Skip to main content

જમ્મુ-કાશ્મીરનો અજાણ્યો ઈતિહાસ

આપણે સમાચાર તરીકે જમ્મુ-કાશ્મીરની વાતો રોજ સાંભળીએ છીએ, પણ વિગતવાર ઊંડાણપૂર્વકની માહિતીના અભાવે વાત ખાસ સમજાતી નથી. ચાલો, પહેલાં મૂળ વાતો બરાબર સમજીયે.

જમ્મુ-કાશ્મીરનો ઈતિહાસ
  • ૧૮૨૨: મહારાજા ગુલાબસિંહ જમ્મુની ગાદીએ બેઠા.
  • ૧૮૪૬: જમ્મુ અને કાશ્મીર બન્ને એક રાજ્ય બન્યા. ઈસ્ટ ઈન્ડિયા કંપની અને મહારાજા ગુલાબસિંહ વચ્ચે અમૃતસર સંધિ થઈ.
  • ૧૮૫૭: સ્વતંત્રતાની પહેલી લડાઈ… મહારાજા ગુલાબસિંહનું મરણ.
  • ૧૯૪૭: ભારત વિભાજન સાથે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગમાં સ્વતંત્ર થયું.
  • રર-૧૦-૪૭: જમ્મુ-કાશ્મીર પર પાકિસ્તાને કબાલીયો વડે આક્રમણ કર્યું અને ૧/૩ ભાગ કબજે કર્યો.
  • ૨૬-૧૦-૪૭: મહારાજા હરિસિંહ ભારત જોડાણ પત્ર પર સહી કરી… જમ્મુ-કાશ્મીરનું ભારતમાં જોડાણ.
  • ૩9-૧૦-૪૭: શેખ અબ્દુલ્લા આપાત પશાસક નીમાયા.
  • ૧૭-૧૧-૪૭: પ્રજા પરિષદ પક્ષની સ્થાપના.
  1. લોર્ડ માઉન્ટબેટને ૧૭-૦૭-૪૭ શ્રીનગર જઈ રાજા હરિસિંહને કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડાવા સમજાવ્યા.
  2. મહારાજા હરિસિંહના પ્રધાનમંત્રી રામચંદ્ર કાકે બ્રીટીશ પત્ની સાથે લગ્ન કર્યા હતાં. આથી તેઓ બ્રીટીશ ષડયંત્રના ભાગ બનીને કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડાવા પ્રયત્નશીલ હતા.
  3. અંગ્રેજો કાશ્મીરનો જેટલો ભાગ પાકિસ્તાનમાં જોડાય તે જોવા ઉત્સુક હતા. આથી તે સમયની ભારત-પાકિસ્તાનની સંયુક્ત સેનાના વડા કમાન્ડર-ઈન-ચીફ્ જનરલ લોક હાર્ટ તથા ફીલ્ડમાર્શલ ઓકનલેક કાશ્મીરમાં આક્રમણ થયુ હોવા છતાં લશ્કર મોકલતા ન હતા.
  4. જવાહરલાલ નહેરુ, ભારતદેશના હિત કરતાં શેખ અબ્દુલ્લા સાથે મિત્રતાને વધારે મહત્ત્વ આપતા હોવાથી રાજા હરિસિંહ સત્તા શેખ અબ્દુલ્લાને સોંપે તો જ ભારત સાથે જોડાણ માટે તૈયાર હતા.
  5. બ્રીટન-અમેરિકાની ધરી કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડવાના મતની હતી. કારણ, (૧) પાકિસ્તાન એમની કૂટનીતિ ચલાવતી ખાંધીયો દેશ બને એમ હતુ. (ર) ચીન, તીબેટ, રશિયા અને અફઘાનિસ્તાન સાથે સરહદ ધરાવતો હોવાથી રશિયાના પ્રભાવમાં ભારત આવવાની શકયતા હતી. (૩) ચીન-રશિયાના વિસ્તારવાદ રોકવા માટે પણ કાશ્મીર પાકિસ્તાનમાં જોડવું જરૂરી લાગતું હતુ. (૪) પખ્તુનિસ્તાન સ્વતંત્ર થવા માંગે તેવો ભય હતો. (પ) પેશાવર, સિયાલકોટ, રાવલપિંડી-પ૦ કિ.મી. દૂર હતા. (૬) પાકિસ્તાનની નદીઓ કારમીરથી શરૂ થતી હોવાથી પાણીની સમસ્યા હતી.



