bhagirath Desai. Pages: 294, Price: Rs. 90. Published by Sadhana Pustaka Prakashan, Ram Nivas, Baliyakaka Marg, Near Juna Dhorbajar, Kankaria, Ahmedabad - 380028

મહાજનપદો

ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

વર્તમાન સમયમાં લગ્નવિધિમાં સુધારાઓ

વર્તમાન લગ્નમાં વરપક્ષ અને કન્યાપક્ષ મળીને ખૂબ ખર્ચઅને સમયનો બગાડ થતો હોય છે, તે રોકવા અનિવાર્ય છે. તેના કેટલાક ઉપાયો અહીં ચર્ચવા છે. સમૂહ લગ્ન : વર્ષ દરમિયાન કોઈ એક નક્કી દિવસે જ બધાનાસાથે સમૂહમાં સાદાયથી લગ્ન કરવાનો કચ્છમાં રિવાજ છે.  મેમણ સમાજ દર વર્ષે મોટા-મોટા શહેરોમાં સમૂહલગ્નો યોજી સો-કે-તેથી વધુ વરકન્યાના લગ્નો વિધિપૂર્વક નિ:શુલ્ક કરાવતા હોય છે,ઉપરાંત જાતજાતની ઘણી ઘરવખરી દરેક જોડાંને ભેટ આપતા હોય છે.  મજીગામમાં મલ્લીકાઅર્જુન મંદિર ખાતે મંદિરના હોલમાં મંડળ દ્વારા દસ-વીસ કે વધારે હળપતિ સમાજના વરકન્યાના સમૂહ લગ્નો વિધિવત મફત કરાવીને ભેટ સોગાદોથી નવાજવામાં આવે છે.  સુરત ખાતે હીરાના વેપારી શ્રી મહેશભાઈ સવાણી દ્વારા નિરાધાર-ગરીબ- કન્યાઓના લગ્ન (દર વર્ષે આશરે ૫૦૦ દિકરી ગણાતા હાલ સુધીમાં ૪૪૯૦ લગ્નો) કરાવી આપતા હોય છે. આમ તેઓ લગભગ ૫૦૦૦ દીકરીઓના સાચા અર્થમાં પાલક પિતા બન્યા છે.  આ બધા દાખલાઓ ખાલી આંગળી ચીંધવા માટે છે.હકીકતમાં દેખાદેખી કે ઈર્ષાને કારણે ખૂબ મોટા ખર્ચનું આંધણ કરવાનું ભૂલીને સાદાઈથી પણ ધાર્મિક વિધિપૂર્વક લગ્ન કરાવવા જ જરૂરી છે. આશા છે, સમાજ સેવી સંસ્થાઓ (N...

Bharatbhai, Bharatbhai, Bharatbhai And Bharatbhai – My Kutch Tour Diary

Our recent tour of Kutch landed an interesting coincidence. I (Dr Bharat Desai), my wife Dr Bhavana, and our friends Dr Vijay Desai, his wife Meena Desai, Bepsi-ben and Villoo-ben made three nights and four days plan for Kutch - Bhuj.

અંગદનો પગ - પુસ્તક પરિચય

એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...