તેણે તુંગભદ્રા નદી પર બંધ બાંધીને નહેરોનું નિર્માણ કર્યું હતું.
સુલતાન તાજુદ્દીન ફિરોઝશાહ સાથે શાંતિ માટે સંધિ કરી. તેમાં કેટલાક પ્રદેશો ઉપરાંત પોતાની રાજકુમારી પરણાવીને અપમાનિત થવું પડ્યું.
લશ્કરમાં ઈરાન –અરબસ્તાનના ઘોડા અને તુર્ક તીરંદાજોની ભરતી કરી.
૭. રામચંદ્ર (૧૪૨૨-થોડા મહિના)
૮. વિજયરાય પહેલો (વીર વિજય) (૧૪૨૨-૧૪૨૬)
૯. દેવરાય બીજો (૧૪૨૬-૧૪૪૬)
ઇન્દ્રનો અવતાર માનવામાં આવતો.
છ લાખ (૬૦૦૦૦૦) તીરંદાજ મુસલમાન ઘોડેસવારોનું લશ્કર ઊભું કરાવ્યું.
મહાન શાસક – એક હજાર લડાયક હાથી અને નૌકાખાતું સાથે –અગિયાર લાખનું સૈન્ય હતું.
૧૦. મલ્લિકાર્જુન (૧૪૪૬-૬૫)
૧૧. વિરુપાક્ષ બીજો (૧૪૬૫-૮૫) સંગમ વંશનો અંતિમ શાસક
સંગમ વંશનો અંત
સાલુવ વંશ
૧૨. વીરનરસિંહ નામનો સાવંત સાલુવ (૧૪૮૬-૯૧)
૧૩. નરસ નાયક સેનાપતિ રાજરક્ષક બન્યો(૧૪૯૧-૧૫૦૫) અને પછીથી શાસક (૧૫૦૫-૯) બન્યો
૧૪. તિમ્મ
૧૫. ઈમ્માડે નરસિંહ (૧૪૯૧-૧૫૦૫)
અંતિમ શાસક
તુલુવ વંશ૧૬. સ્થાપક વીરનરસિંહ (૧૫૦૫-૧૫૦૯)
૧૭. કૃષ્ણ દેવરાય (૧૫૦૯-૧૫૨૯)- સર્વશ્રેષ્ઠ શાસક
૧૮. અચ્યુત દેવરાય (૧૫૨૯-૪૨)
૧૯. વેંકટ પહેલો (૧૫૪૨)
૨૦. સદાશિવ (૧૫૪૨-૬૭) વિજયનગર સામ્રાજ્યનો અંતિમ શાસક હતો.તેને કઠપુતલી બનાવી પ્રધાનમંત્રી રામરાય સંપૂર્ણ શાસન સંભાળતો હતો. તાલીકોટાનું યુદ્ધ વિજયનગરના શાનદાર સામ્રાજ્યનો અંત લાવનારું ગણાય છે.
કૃષ્ણ દેવરાય (૧૫૦૯-૧૫૨૯)
શ્રી કૃષ્ણ દેવરાય
તુલુવ વંશનો સૌથી શક્તિશાળી- નામાંકિત શાસક હતો.
તેમના પ્રભાવશાળી વ્યક્તિત્વ દેખાવથી સંપર્કમાં આવનાર પ્રતિભાથી અંજાઈ જતા.
તેઓ યુદ્ધમેદાનમાં લશ્કરી વ્યૂહ રચનામાં કુશળ –વિશાળ સેનાનું સંચાલન જાતે કરતો.
તેઓ આંધ્રભોજ તરીકે ઓળખતો-કવિ હતા.
બાંધકામ – નવી રાજધાની બનાવવા શ્રી કૃષ્ણદેવરાયે નાગલાપુરનું નવું નગર વિજયનગર નજીક બંધાવ્યું.
- દક્ષિણ ભારતમાં સહસ્ત્ર –સ્તંભિ મંડપો, હઝારા રામસ્વામી મંદિર અને રાય-ગોપુરમો બંધાવ્યા.
- સામ્રાજ્યની વ્યવસ્થા ધર્મ અનુસાર કરતો.