૦૧-૦૧-૧૯૪૮:
  • કાશ્મીર મુદ્દો, જવાહરલાલ નહેરુ “યુનો” (United Nations)માં લઈ ગયા
  • ગાંધીજી અને સરદારનો વિરોધ હતો.
  • જવાહરલાલ માઉન્ટબેટનના પ્રભાવ, દબાવ કે સુઝાવમાં આવીને આ રીતે વર્ત્યા હતા.
૧૩-૦૮-૧૯૪૮: સુરક્ષા પસ્પિદે નીચેનો ઠરાવ પસાર કર્યો.
  1. ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ કરે
  2. પાકિસ્તાન કબ્જાવાળું કાશ્મીર પાકિસ્તાની સૈનિકો અને કબાઈલી ખાલી કરે… ભારતીય સ્થાનિક પ્રશાસન વહીવટ સંભાળે.
  3. જમ્મુ-કાશ્મીરની સ્થિતિ લોકમતને આધારે નક્કી થશે.
૦૫-૦૧-૧૯૪૯: સુરક્ષા પરિષદે ભારતને કહ્યું:
  1. જમ્મુ-કાશ્મીરનું રક્ષણ ભારત કરશો.
  2. ભારતની સત્તા કે કબજા વિષે સવાલ રહેતો નથી.
  3. આઝાદ કાશ્મીરની સરકારને કોઈ માન્યતા મળશે નહિ.
  4. પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરના મુદ્દે લોકમત બાબતે કોઈ હસ્તક્ષેપ ન કરે.
  5. જો પાકિસ્તાન ૧૩-૮-૧૯૪૮ પ્રસ્તાવ મુજબ કાશ્મીર ખાલી ન કરે તો ભારતને જનમત લેવો જરૂરી.
૧૫-૦૯-૧૯૫૦
  • ઓસ્ટ્રેલિયાના ન્યાયાધીશ ઑવ ડિકસને સુરક્ષા પરિષદ તરફથી શ્રીનગર આવીને ‘સંપૂર્ણ જમ્મુ-કાશ્મીરનો કબજો સંયુકત રાષ્ટ્ર પશાસનને સોંપવાનો રિપોર્ટ આપ્યો.' જેનો ભારતે વિરોધ કર્યો.
શેખ અબ્દુલ્લા પાસે ભારત સાથે જોડાવા સિવાય કોઈ વિકલ્પ જ ન હતો કારણકે,
  1. પાકિસ્તાનના મુસ્લિમ લીગ અને તેના નેશનલ કૉંફરન્સ વચ્ચે ભારી દુશ્મનાવટ હતી.
  2. પાકિસ્તાનમાં બંગાળી, કાશ્મીરી કે મુહાઝીરો માટે કોઈ સ્થાન નહોતું. તેઓ હંમેશા દ્વિતીય દરજ્જાના નાગરિકો ગણાયા.
  3. ‘સ્વતંત્ર કાશ્મીર’ બનાવીને ભારતની સેના હટાવે તો, પાકિસ્તાન શેખ અબ્દુલ્લાને ઠેકાણે પાડી દે અને કાશ્મિરનો કબજો તરત જ લઈ લે, તે શેખને ખબર હતી.
આમ, ભારતમાં જોડાવું એ તેની મજબૂરી હતી, તે વાપરવામાં આપણે થાપ ખાધી અને ખોટી શરતો સ્વીકારી.
  • ૧૯૩૨: શેખ અબ્દુલ્લાએ ‘મુસ્લિમ કોન્ફરન્સ’ ની સ્થાપના કરી. પોતે અધ્યક્ષ બન્યા. તેમનો હેતુ કાશ્મીરમાંથી ડોંગરોને ખદેડવાનો હતો. ‘ડોંગરો કાશ્મીર છોડો.’
  • ૧૯૪૬: શેખ અબ્દુલ્લાએ ‘નેશનલ કોન્ફરન્સ’ દ્વારા ‘કાશ્મીર છોડો’ આંદોલન છેડયું અને રાજા હરિસિંહની સરકારે એમની ધરપકડ કરી.
  • ૩૦-૧૦-૪૭: શેખ અબ્દુલ્લાને ૧૮૪૬ની અમૃતસર સંધિનો ફાયદો થયો અને કાશ્મીર સાથે-સાથે જમ્મુ અને લડાખના વડાની સત્તા વગર મહેનતે મળી ગઈ.
  • ૧૭-૧૧-૪૭: પં. પ્રેમનાથ ડોગરાના વડપણ હેઠળ ‘પ્રજા પરિષદ’ પક્ષની જમ્મુમાં સ્થાપના હેતુ: (૧) જમ્મુ-કાશ્મીરનો જે ભાગ પાકિસ્તાને કબજે લીધો છે, તે સરકાર લશ્કરની મદદથી છોડાવવું. (ર) પશ્ચિમ પંજાબના શરણાર્થીઓને પુનર્વાસ. (૩) કુદ, બટોર, સનાસર, પતનીટોપ, ભદ્રવાહ, કિંશીવાડ, બનિહાલ જેવા રમણીય સ્થળોએ પર્યટનનો વિકાસ. મીરપુર, કોટલી, ભિબર, પુંછ, વિગેરે પંજાબ ભાષી હતા પણ મુસ્લિમ પ્રભાવશાળી હતા.
  • ૨-૧૧-૪૭: નહેરુ અને શેખ અબ્દુલ્લા કાશ્મીરમાંથી આક્રમણકારીઓને હટાવવા પગલાં લેતા હતા. પણ જમ્મુના મીરપુર, કોટલી, પુંછ અને નૌશહેરોમાં ઘેરાયેલી સેના માટે કંઈ જ કરતા નહોતા.




૨૧-૧૧-૪૭: મીરપુરનું પતન થયુ….

  • હિંદુઓને ગાજ઼ર-મૂળકાની જેમ કાપી નાંખ્યા.
  • અનેક સ્ત્રીઓએ આત્મહત્યા કરી લીધી.
  • ૫૦૦૦ જેટલી સ્ત્રીઓને પકડીને પાકિસ્તાન લઈ ગયા.
  • થોડાક બચેલા હિન્દુઓ જમ્મુ ભાગી શકયા.
૧૯૪૮
  • મુસ્લિમ જીલ્લો ડોડા: જમ્મુ જીલ્લા પછીના ક્રમે વસ્તીમાં આવતા ઉધપપુર જિલ્લામાંથી મુસ્લિમ વધારે વસ્તીવાળા વિસ્તારો જોડીને નવો ડોડા જીલ્લો બનાવ્યો. તેમાં ચૈનાનીના થોડા ભાગને જોડી દીધો.
  • ૨૮-૪-૪૯: મહારાજા હરિસિંહને જમ્મુથી કાઢીને દિલ્હી કાયમ માટે રવાના.
  • ૨૦-૬-૪૬: કર્ણસિંહને રિજેન્ટ બનાવીને જમ્મુ બોલાવ્યા.
શેખ અબ્દુલ્ના અને નેશનલ કોન્ફરન્સ
  1. મહારાજા હરિસિંહ સંસ્કૃતિના અભ્યાસ અને શોધને પ્રોત્સાહન આપતા હતા. શેખે તે બંધ કરાવીને ‘અરબી’ ભાષા શીખવા દારુલ ઉલુમની સ્થાપના કરી.
  2. હિન્દુ નિર્વાસિતોને વસવા માટે જમ્મુને બદલે ભોપાલ, ભરતપુર અને ગંગાનગર રવાના કર્યા. પરંતુ કેટલાક મુસ્મિલ ચીની તુકિંસ્તાનથી આવ્યા તેમને ત્યાં આશ્રય આપ્યો.
  3. રેશનકાર્ડ બનાવવા, તીર્થમાત્રા કે શ્રાદ્ધ માટે જવાની પરાવાનગી કે બીજા કોઈપણ કામ માટે નેશનલ કોન્ફરન્સ કાર્યકર્તાની લાગવગ લેવી ફરજીયાત હતી.
  4. તાનાશાહી: રાજનૈતિક અપરાધીઓને જેલમાં બીજા સાથે અપ્રાકૃતિક શરીર સંબંધ કરાવાતો અને તેના બદલે સજા ઓછી કરાતી.
  5. Big Land Abolition Act: જમીન અથિગ્રહ્રણ કાયદો બનાવી ૨૦ એકરથી વઘારેની જમીન કોઈપણ મફતમાં પડાવી લઈ, બીજાને દાનમાં અપાતી.
  6. મુસલમાન શેખ વિરૂદ્ધ બોલે તો ‘લી ગી’ અને હિન્દુ વિરૂદ્ધ બોલે તો ‘સંધી’ કહેતા.
રાજકીય પક્ષો
  1. જમ્મુ અને કાશ્મીરમાં એક જ પાર્ટી નેશનલ કોન્ફરન્સ હતી. કોંગ્રેસ નેશનલ પાર્ટીને પોતાની સહયોગી માનતી હોવાથી પોતાની શાખા ખોલી નહોતી અને સામ્યવાદી પાર્ટી નેશનલ કોંગ્રેસમાં જ હતી.
  2. તેવા સમયે જમ્મુમાં લોકપ્રિય પક્ષ તરીકે પ્રજા પરિષદ પક્ષ શરૂ થયો હતો. તેના અધ્યક્ષ પં. પ્રેમનાથ ડોગરા હતા. પરંતુ શેખ અબ્દુલ્લાને વિપક્ષ બિલકુલ ખપતો ન હતો. તેથી તેને કચળી નાંખવાના બધા પ્રયત્નો તેઓ કરતા.
શેખ અબ્દુલ્નાનું સ્વપ્ન
  • “કોઈ મોટી તાકાતવાળો દેશ સુરક્ષાની ખાત્રી આપે તો, કાશ્મીર સ્વીત્ઝરલેન્ડની માફક આઝાદ દેશ થઈ શકે, પર્યટન માટે દુનિયાભરના લોકો આવે તે આવક દ્વારા દેશ ચાલી શકે…”
પોતે કાશ્મીરના એકમાત્ર નિર્વિવાદ નેતા તો હતા જ.