- સામ્રાજ્ય છ પ્રાંતોમાં વિભક્તિ –મોટા થતા એકમો તે –પરુ- સ્થળ –ગ્રામ –નાડું –વેઠે-પ્રાંત તરીકે ઓળખાયા.
- ન્યાયતંત્ર –રાજા ન્યાયાધીશોની નિમણુક કરતો અને રાજા પોતે સર્વોચ્ચ ન્યાયાધીશ હતો.
- અર્થવ્યવસ્થા- આવકનું સાધન જમીન મહેસુલ.
જમીન મહેસુલ આવકના છટ્ઠા ભાગ કરતા થોડું વધારે હતું.
ગોચરવેરો ,લગ્નકર, જકાત, ઉદ્યાન, પર અને ઉદ્યોગો પર પણ કર હતા.
- સામાજિક જીવન – સ્ત્રીઓને સમાજમાં ઉચ્ચસ્થાન- રાજમહેલમાં સ્ત્રી હિસાબનીસ, કર્મચારી, અંગરક્ષક પહેલવાન અને જ્યોતિષની નોકરી કરતી હતી. બ્રાહ્મણોનું વહીવટી અને રાજકીય બાબતોમાં વધારે મહત્વ હતું. ધનવાન લોકો બહુપત્ની ધરાવતા –બાળલગ્નો હતા.
વેશ્યાઓની સંસ્થાનું બાહુલ્ય હતું- સતીપ્રથા અમલમાં હતી.
વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયને ૧૨૦૦૦ પત્ની હતી. જેમાં ૩૦૦૦ સતી થવા તૈયાર હતી – “નિકોલો કોન્ટી”.
વિજયનગર શહેર પહાડોની ટોચે સાત કોટોથી સુરક્ષિત હતું.
- ચાંદી, તાંબુ, અને સોનાના સિક્કા પ્રચિલત હતા.
- વિજયનગર દુનિયાનું સૌથી સાધન સંપન્ન નગર ગણાતું.
- (ઈરાનનો એલચી અબ્દુલરઝાક) એક જ ધંધાના લોકો એક જ લત્તામાં વસે છે.
- વેપાર- જમીનમાર્ગે અને સમુદ્રમાર્ગે સિલોનના મોતી, ચીનનું રેશમ, મલબારના દેશી હીરા, પેગુ, કપૂર, કસ્તુરી, પીપર અને સુખડનો રક્તપારદનો ધિકતો વેપાર હતો
કલા સંસ્કૃતિ: વેદોના મહાન ભાષ્યવેત્તા સાયણ અને વિદ્યારણ્ય સંગીત, નૃત્યકળા, ઈતિહાસ, આકાશ વિજ્ઞાન, નાટક, વ્યાકરણ, હેતુવિદ્યા અને દર્શનના વિષયોના ગ્રંથો હતા અને ભણાવાતા હતા. સ્થાપત્યકલાનું શ્રેષ્ઠ ઉદાહરણ વિજયનગરમાં “હઝારા રામસ્વામી મંદિર” હતું.
ચાર ભાષાઓ સંસ્કૃત, તેલુગુ, તામિલ અને કન્નડા ભાષાના વિદ્વાનો હતા અને ભાષાનું સાહિત્ય રચાયું હતું.
કૃષ્ણ દેવરાયના દરબારમાં આઠ પ્રસિદ્ધ વિદ્યાનો હતા –તે “અષ્ટ દિગ્ગજ” તરીકે ઓળખાતા.
રાજ્યનો વિસ્તાર: લગભગ સંપૂર્ણ દક્ષિણ ભારત
- કર્ણાટક, તેલંગાણા(થોડો ભાગ), આંધ્રપ્રદેશ, તામિલનાડુ ,કેરાલા, ગોવા, મહારાષ્ટ્ર(થોડો ભાગ)
- ઉમ્મતુર (દક્ષિણ માયસોર)
- ઓરિસ્સા- ઉદય ગિરિનાર કિલ્લો
- ઓરિસ્સા –કોંડવીડું કિલ્લો
- કોંડપલ્લીદુર્ગ
- બીજાપુર –રાયચુરનો કિલ્લો
પશ્ચિમમાં કોકણ સુધી –પૂર્વમાં વિશાખાપટ્ટનમ સુધી, દક્ષિણમાં કન્યાકુમારી સુધી ઉપરાંત હિંદ મહાસાગર કેટલાક ટાપુઓ લગભગ સંપૂર્ણ દક્ષિણ ભારત –કારણ કે બંગાળથી-મલબાર અને સરદ્વીપથી ગુલબર્ગનો સંપૂર્ણ વિસ્તારનો રાજ્યમાં સમાવેશ હતો.