દિલ્હીમાં મિર્જા અફ્જલ બેગ, ડી. પી. ધર અને મિરકાસિમ નેશનલ કોન્ફરન્સ વતી ચર્ચા કરવા આવ્યા. તેમણે જવાહરલાલ નહેરુ, ગૃહમંત્રી ડો. કૈલાશનાથ કાત્જુ અને રક્ષામંત્રી ગોપાલસ્વામી ઐયર સાથે વાતચીત કરી. તેમાં જમ્મુ અને લડાખ પ્રાંતનું મહત્ત્વ સ્વીકારાતું નહોતું. તો પછી ત્યારે કેન્દ્ર સરકાર ફકત રક્ષા, વિદેશો અને સંચાર મામલાની સત્તાના બદલામાં શા માટે કાશ્મીરને ખાદ્ય પદાર્થો સહિત કરોડો ખર્ચતા હતા, તે સમજાતું નહોતું.
    ૧૧-૧-૫૩ હીરાનગર, લોહીડીનો જલિયાંવાલા કાંડ

    ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ કાશ્મીરને સંપૂર્ણપણે ભારતમાં જ જોડવું જોઈએ એવા પ્રસ્તાવનો ઠરાવ ઉપપ્રધાન મંત્રી બકશી ગુલામ મહંમદને આપવા આવ્યા હતા. તેની સામે પોલીસે લાઠીચાર્જ, અશ્રુગેસ અને ૨૦૦ ગોળી સ્ટેનગન દ્વારા છોડી. પરિણામ સ્વરૂપ બે ના મોત, ૭૭ ઘાયલ અને ૮ ગંભીર રીતે ઘાયલ થયા. તેમની સારવાર પણ ન કરાવી અને બે વિદ્યાર્થીઓના શબને પેટ્રોલથી અર્ઘ સળગાવી છોડી દઈ ત્રાસ ફેલાવ્યો.
    • ૩૦-૦૧-૫૩: ગોંડિંયા ખાતે પણ ૩૦૦૦ વિદ્યાર્થીઓ સાથે આવું જ થયુ….
    • ૦૮-૦૮-૫૩: ડો. કર્ણસિંહે (સદરે-રિંયાસત) શેખ અબ્દુલ્લાને જમ્મુ-કાશ્મીરના પ્રધાનમંત્રી પદેથી છૂટા કર્યા અને તેમની પધાનમંડળીને બરખાસ્ત કર્યું.
    • ૦૯-૦૮-૫૩: શેખ અબ્દુલ્લાની ધરપકડ કરી ઉધમપુર જેલમાં રાખ્યા.
    • ૩9-૧૨-૬૩: પ્રજા પરિષદનો ભારતીય જનસંધમાં વિલય.
    સાર

    ૧૯૪૭માં પાકિસ્તાન દ્વારા આક્રમણ કરી કાશ્મીરના ગિલગીટ, બલ્ટીસ્તાન અને જમ્મુના ક્ષેત્રો મુક્ત કરવાને બદલે યુદ્ધવિરામ જાહેર કરી, સંયુક્ત રાષ્ટ્રસંધને જવાબદારી સોંપી ભારત સરકારે ગુનાહીત ઉદાસીનતા બતાવી હતી.

    એટલું જ નહીં, ૧૯૬૫-૧૯૭૧ના યુદ્ધ વખતે કબજે કરેલા આ પ્રદેશો યુદ્ધ પછી સમજૂતી કરીને પાકિસ્તાનને પરત કર્યા હતા.
    1. ખરેખર જો હિન્દુ-મુસલમાન સાથે ન રહી શકવાને કારણે ભારત-પાકિસ્તાન બન્યા હોત તો, બન્ને દેશોના બધા જ હિન્દુ અને મુસ્લિમોના અદલાબદલી થતે. પણ તેવુ નથી થયું.

    2. પાકિસ્તાનના અફઘાની ખૈબર-પખ્તુન્વા પ્રાંતના મુસ્લિમો સરહદના ગાંધી ખાન-અબ્દુલગફાર ખાનના વડપણ હેઠળ ભારતમાં જ જોડાવા ઈચ્છતા હતા. તેઓ પાકિસ્તાનીને ‘કસાઈઓ’ કહી વિરોધ કરતા.

    3. પાકિસ્તાન બન્યા પછી ‘મુસ્લિમ લીગે’ ભારતના બધા મુસલમાનોને આપણા દેશ પાકિસ્તાનમાં આવી જવા અપીલ કરી અને દેશમાં આવી જવા કહ્યું. તો પણ ખૂબ ઓછા મુસલમાનો ત્યાં ગયા.

    -----------------------------------

    જમ્મુ-કાશ્મીરની ન કહેવાયેલ વાતો

    લેખક : કુલદીપચંદ્ર અગ્નિહોત્રી
    જન્મ તારીખ : ૨૬-૫-૧૯૫૧
    અભ્યાસ : બી.એસસી., એમ.એ., પીએચ.ડી.

    • કોલેજમાં આચાર્ય, પ્રદયાપક અને નિર્દેશક
    • પંજાબમાં જનસંધ કાર્યકર્તા
    • કટોકટીમાં જેલયાત્રા
    • પત્રકાર : જનસત્તા, હિન્દુસ્તાન સમાચાર
    • પંદરથી વઘુ પુસ્તકોના લેખક
    • બે ડઝનથી વઘુ દેશોના પ્રવાસી


    ડૉ. ભરતચંદ્ર એમ. દેસાઈ
    દેસાઈ આંખની હોસ્પિટલ, બીલીમોરા

    Also read: Who Is At Fault: India, Pakistan, Or Both?

    Comments

    1. This is very useful information with many unknown facts. Can you also provide some information on the background of Article 370?

      ReplyDelete

    Post a Comment

    Thank you for your comment!

    Popular posts from this blog

    સીમંત - સીમંતોન્નયન સંસ્કાર

    હિન્દુઓમાં લગ્ન પછી મા-બાપ થવાની પહેલી વારની અવસ્થાનું ખૂબ મહત્વ છે. ગર્ભમાં રહેલ બાળકને શુદ્ધ કરવું – પવિત્ર કરવું જરૂરી હોવાથી તે બાબતનું સંસ્કરણ કરવામાં આવે છે. તેથી જીવન દરમ્યાન થતાં સોળ સંસ્કારોમાંથી એક સીમંતોન્નયન સંસ્કાર ખૂબ જરૂરી છે. આ વિધિ ગર્ભાવસ્થાના અંતિમ તબક્કામાં છઠ્ઠા કે આઠમા માહિનામાં કરવામાં આવે છે. બાળક જન્મ પહેલાના સમયગાળામાં માતાની મન:સ્થિતિની સીધી અસર બાળક ઉપર પડે છે – એટલે આનંદોત્સવ મનાવવાથી સ્ત્રીનું મન આ સમય દરમ્યાન પ્રસન્ન રહે છે જેથી બાળક પણ તંદુરસ્ત રહે છે. ઘરમાં બાળક આવવાના સમાચાર માત્રથી સમગ્ર પરિવારમાં ઉત્સાહ અને આનંદનું વાતાવરણ હોય છે અને સૌ આતુરતાથી આવનાર બાળક મહેમાનના આગમનની રાહ જોતાં હોઈ છે. સીમંત વિધિ  (ખોળો ભરવો – गोद भराई – Baby Shower) શબ્દસહ સમજીએ તો સીમંત એટલે વાળ અને ઉન્નયન એટલે ઉપર ચઢાવવા. વિધિની શરૂઆતમાં પતિ મંત્ર બોલી પત્નીના વાળ સજાવે છે અને સેંથામાં સિંદુર પૂરે છે. સંસ્કૃત મંત્ર દ્વારા કહે છે : “દેવતાઓની માતા અદિતીના સીમંતોન્નયન સંસ્કાર પ્રજાપતિઓને કર્યા હતા અને અદિતીના પેટે દેવતાઓ જન્મ્યા હતા એમ હું સીમંતોન્નયન શ્રેષ્ઠ અન...

    દક્ષિણ ગુજરાતના હળપતિઓનું લોકનૃત્ય “ઘેરીયા”

    હૃદયવિણાને ઝણઝણાવીને વાત્સલ્ય, ઉત્સાહ અને કરુણભાવના સંમિશ્રણથી લોકબોલીની તાજગી, વેશભૂષા, તાલ-લય-ઢાળની એકાકારીતા(Harmony) ધરાવતું હળપતિઓની દ્વારા પ્રયોજતું લોકનૃત્ય તે ઘેરીયા . તેની વિગતો સમજવા પહેલા હળપતિ સમાજનો પરિચય કેળવીએ. ડૉ. પી.જી.શાહ, સ્વ.ડૉ. ઠાકોરભાઈ બી. નાયક, સ્વ.માધુભાઈ પટેલ ઉપરાંત હમણાં ડોક્ટર ઈશ્વરચંદ્ર એમ. દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર જી. દેસાઈ (C.A.) દ્વારા થયેલા સંશોધનનો લેખ આપણને જરૂરી વિગતો આપે છે. જેને ડૉ. ઈશ્વરચંદ્ર દેસાઈ અને શ્રી વિનોદચંદ્ર દેસાઈએ “ઘેરીયા” નૃત્ય અને ગીતો પુસ્તક દ્વારા આપણી સમક્ષ ઠાલવી છે. હળપતિ કોમના લોકોનું મૂળ વતન આફ્રિકાની પૂર્વ પટી મનાય છે. તેમના રક્તબીજ આફ્રિકાના નીગ્રો ને મળતા આવે છે તેમની શરીર રચના હોઠ, કપાળ આંખો કે રૂપરંગ નીગ્રો ને મળતા આવે છે. તેઓના મૂળ રાઠોડ રાજપૂત સમાજના છે ૧૯૪૯ માં વેડછીના જુગતરામ દવે એ તેમને હળપતિનું સર્વસ્વીકૃત નામ આપ્યું તે પહેલા તેઓ દુબળા તરીકે ઓળખાતા. દુબળા શબ્દ પરથી આવ્યો છે જેને અર્થ વળે નહીં તેવા, અફર જક્કી થાય છે. એમણે લીધેલ નિર્ણય બદલવો મુશ્કેલ. શરીર અને મનથી અવિકસિત કે અર્ધ વિકસિત હોવાથી પણ દુબળા સંબોધન અર્થસુચક છ...