દક્ષિણ ભારતને એકતાંતણે બાંધી હિંદુ રાજ્ય ફેલાવનાર આવા મહાન રાજા કૃષ્ણ દેવરાયની ભવ્યતા જાણ્યા પછી એટલા પ્રભાવશાળી નહી અને નિર્બળ રાજા વારસદારો ની વિગતો વાચકોને હતાશ કરશે –પણ ઈતિહાસ તો હકીકતોનું વર્ણન છે –તેમાં લાગણીશીલ થવું ન પાલવે. ચાર મુસ્લિમ રાજાઓ એક થઇ એક વિજયનગરનું પતન કરી શકતા હોય તો, ચાર હિંદુ રાજાઓ હુંસાતુંસી, અભિમાન અને વિસ્તારવાદથી ઉપર આવી એકતા કેમ ન કરી શક્યા? ઉલટું આપણામાંથી અમુકે તો તેમનો સહકાર લીધો, તેમને આમંત્રણ આપી મિત્રોને હરાવ્યા- તો પછી ગુલામી-પતન- ધર્મપરિવર્તન અને અપમાન સિવાય બીજું શું બચે? સલ્તનત –મોગલ સામ્રાજ્ય અને બ્રિટીશ રાજ આપણી બુદ્ધિહીનતાનું પરિણામ નથી શું?
વિજયનગરનો અસ્તઈ.સ. ૧૫૬૫ માં ચાર મુસ્લિમ સુલતાનો વિજયનગર સામ્રાજ્ય સામે લડવા એક થયા.
- બીજાપુર –આદિલ ખાન (તુર્ક) =આદિલ શાહી વંશ
- અહમદનગર –નિઝામશાહી વંશ
- ગોવલકોંડા- કુત્બશાહ(તુર્ક)= કુત્બશાહી વંશ
- બીડર –મોહમ્મદશાહ કાસિમ બરીદ (તુર્ક ગુલામ)=બરીદશાહી વંશ
કૃષ્ણા નદીની ઉત્તરે આવેલ તાલિકોટા પાસે રાક્ષસી તંગડી ખાતે યુદ્ધ થયું – કૃષ્ણ દેવરાયના મૃત્યુ (૧૫૨૯) પછી બિનઆવડતવાળા રાજા અચ્યુત દેવરાય (૧૫૨૯-૪૨)
વેંકટ પહેલો (૧૫૪૨) અને સદાશિવરાય (૧૫૪૨-૬૭) ગાદીએ આવ્યા.
તેનો લાભ લેવા ચાર મુસ્લિમ રાજાઓ એક થયા –ભયંકર યુદ્ધમાં જીત મેળવી – પ્રધાનમંત્રી રામરાયે વીરતાપૂર્વક તેમનો સામનો કર્યો –પરંતુ અહમદનગરના સુલતાને તેની કતલ કરી.
- એ યુદ્ધમાં ૧૦૦૦૦૦ (એક લાખ) હિન્દુઓ મરાયા.
- વિજયનગરની અઢળક સંપત્તિ લુંટાઈ ગઈ.
વૈભવશાળી નગરનો એકાએક સદંતર વિનાશ થયો –અને દક્ષિણમાં હિન્દુ સામ્રાજ્યનો મૃત્યુઘંટ વાગ્યો –જીતેલા મુસ્લિમો અંદરોઅંદર ઝગડવા લાગ્યા અને મોગલ સલ્તનત નો ભોગ બન્યા.
બસો સવા બસો વર્ષના વિજયનગરનો ઈતિહાસ આપણને આપણી શક્તિનો નમુનો આપે છે અને છેલ્લે નિર્માલ્યતા કેવી પડતી લાવે છે. તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. કદાચ ગુલામી આપણને ખૂબ ફાવે છે શું?
જય હિંદ!
ડૉ. ભરત દેસાઈ
દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા
૨૩/૦૬/૨૩