    Karmic Theory (Law Of Karma)

    “Facing Challenges and Creating Destiny” by BK Shivani, Gurgaon National Conference on Mind-Body-Medicine, Mount Abu. August 6-10, 2010 What is Karma? Karma is work or energy going out in the form of 1. Thought, 2. Word and/or 3. Action. Resultant return of energy is in the same amount known as Bhagya (Destiny). The role of God is to ask you to do Karma and to help you to do the RIGHT karma. Then whatever good/bad karma you do, the result is accordingly and entirely your responsibility. Because the result is Destiny (Bhagya). So don’t blame anyone else or God for anything bad. Do not try to blame someone responsible for your own deed and its result. Be aware and create/decide your own destiny (Bhagya). Actually, the role of God is to: Give us the strength to handle the problem/situation Accompany us in solving the issue Guide Love unconditionally Give proper knowledge and Pour power to face the situation So pause a little before doing something wrong, think it will ...

    પવિત્ર કુરાન - સારાંશ

    દરેક ધર્મના સિદ્ધાંતો બાબતે માર્ગદર્શન અને માહિતી આપતું સર્વમાન્ય પુસ્તક હોય છે. હિન્દુ ધર્મમાં મહાભારત – ભગવદગીતા અને રામાયણ છે, તો ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ છે અને શીખ ધર્મમાં ગુરુગ્રંથસાહેબ છે, એ રીતે ઈસ્લામમાં કુરાન છે. મુસ્લિમોને ધર્મ ઉપદેશ-જીવન જીવવાના નિયમો અને એમના ભગવાન અલ્લાહની ભક્તિની રીતો કુરાનમાં સમજાવી છે. હઝરત મહંમદ પેગમ્બર સાઉદી અરેબિયાના મક્કા શહેરમાં જન્મ્યા. પછી તેમની પોતાની ચાલીશ વર્ષની ઉંમરથી શરૂ કરીને બીજા ત્રેવીસ વર્ષ સુધીના લાંબા ગાળામાં ઈ.સ. ૬૧૦ થી ૬૩૨ સુધી અલ્લાહપાકે પોતાના ફરિસ્તાઓ મારફતે કુરાન શરીફનું જ્ઞાન આપ્યું. તેના લખાણથી બનેલ ધર્મપુસ્તક તે કુરાન. કુરાન શરીફ ફક્ત મુસ્લિમોનું ધર્મપુસ્તક નથી, બલ્કે વિશ્વના સઘળા ઈન્શાનો માટેનું પુસ્તક છે. કુરનમાં એક અલ્લાહપાકને જ સર્વશક્તિમાન માનીને તેની ઈબાદત (ઉપાસના) કરવાનું કહ્યું છે. અલ્લાહપાક સિવાય કોઈપણને-બીજાને સામેલ (શરીક) કરવાને ગુનેગાર ગણાવ્યો છે. કોઈને ભાગીદાર ન બનાવો. મૂર્તિપૂજા અને અનેકેશ્વરવાદ ઈસ્લામમાં અસ્વીકાર્ય છે. કુરાન માનવસમાજની આધ્યાત્મિક સમજણ માટે ઉતારવામાં આવ્યું છે. તેમાં વિજ્ઞા...

    Anavils - An Endangered Community

    After Parsis, Anavils ( Anavil Brahmins , અનાવિલ બ્રાહ્મણ ) are the fastest decreasing community. The total population of Anavils around the world does not exceed two lakhs figure and that is also fast reducing day by day. Days are not far, beyond a century or so, when they will have to be seen/found in records, photos, and videos. Why? Because,    - they get married too late,    - many are dying unmarried,    - they wait for the career to be settled before the first (and maybe the only) childbirth. So,    The number of children per couple is either one or zero.    It is certain that nothing can save this community from extinction - vanishing! Let me try to introduce this community. Mr. Klass W VanDer Veen - a Dutch scholar and Professor at Amsterdam University prepared a thesis on "Anavils" and wrote a book "I Give Thee My Daughter ". He concluded, "Anavils are smart, efficient, and clever but heavily disunited....

    History Of Muslims In India: Hindu-Muslim Relations

    With this article, I would like to tell you about three things: (1) the History of Islam and Muslims in India; then I will try to elaborate, specifically telling (2) What went wrong; and finally, I will conclude by telling (3) The future of relations amongst Muslims and Hindus. Although it is routine to give references, in the end, I shall start with the list of three reference books in the beginning. All these details are not mine, I’ve only summarized them from these books. 1. "Miyan Ne Mahadev No Mel Padshe J Padshe” (Gujarati - “મિયાં ને મહાદેવ નો મેળ પડશે જ પડશે”) by Kanti Shah. Published by Yaagna Prakasan Samiti, Hujaratpaga, Vadodara. A Gujarati book. Title meaning “Muslims and Hindus will certainly unite…”. Pages 80, Cost Rs. 30. 2. “Indian Muslims – Where They Have Gone Wrong” (English) by Rafiq Zakaria. Published by Popular Prakasan and Bhartiya Vidya Bhavan. Pages 620, Cost Rs 495. 3. “Rashtra Aur Musalman” (Hindi - “राष्ट्र और मुसलमान”) by Nasira ...

    વસિયતનામું (Will)

    વસિયતનામું એક લખાણ (Document) છે જેના દ્વારા લખનારની મિલકતના ભાગલા અને ફેરબદલ (Transfer) લખનારના મૃત્યુ બાદ નિર્દેષીત વ્યક્તિઓ કે સંસ્થાને કરવામાં આવે છે. કાનૂની(Legal) રીતે માન્ય દસ્તાવેજ-વસિયતનામું લખનારની મિલકતની પોતાના મૃત્યુ બાદ વહેંચણી બાબતે માહિતી આપે છે. વસિયત લખવાનો હેતુ લખનારનું મન અને ઇચ્છાને સરળતાથી કહેવાનો છે.  વસિયતનામું મિલકત ધરાવનાર કોઈપણ વ્યક્તિ વારસદારોને આપવાની ઈચ્છા જણાવવા કરી શકે છે  વસિયત ૧૮ વર્ષથી ઉપરનો પુખ્ત વ્યક્તિ (સ્ત્રી કે પુરુષ) કરી શકે છે.  વસિયત લખનારની માનસિક હાલત સ્વસ્થ હોવી જોઈએ.  વસિયત લખવાની સરકારી એજન્સી દ્વારા મનાઈ ન ફરમાવેલ હોવું જોઈએ. પ્રોબેટ (Probate) Indian Succession Act, 1925 Section 2 મુજબ પ્રોબેટ યોગ્ય ન્યાયાલય દ્વારા વસિયતનામાની કાયદેસર(Legation) સચ્ચાઈ(Correction) અને પ્રમાણિકતાની(Genuineness) ખાતરી આપતો હુકમ (Decree) છે પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, આસામ ઉપરાંત દિલ્હી, મુંબઈ, અને ચેન્નઈ નો મ્યુનિસિપલ કોર્પોરેશન હદ ના રહેવાસીઓ માટે પ્રોબેટ ફરજિયાત છે મૃત્યુના સાત દિવસ પછી પ્રોબેટ માટે અરજી થઈ શકે છે. Indian Succession ...

    મહાજનપદો

    ભારતીય ઇતિહાસના જિજ્ઞાસુ માટે સિંધુ ખીણની સંસ્કૃતિ (ઈ.પૂ. ૨૫૦૦ - ૧૭૫૦) બાદ વૈદિક સંસ્કૃતિની વાત (ઈ.પૂ. ૧૫૦૦ - ૬૦૦) સમજ્યા પછીનો ભારતીય રાજકીય ઇતિહાસ સમજાવવા માટે મહાજનપદોની વિગતો જાણવી પડે. કદાચ મહાજનપદો આપણી જાણ મુજબનો પ્રથમ વ્યવસ્થિત નોંધાયેલ લેખિત ઇતિહાસ છે, એમ કહીએ તો ખોટું નથી. તો ચાલો પ્રથમ ભારતીય ઇતિહાસમાં મહાજન પદોની માહિતી લઈ વિગતે જાણીએ. મહાજન પદો   (ઇ.સ.પૂર્વે ૬૦૦ - ૪૦૦)  મૌર્ય યુગ પૂર્વે નો સમય  ગણતંત્ર (Republican) : રાજ્ય તંત્રના કેન્દ્રસ્થાને રાજા નહીં, પરંતુ જનગણે ચુંટેલા સભ્યોની પરિષદ હતી.રાજ્યતંત્રના નિર્ણયો સંથાગારમાં મળતી પરિષદના સભ્યો નિયત પ્રકારની લોકશાહી પદ્ધતિથી કરતા. બેઠકમાં સભ્યોના આસનોની વ્યવસ્થા રહેતી. ઓછામાં ઓછી અમુક સભ્યોની હાજરી (કોરમ) ફરજિયાત આવશ્યક ગણાતી. પ્રસ્તાવ ત્રણ વાર મોટેથી રજૂ કરાતો-મોટેથી નિયમપૂર્વક વાંચન પછી એની સામે કંઈ વાંધા રજૂ ન થાય તો પ્રસ્તાવ સર્વાનૂમતિથી પસાર થયેલ ગણાતો. મતદાન માટે ખુલ્લી, કાનમાં કહેવાની અને જુદા જુદા રંગની શલાકા (સળી ) ઉપાડવાની એમ ત્રણ પદ્ધતિઓ પ્રચલિત હતી. વારસાગત (Hereditary) : રાજા નો પુત્ર વારસદા...

    ચાલો, જાણીએ દક્ષિણ ગુજરાતના અનાવિલોને

    અનાવિલ સમાજનો પરિચય વાપીથી તાપી અથવા કહોકે ઉંમરગામથી કોસંબા સુધી વિસ્તરેલા અનાવિલો, હકીકતમાં વિશ્વના દરેક ખૂણે પથરાયેલા છે. અપરિણિત રહેવું- મોડાં લગ્નો અને એક કે તેથી ઓછા બાળકો ધરાવતા અનાવિલો ધીરે ધીરે કુલ બે લાખથી પણ ઓછી વસ્તી વિશ્વમાં ધરાવે છે. આપણો ઈતિહાસ આપણે કહી શકીએ કે આપણો ઈતિહાસ કમસેકમ 5000 વર્ષ જુનો છે. દક્ષિણ ગુજરાતના અનાવલ (ત્યારે અનાદિપુર તરીકે પ્રખ્યાત) ખાતે ભગવાન રામને રાવણ જેવા બ્રાહ્મમણના વધના પ્રાયશ્ચિત માટે પાપ ધોવા માટે મહાયજ્ઞ કરવાની જરૂર પડી ત્યારે હનુમાન આપણા પૂર્વજોને આયોધ્યાથી અનાવલ લાવ્યા હતા ત્યારથી આપણે અજાચક્ર બ્રાહ્મમણો કે અનાવિલ તરીકે ઓળખાઈએ છીએ. હકીકતમાં, આપણે અફઘાનિસ્તાનથી આવેલા આર્યો છીએ. બિહારના મગધ રાજ્યના રાજ્યકર્તા તરીકે પણ આપણા પૂર્વજો ઓળખાયા છે. અનાવિલ રાજા “પૂત્રક” નાગકન્યા “પાટલી” સાથે લગ્ન કર્યા પછી રાજધાની તરીકે “પાટલીપૂત્રક” શહેર વસાવે છે જે આજે પટના તરીકે ઓળખાય છે. તેથી જ આપણા જેવા બુદ્ધિશાળી અને નેતા ચાણકય ઉર્ફે કૌટિલ્ય પણ અનાવિલ હોવાનું મનાય છે. અનાવલ રાજ્ય જે વ્યારા, મહુવા, વાંસદા, અને ચીખલી તાલુકા સુધી વિસ્તરેલું હતું તેન...

    અંગદનો પગ - પુસ્તક પરિચય

    એક જ બેઠકમાં કે પછી સળંગ વાંચવાની ઉત્કંઠા જાગે એવી આ નવલકથાનો પરિચય કરાવવાનો નમ્ર પ્રયાસ કરતાં ખૂબ આનંદ થાય છે.  ભુજ રહેતા, હાલ 74 વર્ષીય, આપણાં લેખક શ્રી હરેશ ધોળકિયા જિંદગીના 25 વર્ષ શિક્ષણકાર્ય કરતાં હતા. અને આદર્શ શિક્ષકના એક લક્ષણ તરીકે પુસ્તકો વાંચવાની સરસ ટેવ ધરાવતા હતા. તે કારણે 1945 માં લખાયેલ 1930 ની કથાવસ્તુ ધરાવતી લેખિકા ઈયાન હેન્ડ દ્વારા લિખિત બે નવલકથાઓ વાંચે છે - 700+ પાનાંની Fountain Head (ફાઉન્ટન હેડ) સાત-સાત વાર સળંગ વાંચી તો 1150+ પાનાં ધરાવતી Atlas Shrugged (એટલાસ શ્રગ્ડ) પણ સળંગ અવારનવાર વાંચી. 1988ના વર્ષે થયેલ આ અકસ્માત(!) આપણી નવલકથાનું જન્મસ્થાન છે.  ફાઉન્ટન હેડ અને એટલાસ શ્રગ્ડ નવલકથાઓ રશિયન લેખિકા ઈયાન હેન્ડે અમેરિકા જઈને લખી છે અને બન્નેની 64 લાખ થી વધુ નકલો વિશ્વભરમાં વંચાય ચૂકી છે. બન્ને માં લેખકને “માનવ શ્રેષ્ઠત્વ” ના અદ્દભૂત દર્શન થયા છે. આ ઉપરાંત પ્રતિભાશાળી અને સામાન્ય (First Raters and Second Raters)નું તેમાં થયેલાં વર્ણન તેમણે આત્મશાત કર્યું છે.  પહેલા લેખકશ્રીના મિત્ર શ્રી સુરેશભાઈ પરીખે એટલાસ શ્રગ્ડનું ભાષાંતર કરવા સૂચવ્યું. ત્યાર પછી...